Book Title: Mitra Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 88
________________ મિત્રાદ્વાત્રિંશિકા/મ્લોક-૨૦ 63 જો સત્પુરુષનો યોગ થાય તો બીજના ચંદ્રમાની જેમ પ્રકર્ષને પામીને તત્ત્વની રુચિ અતિશય કરીને સમ્યક્ત્વાદિ ભૂમિકાને પણ યોગી ક્રમસર પ્રાપ્ત કરે છે. ।।૨૬।। અવતરણિકા : મિત્રાર્દષ્ટિવાળા યોગીને સત્પુરુષના યોગથી તત્ત્વની રુચિ વૃદ્ધિ પામે છે તેમાં અંતરંગ કારણ શું છે ? તે બતાવે છે શ્લોક ઃ - उत्कर्षापकर्षाच्च शुद्धयशुद्धयोरयं गुणः । मित्रायामपुनर्बन्धात् कर्मणां संप्रवर्तते ॥२७॥ અન્વયાર્થ ઃશુદ્ધયશુદ્ધયો: ૩ વર્ષાન્ત્ર=શુદ્ધિ-અશુદ્ધિના ઉત્કર્ષ અને અપકર્ષથી અર્થ શુળ:યોગમાર્ગની રુચિના કારણીભૂત સત્પુરુષોનો યોગ છે મૂળમાં જેને એવો અહિંસાદિયમ ગુણ મિત્રાચા=મિત્રાદેષ્ટિમાં ધર્મનાં અપુનર્વધાત્=કર્મના અપુનબંધના કારણે સંપ્રવર્તતેસમ્યક્ પ્રવર્તે છે. ૨૭ના શ્લોકાર્થ : શુદ્ધિ-અશુદ્ધિના ઉત્કર્ષ અને અપકર્ષથી આ સત્પુરુષના યોગવાળો અહિંસાદિયમ ગુણ મિત્રાદેષ્ટિમાં કર્મના અપુનબંધના કારણે સમ્યક્ પ્રવર્તે 9.112911 ભાવાર્થ : મિત્રાદષ્ટિવાળા યોગીને સત્પુરુષોનો યોગ થાય ત્યારે તેમના પરિચયને કારણે વિવેક વધે છે, તેથી અધિક અધિક વિવેકવાળું તેમનું યમનું સેવન થાય છે; તેથી મિત્રાદષ્ટિવાળા યોગીમાં શુદ્ધિનો ઉત્કર્ષ થાય છે અને અશુદ્ધિનો અપકર્ષ થાય છે. માટે સત્પુરુષના યોગવાળું યમનું સેવન તેઓની તત્ત્વરુચિની વૃદ્ધિનું કારણ બને છે. વળી મિત્રાદૃષ્ટિવાળા યોગી શુદ્ધિના ઉત્કર્ષથી યમનું સેવન કરે છે ત્યારે, પૂર્વ-પૂર્વ કરતાં ઉત્તર-ઉત્તરમાં કર્મની અલ્પ-અલ્પતર સ્થિતિ બાંધે છે. તેથી પૂર્વમાં જેવી કર્મની સ્થિતિ બાંધતા હતા તેવી ઉત્કટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96