Page #1
--------------------------------------------------------------------------
________________
કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન
[૧૨]
૧. પ્રાસ્તાવિક–લેખનું નવા જેવું મથાળું જોઈ કોઈ વાચક ન ભડકે. કારણ, એમાં મનુષ્યજાતિના બુદ્ધિબળ અને પૌષને જ ઈતિહાસ છે. અલબત, એ પૌરુષ શારીરિક પૌરુષ કરતાં કાંઈક જુદી જાતનું તે છે જ, મનુષ્યજાતિએ રાજ્યવિસ્તાર કે મહત્તાની આકાંક્ષાથી અગર માનાપમાનની લાગણીથી અનેક યુદ્ધો ખેલ્યાં છે. તેના અનુભવે યુદ્ધનાં શસ્ત્રો પણ તેણે
વ્યાં છે અને એ શાસ્ત્રીય નિયમાનુસાર તે વિષયની તેણે શિક્ષા પણ લીધી છે અને લે છે. તેના પૌરુષનું આ બધું પરિણામ ઈતિહાસે નૈધ્યું છે. તેના અનુભવે તષિયક નિયમોનાં શાસ્ત્રો પણ તેણે રચ્યાં છે અને તે શાસ્ત્રની શિક્ષા પણ લીધી છે. આ લેખમાં મનુષ્યજાતિના એ બીજી જાતના પૌરુષનો જ ઇતિહાસ છે. એટલે એ વિષય ન જણાવા છતાં વસ્તુતઃ ચિરપરિચિત જ છે. .
૨. શબ્દાર્થ –- કથા’ શબ્દ સંસ્કૃત “જ” ધાતુમાંથી બનેલ છે. તેનો અર્થ “કહેવું” અથવા “બોલવું એટલે છે. મનુષ્ય કાંઈ એકલે એકલે બેલ નથી; તેને બોલવાને પ્રસંગ સમૂહમાં જ મળે છે. સમૂહ મળવાનાં નિમિત્તે અનેક છે. સામાજિક અને ધાર્મિક ઉત્સવો, ઉપદેશશ્રવણ વગેરે એ જાતનાં નિમિત્તો છે. વીર અને આદર્શ પૂર્વ પુરુષનાં ચરિત સાંભળવા લોકો એકઠા થતા. એ પ્રસંગ ઉપરથી “સ્થા” શબ્દ તેવા “ચરિત' અર્થમાં જ વપરાવા લાગે; જેમકે “રામકથા ', “કૃષ્ણકથા' ઇત્યાદિ. એટલું જ નહિ પણ તેવા ચરિતની ખાસ વાચનપતિના અર્થમાં પણ વપરાવા લાગે; જેમકે ભારતની કથા થાય છે. રામાયણની કથા થાય છે ઈત્યાદિ. આ પ્રસંગે એકત્ર થયેલ મનુષ્યમાં વિવિધ ચર્ચાઓ પણ થતી. કોઈ વાર પ્રશ્નોત્તર ચાલતા તે કઈ વાર અમુક વિષય પર મતભેદ ધરાવનાર વ્યકિતઓ પિતાપિતાના પક્ષની પુષ્ટિ અને બીજાના પક્ષનું ખંડન કરવા ચર્ચા પણ કરતા. આવી ચર્ચાના અર્થમાં પણ “કથા' શબ્દ જાવા લાગે. અને તે છેવટે એ અર્થમાં રૂઢ થઈ પારિભાષિક રૂપે દર્શન સાહિત્યમાં પ્રસિદ્ધ થશે
Page #2
--------------------------------------------------------------------------
________________
થાપતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન
[ ૧૧૯૭
F
અને સચવાઈ રહ્યો. આ લેખમાં એ શબ્દ પેાતાના પારિભાષિક અર્થમાં જ સમજવાના છે. તેથી કથા” શબ્દના કોઇ પણ વિચારીય વિશ્વચમાં મતભેદ ધરાવનાર બંને પક્ષકારોની નિયમસર ઉક્તિપ્રદ્યુતિ રૂપ ચર્ચા’૧ એવો એક અર્થ રૂઢ થયે છે.
૩. ઉત્પત્તિમીજ—કથાપતિ મતભેદમાંથી જન્મે છે. તેથી મતભેદ તેની ઉત્પત્તિનું પ્રામિક ખીજ છે. પણ અમુક વિષયમાં એ વ્યક્તિને મતભેદ થયા એટલે તે મતભેદમાત્રથી જ કાંઈ બને જણ્ તે વિષય ઉપર કથાપદ્ધતિ દ્વારા વિચાર કરવા મરી જતા નથી. પરંતુ જ્યારે એ મતભેદ પુષ્ટ અની માણસના ચિત્તમાં વ્યક્તરૂપ પામે છે ત્યારે પક્ષભેદનું રૂપ ધારણ કરે છે, અને તે પક્ષભેદ પક્ષકારને મતભેદના વિષયમાં કથાપદ્ધતિ દ્વારા ચર્ચા કરવા પ્રેરે છે. આ પદ્મભેદ ધણીવાર શુદ્ધ, કોઈ પણ જાતની સાંપ્રદાયિક અસ્મિતાથી અદૂષિત હોય છે; તે ઘણીવાર કાઈ ને કંઈ જાતની અસ્મિતાથી દૂષિત થયેલો પણ હોય છે. શુદ્ઘ પક્ષભેદમાંથી ચાલતી કથાપદ્ધતિ અને દૂષિત પક્ષભેદમાંથી ચાલતી કથાપદ્ધતિ વચ્ચે અંતર હોય છે. તેનુ કારણ એ છે કે શુદ્ધ પદ્મભેદ હોય ત્યારે પક્ષકારશનાં મનમાં તત્ત્વનિણૅય (સત્યજ્ઞાન ) આપવાની `ક મેળવવાની ઇચ્છા હોય છે; જ્યારે મલિન પક્ષભેદમાં તેમ નથી હતું. તેમાં તે એકક્ષ્મીજાને જીતવાની અને છત દ્વારા ધ્યાતિ પ્રાપ્ત કરવાની અગર બીજા કાઈ ભૌતિક લાભો મેળવવાની ઈચ્છા હોય છે. તેથી મતભેદ એ કથાપદ્ધતિનું સામાન્ય કારણ અને તત્ત્વનિ યની ઈચ્છા તથા વિજયની આ એ તેનાં વિશેષ કારણે છે એ સમજી લેવુ જોઈ એ.
જ
૪. ઉત્પાદક પ્રસંગઃ-માણસ એકલા મઢી સમુદાયમાં મુકાયા એટલે તેને કાઈની સાથે મતભેદ થવાનો જ. જોકે મતભેદની પ્રેરક અને પોષક આંતરિક સામગ્રી (યોગ્યતા, વાસના અને દૃષ્ટિભેદ) તે સર્વ દેશ, અને સંકાળે મનુષ્યહૃદયમાં સમાન હોય છે, પણ તેના બાહ્ય પ્રસંગો દરેક દેશ, દરેક કાળ અને દરેક જાતિના મનુષ્ય માટે કાંઈ સરખા જ હોતા નથી. સોક્રેટીસ પહેલાંના પ્રાચીન ગ્રીક અને પ્રાચીન ભારતીય સાહિત્યિક તિહાસ ઉપરથી સ્પષ્ટ જાણી શકાય છે કે બંને દેશના તે વખતના વિદ્વાનેની ચર્ચાપદ્ધતિના ઉત્પાદક માહ્ય પ્રસંગગ્ન જુદા જ હતા. ગ્રીક વિદ્યાના સામાજિક અને રાજકીય મહત્ત્વાકાંક્ષાથી પ્રેરાઈ ચર્ચામાં ઊતરતા, અને વક્તૃત્વ કળાતી કસરત
૧ જુઓ, ન્યાયસૂત્રત્તિ, અ. ૧, આ. ર સૂ. ૧. તથા બંગાળી અનુવાદ..
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૧૯૮ ]
દર્શન અને ચિંતન કરતા, જ્યારે ભારતીય વિદ્વાને ધાર્મિક ક્રિયાકલાપ, આધ્યાત્મિક તને, સામાજિક નીતિપ્રથાઓ અને ધાર્મિક જીવન વગેરેના મતભેદથી ચર્ચા કરવા પ્રેરાતા. તેનું પરિણામ પણ જુદું જુદું આવેલું બંને દેશના સાહિત્યમાં નજરે પડે છે. પ્રાચીન ગ્રીક સાહિત્યમાં આધ્યાત્મિક દૃષ્ટિએ ઉપનિષદની કક્ષામાં મૂકી શકાય એવા સાહિત્યના અભાવ ઉપરથી આ ભેદ સહેજે કળી -શકાય છે. સમય બદલાતાં વળી બંને દેશના વિકાની માનસમૃષ્ટિમાં ફેર પણ પડેલે જણાય છે. ચર્ચાની ભૂમિકામાં સોક્રેટીસનું પદાર્પણ થતાં જ શ્રીક વિચારસૃષ્ટિનું વલણ સત્યદર્શન તરફ થાય છે, અને ભારતીય વિદ્વાનોનું માનસ સાંપ્રદાયિક અસ્મિતાથી વિશેષ કલુષિત થતાં જ તેઓમાં શુષ્ક, તર્ક, જળ અને વાગડબરવૃત્તિ વધે છે.
પ. પ્રશ્નોત્તરપદ્ધતિ અને કથા પદ્ધતિ --પ્રશ્નોત્તર અને કથા (ચર્ચા) એ બે પદ્ધતિના મૂળમાં ઘણી આકર્ષક સમાનતા છતાં પણ તેના બાહ્ય સ્વરૂપમાં ભેદ છે. પ્રશ્નોત્તર પદ્ધતિમાં એક પૂછે છે ને બીજે ઉત્તર આપે છે, એટલે એક શ્રેતાને અને બીજો વક્તાને પદે છે; જ્યારે ચર્ચાપદ્ધતિમાં વાદી પ્રતિવાદી બને સમાન પદે છે. પશ્નોત્તર પદ્ધતિમાં પ્રશ્નકર્તા અને ઉત્તરદાતા એ બંને પિતાની વાત દલીલ સિવાય મુદ્દા પૂરતી પણ કહી શકે, જ્યારે ચર્ચાપદ્ધતિમાં તેમ ન ચાલે તેમાં તે વાદી–પ્રતિવાદી બંનેને દાખલા-દલીલ આપવા અનિવાર્ય થઈ પડે છે. પ્રશ્નોત્તરપદ્ધતિમાં બે વકતા શ્રોતા વચ્ચે પક્ષભેદ અને અને સિદ્ધાંતભેદ હોવાને કાંઈ નિયમ નથી, જ્યારે ચર્ચાપદ્ધતિમાં પક્ષભેદ અને સિદ્ધાંતભેદ હેવાને જ. સારાંશ કે પ્રશ્નોત્તર પદ્ધતિમાં પ્રશ્નકર્તા અને ઉત્તરદાતાની વાક્યરચના ન્યાય (પંચાવયવ) થી યુક્ત હેવાને નિયમ નથી; જ્યારે ચર્ચાપદ્ધતિમાં વાદી–પ્રતિવાદી બનેની વાક્યરચના સ્પષ્ટ કે અસ્પષ્ટરૂપે ન્યાયયુક્ત હેય છે જ. બાહ્ય સ્વરૂપમાં આવો ભેદ હોવા છતાં તેના ઉદ્દગમમાં તે ભેદ નથી. જેમ પ્રશ્નોત્તર એ જ્ઞાનેચ્છા અને જયેચ્છામાંથી જન્મ પામે છે, તેમ ચર્ચા પણ તેમાંથી જ જન્મ પામે છે. જે વ્યક્તિ કોઈ વસ્તુનું સામાન્ય
૨. જુઓ, વિન્ડલબાની A His. of Philosophy, પૃ. ૮૭, વિભાગ ૮ અને આગળ.
