Book Title: Mitra Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 90
________________ મિત્રાદ્વાત્રિંશિકા/બ્લોક-૨૯ ou પામે તેવા પરિણામવાળો બને છે. તેથી મિત્રાદૃષ્ટિવાળા યોગી યમનું સેવન કરતા હોય તોપણ અંતરંગ જવર જેવો અસગ્રહનો પરિણામ વર્તતો હોવાના કારણે, તેઓનું યમનું સેવન ૫૨માર્થથી ગુણ નથી પરંતુ ગુણાભાસ છે; કેમ કે તે યમનું સેવન મોક્ષને અનુકૂળ બનતું નથી પણ અસગ્રહરૂપ દોષથી દૂષિત હોવાને કારણે સંસારવૃદ્ધિનું કારણ બને છે; છતાં બાહ્ય રીતે યમનું સેવન હોવાને કા૨ણે લોકોને આ ગુણ છે તેવો આભાસ થાય છે. તેથી મિત્રાદૃષ્ટિવાળા યોગી પણ અકલ્યાણમિત્રના યોગે યોગની દૃષ્ટિમાંથી પાત પણ પામે છે. ૨૮॥ અવતરણિકા : પૂર્વ શ્લોક-૨૬માં સ્થાપન કર્યું કે સદ્યોગને કારણે મિત્રાર્દષ્ટિવાળા યોગીનું યમનું સેવન ગુણવૃદ્ધિનું કારણ બને છે અને અકલ્યાણમિત્રના યોગના કારણે યમનું સેવન ગુણાભાસ બને છે. ત્યાં પ્રશ્ન થાય કે મિત્રાદેષ્ટિવાળા સર્વ યોગીને સત્પુરુષના યોગથી ગુણ જ થાય અને અકલ્યાણમિત્રના યોગથી દોષ જ થાય, તેવો નિયમ એકાંતે કેમ કહી શકાય ? તેથી કહે છે શ્લોક ઃ मुग्धः सद्योगतो धत्ते गुणं दोषं विपर्ययात् । स्फटिको नु विधत्ते हि शोणश्यामसुमत्विषम् ॥२९॥ - અન્વયાર્થ : સદ્યોગતઃ–સત્પુરુષના યોગથી મુઘ:=મુગ્ધ જીવ=મિત્રાદેષ્ટિવાળા મુગ્ધ યોગી શુળ થત્તે=ગુણને ધારણ કરે છે, વિપર્યયાત્=અકલ્યાણમિત્રના યોગથી ટોપ થત્તે–દોષને ધારણ કરે છે. તેમાં દૃષ્ટાંતને કહે છે —ટિઃ=સ્ફટિકરન શોળશ્યાસુમવિષમ્=લાલ અને શ્યામ પુષ્પના વર્ણને વિથત્તે હ્રિ=ધારણ કરે જ છે. શ્લોક માં ‘સુ' શબ્દ વાક્યાલંકારમાં છે. ૨ા શ્લોકાર્થ : સત્પુરુષના યોગથી મુગ્ધ મિત્રાદેષ્ટિવાળા જીવ ગુણને ધારણ કરે છે, વિપર્યયથી દોષને ધારણ કરે છે. તેમાં દૃષ્ટાંત કહે છે – સ્ફટિક લાલ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96