Book Title: Mitra Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 49
________________ મિત્રાધાવિંશિકા/બ્લોક-૧૦ આ=પ્રતિબધેકનિષ્ઠાવાળું જિનવિષયક કુશળચિત્તાદિ, તસ્થાનસ્થિતિકારી જ છે=પોતે જે સ્થાનમાં છે તે સ્થાનમાં સ્થિતિને કરનારું જ છે, પરંતુ ઉપરની ભૂમિકામાં જવાનું કારણ નથી; કેમ કે પ્રતિબંધવાળા અનુષ્ઠાનનું તેવા પ્રકારનું સ્વભાવપણું છે=ઉપરમાં જવાનું કારણ ન બને તેવા પ્રકારનું સ્વભાવપણું છે. તેમાં દષ્ટાંત બતાવે છે – વીરપરમાત્મામાં=વર્ધમાનસ્વામીમાં ગૌતમરાગની જેમ=ગૌતમીય બહુમાનની જેમ. જે કારણથી અસંગભાવની આસક્તિ વડે જ અનુષ્ઠાન ઉત્તરોત્તર પરિણામના પ્રવાહને ઉત્પન્ન કરાવવા દ્વારા મોક્ષરૂપ ફળમાં પર્યવસાન થાય છે, એ પ્રમાણે પૂર્વમાં લા.ઠા. ૧૮/૧૮ માં, વિવેચન કરાયું છે. ૧૦ ભાવાર્થ : કોઈ ગુણવાન સાધક જિનમાં કુશળચિત્તાદિ કરતા હોય, આમ છતાં આ લોકની કે પરલોકની આશંસાથી જિનમાં કુશળચિત્તાદિ વર્તતું હોય, તો તે કુશળચિત્તાદિ સ્વતઃ સુંદર હોય તોપણ આગળ જવા માટેનું કારણ બનતું નથી. જેમ શ્રીપાળ રાજાને નવપદ પ્રત્યેનું અત્યંત બહુમાન છે, છતાં સ્ત્રીના અભિલાષથી નવપદનું ધ્યાન કરે છે ત્યારે નવપદના ધ્યાનકાળમાં સ્ત્રીના રાગ કરતાં પણ નવપદ પ્રત્યે અત્યંત બહુમાન છે, તેથી તે બહુમાન સ્વતઃ સુંદર છે; આમ છતાં, સ્ત્રીના રાગના પ્રતિબન્ધથી યુક્ત એવું તે નવપદનું ધ્યાન હોવાથી તે કુશળચિત્ત સ્વભૂમિકાથી ઉપરની ભૂમિકામાં જવામાં કારણ બનતું નથી, તેથી તે કુશળચિત્ત સંશુદ્ધ નથી. જેમ વીરપરમાત્મા પ્રત્યે ગૌતમસ્વામીને પ્રતિબંધ હતો, તેથી ભગવાનને જોઈને ભગવાન પ્રત્યેનો બહુમાનભાવ હતો, તે સુંદર હોવા છતાં પણ પ્રતિબંધથી યુક્ત હોવાને કારણે આગળ જવાનું કારણ બનતો નથી. તેથી જે ઉપયોગ સ્વભૂમિકાથી ઉપરની ભૂમિકામાં જવાનું કારણ ન બને તેવા કુશળચિત્તાદિ યોગબીજ બને નહીં, પરંતુ અસંગભાવ પ્રત્યેની આસક્તિથી કરાયેલું અનુષ્ઠાન ઉત્તર-ઉત્તરના પરિણામોનો પ્રવાહ ઉત્પન્ન કરવા દ્વારા મોક્ષરૂપ ફળમાં પર્યવસાન પામનારું છે, તેથી યોગબીજ છે. ૧૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96