૩. આ કથનનો પુરા બ્રાહ્મણો, ઉપનિષદો, સૂત્ર, જૈન આગમો અને બૌદ્ધ ત્રિપિટક જોતાં સહેજે મળી આવશે.
૪. જુઓ, કૂટનટ ૨.
Page #4
--------------------------------------------------------------------------
________________
-કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન t ૧૧૯૯ જ્ઞાન અગર વિશેષજ્ઞાન મેળવવા ઈચછે, તે જ બીજા તજજ્ઞને પ્રશ્નો કરે છે. આ જાતના પ્રશ્નોને ઉદ્યમ જિજ્ઞાસામાંથી થાય છે. વળી બીજી કોઈ વ્યક્તિ પિોતે કઈ વસ્તુનું જ્ઞાન મેળવવા ખાતર નહિ, પણ સામાને ચૂપ કરી પરાજિત કરવાની ઈચ્છાથી પ્રશ્નો કરે છે. આવા પ્રશ્નોને ઉદ્દગમ જયેષ્ઠામાંથી થાય છે. તેવી જ રીતે ચર્ચાની બાબતમાં પણ છે. કોઈ ચર્ચાકારે જ્ઞાન (શુદ્ધ જ્ઞાન) મેળવવાના ઇરાદાથી ચર્ચા કરવા પ્રેરાય છે, જ્યારે બીજા કેટલાક અંદર અંદર એક બીજાને હાર આપવાના ઉદ્દેશથી ચર્ચા કરવા પ્રેરાય છે. આ રીતે પ્રશ્નોત્તર તથા ચચપદ્ધતિના ઉદ્દગમમાં જ્ઞાનેચ્છા અને જયેચ્છાનું તત્વ સમાન હોવા છતાં એમનાં મૂળમાં એક સૂક્ષ્મ પણ જાણવા જેવો તફાવત છે. અને તે એ કે જ્ઞાનેચ્છામૂલક કોઈ પણ જાતને પ્રશ્ન કરનાર માણસ પોતાના જ્ઞાન વિષે જેટલે અસ્થિર અને અકકસ સંભવી શકે તેટલું વધારે સ્થિર અને વધારે ચોક્કસ ચર્ચા કરનાર હોય છે. સારાંશ કે પ્રશ્નોત્તર પદ્ધતિમાં (જયેષ્ઠામૂલક પદ્ધતિ બાદ કરીએ તે) શ્રદ્ધા મુખ્ય હેય છે, અર્થાત તે ઉપદેશ પ્રધાન બને છે જ્યારે ચર્ચા પદ્ધતિમાં પ્રજ્ઞા અને તર્ક મુખ્ય હોઈ તે હેતપ્રધાન બને છે.' આ ઉપરાંત બીજો ધ્યાન દેવા લાયક તફાવત એ છે કે પ્રશ્નોત્તરપદ્ધતિના મૂળમાં રહેલી જ્ઞાનેચ્છા અને કથાના મૂળમાં રહેલી જ્ઞાનેચ્છા એ બંને જ્ઞાનેચ્છારૂપે સમાન હેવા છતાં પણ કાંઈક જુદા જુદા પ્રકારની હોય છે. કારણ કે જે પ્રશ્નો વસ્તુના અજ્ઞાનથી જન્મ પામે છે તે તેનું સામાન્ય જ્ઞાન મળતાં જ શમી જાય છે, પણ ચર્ચામાં તેમ નથી હોતું. ચર્ચામાં તે બંને પક્ષકારેને પિતા પોતાના પક્ષનું અમુક અંશે નિશ્ચિત જ્ઞાન હોવા છતાં વિશેષ પ્રકારના તવનિર્ણયની જ ઈચ્છા ચર્ચાની પ્રેરક હોય છે, એટલે ચર્ચાના મૂળમાં રહેલી જ્ઞાનેચ્છા એ સામાન્ય જ્ઞાનેચછા ન હતાં તત્વનિર્ણયેરછારૂપ હોય છે. આટલે તફાવત જાણું લીધા પછી આગળનું વિવેચન સમજવું વધારે સરલ થશે.
૬. સમયવિભાગ-અહીં જે કથા પદ્ધતિને ઈતિહાસ આલેખવા ધાર્યો છે, તેના બે અંશે છે : કથાના સ્વરૂપ(લક્ષણ)ને ઈતિહાસ અને તેના
૫. અહીંયાં પ્રશ્ન થશે કે એક બાજુ પ્લેટોના જેવા સંવાદોને અને બીજી બાજુ હાલની ડીબેટ પદ્ધતિને શેમાં સમાવેશ થઈ શકે. લેટેના સંવાદ એ પ્રશ્નોત્તર પદ્ધતિ અને કથા પદ્ધતિનું વચલું સ્વરૂપ છે, જ્યારે ડીબેટ પદ્ધતિને તે કથા પદ્ધતિમાં જ સમાવેશ કર જોઈએ. જોકે એમાં કોઈ પચાવવી અથવા ત્રિઅવયવી ન્યાયવાક્યનો સ્પષ્ટ રીતે ઉપયોગ નથી કરતું, છતાં પણ તેમાં તે ગર્ભિત રીતે તે હોય છે જ; અને કઈ વાદીની ઇચ્છા થાય તો તે સ્પષ્ટ પણે કરવું પડે. સાધારણ રીતે હેતુ થનથી જ ચલાવી લેવાય છે.
Page #5
--------------------------------------------------------------------------
________________
૧૨૦૦ ]
દર્શન અને ચિંતન સાહિત્યનો ઈતિહાસ. આ બંને પ્રકારને ઈતિહાસ જે સાહિત્યમાંથી તારવવાને છે તે સાહિત્યના સમયને ત્રણ વિભાગમાં અહીં વહેચી નાખીશું. આથી પ્રસ્તુત વિષયના ઈતિહાસમાં ઉત્તરોત્તર કેવાં કેવાં રૂપાન્તર થતાં આવ્યાં છે, વિદ્વાનની બાહ્ય સૃષ્ટિ અને અન્યલેખકોની માનસમૃષ્ટિ કેવી કેવી બદલાતી ગઈ છે તે જાણવું સુગમ થશે. તે ત્રણ વિભાગે આ પ્રમાણે છે: (#) વિક્રમ સંવત પહેલાં સમય, (g) વિક્રમની પ્રથમ સદીથી નવમી સદી સુધી સમય, (1) નવમી સદીના ઉત્તરાર્ધથી આજ સુધીનો સમય. આ ત્રણેને અનુકમે પૂર્વવત સમય, મધ્યવર્તી સમય અને ઉત્તરવતી સમય એવાં નામોથી અહીં ઓળખીશું. આ ત્રણે વિભાગના સાહિત્યમાં વૈદિક, જૈન અને બૌદ્ધ સંપ્રદાયનું એટલે સમગ્ર ઉપલબ્ધ હિંદુ સાહિત્ય આવી જાય છે.
૭. મહર્ષિ ગૌતમનાં ન્યાયસૂ—-અત્યારે ભારતવર્ષનું વૈદિક, બૌદ્ધ અને જૈન એ ત્રણ સંપ્રદાયમાં વહેચાયેલું જેટલું સાહિત્ય ઉપલબ્ધ છે, તેમાં કથા પદ્ધતિના સ્વરૂપનું સ્પષ્ટ નિરૂપણ હોય એ સૌથી પ્રાચીન ગ્રન્થ મહર્ષિ અક્ષપાદ ગૌતમને રચેલે છે. આ ગ્રન્થ “ન્યાયસૂત્ર ને નામે પ્રસિદ્ધ છે. અત્યારે તે જ ન્યાયદર્શનનો આદિ ગ્રન્થ લેખાય છે, અને તે પાંચ અધ્યાયમાં વહેંચાયેલે હાઈ પંચાધ્યાયી” પણ કહેવાય છે. દરેક અધ્યાયનાં બે એટલે કુલ તેનાં દશ આહ્નિક છે. તેનાં સૂવે, પ્રકરણે, પદે અને અક્ષરની સંખ્યા અનુક્રમે ૫૨૮, ૮૪, ૧૯૬, ૮૩૮૫ છે.
૮. કથા પદ્ધતિની જ મુખ્યતા –કેટલાક વિચારકે આ ન્યાયસૂત્રના સેળ પદાર્થોમાં પ્રમાણનું પ્રથમ સ્થાન જોઈ અને તેમાં પ્રમાણના નિરૂપણની અતિસ્પષ્ટતા જોઈ એ સૂત્રોનું પ્રમાણપદ્ધતિના ગ્રન્થ તરીકે ઓળખે છે. પણ એ સૂત્રોના ટીકાકાર વાસ્યાયન તેને ન્યાય નામ આપે છે, અને ન્યાયપદ્ધતિના
ન્ય તરીકે ઓળખવાની સૂચના કરે છે. બારીકીથી વિચારતાં એ સૂત્રોને કથા પદ્ધતિના પ્રખ્ય તરીકે જ ઓળખવામાં વિશેષ ઔચિત્ય છે.
પંચાવયવરૂપ ન્યાયની પ્રથમ પેજના અક્ષપાદે કરી છે. સરળ પદાર્થમાંના ઘણાને સંબંધ એ ન્યાય સાથે છે એવી ધારણાથી કે વાસ્યાયને એને ન્યાય એ નામ આપ્યું હોય તે એ એક રીતે ઠીક છે. છતાં સેળે પદાર્થોના સંબંધ જેવી રીતે કથા પદ્ધતિ સાથે બંધ બેસે છે તે તે ન્યાય સાથે બંધ નથી જ બેસતો. તેથી સૂત્રકારની દૃષ્ટિમાં કથા પદ્ધતિની જ પ્રધાનતા હોવાનો સંભવ છે. અર્થાત્ સૂત્રકારે પિતાના ગ્રન્થમાં સળ પદાર્થોનું જે નિરૂપણ કર્યું છે તે કથા પદ્ધતિના જ્ઞાનની પરિપૂર્તિ માટે જ છે એમ માનવું જોઈએ.
Page #6
--------------------------------------------------------------------------
________________
કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન | [ ૧૨૦૦
૯. કથા પદ્ધતિ સાથે સળ પાર્થોને સંબંધ—પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજન, દષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તક', નિર્ણય, વાદ, જપ, વિતડા, હવાભાસ, છાલ, જાતિ અને નિગ્રહસ્થાન: આ ન્યાયસૂત્રના સેળ પદાર્થો છે.
