Book Title: Navpada Prakash Part 3 4
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

Previous | Next

Page 142
________________ ૧૩૧ આમા ઉપરાંત અચેતન ભૂત પણ માને છે. એટલે એ બંને જ સામસામા ટકરાય છે એમ સાંખ્ય દર્શન આત્મા તે અનંત માને પરંતુ આત્માને અક્રિય, અકર્તા–અર્ભકતા માને છે અને જડ પ્રકૃતિને સક્રિય, કર્તા, કતા માને છે અને એની સામે ન્યાય વૈશેષિક દર્શન આત્માને કર્તા કતા માને છે, એટલે બંનેની સામસામી તર્કબાજી કેવી ચાલે? તો કે બંનેમાંથી એકેય પાછા ન પડે. ત્યારે અને કાંતવાદી જનદર્શનને કશો કર્તુત્વ કે અકત્વ વગેરેને એકાન્ત માન્ય નથી. એટલે પેલા એકાન્તવાદી અને પરપક્ષના વિરુદ્ધ મતનાં નિષેધ કરનાર દશનેનું અનેકાન્તવાદથી ખંડન કરી શકે છે, કથંચિત્ ન્યાય પણ આપી શકે છે. આ એકાન્તવાદી દશને પાછા એકલા સિદ્ધાન્તમાં જ એકાતવાદી નથી હોતા, કિન્તુ મોક્ષમાર્ગ અંગે પણ એકાન્તવાદી હોય છે, જેમકે ન્યાય દર્શન કહે છે “તવજ્ઞાનાદુ મુક્તિતવજ્ઞાનથી અર્થાત એકલા જ્ઞાનથી મોક્ષ થાય, ત્યારે મીમાંસક યજ્ઞાદિ ક્રિયાને જ માર્ગ માને છે. - દર્શનવાળા વૈરાગ્ય–યોગથી મોક્ષ થવાનું કહે છે; તે વેદાન્ત નેતિ નેતિ કરતા ચાલો અર્થાત “જે કાંઈ તમને ભાસે એ વાસ્તવમાં નથી એમ છેલે હું પણ નથી, એ સ્થિતિમાં પહોંચે તે મેક્ષ થાય. એટલે શું આવ્યું? બિલકલ જ્ઞાનરહિત થાઓ તે મેક્ષ થાય, કેવો વિચિત્ર મોક્ષમાર્ગ ઉપાધ્યાય પાસે જિનાગમનું જ્ઞાન એવું સચોટ અને સંગીના છે કે એમને આ બધા દર્શન-વાદીઓના તત્ત્વની જેમ માર્ગના સિદ્ધાન્તો પણ ખંડન કરવા સહેલા છે. વાદીઓને ચૂપ થઈ જવું પડે દર્શનના પરસ્પરના પોતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192