Book Title: Mitra Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 72
________________ પ મિત્રાદ્વાચિંશિકા/શ્લોક-૨૦ અવ્યક્ત સમાધિ છે. આ યોગાવંચકાદિ ભાવો થવામાં શ્રુતના અવલંબનથી તેવો કોઈ યત્ન નથી થયો, તોપણ તથાસ્વભાવે ગુણવાનને ગુણવાનરૂપે જોઈને અભિમુખ ભાવ થાય તેવી જીવમાં અવ્યક્ત સમાધિની પરિણતિ વર્તે છે, જેનાથી યોગાવંચકની પ્રાપ્તિ થાય છે. યોગાવંચક આદિ ત્રણેમાં આ અવ્યક્ત સમાધિ ભિન્ન-ભિન્ન પ્રકારની છે. તેથી જેને જે પ્રકારની અવ્યક્ત સમાધિ પ્રગટ થઈ હોય, તેને તે ત્રણમાંથી કોઈપણ એક, બે કે ત્રણ પ્રકારના અવંચકયોગની પ્રાપ્તિ થાય. ||૧૯ી. અવતરણિકા : શ્લોક-૧૮માં કહ્યું કે સત્કામાદિ યોગબીજનું નિમિત્ત એવો બાહ્ય નિમિત્તસંયોગ યોગાવંચકાદિના ઉદયથી શુભ થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે યોગાવંચકાદિના ઉદયથી બાહ્ય એવો નિમિત્તસંયોગ શુભ બને છે, અને તે શુભ નિમિત્તસંયોગ સસામાદિ યોગબીજનું બહિરંગ કારણ છે. હવે તે સ–ણામાદિ યોગબીજની પ્રાપ્તિનું અંતરંગ કારણ શું છે? તે બતાવે છે – શ્લોક : हेतुरत्रान्तरङ्गश्च तथाभावमलाल्पता । ज्योत्स्नादाविव रत्नादिमलापगम उच्यते ॥२०॥ અન્વયાર્થ ર=અને ચોત્સાવિવ=જેમ રનની કાંતિ આદિમાં ભામિનીપમ = રત્નાદિના મેલનો અપગમ અખ્તર હેતુ=અંતરંગ હેતુ વ્યસ્ત કહેવાય છે (તથા તેમ) ત્ર=અહીં=સમ્પ્રણામાદિ યોગબીજોમાં તથા માવલ્પિતક તે પ્રકારના ભાવમલની અલ્પતા અંતરંગ હેતુ કહેવાય છે. ૨૦ શ્લોકાર્ચ - અને જેમ રત્નની કાંતિ આદિમાં રત્નાદિના મેલનો અપગમ અંતરંગ હેતુ કહેવાય છે, તેમ સટૂણામાદિ યોગબીજોમાં તે પ્રકારના ભાવમલની અલ્પતા અંતરંગ હેતુ કહેવાય છે. Holl Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96