* પાંચ અવયવ એ જ ન્યાયવાક્ય અગર પરાથનુમાન કહેવાય છે. ચારે પ્રમાણે તે ન્યાયવાક્યમાં સમાઈ જાય છે. પ્રમેય વિના તે ન્યાય ચાલી શકે જ નહિ. પ્રમેય એ તે ન્યાયનું પ્રતિપાદ્ય વસ્તુ છે. સંશય, પ્રજન અને દષ્ટાંત ન્યાયના પૂર્વગ તરીકે મનાય છે, કારણ કે એ ત્રણ વિના ન્યાયનું ઉત્થાન જ થતું નથી. સિદ્ધાંત એ ન્યાયને આશ્રય છે. તક અને નિર્ણયને ન્યાયના ઉત્તરાંગ માનેલ છે, વાદ, જલ્પ અને વિતંડાની પ્રવૃત્તિ ન્યાયને આધારે ચાલે છે એમ કહ્યું છે. હવાભાસ ન્યાયમાં જ સંભવે છે. છળ, જાતિ અને નિગ્રહસ્થાનને સંબંધ પણ જલ્પ દ્વારા ન્યાય સાથે છે. આ રીતે કેઈ ને કોઈ દષ્ટિએ પંદરે પદાર્થોને સંબંધ અવયાવાત્મક ન્યાય સાથે જોડી શકાય. છે. પણ ન્યાયને ઉપગ શો એ પ્રશ્નનો ઉત્તર વિચારતાં કહેવું પડે છે કે તે કથાને અર્થે છે. કોઈ જાતની કથા હોય તેમાં ન્યાય સિવાય ચાલે જ નહિ. એટલે ઉક્ત ન્યાયસૂત્રમાં પ્રતિપાદિત સોળે પદાર્થોને કથા પદ્ધતિના જ્ઞાનની સામગ્રી જ સમજવા જોઈએ. આ સેળ પદાર્થોના પરિચય માટે અને ખાસ, કરી છળ, જાતિ અને નિગ્રહસ્થાનના વિશેષ ખુલાસા માટે જુઓ. પરિશિષ્ટ ૧.
૧૦. ન્યાયસૂત્ર પહેલાનું કથા પદ્ધતિવિષક સાહિત્ય – જેકે ઉપલબ્ધ સાહિત્યમાં કથા પદ્ધતિને સૌથી પ્રાચીન ગ્રન્થ ગૌતમની પંચાધ્યાયી જ છે, પણ તેના પહેલાં તે વિષયના ગ્રન્થ કે ગ્રન્થ રચાયા નહિ. હેય એમ માનવાને કાંઈ કારણ નથી. તેથી ઊલટું આ પંચાધ્યાયી પહેલાં પણ તે વિષયના ગ્રન્થ જરૂર રચાયેલા હોવા જોઈએ એમ માનવાને. નીચેનાં કારણો છે –
(૨) ગૌતમની પંચાધ્યાયીમાં પદાર્થોનું વર્ણન જેટલું સ્પષ્ટ, નિશ્ચિત અને વ્યવસ્થિત છે તે પૂર્વકાલીન વિકાનના તે વિષયના દીર્ઘકાલીન અભ્યાસ અને ચિંતનને વાર સ્વીકાર્યા વિના એકાએક સંભવી ન શકે.
(૪) ગૌતમનાં સૂત્રમાં વાદ, જલ્પ અને વિતડાનું સ્વરૂપ અને એમાં જતાં ળ, જાતિ અને નિગ્રહસ્થાનનું સ્વરૂપ, તેની સંખ્યા અને ઉદાહરણ
Page #7
--------------------------------------------------------------------------
________________
૧૨૨ ]
દર્શન અને ચિંતન જે આપ્યાં છે તે પૂર્વકાલીન દાર્શનિક વિદ્વાનોની લાંબાકાળની વિદ્યાગોષ્ઠી અને પારસ્પરિક વાદવિવાદની પ્રવૃત્તિ અને તત્સંબંધી શિક્ષાની પરંપરાને વારસે માન્યા સિવાય એકાએક ન જ સંભવી શકે.
(T) એ સૂત્રોમાં જે અનેક મતમતાંતરે નોંધી તેનું નિરસન વાદપદ્ધતિઓ કરવામાં આવ્યું છે તે ભિન્ન ભિન્ન દર્શનના પૂર્વકાલીન વિદ્વાને એકબીજાના દર્શનનું જ્ઞાન કેટલું સાવધપણે મેળવતા અને તેનું નિરસન કરવા કેટલું ચિંતન કરતા, તથા પિતાનો પક્ષ બચાવવા કેટલી ચર્ચામાં ઊતરતા એનું સૂચક છે.
આ તર્કના સમર્થનમાં નીચેના પુરાવા ટાંકી શકાય એમ છે. કદના અને અથર્વવેદનાં પ્રશ્નાત્મક અને કેયડા રજૂ કરતાં સૂક્ત, બ્રાહ્મણોની વિવિધ વિષય ઉપરની ચર્ચાઓ અને ઉપનિષદોના સંવાદો તત્કાલીન આર્યોની ચર્ચપ્રવૃત્તિને પુરાવો આપે છે. યાસ્કાચાર્યનું નિરુક્ત તે વાદપદ્ધતિથી લખાયેલ ગ્રંથ છે; એટલું જ નહિ પણ પિતાથી પૂર્વકાલીન વ્યવસ્થિત ચર્ચાઓને સૂચક છે.
આ ઉપરાંત બૌદ્ધ ત્રિપિટક અને જૈન આગમોમાં જે અનેક પ્રતિપક્ષોના ઉલ્લેખ આવે છે તે પણ આ પ્રવૃત્તિને જ પુરાવા આપે છે. જેના આગામે પૈકી ઔપપાતિક નામના ઉપાંગમાં દીર્ધ તપસ્વી મહાવીરના ૪૦૦ વાદકુશળ શિષ્ય હોવાનો ઉલ્લેખ છે. કલ્પસૂત્રમાં પણ આ પરંપરા નેંધાઈ છે. તેમ જ રાયપરોણીય ઉપાંગમાં કેશી અને પ્રસેનજિત રાજાને સંવાદ ચર્ચાપદ્ધતિનું ભાન કરાવે છે. બૌદ્ધોના સંયુક્ત નિકાયમના વંગી સંયુક્ત નામના પ્રકરણના બારમા સુરની અદ્રકથામાં વંગીસની માતા વાદપટુ પરિત્રાજિકા હતી, એને પાંચસો જાતના વાદે આવડતા હતા અને એ સર્વ પરિવાજને હરાવતી એ ઉલ્લેખ છે. બૌદ્ધસાહિત્યમાં વાદવિવાદમાં ગૂંથાયેલા રહેતા હથક શાક્યપુત્રનો ઉલ્લેખ છે. “બીજ પંથના પરિવ્રાજકે સાથે વાદવિવાદ કરતી વખતે, એક વખતે પિતાને અમુક મુદ્દો છે એમ કહી બીજી જ ક્ષણે એ મુદ્દો પિતાને નથી જ એવું પ્રતિપાદન કરત; અથવા એ વાત ઉડાડી દઈ બીજી જ વાત કરવા માંડતો. અમુક વખતે અમુક ઠેકાણે વાદ માટે હાજર
૬. જુઓ, પુરાતત્ત્વ, પુ. ૨, અંક ૧ અને પુ. ૩, અં. ૨. ૭. ઔપપાતિક સૂ. સૂ. ૧૬. ૮. બૌદ્ધ સંઘનો પરિચય. ૫. ૨૩/.
Page #8
--------------------------------------------------------------------------
________________
કથાજદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન
[૧૨૦૦ રહીશ એમ કહી તે વખતે હાજર થતો નહિ. ઈતર પંથના પરિવ્રાજક તેના આ વર્તન ઉપર ટીકા કરવા લાગ્યા.”
ચાણકયને અર્થશાસ્ત્રમાં આવીક્ષિક વિદ્યાને ઉલ્લેખ છે તે પૂર્વવર્તી ઘણું લાંબા સમયથી ચાલી આવતી અને બીજી વિદ્યાઓની પેઠે સ્થિરતા પામેલી આન્ધીક્ષિકીને જ સૂચક છે.
આ પુરાવા ચર્ચપ્રવૃત્તિના સૂચક છે. તે ઉપરાંત જેમાં ચર્ચાને લગતા પદાર્થોનું એક અથવા બીજી રીતે વર્ણન હોય તેવા પણ પુરાવાને અભાવ નથી. જૈન આગમમાં પણ પ્રાચીન ગણાતાં અગિયાર અંગે પિકી સ્થાનાંગ નામના ત્રીજા અંગમાં કથા, દૃષ્ટાંત, હેતુ, વિવાદ અને દોષનું જે વર્ણન છે તે નિવૃત્તિપરાયણ જૈન નિગેન્દ્રોની કથા પદ્ધતિવિષયક અદ્ભુત માહિતી અને અક્ષપાદ ગૌતમથી વર્ણિત પદાર્થો કરતાં કથા પદ્ધતિના વિષયમાં બીજી કઈ મિત્ર પ્રાચીન પરંપરાને પુરાવો છે. સ્થાનાંગ નામના મૂળ આગમમાંનું એ વર્ણન વળી જેનપરંપરા પ્રમાણે પ્રાચીન ગણાતા ભદ્રબાહુકૃત નિજજુતિ નામના ગ્રન્થમાં પણ છે. સ્થાનાંગ અને નિજજુત્તિના એ વર્ણનથી એમ જણાય છે કે પ્રાચીન જૈન સાહિત્યમાં કથા પદ્ધતિવિષયક કઈ ખાસ ગ્રન્થ અથવા પ્રકરણ પહેલાં હોવું જોઈએ. સ્થાનાંગના એ પદાર્થોની વિગત માટે જુઓ પરિશિષ્ટ ૨,
બૌદ્ધ સંપ્રદાયના પ્રાચીન ગણતા ત્રિપિટક સાહિત્યમાં કથા પદ્ધતિવિષયક કોઈ ખાસ ગ્રન્થ રચાય તેનું સ્પષ્ટ પ્રમાણુ અદ્યાપિ મારી જાણમાં નથી. છતાં અશકના સમયમાં રચાયેલ મનાતા કથાવત્થનામક ગ્રન્થમાં આપણે જોઈ શકીએ છીએ કે તેની વર્ણન પદ્ધતિ અને તેનું નામ એ બંને કથા પદ્ધતિનાં જ સૂચક છે. એટલું જ નહિ પણ તેમાં નિગ્રહસ્થાન શબ્દને ઉલ્લેખ સુદ્ધાં છે અને તેનું વર્ણન મોટે ભાગે છળ, ખાસ કરી શબ્દછળથી ભરેલું છે. એ બધું તે સમયના અને તેના પુવતી સમયના વિદ્વાનની માનસિક સૃષ્ટિ, વિચારદિશા અને લેકસચિનું સૂચન કરે છે.
વૈદક સાહિત્યમાં સૌથી પ્રાચીન ગણતા ચરકમાં કથા પદ્ધતિને લગતા પદાર્થોનું સવિસ્તર અને તે સમયનાં વૈજ્ઞાનિક ઉદાહરણોથી ભરપૂર વર્ણન છે. આ ગ્રંથને સમય જોકે અનિશ્ચિત છેતો પણ તેમાંનું પ્રસ્તુત વર્ણન
૯. બૌદ્ધ સંઘને પરિચય. પૃ. ૧૬ ૧૦ જુઓ દુર્ગાશંકર શાસ્ત્રીને લેખ. પુરાતત્ત્વ પુ. ૩, ૫. ૧૦૭. ચરકસંહિતાને દઢબલની અનુપૂર્તિ વગેરેને મૂળ ભાગ ઈ. સ. પૂર્વે બીજા સૈકાથી ઈ. સ. પૂર્વે પહેલાં શતક સુધીમાં હોવું જોઈએ.”
Page #9
--------------------------------------------------------------------------
________________
૧૨૦૪ }
દઈન અને ચિંતન
માત્ર ગૌતમના ન્યાયસૂત્રનું જ અનુકરણ ન હોવાથી કાંઈક પૂર્વવર્તી બિન્ત પરંપરાનુ સૂચક માનવુ' જોઈ એ. આ ગ્રંથમાં વણ વેલી ચર્ચાનું વધારે ઉપયુક્ત વર્ણન જોવા માટે નુ પરિશિષ્ટ ૩.
