________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦)
अनुपानतंरगिणी. જ્યારે દેવ અને દૈત્યોના સંગ્રામ સમય દેવોએ પૃથુમાળિ નામના દૈત્યને હશે ત્યારે તે દૈત્યના રૂધિર (લોહી) ના છાંટાથી પીપળાના ઝાડ જેવાં ઝાડ પેદા થયાં તે ઝાડના ગુંદને મુની (રૂષિ) લોકો કાળક્ટ કહે છે તે ઝાડ શૃંગબેર ક્ષેત્રમાં, કોકણ દેશમાં અને મળયાચળ પર્વત ઉપર થાય છે. ૨૨-૨૩
હળાહળ વિષનું સ્વરૂપ, गोस्तनाभफलोगुच्छ स्तालपत्रच्छदस्तथा ॥ तेजसायस्यदाते समीपस्थाद्रमादयः ॥२४॥ असौहालाहलोज्ञेयं किष्किंधायांहिमालयं ॥ दक्षिणाधितटेदेशे कोंकणेषिचजायते ॥ २५॥
જેનું ફળ ગાયના સ્તન જેવું હોય છે, એના ફળનું ઝુમખું લાગેછે, જેનાં પાંદડાં તાડપત્ર જેવાં અને જેના તેજે કરીને આસપાસનાં ઝાડ બળી જાય છે તેને હળાહળ વિષ કહે છે. આ વિષ કિષ્કધામાં હિમાળમાં અને દક્ષિણ સમુદ્રને કિનારે કાંકણ દેશમાં પણ થાય છે.
બ્રહ્મપુત્ર વિષનું સ્વરૂપ, वर्णतःकपिलोयःस्या तथाभवतिसारतः ।। ब्रह्मपुत्रःसविज्ञेयो जायतेमलयाचले ॥ २६ ॥
જે વર્ણ અને સારમાં પિલાના રંગ સમાન હોય છે તેને બેહ્મ પુત્ર વિષ કહે છે. આ મળયાચળ પર્વત ઉપર ઉત્પન્ન થાય છે. ૨૬
વિષનાં વર્ણ ભેદ. ब्राह्मणः पांडुरस्तेषु क्षत्रियोलोहितप्रभः ॥ पीतोवैश्योऽसितः शूद्रो विषउक्तश्चतुर्विधः॥२७ रसायनेविविप्रं क्षत्रियंदेहपुष्टये ॥ वैश्यंकुष्ठविनाशाय शुदंदद्यादधायहि ॥ २८ ॥
જે વિષ ધોળારંગનું હોય તે બ્રાહ્મણ જાતિનું, રાતા રંગનું ક્ષત્રી જાતિનું, પીળા રંગનું વૈશ્ય જાતિનું અને કાળારંગનું વિષ શુદ્ર જાતિનું ગણાય છે. રસાયન કરવામાં બ્રાહ્મણ, શરીર પુષ્ટિ પ્રયોગમાં ક્ષત્રિ, કોઢ મટાડવામાં વૈશ્ય અને ભારણ પ્રયોગમાં શુદ્ર જાતિનું વિષ ઉપયોગમાં લેવું. ૨૭-૨૮
For Private And Personal Use Only