Book Title: Mitra Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 55
________________ ४० મિત્રાધાવિંશિકા/બ્લોક-૧૩ જે કારણથી યોગાચાર્યો આવા પ્રકારનું યોગચિત્ત બતાવે છે, તે કારણથી ગ્રંથિને નહીં ભેદનારા પણ મિત્રાદષ્ટિવાળા યોગીનું શુદ્ધ યોગબીજનું ગ્રહણ, સરાગ એવા અપ્રમત્ત મુનિને વીતરાગદશાની પ્રાપ્તિ જેવું છે. /૧૨ા. અવતરણિકા : શ્લોક-૮માં જિનવિષયક સંશુદ્ધ કુશળચિત્તાદિને યોગબીજરૂપે બતાવ્યાં. ત્યારપછી તે જિનવિષયક કુશળચિત્તાદિ શુદ્ધ હોય તો યોગબીજ છે અન્ય નહીં, અને તે યોગબીજનું સ્વરૂપ કેવું છે? તે શ્લોક ૯ થી ૧૨માં બતાવ્યું. હવે જેમ જિનવિષયક સંશુદ્ધ કુશળચિત્તાદિ યોગબીજ છે, તેમ આચાર્યાદિ વિષયક સંશુદ્ધ કુશળચિત્તાદિ પણ યોગબીજ છે, તે બતાવે છે – શ્લોક : आचार्यादिष्वपि ह्येतद्विशुद्धं भावयोगिषु । न चान्येष्वप्यसारत्वात्कूटेऽकूटधियोऽपि हि ॥१३॥ અન્વયાર્થ માવજs માત્રાધ્વિપિ=ભાવયોગી એવા આચાર્યાદિમાં પણ પત=આ=કુશળચિત્તાદિ વિશુદ્ધ=વિશુદ્ધ છે, ર વાગ્યેષ્યપ અને અન્યમાં પણ નહીં દ્રવ્યાચાર્યાદિમાં પણ નહિ; રેડો અસારત્વા=કેમ કે કૂટમાં અટબુદ્ધિનું પણ અસારપણું છે. ૧૩ શ્લોકાર્ય : ભાવયોગી એવા આચાર્યાદિમાં પણ આ કુશળચિત્તાદિ વિશુદ્ધ છે, અને અન્યમાં પણ નહીં; કેમ કે કૂટમાં અટબુદ્ધિનું પણ અસારપણું છે. ૧૩ છે “વાર્યાદ્રિધ્યાપ' અહીં મfપ'થી એ કહેવું છે કે જિનવિષયક કુશળચિત્તાદિ તો વિશુદ્ધ છે, પરંતુ આચાર્યાદિમાં પણ કુશળચિત્તાદિ વિશુદ્ધ છે. ' અહીં “પિ'થી એ કહેવું છે કે ભાવયોગી એવા ભાવાચાર્યમાં તો આ કુશળચિત્ત સંશુદ્ધ છે, પરંતુ દ્રવ્યાચાર્યમાં પણ આ કુશળચિત્ત સંશુદ્ધ નથી. આ “મજૂરધોડ' અહીં ‘પ'થી એ કહેવું છે કે કૂટમાં પૂજ્યબુદ્ધિ તો અસાર છે, પરંતુ અફૂટબુદ્ધિ પણ અસાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96