૧૧. કથાનુ વિશેષ સ્વરૂપ :~~~હવે આપણે જોઈએ કે ગૌતમ કથાના સ્વરૂપ વિશે શું લખે છે. તે કથાના ત્રણ ભેદ કરે છે : વાદ, જલ્પ અને વિતણ્ડા. અને દરેક ભેદનું સ્વરૂપ આ પ્રમાણે વણ વેછે: (૧) જે વચનવ્યાપારમાં પક્ષ અને પ્રતિપક્ષને સ્વીકાર હાય અર્થાત્ જેમાં એક જ પદાર્થના પરસ્પરવિધી એવા એ આશામાંથી એક એક અશના વાદીએ અને પ્રતિવાદીએ પેાતપાતાના પક્ષ તરીકે નિયમપૂર્વક સ્વીકાર કર્યો હોય. અને તેથી જેમાં વાદી-પ્રતિવાદી તે પ્રમાણ અને તર્ક દ્વારા પોતાના પક્ષનુ સ્થાપન અને પરપક્ષનું નિરાકરણ કરતા હોય તેમ જ આ સાધન અને નિરાકરણના પ્રકાર પ્રતિજ્ઞા વગેરે પાંચ અવયવરૂપ ન્યાયવાથી યુક્ત હોય અને જે સિદ્ધાન્તથી વિરુદ્ધ ન હેાય એવા વચનવ્યાપાર તે વાદ. (ર) વાદનાં ઉક્ત બધાં લક્ષણ હેવા ઉપરાંત જેમાં છળ, તિ અને નિગ્રહસ્થાનના પ્રયોગથી સ્વપક્ષનું સાધન અને પરપક્ષનું નિરાકરણૢ કરી શકાતુ હાય તેવા વચનવ્યાપારને જપ કહેવામાં આવે છે. (૩) એ જ જષ પ્રતિપક્ષની સ્થાપનાને બાદ કરીએ તેા વિતા કહેવાય છે. ૧૧
૧૨, પરસ્પર સામ્ય વૈષમ્યઃ—કથાકારોની નિયમપૂર્વક ચર્ચારૂપ તે વાદ, જપ, વિતણ્ડા એ ત્રણે સમાન છે. છતાં તેમાં માટી અસમાનતા પણ છે. વાદાત્મક ચર્ચા, તત્ત્વનિયની ઈચ્છામાંથી જન્મ લે છે અને જપ અને વિતાત્મક ચર્ચા વિજયની ઇચ્છામાંથી જન્મ લે છે. એટલે જલ્પ અને વિતા એ અને વિજિગીષુકથારૂપે સમાન છે અને વાદ તેથી તત્ત્વનિર્ણિતીજી કથારૂપે તે તેથી જુદો પડે છે. વિજિગીષુ કથારૂપે સમાન હોવા છતાં જપ અને વિતા વચ્ચે એક તફાવત છે અને તે એ કે વિતષ્ઠામાં વૈતણ્વિક વાદી સામાપક્ષનું ખંડન જ કરતો જાય છે અને પેાતાના પક્ષનું સ્થાપન કરતા જ નથી. સામાનું ખંડન કરતાં અર્થાત્તથી તેને અમુક પક્ષ ભલે માની લેવામાં આવે પણ તે વિધિરૂપે પોતાના પક્ષની સ્થાપના કરો નથી અને તેથી તેને પેાતાના પક્ષનું મંડન ફરવાની ફિકર હાતી જ નથી. ગમે તે રીતે વિપક્ષનું ખંડન કરવુ એ જ તેનું ધ્યેય હોય છે. જ્યારે જ૫માં
૧. ન્યાસ, અ. ૧, આ. ૨. સ. ૧, ૨, ૩.
Page #10
--------------------------------------------------------------------------
________________
કથાતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [૨૫ તમનથી હોતું. તેમાં બંને પક્ષકાએ પોતપોતાના પક્ષ સ્પષ્ટ રૂપે જ સ્વીકારી તેને સાધવાનું જોખમ વહોરેલું હોય છે. જન્મ અને વિતષ્ઠા બંને કથાનો ઉદ્દેશ ગમે તે રીતે વિજય મેળવવાનો જ હોવાથી તેમાં બંને પક્ષકારેને સત્યાસત્ય જોવાનું નથી હોતું. કઈ પણ રીતે વિપક્ષને પરાભવ આપવો એ એક જ વૃત્તિથી આ કથા ચાલતી હેવાને લીધે તેમાં બંને પક્ષકારે જાણી જોઈને જળ અને જાતિરૂપ અસદુત્તરનો પ્રયોગ સુધ્ધાં કરી શકે છે. અને દરેક જાતના નિગ્રહસ્થાનનું ઉદ્ભાવન કરી સામાને પરાજ્યની નજીક લાવવાને યત્ન પણ કરી શકે છે. વિજયેરછાથી ઉન્મત્ત થયેલ વાદીએ કાંઈ પરાજેય સ્વીકારવા તૈયાર ન હોય એટલે જલ્પ અને વિતડાત્મક કથાને પ્રસંગે અંકુશ મૂકે અને એક પક્ષને તેને પરાજય સ્વીકારાવે તેવા પ્રભાવશાલી મધ્યસ્થ અને સભાસદની પણ જરૂર હોય છે. પણ વાદમાં એમાંનું કશુંયે હેતું નથી. વાદકથા તત્વનિર્ણયની ઈચ્છાથી પ્રેરાયેલ બે અથવા વધારે સહાધ્યાયીઓ વચ્ચે અગર તે ગુરુ-શિષ્ય વચ્ચે ચાલે છે. તેથી તેમાં અસત્યને જાણી જોઈને
અવકાશ નથી. એટલે વાદમાં છળ, તથા જાતિને બુદ્ધિપૂર્વક પ્રગ અગર નિગ્રહસ્થાનનું ઉદ્ભાવન સંભવતું જ નથી.
૧૩. પ્રયોજન ઉપરના વર્ણનથી એ તે સ્પષ્ટ જ છે કે વાદકથાનું પ્રોજન તત્વનો નિર્ણય અને જલ્પ તથા વિતષ્ઠાનું પ્રયોજન વિજયપ્રાપ્તિ એ છે. છતાં મહર્ષિ ગૌતમ, પિતાના શાસ્ત્રમાં વર્ણવેલા સેળ પદાર્થ, જેમાં છળ, જાતિ અને નિગ્રહસ્થાનને પણ સમાવેશ થાય છે, તેના તત્ત્વજ્ઞાનને મેક્ષપ્રાપ્તિનું અંગ માને છે એ એક જાતનો વિરોધ છે. જ્યાં તે છળ, જાતિ અને નિગ્રહસ્થાનરૂપ અસત પ્રમાણે, અને ક્યાં જલ્પ અને વિતષ્ઠામાં વિજે. છાજનિત ચિત્તમાલિન્ય અને ક્યાં તેના જ્ઞાનથી મોક્ષની પ્રાપ્તિ ! એ દેખીતે વિરોધ છે. પણ આ વિરોધ મહર્ષિ ગૌતમના ધ્યાન બહાર તે નથી જ. ન્યાયશાસ્ત્રને સૂત્રધાર એ મહર્ષિ ઉક્ત વિધિને પરિહાર કરવા જલ્પ અને વિતષ્ઠાકથાને ઉપયોગ કઈ સ્થિતિમાં કરે એ પણ જણાવે છે. તે કહે છે કે વિજય દ્વારા કોઈ ભૌતિક લાભ કે ખ્યાતિ પ્રાપ્ત કરવાના હોય તે તે વિજય મેળવવા જલ્પ અને વિતડાને પ્રગ ન કર. વિજયનું સાધ્ય પણ તત્ત્વને નિશ્ચય જ હે જોઈએ. એટલે કે પિતાને અગર પિતાના સંપ્રદાયના અનુયાયીઓને થયેલા તત્વનિશ્ચય ઉપર કોઈ બીજા વાદીઓ આવી આક્રમણ કરતા હોય અને તેવી સ્થિતિમાં તત્વનિશ્ચયમાં વિક્ષેપ પડતો હોય તો તે તત્ત્વનિશ્ચયની રક્ષા કરવા અનિષ્ટ છતાં પણ જલ્પ અને વિતાને
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૨૦૬ ]
દર્શન અને ચિંતન વિજિગીષભાવે જરૂર પ્રેગ કરે. આનું સમર્થન કરતાં તે એક મજેદાર દાખલે આપે છે. તે કહે છે કે કાંટાઓ જાતે અનિષ્ટ હેઈ હેય છે. છતાં વાવેલ બીજની, અને અંકુરની રક્ષા કરવા વાડ દ્વારા કાંટાને પણ ઉપયોગ થાય છે. આ દાખલામાં બીજાંકુરની રક્ષા કરનાર કાંટાની વાડ સાથે તસ્વનિશ્ચયની રક્ષા કરનાર જલ્પવિતષ્ઠા – કથાની સખામણ મહર્ષિની સમર્થનકુશળતા સૂચવે છે. મહર્ષિ એમ સૂચવતા જણાય છે કે પ્રૌઢ દશાએ પહેચેલાં અને દમૂલ થયેલાં વૃક્ષો માટે કાંઈ કાંટાની વાડની જરૂર નથી હતી. તેનું વૃક્ષ તે પિતાનાં ઊંડાં મૂળને બળે જ કેવળ પશુઓથી નહિ પણ વાયુ અને સેવાના ભયંકર ઝપાટાથી સુધ્ધાં સુરક્ષિત છે. તેવી રીતે જેઓને દઢ અને ઊંડે તસ્વનિશ્ચય થયેલ હોય છે તેઓ કોઈ પણ વિધીના ગમે તેવા આક્રમણથી ડગતા જ નથી એટલે તેઓને જલ્પ કે વિતરડાની મદદ લેવાની જરૂર નથી. પણ એવા તત્ત્વનિશ્ચયવાળા ગણ્યાગાંઠ્યા હોય છે. સામાન્ય જનસમુદાય તે હમેશાં અમુક સંપ્રદાય પ્રમાણે તનિશ્ચય સ્વીકાર્યો છતાં ડગમગતી જ સ્થિતિમાં હોય છે, અને તેથી તેઓનો તત્ત્વનિશ્વય માત્ર અંકુર જે કોમળ અને અસ્થિર હોય છે. એટલે સંપ્રદાયના તેવા લોકોને સ્થિર રાખવા ખાતર જ૫ અને વિતડાકથા આવશ્યક છે અને તે રીતે તે મોક્ષનું અંગ પણ છે.
જલ્પ અને વિતષ્ઠાના ઉપયોગની મહર્ષિની આ સૂચના એક બાજુ વિદ્વાનેમાં મનુષ્યસ્વભાવ પ્રમાણે ઉત્પન્ન થતી અઘટિત વિદ્યાસ્પર્ધા અને તજન્ય દુષ્પરિણામે ઉપર અંકુશ મૂકે છે અને બીજી બાજુએ તત્કાલીન તથા પૂર્વકાલીન વિદ્વાનોની વિદ્યાગે અને સાંપ્રદાયિક આવેશમાંથી ચડસા-- ચડસી કેવી થતી હોવી જોઈએ એ તરફ લક્ષ ખેંચે છે. મહર્ષિ જાણે છે કે સંપત્તિ અને સંતતિની મમતા તો મનુષ્ય અને ઇતર પ્રાણુ વચ્ચે એક સરખી સમાન છે જ; પણ મનુષ્યની વિશેષતા તેના વિચારની મમતામાં છે. મનુષ્ય જે વિચાર (પછી તે ગમે તે હોય) બાંધે અગર સ્વીકારે છે, તેમાં અહં ત્વને દઢ આરેપ થતાં તે તેને એકાએક છેડતું નથી. અને ઘણીવાર તે સંપત્તિ, સંતતિ અને પિતાને ભોગે પણ તે પિતાના વિચારને વળગી રહે. છે. મનુષ્યની આ વિશેષતાને લીધે જ સંપ્રદાય બંધાય છે અને વિચારપરિવંતન માટે મારામારી અને કાપાકાપી વિદાને સુધ્ધાંમાં થાય છે. આવી. સ્થિતિમાં જેમ તત્ત્વનિશ્ચયનું રક્ષણ આવશ્યક છે તેમ કેવળ લેભ અને
૧૨. ન્યા. સૂ. અ. ૪, આ. ૨, સે. ૪–૪૮.
