Book Title: Kathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
View full book text
________________
કથાપધ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૨૧૧ હેવાથી તેને જ પઠન પાઠનમાં પ્રચાર છે. આ સ્થળે એમાંથી જ કથા પદ્ધતિને લગતા કેટલાક મુદ્દા ઉપરનું વર્ણન ટૂંકમાં આપવા ધાર્યું છે.
કથાનું લક્ષણ–તસ્વનિર્ણય અગર વિજયને લાયક એવી જે ન્યાયવાયુ વચનરચના તે ક્યા.
કથાના અધિકારીઓ-જેઓ તવનિર્ણય અગર વિજયને ઈચ્છતા હૈય, સર્વજનસિદ્ધ અનુભવની અવગણના કરનાર ન હોય, સાંભળવા આદિ (સમજવા, બેલવા)ની ક્રિયામાં પટુ હેય, કલહકારી ન હોય, અને ચર્ચામાં ઉપયોગી થાય તેવી પ્રવૃત્તિ કરવામાં સમર્થ હોય તે સ્થાને અધિકારી થઈ શકે.
વાદ, જલ્પ અને વિતડા એ ત્રિવિધ કથામાંથી ફક્ત વાદના. અધિકારીએ–જેઓ તત્વ (સત્ય)ને જિજ્ઞાસુ હોય, ચાલુ વિષયને લગતું જ બેલનાર હોય, ઠગનાર ન હોય, વખતસર વિચારવાની સ્ટ્રેરણાવાળા, ખ્યાતિ કે લાભની ઈચ્છા વિનાના અને યુક્તિયુક્ત વાતો સ્વીકારનાર હેય, તેઓ વાદ કરી શકે.
સભાનું સ્વરૂપ અને તેની આવશ્યકતા–જેમાં રાજા આદિ પ્રભાવ શાલી વ્યક્તિ અનુવિધેય (શાસનકારી હોય અને નિષ્પક્ષ સભ્યો હોય તે જ સભા ચર્ચાને ગ્ય સમજવી. આવી સભા પણ વાદથામાં આવશ્યક નથી. કારણ એ કથા નિર્મસર વાદીએ વચ્ચે ચાલે છે. પણ મસરી વાદીઓ વચ્ચે ચાલતી જલ્પકથામાં તે તે આવશ્યક છે જ,
ચર્ચાના ક્રમનું સ્વરૂપ-સૌથી પહેલાં વાદી પિતાના પક્ષને સાધક હેતુ મૂકે. બાદ આ હેત્વાભાસ નથી એમ કહી સામાન્ય રૂપે તેને જ અસિદ્ધ, વિસદ્ધિ આદિ હેત્વાભાસ નથી એમ કહી વિશેષ રૂપે પિતાના પક્ષના દૂષણને ઉદ્ધાર કરે. અહીં સુધી પહેલી કક્ષા થઈ ત્યાર બાદ વાદીએ કહેલું બધું પતે સમજી ગયું છે એમ જણાવવા પ્રતિવાદી સભા વચ્ચે વાદીના બધા કથનને અનુવાદ કરી જાય. અને વાદીને પરાજિત કરવાનું કોઈ નિગ્રહસ્થાન ન જુએ તે છેવટે હેવાભાસ વડે વાદીના સાધનને દૂષિત કરી પિતાને પક્ષ રજૂ કરે; અહીં સુધી બીજી કક્ષા થઈ. ત્યાર પછી ત્રીજી કક્ષામાં આવી વાદી પ્રતિવાદીના બધા કથનને અનુવાદ કરી જાય અને પિતાના પક્ષ ઉપર પ્રતિવાદી દ્વારા મુકાયેલ દૂષણને ઉદ્ધાર કરે; તેમ જ બીજું કોઈ નિગ્રહસ્થાન ન જુએ તે છેવટે હેવાભાસ વડે પણ પ્રતિવાદની સ્થાપનાને દૂષિત કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org