Book Title: Mitra Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 23
________________ મિત્રાદ્વાચિંશિકા/શ્લોક-૩ નહીં કરું તેવું વ્રત મહાવ્રતરૂપ બને. (૪) દેવબ્રાહ્મણાદિ પ્રયોજનને છોડીને હું કોઈની હિંસા નહીં કરું તેવું વ્રત ગ્રહણ કરવામાં આવે તો તે અણુવ્રતરૂપ છે, પરંતુ “દેવબ્રાહ્મણાદિ પ્રયોજનની છૂટ રાખ્યા વિના હું કોઈની પણ હિંસા નહીં કરું' તેવું વ્રત મહાવ્રતરૂપ બને. ઉપરમાં બતાવેલા ચારે પ્રકારથી સર્વથા હિંસાનો ત્યાગ હોય તો તે મહાવ્રત બને અને તે ચારમાંથી કોઈ એક દેશાદિ પ્રકારથી પણ અવચ્છિન્નમર્યાદિત હોય તો તે અણુવ્રત બને પરંતુ મહાવ્રત બને નહીં. આ મહાવ્રતો ક્ષિપ્રાદિ ચિત્તની પાંચે ભૂમિકામાં થનારાં છે. તેથી ચિત્તની કોઈ પણ ભૂમિકામાં વર્તતો જીવ દેશકાળાદિની મર્યાદાથી પાંચ યમોનું સેવન કરે તો તે અણુવ્રત બને, અને દેશકાળાદિની મર્યાદા વિના પાંચ યમોનું સેવન કરે તો તે મહાવ્રત બને. . રા અવતરણિકા - શ્લોક-૧માં કહ્યું કે મિત્રાદેષ્ટિમાં યમ નામનું યોગાંગ પ્રગટે છે અને શ્લોક-રમાં યમોનું સ્વરૂપ બતાવ્યું. ત્યાં જિજ્ઞાસા થાય કે યમ કઈ રીતે યોગનું અંગ છે ? તેથી કહે છે – શ્લોક - बाधनेन वितर्काणां प्रतिपक्षस्य भावनात् । योगसौकर्यतोऽमीषां योगाङ्गत्वमुदाहृतम् ॥३॥ અન્વયાર્થ - પ્રતિપક્ષી માવની=પ્રતિપક્ષના ભાવનથી હિંસાદિના પ્રતિપક્ષ એવા યમાદિના ભાવનથી વિતUાં વાળને યોગના પરિપંથી=વિરોધી એવા હિંસાદિ વિતર્કોનો બાધ થવાને કારણે યોગીજયંત યોગની સુકરતા થવાથી પીપાં આમનું અહિંસાદિ યમોનું ચોરાફર્વોગાંગપણું ૩૯હતzકહેવાયું છે. Hall. શ્લોકાર્ધ : પ્રતિપક્ષના ભાવનથી વિતર્કોનો બાધ થવાને કારણે યોગની સુકરતા થવાથી અહિંસાદિ યમોનું યોગાંગપણું કહેવાયું છે. all Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96