Page #12
--------------------------------------------------------------------------
________________
કથાપદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન
[ ૧૨૦૭
ખ્યાતિથી પ્રેરાઈ વિજયની લાલસાથી ખીજા ઉપર આક્રમણ કરી વૈરભાવ અને વિરાધ વધારી મૂકવા એ હાનિકારક પણ છે. તેટલા માટે જપ અને વિતણ્ડાને ઉપયાગ કરવાનું કહ્યા છતાં તેની મર્યાદા મહર્ષિએ સૂચવી છે.
૧૪. વખત સાથે વસ્તુસ્થિતિ કેવી બદલાય છેઃ—પૂર્વવર્તી સમયનાં સાહિત્યના અવલોકન ઉપરથી જણાય છે કે વિક્રમ પહેલાંના પાંચમા અને છઠ્ઠા એ એ સૈકાને વખત કાંઇક જુદો જ હતો. એમાં તત્ત્વચિન્તા અને આત્મદર્શન, દી તપસ્યા અને ત્યાગ, ચિત્તશાધન અને સામાજિક પરિષ્કારની ભાવનાઓથી ભરેલું શુભ્ર વાતાવરણ હતું. એ વાતાવરણને પ્રભાવે ભારતીય મનુષ્યાનાં હૃદયમાં દૈવી વૃત્તિને વેગ મળ્યો હતો. શ્રદ્ધા અને મેધાની પ્રતિષ્ઠામાં તર્કવાદની ( ખાસ કરી કુતર્કવાદની ) કિંમત ઘટી હતી. તેથી જ આપણે ઉપનિષદોના તત્ત્વચિન્તનમાં અને બ્રહ્મદર્શનમાં ક્ષત્રિયવૃત્તિ પ્રવાહણ, અશ્રુતિ અને અજાતશત્રુ અદિતી પાસે આણિ ગૌતમ, અને દસ બાલાકિ જેવા અનેક બ્રાહ્મણવૃત્તિ અચાનમાની જતાને શિષ્યભાવે જતા જોઈએ છીએ. જૈન આગમે!માં દીધું. તપસ્વી અને ત્યાગમૂર્તિ જ્ઞાતપુત્ર મહાવીર ક્ષત્રિય પાસે ઇન્દ્રભૂતિ આદિ અનેક બ્રાહ્મણાને પ્રતિસ્પર્ધી છેાડી, શિષ્યત્વ સ્વીકારતા જોઈએ છીએ. તેમ જ પિટકામાં ધ્યાનપ્રજ્ઞાના પરમપૂજારી અને સામાજિક સમભાષના નિર્ભય સંચારક સિદ્ધાર્થ ગૌતમ પાસે ઉજ્જયિનીના પુરેાહિતના પુત્ર મહાકાત્યાયન, વાસેટ્ટ, કૃષિ ભારદ્વાજ, વગેરેને પોતાનું માન ગાળી બુદ્ધ શરણં ગચ્છામિ, ધમ્મ શણ ગચ્છામિ, સઘ શરણ' ગચ્છામિ ખેલતા જોઈ એ છીએ. આ ગુરુશિષ્યભાવનું વાતાવરણ તે વખતે કેટલું જામ્યું હતું તેની સાબિતી તે વખતની વસ્તુસ્થિતિ આલેખનારા સાહિત્યમાં મળે છે. ઉપનિષદોની, આગમેની અને પિટકાની વનશૈલી જ શ્રદ્ધા અને વિનયભાવથી પૂર્ણ છે. તેમાં જ્યાં જુએ ત્યાં ગુરુશિષ્યભાવનાસૂચક પ્રશ્નોત્તરને ક્રમે જ વસ્તુનું વણૅન છે.
કયારેય પણ એક વૃત્તિની પ્રધાનતાવાળા વાતાવરણમાં વિધી બીજી વૃત્તિનો સમૂળગા ઉચ્છેદ તે નથી જ થતે; માત્ર તેમાં ગૌણુત્વ આવે છે. તેથી તેવા શ્રદ્ધા અને જિજ્ઞાસાવૃત્તિની પ્રધાનતાવાળા સમયમાં પણ તર્ક અને પરાજચેપ વિરોધી વૃત્તિવાળા વિજિગીષુ તેજ સાહિત્યમાં કમાંક કચાંક જોઈએ છીએ. જનકની સભાના પરિચિત વિદ્વાન અનિષ્ટ યાજ્ઞવલ્કચને ગોદક્ષિણા લઈ જતા જોઈ અનેક પુરુષ વિદ્વાનોની જેમ વાચકનવી વિદુષી પણ પ્રતિસ્પર્ધાથી પ્રેરાઈ તીવ્ર વાણીમાં પ્રશ્નો કરે છે. તપસ્યાકાળના
Page #13
--------------------------------------------------------------------------
________________
૧ર૮]
દર્શન અને ચિંતન પૂર્વ સહચર ગેલક અને પિતાને જામાતા તથા શિષ્ય ક્ષત્રિયપુત્ર જમાલી દીર્ધતપસ્વી મહાવીર સામે વિરોધી ભાવે આવી ઊભા રહે છે. તેવી રીતે જ તથાગત ગૌતમ સામે તેને પિતાને સાથે અને શિષ્ય દેવદત તથા બ્રાહ્મણ ત્વાભિમાની અંબદ્ધ વગેરે અનેક વિદ્વાને પ્રતિસ્પર્ધી કરે છે. પણ એ બે સદીના ઈતિહાસવાળા સાહિત્યમાં આવા દાખલાઓ ગણ્યાગાંડ્યા છે. મુખ્ય ભાગે તે તેમાં ટોળાબંધ માણસો આચાર્યો પાસે શિષ્યભાવે જ જાય છે અને કેટલાક પ્રતિસ્પર્ધબુદ્ધિથી ગયેલા પણ છેવટે શિષ્યત્વ જ સ્વીકારે છે. તેથી એમ કહેવું જોઈએ કે એ બે સદીના મહાપુરુષોએ વાતાવરણને એટલું નિર્મળ કરી મૂક્યું હતું કે જનસમાજને સંસ્કારી વર્ગ તિપિતાના સંસ્કાર પ્રમાણે કાં તે તત્વચિંતા અને આત્મદર્શનને પથે, કાં તે ઉત્કટ તપ અને અહિંસાના પરમ ધર્મને પંથે, કાં તે ચિત્તશુદ્ધિ અને સમાજસંશોધનના પથે આપોઆપ વિચરતે. પરંતુ એ બે સદીઓનો સુવર્ણયુગ જતાં જ પ્રાચીન અને નવીન અનેક સંપ્રદાય નવનવે રૂપે અસ્તિત્વમાં આવ્યા. તેથી તેના વિસ્તાર અને રક્ષણનું કામ પાછળના અનુયાયીઓ ઉપર આવી પડયું.
આ અનુયાયીઓ ગમે તેટલા પશ્વશાલી હોય છતાં તેઓ પિતાના પૂર્વ પુની છાયામાં જ જીવે તેવા હતા. એટલે તેઓ સર્વથા આપબળી તે ન હતા. આ કારણથી દરેકને સંપ્રદાયના વિસ્તાર અને રક્ષણ માટે પરાશ્રય જરૂરી હતો. રાજાઓની, અમલદારની, ધનવાનોની અને બીજા પ્રભાવશાળી પુરુષોની મદદનો લાભ લેવા કાઈ ન ચૂકતા. જેના પૂર્વ પુરુ આત્મબળની પ્રબળ દૂફથી જ કોઈ પણ જાતની મદદ લેવા કદી રાજસભામાં નહિ ગયેલા, તેના અનુયાયીઓ હવે પ્રતિસ્પધી સંપ્રદાયને ખસેડવા અને પિતાના સંપ્રદાયની વધારે પ્રતિષ્ઠા મેળવવા રાજસભામાં જતા નજરે પડે છે. અને વળી ફરી એકવાર દરેક સંપ્રદાયના વિદ્વાનોમાં તથા આચાર્યોમાં ઓછાવત્તા પ્રમાણમાં વિજયતૃષ્ણનું મેનું આવેલું દેખાય છે. ચંદ્રગુપ્તની વિશેષ સહાનુભૂતિને લાભ જૈનાચાર્યોએ લીધા છે. અશેકની વિરક્તિનું પ્રતિબિંબ બૌદ્ધ સંપ્રદાયમાં વ્યક્ત થાય છે; અને બૌદ્ધ ભિખુઓ સંપ્રદાયના પ્રસાર માટે તેનો ઉપયોગ કરે છે. સંપ્રતિ રાજાની સેવા જેન નિષ્ણુન્દ્રોની ઈચ્છાને અનુસરે છે. પુષ્યમિત્ર અને અમિમિત્રની ભક્તિ બ્રાહ્મણોને ફરી તેજસ્વી બનાવે છે. એ બધું થડેઘણે અંશે પરાપેક્ષાનું પરિણામ છે.
૧૩. જેની બુતપરંપરા પ્રમાણે. વિન્સેન્ટ સ્મીથ પણ આ પરંપરાને અસ્વીકાર નથી કરતા. જુઓ, અલી હિસ્ટ્રી ઓફ ઈન્ડીઆ.
Page #14
--------------------------------------------------------------------------
________________
કથા હૃતિનું સવરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન
[ ૧૨૦૯ એક બાજુ ત્રણ-ચાર સૈકામાં વિજયતૃષ્ણને લીધે અનેક રાજ્યની ચઢતીપડતી અને ઊથલપાથલ થાય છે અને બીજી બાજુએ તે જ સૈકાઓમાં ભિન્ન ભિન્ન સંપ્રદાયોની ચડતી પડતીની તુલા ચીનીચી થાય છે. રાજકીય ક્ષેત્રમાં, સામાજિક પ્રદેશમાં અને ધાર્મિક સંપ્રદાયમાં જ્યાં દેખે ત્યાં અંતર્મુખ વૃત્તિનું જ પ્રાધાન્ય થાય છે. અને ફરી તર્કવાદ તથા વિજયલાલસાથી વાતાવરણ ભરાઈ જાય છે. આનું પરિણામ માત્ર ગૃહસ્થ વિદ્વાને ઉપર જ નહિ પણ ત્યાગી ગુરુઓ ઉપર સુધ્ધાં એટલું બધું ભારે આવે છે કે દરેક વિદ્વાનનું સાધ્ય કેઈ પણ રીતે પિતાના સંપ્રદાયને પરના આક્રમણથી બચાવી લે અને બની શકે તે સામાને પરાભવ આપી તેને સ્થાને પ્રતિષ્ઠા મેળવવી એ થઈ જાય છે. આ સાધ્યની ચિંતાને લીધે વિદ્વાનોના માનસજગતમાં કેટલે ક્ષોભ થ, દરેક વિદ્વાન ભણ્યા પછી પોતાની વિદ્યાનું સાધ્ય શું માનતે, તેમ જ વિવાદ તથા શાસ્ત્રાથના અખાડામાં ઊતરી પ્રતિવાદીને વાણુંની મલ્લકુસ્તીમાં હરાવવા વાદપદ્ધતિનું જ્ઞાન કેટલું આવશ્યક સમજતે, અને તેથી વાદપદ્ધતિના દરેક નિયમ–ઉપનિયમનું અને તોનું જ્ઞાન કરાવી સભામાં વિજય અપાવે એવા ગ્રંથનું નિમૉણ કેવી રીતે થવા લાગ્યું હતું તેમ જ અક્ષપાદ ગૌતમની લાભ અને ખ્યાતિ નિમિત્તે વિજયતૃષ્ણાથી પ્રેરાઈ વિવાદ કરવાની શિખામણ કેટલી ભૂલી જવાઈ હતી, એ બધું આપણે મધ્યવર્તી સમયના સાહિત્યમાં સ્પષ્ટ જોઈ શકીએ છીએ.
