Book Title: Mahavira Jivan Vistar
Author(s): Bhimjibhai Harjivandas
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 54
________________ જીવનવિસ્તાર ૩૩ ( સ્થા કરતો હોય છે. કુદરતનો સ્વાભાવિક વેગ એ ક્ષોભને પાછો શમાવી પુનઃ સામ્ય સ્થાપવા તરફ હોય છે. અને તેમ કરવામાં જે બળ કુદરતને વાપરવું પડે છે, તે ક્ષોભના પ્રમાણમાં જ હોવાથી જે આત્મા જે ક્ષોભ ઉત્પન્ન કરે છે તેના તારતમ્ય પ્રમાણે કુદરતને જૂનાધિક ઉદ્યોગ કરવો પડે છે અને આખરે કુદરતની એ પ્રવૃત્તિનો પ્રત્યાઘાત તે ક્ષોભ કરનાર આત્મા પ્રત્યે થાય છે. એ ક્ષોભને શમાવવામાં કુદરતને જે વખત લાગે છે, તે વખતને આપણા શાસ્ત્રો “કર્મની સત્તાગત અવસ્થા” એ નામથી સંબોધે છે અને જ્યારે કુદરત તેને શમાવી રહે છે અને તેનો પ્રત્યાઘાત તે ક્ષોભ કરનાર આત્મા પ્રતિ થાય છે તે સમયને આપણે “ક”નો ઉદયકાળ” કહીએ છીએ.) એ સત્તાગત અવસ્થામાં, જો આત્મા પોતાના બળનો ઉપયોગ, કુદરતને તે ક્ષોભ શમાવવામાં મદદ કરવામાં કરે છે, તો તે મદદના પ્રમાણમાં તેના પ્રત્યેનો પ્રત્યાઘાત જૂન બળથી થાય છે. તેથી જ આપણા શાસ્ત્રકારો કહે છે કે જયાં સુધી કર્મો સત્તામાં હોય છે ત્યાં સુધી તે નિવારી શકવાની પાત્રતાવાળાં હોય છે અને તે નિવારણ માત્ર, કુદરતની ગતિમાં ઉત્પન્ન કરેલ ક્ષોભને શમાવવા મહેનત કરવી તેમાં જ રહેલું છે. ગર્વિષ્ઠ આત્માને ક્ષોભ ઉત્પન્ન કરતી વખતે કે તે પછી તેવું ભાન રહેતું નથી અને આખરે જયારે તે ક્ષોભજન્ય ધક્કાનું તેના જ ઉપર ઉત્પન્ન (Rebound) થાય છે, ત્યારે જ તેની આંખ ઊઘડે છે. પણ તે વખતનો પશ્ચાત્તાપ વ્યર્થ છે. તે જ પશ્ચાત્તાપ જો કર્મની સત્તાગત Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148