Book Title: Kathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
View full book text
________________
કથા હૃતિનું સવરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન
[ ૧૨૦૯ એક બાજુ ત્રણ-ચાર સૈકામાં વિજયતૃષ્ણને લીધે અનેક રાજ્યની ચઢતીપડતી અને ઊથલપાથલ થાય છે અને બીજી બાજુએ તે જ સૈકાઓમાં ભિન્ન ભિન્ન સંપ્રદાયોની ચડતી પડતીની તુલા ચીનીચી થાય છે. રાજકીય ક્ષેત્રમાં, સામાજિક પ્રદેશમાં અને ધાર્મિક સંપ્રદાયમાં જ્યાં દેખે ત્યાં અંતર્મુખ વૃત્તિનું જ પ્રાધાન્ય થાય છે. અને ફરી તર્કવાદ તથા વિજયલાલસાથી વાતાવરણ ભરાઈ જાય છે. આનું પરિણામ માત્ર ગૃહસ્થ વિદ્વાને ઉપર જ નહિ પણ ત્યાગી ગુરુઓ ઉપર સુધ્ધાં એટલું બધું ભારે આવે છે કે દરેક વિદ્વાનનું સાધ્ય કેઈ પણ રીતે પિતાના સંપ્રદાયને પરના આક્રમણથી બચાવી લે અને બની શકે તે સામાને પરાભવ આપી તેને સ્થાને પ્રતિષ્ઠા મેળવવી એ થઈ જાય છે. આ સાધ્યની ચિંતાને લીધે વિદ્વાનોના માનસજગતમાં કેટલે ક્ષોભ થ, દરેક વિદ્વાન ભણ્યા પછી પોતાની વિદ્યાનું સાધ્ય શું માનતે, તેમ જ વિવાદ તથા શાસ્ત્રાથના અખાડામાં ઊતરી પ્રતિવાદીને વાણુંની મલ્લકુસ્તીમાં હરાવવા વાદપદ્ધતિનું જ્ઞાન કેટલું આવશ્યક સમજતે, અને તેથી વાદપદ્ધતિના દરેક નિયમ–ઉપનિયમનું અને તોનું જ્ઞાન કરાવી સભામાં વિજય અપાવે એવા ગ્રંથનું નિમૉણ કેવી રીતે થવા લાગ્યું હતું તેમ જ અક્ષપાદ ગૌતમની લાભ અને ખ્યાતિ નિમિત્તે વિજયતૃષ્ણાથી પ્રેરાઈ વિવાદ કરવાની શિખામણ કેટલી ભૂલી જવાઈ હતી, એ બધું આપણે મધ્યવર્તી સમયના સાહિત્યમાં સ્પષ્ટ જોઈ શકીએ છીએ.
૧૫. વિજયવિસ્તાર –મધ્યવતી સમયના સાહિત્ય તરફ વળતાં સૌથી પહેલાં જૈન સાહિત્ય અને તેમાંયે સિદ્ધસેન દિવાકરની કૃતિઓ તરફ નજર દોડાવવી પડશે. દિવાકર એ જૈન પરંપરા પ્રમાણે વિક્રમની પ્રથમ સદીના વિદ્વાન છે. દિવાકર પૂર્વવત આશ્રમને લીધે બ્રાહ્મણની વિદ્યાગેષ્ઠીના અને પાળના બદલાયેલા જીવનને લીધે જેનશ્રમણની નિવૃત્તિવૃત્તિના–એમ બંને સંસ્કાર ધરાવે છે. તેઓ ઉપાશ્રયમાં અનુયાયીઓને ધાર્મિક ઉપદેશ પણ આપે છે, અને વિક્રમની સભામાં અનેક પંડિતરને વચ્ચે બહુમાનપૂર્વક આસન પણ લે છે. તેઓ સંપ્રદાયની રક્ષા અને પ્રતિષ્ઠા માટે વપર અનેક દર્શનેનું જ્ઞાન મેળવવું આવશ્યક સમજે છે, અને તે માટેની ગ્રન્થસામગ્રી પિતે જ તૈયાર કરે છે. દિવાકરનું જે થોડું ઘણું સાહિત્ય ઉપલબ્ધ છે તેમાં બત્રીસ લેકપ્રમાણે એક ત્રિશિકા એવી એકવીસ દ્વાત્રિશિકાઓ છે, અને એક ન્યાયાવતાર નામને પ્રખ્ય પણ છે. આમાં સાતમા, આઠમી અને બારમી એ ત્રણ પત્રિશિકા અને ન્યાયાવતાર એ ચાર કૃતિઓ પ્રસ્તુત વિષય માટે ખાસ ધ્યાન ખેંચે છે. વાદપદ્ધતિમાં કુશળતા મેળવવા ઈચ્છનારે તેનાં જે રહસ્યનું જ્ઞાન મેળવવું જોઈએ તે રહસ્યનું વર્ણન સાતમી વાદપનિષદ નામની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org