૧૫. વિજયવિસ્તાર –મધ્યવતી સમયના સાહિત્ય તરફ વળતાં સૌથી પહેલાં જૈન સાહિત્ય અને તેમાંયે સિદ્ધસેન દિવાકરની કૃતિઓ તરફ નજર દોડાવવી પડશે. દિવાકર એ જૈન પરંપરા પ્રમાણે વિક્રમની પ્રથમ સદીના વિદ્વાન છે. દિવાકર પૂર્વવત આશ્રમને લીધે બ્રાહ્મણની વિદ્યાગેષ્ઠીના અને પાળના બદલાયેલા જીવનને લીધે જેનશ્રમણની નિવૃત્તિવૃત્તિના–એમ બંને સંસ્કાર ધરાવે છે. તેઓ ઉપાશ્રયમાં અનુયાયીઓને ધાર્મિક ઉપદેશ પણ આપે છે, અને વિક્રમની સભામાં અનેક પંડિતરને વચ્ચે બહુમાનપૂર્વક આસન પણ લે છે. તેઓ સંપ્રદાયની રક્ષા અને પ્રતિષ્ઠા માટે વપર અનેક દર્શનેનું જ્ઞાન મેળવવું આવશ્યક સમજે છે, અને તે માટેની ગ્રન્થસામગ્રી પિતે જ તૈયાર કરે છે. દિવાકરનું જે થોડું ઘણું સાહિત્ય ઉપલબ્ધ છે તેમાં બત્રીસ લેકપ્રમાણે એક ત્રિશિકા એવી એકવીસ દ્વાત્રિશિકાઓ છે, અને એક ન્યાયાવતાર નામને પ્રખ્ય પણ છે. આમાં સાતમા, આઠમી અને બારમી એ ત્રણ પત્રિશિકા અને ન્યાયાવતાર એ ચાર કૃતિઓ પ્રસ્તુત વિષય માટે ખાસ ધ્યાન ખેંચે છે. વાદપદ્ધતિમાં કુશળતા મેળવવા ઈચ્છનારે તેનાં જે રહસ્યનું જ્ઞાન મેળવવું જોઈએ તે રહસ્યનું વર્ણન સાતમી વાદપનિષદ નામની
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૨૧૦ ]
દર્શન અને ચિંતન દ્વાત્રિશિકામાં છે. વાદની ચિંતા અને વિજ્યની તૃષ્ણથી વિદ્વાને અને ત્યાગીઓની સ્થિતિ કેવી ચનીય થઈ જાય છે તેનું ચિત્ર આઠમી વાદ દ્વાત્રિશિકામાં છે. બારમી ન્યાયવિંશિકામાં ન્યાયદર્શનના પદાર્થોનું અક્ષપાદનાં ન્યાયસૂત્રોને કાંઈકે મળતું વર્ણન છે. ન્યાયાવતારમાં જૈન સંપ્રદાય પ્રમાણે ન્યાયવાક્યની પદ્ધતિ કેવી હેવી જોઈએ તેનું મુખ્યપણે વર્ણન છે. વિગત માટે જુઓ પરિશિષ્ટ, ૪.
એક બાજુએ, તે સમયના વિદ્વાને રાજસભામાં વિજય પ્રાપ્તિ અને તદ્વારા લાભ તથા ખ્યાતિ મેળવવી એને પોતાની વિદ્યાનું ધ્યેય માનતા; અને તે માટે વિદ્યા મેળવવા જોઈતા શ્રમ ઉપરાંત વિજયસાધક વાદકથામાં કુશળતા મેળવવા વાદવિષયક શાસ્ત્રોને ખૂબ અભ્યાસ કરતા, અને તે અભ્યાસને પ્રયોગ પણ કરતા; આ કારણથી વાદમાં વિજય અપાવે તેવાં તેનાં રહસ્યોનું સંક્ષેપમાં વર્ણન કરે એવા ગ્રન્થને તેઓ ચાહતા, ભણતા અને બનાવતા બીજી બાજુ વિરક્તવૃત્તિના વિદ્વાને આવી વિદ્યાગેઝીની એવી ધૂમાયમાન સ્થિતિ જોઈ, આધ્યાત્મિક વિદ્યાઓના દુરુપયોગની ફિકરથી નિસાસો મૂક્તા, અને વિજય માટે રાત દિવસ અથાગ શ્રમ કરતા તેમ જ રાજસભામાં દેડતા વિદ્વાનોને વિસ્મય અને પરિહાસની દૃષ્ટિએ જોતા. આ બંને બાજુનું પ્રતિબિંબ દિવાકરના પ્રતિભાશાલી હૃદય ઉપર પડયું અને તેઓએ તે પ્રતિબિંબને પોતાની પ્રખર કવિત્વશક્તિ દ્વારા મૂર્ત રૂપ આપ્યું. દિવાકરશ્રીએ જોયું કે તર્કવાદ અને વિજયની તૃષ્ણ વિદ્વાનોને લયબ્રષ્ટ કરે છે અને તેનું પરિણામ સૌને માટે હાનિકારક છે. તેથી તેઓએ તે સ્થિતિને વગેવી. પણ જ્યાં સુધી એ સ્થિતિ ચાલુ રહે અને બિલકુલ ન બદલાય ત્યાં સુધી વિરક્ત થઈ એકાન્તમાં બેસી રહેવાથી સંપ્રદાયનું અસ્તિત્વ જોખમમાં આવે અને તેનાં કેટલાંક વિશિષ્ટ ત નામશેષ થાય એ કારણથી તેઓએ પોતાના જીવનના અનુભવમાં ઉતારેલ ઘણું વાદથાના દાવપેચેની શિક્ષા આપવી પણ તેટલે જ અંશે ચોગ્ય ધારી. તેમ જ જેન નિમ્નન્દો, જેઓ ખાસ ત્યાગ અને વિરક્તિને લીધે ન્યાયવિદ્યા અને વાદકથાની વિશેષ ગડમથલમાં નહાતા પડતા તેઓને પણ પરકીય અને સ્વકીય ન્યાયવિદ્યાનું જ્ઞાન મેળવવું આવશ્યક છે એમ તેઓએ જોયું. વિજયવૃત્તિપ્રધાન મધ્યવર્તી સમયના પ્રારંભમાં જ વિદ્વાનોના હૃદયમાં કેવી જાતનાં બીજ રોપાયાં હતાં એ બધું આથી સૂચવાય છે. .
આ બીજોને ઉત્તરોતર વિકસતાં આપણે જોઈએ છીએ અને તેને પરિણામે સાંપ્રદાયિક દર્શન સાહિત્યનું મધુર અને કટુક મહાન વક્ષ:ભારતવર્ષમાં કલેલું અને ફળેલું જોઈએ છીએ, જેમાં ઇષ્ટ-અનિષ્ટ પરિણામો કેવળ ધર્મ
Page #16
--------------------------------------------------------------------------
________________
કથાપદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન
[ ૧૨૧૧
ક્ષેત્રમાં જ નહિ પણ સામાજિક અને રાજકીય પ્રદેશમાં પણ આવેલાં ઇતિહાસે નાંખ્યાં છે.
ક્રમ જાણે દિવાકરની વાદોપનિષદના અભ્યાસથી જ વિજયકથામાં કુશળ થયા હોય તેમ હવે પછીના જૈનાચાર્યોને રાજસભામાં વિજય મેળવતા આપણે જોઈ એ છીએ.
દિગમ્બરાચાય સમતભદ્ર વાદ્વારા સભાએ તવા કાં કાં કર્યો તેની નોંધ નીચેના શ્ર્લોકમાં છેઃ—
errori नग्नाटकोsहं मलमलिनतनुर्लाम्बुसे पाण्डुपिण्डः पुण्डेण्डे शाक्यभिक्षुर्दशपुरनगरे मिष्टभोजी परिव्राट् । वाराणस्यामभूवं शशधरधवलः पाण्डुराङ्गस्तपस्वी राजन् यस्यास्ति शक्तिः स वदतु पुरतो जैननिर्ग्रन्थवादी ॥ આચાર્ય પાદલિપ્તના બ્રાહ્મણ વિદ્વાને સાથેના પાટલીપુત્રમાં થયેલા વાદ, આચાય મલ્લવાદીના ભક્ષ્ય અને પાલીતાણામાં બૌદ્ધ વિદ્વાને સાથે થયેલા વાદો,૧૪ અકલંક અને પ્રભાચંદ્રનાં ખંડનમ'ના, તેમ જ વિદ્યા નદીનું પાત્રકૅસરીપણું એ બધું મધ્યવતી સમયના સાહિત્યે નોંધ્યું છે. પ
૧૪. જુઓ, પ્રભાવકરિત્ર.
CC
3
૧૫. ભટ્ટારક અકલંકદેવે વાદકથાના વિષ્યમાં ખાસ ગ્રંથ રચ્યા હોવા જોઈ એ કારણ કે વાદી અને પ્રતિવાદી એ અને કયે ક્રમે એકખીજાને દૂષણ આપે અને જીતવા પ્રયત્ન કરે એ વિષયને તેને રચેલે એક શ્લોક વાદીદેવસૂરી વિરચિત પ્રમાણનયતત્ત્વાલાકાલ કાર ની રત્નપ્રભકૃત રત્નાકરાવતારિકા ટીકામાં ઉદ્ધૃત છે, તે આ પ્રમાણે:—— विरुद्धं हेतुमुद्भाव्य वादिनं जयतीतरः । आभासान्तरमुद्भाव्य पक्षसिद्धिमपेक्षते ॥
રહ્યા. પૃ. ૧૮૪, પરિચ્છેદ ૮, મૂત્ર ૨૨.
વિદ્યાનંદ સ્વામીનું તે જીવનકા જ વાદવિવાદમાં બીજાને જીતવાનું અને સ્વધર્મની પ્રતિષ્ઠા કરવાનું હતું. તેઓએ અનેક સ્થળે પ્રતિવાદીઓને જીત્યાને ઉલ્લેખ શિલાલેખ સુધાંમાં છે. તેઓની ધરચનારોલી પણ એ જ વાતની પાષક છે. તેમના પાકેસરી નામમાં ખાસ એ જ ધ્વનિ છે. વિદ્યાનંદ સ્વામીએ એક પત્રપરીક્ષા નામના નાનકડા ગ્રંથ લખેલા છે. જેમાં પત્ર એટલે ન્યાયવાકય કેવું હોવું જોઈ એ તેની મીમાંસા છે. તે ગ્રંથમાં તેઓએ અક્ષપાદના પંચાવાવ વાકયને અને બૌદ્ધ સપ્રદાયના અવયવત્રયાત્મક વાકયને
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૨૧૨ ]
દર્શન અને ચિ’તન
બૌદ્ધ આચાયોની વાદકુશળતા અને તે વિષયની રસવૃત્તિ જેમ તેએના પોતાના સાહિત્યમાં જોઈ શકાય છે, તેમ પ્રતિવાદી ગણાતા જૈન અને વૈદિક સાહિત્યમાં પણ તે પ્રમાણપ તરીકે નોંધાયા છે. ચીની યાત્રી હ્યુએન્સગ પણ પોતાના શ્રદ્ધાસ્પદ ગુરુ બૌદ્ધ ભિક્ષુઓની અનેક વાદકથાઓને અને તેમાં મળેલા વિજયાને નોંધે છે.
