Book Title: Mahavira Jivan Vistar
Author(s): Bhimjibhai Harjivandas
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
૩૨
શ્રી મહાવીર
કવરે નાવ આવ્યું, ત્યારે પ્રભુના પૂર્વ ભવનો એક વેરી આત્મા જે તે વખતે ‘સુદેષ્ટ' દેવપણે હતો તેને પોતાનું જૂનું વેર સાંભરી આવ્યું. કર્મના મહાન નિયમની મર્યાદામાં ગમે તેવા મહાન પુરુષો પણ બંધાયેલા જ છે. તે સુઈષ્ટ દેવ પૂર્વના ભવમાં એક સિંહ હતો અને વર્ધમાન પ્રભુ તે વખતે ત્રિપૃષ્ઠ નામથી મનુષ્ય પર્યાયિમાં હતા. તે વખતે તે સિંહને તેમણે માત્ર ક્રીડાના કૌતુક માટે જ મારી નાંખ્યો હતો. કાંઈ પણ હતું તેમજ કોપના કારણે (Provocation) વિના માત્ર ગમ્મતને ખાતર જ અન્યના પ્રાણ લેવામાં જે નિરૂપણું અને બીજની લાગણી પ્રત્યેની અવજ્ઞા સમાયેલી છે, તેનો બદલો કર્મફળ પ્રદાત્રી સત્તા બહુ જ સખ્તાઈથી લે છે. ત્રિષ્ટને જેટલો જીવવાનો હક હતો, તેટલો જ તે સિંહને પણ હતો. કર્મની સત્તાએ જે આયુષ્યનું પ્રમાણ તે સિંહને માટે નિમ્યું હતું તેને અથિી કાપી નાખવાથી, ત્રિપૃષ્ટ કુદરતની સીધી ગતિમાં જે નિહેતુક ખળભળાટ ઉપાવ્યો હતો તેનો બદલો સમયનો પરિપાક થયે નિકૃષ્ટ સહન કરવો જ જોઈ કર્તવ્ય, તેની નીચેની કોટીના જીવોને રક્ષવાનું છે. તેનો ઉચ્ચ અધિકાર અને બળ તેણે હલકી કોટીના પ્રાણીઓને દમવામાં નહીં વાપરતા, તેમને પોતાના જેવા અધિકાર તરફ દોરી લાવવા માટે વાપરવું યોગ્ય છે અને જ્યારે તેમ કરવામાં તે નિષ્ફળ નિવડે છે એટલું જ નહિ પણ પોતાના ઉચ્ચતર સામર્થ્યનો ઉપયોગ તે હલકા જીવોને કનડવામાં કરે છે, ત્યારે કુદરતની સામ્રાવસ્થામાં તે એક પ્રકારનો ક્ષોભ ઉત્પન્ન
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148