Book Title: Mahavira Jivan Vistar
Author(s): Bhimjibhai Harjivandas
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 127
________________ ૧૦૬ માતા દેવાનંદા ઈતિહાસમાં અમર અને આરાધ્ય બની ગયાં-દેવાનંદા માતા એક બાજુ રહ્યાં અને ભગવાન મહાવીરના ભક્તો પણ જાણે કે એમને ભૂલી ગયા. દેવાનંદાના પતિ ઋષભદત્ત બહુ સામાન્ય કોટીના બ્રાહ્મણ હતા. બ્રાહ્મણકુંડમાં રહેતા. દેવાનંદા પોતે જાલંધર કુળની ભાર્યા હતી. મહાવીર પ્રભુ જ્યારે દેવાનંદાના ગર્ભમાં આવ્યા અને સુભાગી માતાએ ભવ્ય ચૌદ સ્વપ્ન નિહાળ્યાં ત્યારે એ સ્વપ્નના અર્થ જાણી પતિપત્નીને પારાવાર આનંદ ઊપજેલો. ઘરઆંગણે કલ્પતરુ ઊગ્યો હોય એટલો સંતોષ થયેલો. બ્રાહ્મણ-બ્રાહ્મણીની ઋદ્ધિ કે સમૃદ્ધિની તો શી પરવા હોય ? એમનો અભિલાષ એટલો જ કે, “પોતાને ત્યાં આ ચૌદ સ્વપ્નસૂચિત એક એવો પરમ પ્રભાવી પુત્ર અવતરશે કે જે વેદનો પારગામી હશે, અદ્દભુત નિષ્ઠાવાળો હશે.” પણ એ ઉલ્લાસ ઠગારો નીવડ્યો. એમની બધી આશાઓ ધૂળમાં મળી ગઈ. પેલાં ભવ્ય અને સુભગ સ્વપ્ન પણ એક રાત્રિએ જ્યારે ભગવાનના ગર્ભનું હરણ થયું ત્યારે દેવાનંદાના મુખમાંથી પાછાં નીકળતાં દેખાયાં ! માતા દેવાનંદા એકદમ ઊઠીને બેઠાં થઈ ગયાં. એમનું સર્વસ્વ જાણે કે લૂંટાઈ જતું હોય એવું દુઃખ થયું. તે દિવસથી દેવાનંદા દુર્બળ અને જર્જરિત જેવાં દેખાવા લાગ્યાં. બ્રાહ્મણની આશાના અંકુર પણ કરમાઈને ખરી પડ્યા. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148