વૈદિક વિદ્વાનેામાં વાત્સ્યાયન પછી શખસ્વામી, કુમારિલ ભટ્ટ અને ઉદ્યોતકર એ બધાના સાહિત્યમાં વાદથાનું જ ખળ અને ખંડનમંડનની તૈયારી જણાય છે. શ્રીમાન શકરાચાય ને વાદકથા દ્વારા થયેલા દિગ્વિજય ચક્રવર્તીના શસ્ત્ર દ્વારા થયેલ દિગ્વિજય જેટલે જાણીતા છે અને રસપૂર્વક ગવાય છે. ક્રૂ
આ સમયના જૈન, બૌદ્ધ અને વૈદિક એ બધા સોંપ્રદાયાના સાહિત્યની વર્ણનરૌલી પૂવ સમયના સાહિત્યની વર્ણનશૈલીથી બિલકુલ બદલાયેલી છે. આ વનશૈલીમાં વાદપદ્ધતિનું તત્ત્વ મુખ્ય છે. પૂર્વની પ્રશ્નોત્તરપદ્ધતિ નામશેષ છે, તર્કનું સામ્રાજ્ય છે અને શ્રદ્ધા ગૌણપદે છે. ઘણાખરા પ્રત્યેાનાં અને તદ્ગત વિષયાનાં પ્રકરણાનાં નામ સુદ્ધ વાદ શબ્દ સાથે જોડવામાં આવ્યાં છે. આ સમયને કાઈ પણ દાનિક ગ્રન્થ છે તે તેમાં મોટા અને રસ ભરેલો ભાગ તા પરમતના ખંડનથી જ રોકાયેલા હશે. આખા મધ્યવર્તી સમય સામ્રાજ્યના અને સ`પ્રદાયના વિસ્તાર માટેની વિજયવ્રુત્તિથી જ મુખ્યપણે અંકિત થયેલા ઇતિહાસના પૃષ્ડ ઉપર નોંધાયેલો છે.
ખાસ દૂષિત કરી જૈન સોંપ્રદાયને સમત પત્ર ( ન્યાયવાકય ) ની સર્વ શ્રેષ્ઠતા સિદ્ધ કરી છે અને બતાવ્યું છે કે ન્યાયવાકચમાં છે, ત્રણ, ચાર, પાંચ, છે એ અનુક્રમે દશ સુધી અવયવ, અધિકારી શ્રોતાની અપેક્ષાએ, યેાજી શકાય છે. ન્યાયવાકયમાં અમુક એક જ અવયવની સખ્યા માનથી તે એકાન્ત છે એમ બતાવી તેઓએ ન્યાયવાકચમાં અવયવની સખ્યા સુધ્ધામાં અનેકાન્તદૃષ્ટિ ગાવી છે.
તેઓએ પત્રપરીક્ષામાં કુમારનન્દી ભટ્ટારકનાં કેટલાંક પદ્યો ઉદ્ધૃત કર્યાં. છે અને તે બધાં ન્યાયવાકયની પરીક્ષાને લગતાં છે. તેથી કુમારનન્દી નામના કાઈ પ્રસિદ્ધ આયાય જેએ વિદ્યાન પહેલાં થયેલા તેઓએ પણ આ વિષયમાં ગ્રંથ લખ્યાનું સ્પષ્ટ સૂચન થાય છે.
૧૬. શ’કરદિગ્વિજય આદિ ગ્રંથ જોવાથી આ બાબત સ્પષ્ટ થશે.
Page #18
--------------------------------------------------------------------------
________________
કથાપદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું' દિગ્દર્શન
[ ૧૨૧૩
૧૬, છેલ્લા યુગઃ——વિજયવૃત્તિની પ્રધાનતાનું તવ મધ્યવર્તી અને ઉત્તરવી એ બંને સમયના વિદ્વાનેમાં સમાન હાવા છતાં તેનું સાહિત્ય અમુક લક્ષણોથી ખાસ જુદું પડે છે. મધ્યવર્તી સમયનું સાહિત્ય ખંડનમાઁડન પદ્ધતિથી ઊભરાય છે ખરું. પણ તેમાં પ્રતિવાદીનું ખંડન કરતાં ભાષામાં એટલી કટુકતા નથી આવી જેટલી ઉત્તરવતી સમયના સાહિત્યમાં આવી છે. તેમ જ તે મધ્યવર્તી સાહિત્યના લખાણમાં ભાષાના પ્રસાદ અને અનુ ગાંભીય હાય છે, જ્યારે ઉત્તરવતી સમયના સાહિત્યમાં શાબ્દિક ચમત્કાર વધતા ગયા છે. અને પરિણામે ઘણા ગ્રન્થમાં અહીન શાબ્દિક પાંડિત્યને લીધે શુષ્કતા આવી ગઈ છે.
ઉત્તરવી સમયના સાહિત્યમાં પણ મધ્યવતી સમયની પેઠે વાદપદ્ધતિ વિષે સૌથી પહેલાં જૈન સાહિત્ય જ ધ્યાન ખેંચે છે. તેનુ કારણ એ છે કે પ્રસ્તુત વિષયને લગતું બૌદ્ધ સાહિત્ય તો આ સમયમાં અહીં રચાયું જણાતું નથી. બ્રાહ્મણ સાહિત્ય પુષ્કળ રચાયું છે ખરું, પણ તે મોટે ભાગે અક્ષપાદ ગૌતમનાં કથાપદ્ધતિવિષયક સૂત્રેાની વ્યાખ્યા અને વ્રુત્તિરૂપે હાઈ નવી પરિસ્થિતિ ઉપર વિશેષ પ્રકાશ પાડતું નથી; જ્યારે જૈન સાહિત્યમાં વાદપદ્ધતિવિષયક કેટલીક ખાસ કૃતિ એવી છે કે જેનાથી એ વિષયમાં ઉત્પન્ન થયેલી પરિસ્થિતિ ઉપર થાડે! પણ નવીન પ્રકાશ પડે છે.
• આ સમયમાં મુખ્ય ચાર આચાર્યોએ વાદપદ્ધતિ વિષે લખ્યું છે : (૧) હરિભદ્રસૂરિ, * (ર) વાદી દેવસૂરિ, (૭) હેમચંદ્રસૂરિ અને (૪) વાચક યશે!વિજય. વાચક યશોવિજયની કૃતિએ...ત્રિશિકાએ-સ્વતંત્ર હાવા છતાં વસ્તુદૃષ્ટિએ તેને હરિભદ્રની કૃતિની સ્પષ્ટ અને વિસ્તૃત વ્યાખ્યા જ કહેવી જોઈ એ. તેથી નવીનતાની દૃષ્ટિએ અહીં પ્રથમના ત્રણ આચાર્યોની કૃતિને જ વિચાર કરવા પ્રાપ્ત થાય છે.
આચાર્ય હરિભદ્ વિક્રમની નવમી શતાબ્દીના વિદ્વાન હતા. તે પૂર્વાશ્રમમાં વૈદિક વિદ્નાન હતા. જોકે નિવૃત્તિપ્રધાન શ્રામણી દીક્ષા લેવાને લીધે તેઓની વૃત્તિ પ્રશમરાભિમુખ હતી, છતાં પૂર્વાશ્રમમાં વૈદિક વિદ્વાન તરીકેના વિદ્યાગાદીના વ્યાયામ અને વિજયવૃત્તિના આંદોલનવાળા સ્પર્ધાશીલ સંપ્રદાયેાના વાતાવરણને લીધે તેમાં વિયેચ્છા પણ ઉદ્ભવેલી. જોકે અનિવાય પ્રસંગ આવતાં તેએ વાદના અખાડામાં ઊતર્યા પણ છે અને સમયની દૃષ્ટિએ હરિભદ્રસૂરીને છેલ્લા યુગમાં મૂકયા છે. પણ પ્રાસાદિક શૈલી અને અર્થગાંભીયની દૃષ્ટિએ તેમને મધ્યયુગના ગણવા જોઈએ. સ
Page #19
--------------------------------------------------------------------------
________________
૧ર૧૪]
દર્શન અને ચિંતન રાજસભામાં વિજય મેળવ્યું છે, તેમ જ તેવા વિજયના ઉલ્લાસમાં ખંડનમંડનાત્મક પ્ર લખી તેમાં જૈન તત્ત્વજ્ઞાનના મૂળ સિદ્ધાન્ત સ્વાવાદની જયપતાકા પણ ફરકાવી છે, છતાં તેઓની સહજ પ્રવૃત્તિ અને સૂક્ષ્મ દૃષ્ટિએ તેઓને વસ્તુસ્થિતિનું ભાન પણ કરાવ્યું હોય તેમ પણ લાગે છે. તેઓને એ જાતિઅનુભવ થયેલે લાગે છે કે વાદોમાં વિજયેછામૂલક વા, જેને વિતષ્ઠા કે જલ્પ કહીએ છીએ તે, ઉભય પક્ષને હાનિકારક છે, અને વાદકથા કરવાનું જેટલું સામર્થ હોય અને તે કરવી જ હોય છે તે નિર્ણયની ઈચ્છાથી જ કરવી.
વાદપ્રિય વિદ્વાનોના પરિહાસધારા વાદકથાની હેયતાનું જે સુચન પિતાના પૂર્વજ અને શ્રદ્ધાપદ આચાર્યો વાદદાત્રિશિકામાં કર્યું હતું તે જ સૂચનને અત્યંત સ્પષ્ટ શબ્દોમાં એક નાની કૃતિનું રૂપ આપી આચાર્ય હરિભકે વાદપદ્ધતિ વિષે પિતાના વિચારે બતાવ્યા છે. આ આચાર્યે આઠ આઠ લેક પ્રમાણ અષ્ટક એવાં બત્રીસ અષ્ટકને એક ગ્રન્થ લખે છે, જેમાં અનેક પ્રકીર્ણ વિષયો ઉપર ગંભીર અને સમભાવયુક્ત વિચારે પ્રકટ કર્યા છે. એમાં ૧૨મું અષ્ટક વાદ વિષય ઉપર છે, જેની અંદર વાદના શષ્યવાદ, વિવાદ અને ધર્મવાદ એવા ત્રણ ભેદ પાડેલા છે. જોકે આ ત્રણ નામે નવાં છે પણ તે અક્ષપાદની કથા પદ્ધતિના વિતડા, જલ્પ અને વાદના અનુક્રમે સૂચક છે. આ અષ્ટકમાંના નામકરણ અને વર્ણનમાં વિશેષતા એ છે કે તે ઉપરથી વિદત્સમાજની પરિસ્થિતિનું ચિત્ર માનસ સામે આબેહૂબ ખડું થાય છે. ત્રણે વાદનું સ્વરૂપ, પરિણામ અને હેપાદેયતા અષ્ટકમાં આ પ્રમાણે છે : (૪) અત્યન્ત માની, ક્રૂર ચિતવાળા, ધમપી અને મૂઢ એવા પ્રતિવાદીની સાથે એક સાધુસ્વભાવવાળાને જે વાદ તે શુષ્કવાદ. (7) ભૌતિક લાભ અને ખ્યાતિની ઈચ્છા રાખનાર દરિદ્ર અને અનુદાર ચિત્તવાળા પ્રતિવાદીની સાથે જે છીજાતિપ્રધાન વાદ તે વિવાદ. (પરલોકમાં માનનાર, કદાગ્રહ વિનાના અને સ્વશાસ્ત્રમાં તને બરાબર જાણનાર એવા બુદ્ધિમાન પ્રતિવાદી સાથે જે વાદ તે ધર્મવાદ.
