Book Title: Mitra Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 59
________________ ૪૪ મિત્રાધાવિંશિકાશ્લોક-૧૫ ભાવાર્થ : જેમ આચાર્યાદિના વિષયમાં સંશુદ્ધ કુશળચિત્તાદિ યોગબીજ છે તેમ સંશુદ્ધ વૈયાવચ્ચ પણ યોગબીજ છે, અને તે સંશુદ્ધ વૈયાવચ્ચ આચાર્યાદિમાં કેવી હોય? તે પ્રસ્તુત શ્લોકમાં સ્પષ્ટ કરે છે – જે આચાર્યાદિ ભાવયોગી છે, તેઓને તેમનાં લિંગો દ્વારા ભાવયોગીરૂપે નિર્ણય કરીને, તેમની ભક્તિ કરવાના ઉત્સાહના અતિશયથી શાસ્ત્રોક્ત વિધિથી કોઈ સાધક વૈયાવચ્ચ કરતા હોય, અને પોતે વૈયાવચ્ચ કરે છે તેની કોઈ પ્રશંસા કરે તેવી કોઈ આશંસા ન હોય પરંતુ ગુણવાનની ભક્તિ કરવાના પક્ષપાતવાળું ચિત્ત હોય, તો તે વૈયાવચ્ચની ક્રિયા યોગબીજ બને. સંક્ષેપથી કહીએ તો વૈયાવચ્ચ સંશુદ્ધ યોગબીજ બને તેમાં ચાર વાત ધ્યાનમાં રાખવાની છે : (૧) વૈયાવચ્ચ ભાવયોગી એવા આચાર્યાદિની હોય, (૨) તેમાં સ્વપ્રશંસા કે માન-સન્માનની સ્પૃહા ન હોય, (૩) વૈયાવચ્ચ શાસ્ત્રોક્ત વિધિથી થતી હોય અને (૪) ચિત્તના ઉત્સાહથી થતી હોય. /૧૪ અવતરણિકા - વળી અન્ય યોગબીજો બતાવે છે – શ્લોક : भवादुद्विग्नता शुद्धौषधदानाद्याभिग्रहः । तथा सिद्धान्तमाश्रित्य विधिना लेखनादि च ॥१५॥ અન્વયાર્થ - મવાનિતા=ભવથી ઉદ્વિગ્નતા તથા તથા શબ્દોષથવાનામા શુદ્ધ ઔષધદાનાદિનો અભિગ્રહ સિદ્ધિાનામશ્રય =અને સિદ્ધાંતને આશ્રયીને નાદિ લેખન આદિ યોગબીજ છે. ૧પા શ્લોકાર્ચ - ભવથી ઉદ્વિગ્નતા તથા શુદ્ધ ઔષધદાનાદિનો અભિગ્રહ અને સિદ્ધાન્તને આશ્રયીને લેખનાદિ યોગબીજ છે. આપણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96