Book Title: Mitra Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 30
________________ ૧૫ મિત્રાદ્ધાત્રિશિકા/શ્લોક-૪ તે તીવ્ર માત્રાવાળો વિતર્ક છે. તેમ લોભથી જેમ શ્રેણિક મહારાજાએ હરણીનો શિકાર કર્યો ત્યારે, તે ગર્ભવતી હરણીના પેટ પર તીર લાગવાથી તેનું તરફડતું બહાર નીકળી પડેલું બચ્યું તેમણે જોયું ત્યારે હર્ષમાં આવીને કહ્યું કે “મેં એક ઘાએ બે જીવનો શિકાર કર્યો.' આવા તીવ્ર પરિણામની હિંસા થાય તો વિશેષ પ્રકારની હિંસકવૃત્તિ પ્રગટે; અને તેવું કોઈ નિમિત્ત ન હોય અને શાતાના અર્થીપણાથી, લોભને વશ થઈને આરંભ-સમારંભ કરે તો મધ્યમ પરિણામ પણ હોઈ શકે; અને કોઈક જીવને આરંભ પ્રત્યેનો જુગુપ્સાભાવ હોય, તોપણ કંઈક શાતાના અર્થીપણાથી લોભને વશ થઈને સામાન્ય આરંભ કરે તો મૃદુ પરિણામ પણ હોઈ શકે. આ રીતે મોહમૂલક વિકલ્પોની પણ ત્રણ પ્રકારની માત્રાઓ વિચારવી. આમ નવ પ્રકારના વિતર્કો x મૃદુ, મધ્ય, મંદ એ ત્રણ પરિણામો-૨૭ પ્રકારે વિતર્કો થાય. (૧) મોહથી હિંસા મધ્ય તીવ્ર અજ્ઞાનને કારણે મંદ પરિણામથી હિંસા અજ્ઞાનને કારણે મધ્યમ પરિણામથી હિંસા અજ્ઞાનને કારણે તીવ્ર પરિણામથી હિંસા I૪ો. (૨) લોભથી હિંસા મધ્ય તીવ્ર શાતાના અર્થીપણાથી શાતાના અર્થીપણાથી શાતાના અર્થીપણાથી મંદ પરિણામથી મધ્યમ પરિણામથી તીવ્ર પરિણામથી હિંસા હિંસા હિંસા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96