Book Title: Nadigyan Tarangini
Author(s): Hargovinddas Harjivandas
Publisher: Hargovinddas Harjivandas

View full book text
Previous | Next

Page 155
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनुपानतरंगिणी. (૨૪) પ્રાણહર ઉંદર કરડયાનાં લક્ષણ, જે ઉંદર કરડવાથી મૂચ્છા થઈ આવે, અંગમાં સેજે, શરીરનું વર્ણ વિપરીત થાય અતિ ખેદ, તાવ, માથામાં ભાર, ઉલટી અને લાળગરવા લાગે તથા કરડેલી જગ્યાએથી લોહી વહે છે. ઝેરી કાચંડ કરડયાના વિષનાં ચિહ, ગિરગટ કરડે તે જગ્યા કાળી પડી સેજે થઈ આવે છે શરીરનું વર્ણ અનેક રંગનું ભાસે, મોહ અને અતિસાર થઈ આવે છે. વિંછી કરડયાનાં લક્ષણ લખવાની જરૂરનથી; કેમકે તેથી ભાગેજ કોઈ અજાણ્યું હશે; પરતું તેનાં અસાધ્ય લક્ષણો જાણવાની જરૂર છે. જે ઘણજ ઝેરી વિંછી હોય અને તે ડંખ મારે અથવા જીભ, છાતી અને નાકમાં કે અંડકોષાદિ ગુહ્યસ્થાનમાં ખમારે તો તે સ્થળે ભયંકર આગ ઉઠે છે, છમથી બોલાઈ શકાયનહિ, ડંખની જગ્યાને માંસ કળી પડે, પુષ્કળ પ્રસ્વેદ થઈ આવે અને બા આવવા લાગે તો તે મનુષ્ય મરી જાય છે. ઝેરી મંડક કરડે તેના ઝેરનાં ચિહ, ઝેરી ડેડકો કરડે તે સ્થળે પીડા સાથે સેજે હેવ છે, તરસ લાગે છે, નિદ્રા વિશેષઆવે અને ઉલટી થયા કરે છે. ઝેરી માછલાં અને જળે કરડયાનાં ચિન્હો. ઝેરી માંછલીના ડંખથી ડંખની જગ્યાએ બળતરા સોજો અને પીડા થાય છે અને ઝેરી જળો કરડે તે ઠેકાણે ચલ આવે, સોજે તાવ અને મૂર્છા થઈ આવે છે. ઝેરી ગરોળી, કાનખારે મચ્છર વગડાઉ મચ્છર અને ઝેરી માખી તથા ભમરાના વિષનાં ચિહે ઝેરી ગળી કરડે ત્યાં બળતરા, સોજો, પીડા અને પરસેવો થાય છે. કાનખજૂરે કરડ્યો હોય ત્યાં બળતરા સેજો અને પીડા થાય છે. જ્યાં મરછર કરડે ત્યાં ચળ જરા સેજે અને મંદ પીડા થાય છે. વગડાઉમછર કરડો હોય ત્યાં લાલ ચકામાં જેવા ઘા ઉંડા પડે છે અને ઘણી પીડા થાય છે તે અસાધ્ય ડંખ જાણ. ઝેરી માખી અથવા ભમરામાખી કરડી હોય ત્યાં બળતરા થાય છે, તે જ ગ્યા કળી પડે છે, ભ, તાવ અને ચકામાં થઈ આવે છે સિંહ, ચિતરો અને વરૂ વગેરે કરડયાં હોય તેનાં લક્ષણ ઉક્ત જાનવરોના કરડવાની જગ્યાને ઘા પાકે છે, રસી વહે છે, અને તાવ આવે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177