પરિણામ–(૪) શુષ્કવાદમાં વિજય અને પરાજય એ બંનેનું પરિણામ અનિષ્ટ જ છે. જે પ્રતિવાદી સમર્થ હોઈ તેનાથી વાદીને પરાજય મળે તે પરાજિતને નીચું જેવું પડે અને તેને લીધે તેના આખા સંપ્રદાયની લેકે નિંદા કરે. જે પ્રતિવાદી પિતે જ હારે તે તે અલબત્ત અભિમાની અને દુષ્ટ સ્વભાવવાળો હાઈ જીતનારને કોઈ ને કોઈ ભયંકર આફતમાં નાખવાને પ્રયત્ન કરે અગર તે પોતે જ પરાજયને લીધે થનાર નિંદાના ભયથી
Page #20
--------------------------------------------------------------------------
________________
કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૨૫ પ્રાણત્યાગ જેવું કાંઈક કરી બેસે. (૧) વિવાદમાં પણ વિજય અને પરાજય બંને હાનિકારક છે. કારણ કે વિવાદ રાજસભા જેવાં પ્રસિદ્ધ સ્થળોમાં લાભ કે ખ્યાતિને અર્થે થતું હોવાથી જે તેમાં પરાજય થાય તે પ્રતિષ્ઠા જાય છે અને વિજય તે સત્યવાદીને તેવા છળ અને અસત્યપ્રધાન વાદમાં સત્યને માર્ગે મળ કઠણ છે. કદાચ સત્ય માર્ગે વિજય મળ્યો તેયે તે વિજય ધાર્મિક વ્યક્તિને ન ગમે. કારણ, પિતાના વિજયમાં સામાનો પરાજય સમાયેલ છે અને સામાને પરાજય એટલે તેની પ્રતિષ્ઠા અથવા આજીવિકાને ઉચ્છેદ. આ રીતે પોતાના વિજયનું સામા ઉપર થતું અનિષ્ટ પરિણામ ધાર્મિક વાદીને તે અસહ્ય થઈ જ પડે છે. (૧) ધર્મવાદમાં વિજય અને પરાજય બંને લાભદાયક હોય છે. જે વિજય થાય તે સામે પ્રતિવાદી યોગ્ય હોવાને લીધે વિજેતાને ધર્મ સ્વીકારે છે અગર તેને ગુણગ્રાહી બને છે. અને જો પરાજય થાય તે પરાજિત વાદી કેમ હોવાને લીધે પિતાને શ્રમ સુધારી તત્ત્વજ્ઞાન મેળવે છે.
આ પ્રકારનું પરિણામ હેવાથી ધર્મવાદ જ ઉપાદેય છે અને બાકીના બે વાદો હેય છતાં કવચિત દેશકાલની દષ્ટિએ ઉપાદેય પણ છે. એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે હરિભદ્ર જે ત્રણે પ્રકારના વાદેનાં પરિણામેનું ચિત્ર - લેખ્યું છે તે ધર્મશીલ અને સત્યવાદી વિદ્વાનને અનુલક્ષી આલેખેલું છે.
તેઓ વિતડાને શુષ્કવાદ એવું નામ આપી મિથ્યા બકવાદની કટિમાં મૂકે છે. જલ્પને વિવાદ કહી તેમાં વૃથા કંઠશેષ સૂચવે છે અને વાદને ધર્મવાદ કહી તેની ઉપાદેયતા પ્રતિબોધે છે. સાથે જ આ બધે વિચાર તેઓએ તપસ્વી (ધર્મશીલ) વાદીને અનુલક્ષી કરેલ હોવાથી એમ સૂચવતા જણાય છે કે પહેલાંની લાંબા કાળથી ચાલતી અને જોશભેર વધતી વાદવિવાદની સચિએ વિદ્વાનોમાં ઠેષ અને કલહનાં બીજ રોપ્યાં હતાં અને તેને લીધે ધાર્મિક વિદ્વાનોને સાંપ્રદાયિક જીવન શાંત પણે વ્યતીત કરવું બહુ જ -ભારે થઈ પડયું હતું. વિદ્વાન થયો એટલે કેઈ પ્રતિવાદી સાથે વાદવિવાદમાં તે ન ઊતરે તે લેકે કાં તો તેને અશક્ત અને ભીરુ ગણતા અને કાં તે સાંપ્રદાયિક પ્રેમ વિનાનો ભાનતા. આથી અનુયાયી લોકેની વૃત્તિ દરેક સંપ્રદાયમાં દૃઢ થઈ ગઈ હતી ( અદ્યાપિ એમ જ છે). તેને બદલવા આચાર્ય હરિભદ્ર જેવા પ્રશમપ્રિય તપસ્વીએ ધર્મવાદને પ્રશંસી તેને મુખ્ય સ્થાન આપ્યું છે.
સ્પષ્ટભાષી અને વિવેકી તે આચાર્યો ધર્મવાદને કર્તવ્ય બતાવીને તેમાં કયા વિષયોની ચર્ચા કરવી અને કયાની ન કરવી એનું નિરૂપણ તે આ
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૨૧૬ ]
દર્શન અને ચિંતન
ધવાદ અષ્ટકમાં કરેલું છે. તે સંચમ અને ચારિત્રને જીવનની મુખ્ય વસ્તુ માનતા હોવાથી કહે છે કે ધર્મવાદમાં પણ પ્રમાણ વગેરે અનુપયોગી વિષયેા ઉપર વાદ ન કરવેશ. માત્ર સયમનાં તત્ત્વો ઉપર ધર્મવાદ કરવા,
હરિભદ્ર પછી દેવસૂરિનું નામ આવે છે. તે વાદીના વિશેષણથી પ્રસિદ્ધ છે. તેઓએ પણ રાજસભામાં શાસ્ત્રાર્થ કર્યો છે અને જયલાભ કર્યો છે. સિદ્ધરાજની સભામાં લઘુવયરક હેમચંદ્રાચાય ને મદદમાં રાખી તેઓએ કુમુદચંદ્ર નામના દિગમ્બરાચાય સાથે વાદ કર્યાંનું અને તેમાં વિજય મેળવ્યાનું વન શ્વેતામ્બર સાહિત્યમાં છે. આ વિજયલાલ પછી તેઓએ એક મહાન ગ્રંથ લખ્યો છે. પરમાણુમાં તેની ખરાખરી કરનાર સંસ્કૃત દનસાહિત્યમાં બીજો કાઈ અથ રચાયા હોય તેવું મારી જાણમાં નથી. વાદી દેવસૂરિના એ, સ્યાદ્વાદરત્નાકર નામની વ્યાખ્યા સહિત પ્રમાણનયતત્ત્વાલે કલકાર નામને ગ્રન્થ આર્ટ પરિચ્છેદ્યમાં વહેંચાયેલો છે. તેમાં આઠમે! પરિચ્છેદ વળ વાદને લગતો છે અને તેમાં વાદને લગતા વિષયેાનું અત્યન્ત સ્પષ્ટ અને મનારજક વન છે. તે વાદકથાને ઈતિહાસ જાણવા ઇચ્છનારનું ખાસ ધ્યાન ખેંચે તેવા છે. તેમાં વાદી, પ્રતિવાદી, સન્મ્યા અને સભાપતિ એ ચાર અગાનું સાંગાપાંગ વર્ણન છે. વાદી અને પ્રતિવાદીના ભેદ-પ્રભેદ કરી તેમાં સાળ પ્રકાર બતાવવામાં આવ્યા છે. અને તેમાં કઈ કઈ જાતના વાદીને કઈ કઈ જાતના પ્રતિવાદી સાથે વાદ સભવી શકે અને કઈ જાતના સાથે ન જ સંભવી શકે એ બતાવવામાં આવ્યું છે. તેમાં બતાવેલા વાદી અને પ્રતિવાદીના કુલ સોળ પ્રકારામાં ફક્ત ખાર પ્રકારોમાં જ અરસપરસ વાદકથા સંભવી શકે તેમ જણાવ્યું છે. વાદી અને પ્રતિવાદી એ ખતે વાદકથાના પ્રાણ હાઈ તેઓનુ શું શું કર્તવ્ય છે તે જણાવ્યું છે. સાથે જ સભ્યો વિના વાદકથા ન ચાલતી હોવાથી તેઓ કેવા પ્રકારની ચેગ્યતાવાળા હોવા જોઈ એ અને તેઓનું સભ્ય તરીકે શું કર્તવ્ય છે તે બતાવ્યું છે. કાઈ પણ વાદકથા સભામાં જ ચાલે અને સભા તે નાયક વિના ન જ હેાય તેથી તેમાં શક્તિવાળા સભાપતિ હોવા જોઈએ અને તેનુ સભાપતિ તરીકે શું કર્તવ્ય છે એ પણ તેઓએ વર્ણવ્યું છે. આ રીતે વાદકથાનાં ચાર અંગો, તેઓનુ સ્વરૂપ અને કવ્યું એ બધુ ખુલાસાવાર અતાવ્યા બાદ છેવટે વાદકથાની નર્યાદા પણ બતાવવામાં આવી છે. વાદ્ય વિજય અને નિર્ણય બંનેની ઇચ્છાથી થાય છે અને એ બધાની કાલમર્યાદા સમાન ન જ હાઇ શકે તેટલા માટે વિવેકપૂર્વક દરેક જાતના વાદની જુદી જુદી કાલમર્યાદા નોંધી છે. આ રીતે જેમ આજકાલ સામાજિક અને રાજકીય વિષયાની નિયમબદ્ધ ચર્ચા થવા.
Page #22
--------------------------------------------------------------------------
________________
કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૨૧ માટે સભાના નિયમ-ઉપનિયમનું વર્ણન કરનારા પશ્ચિમીય પુસ્તક હોય છે તેમ ધાર્મિક પ્રદેશમાંથી સર્ભરૂપમાં જન્મ પામેલી ચર્ચાપદ્ધતિને વિકાસ થતાં થતાં તેનું વિકસિત રૂપ ભારતવર્ષમાં ક્યાં સુધી પહોંચ્યું હતું તેને કાંઈક ખાલ વાદી દેવસૂરિના ચતુરંગ વાદના વિસ્તૃત વર્ણનથી આવી શકે છે. વધારે વિગત માટે જુઓ પરિશિષ્ટ ૫, વિભાગ 1. . વાદી દેવસૂરિ પછી આચાર્ય હેમચંદ્ર આવે છે. આ આચાર્ય સાહિત્યની તત્કાલીન બધી શાખાઓમાં નિર્ભયપણે સંચાર કરનારા હતા. તેથી જ તેઓએ એકલે હાથે ભારતીય સરસ્વતી મંદિરની અનેક શાખાઓને પિતાની કૃતિઓથી અજબ રીતે દીપાવી છે. તેઓની કૃતિઓ ન હોય તે ગૂજરાતનું સંસ્કૃતવાલ્મય પિતાનું વિશિષ્ટ તેજસ્વીપણું ન જ બતાવી શકે અને જેના ભંડાર તે એક રીતે સૂના જ દેખાય. રાજગુરુ, ધમપ્રસારક અને સાહિત્યપિષક એ બહુશ્રુત લેખકને એક ન્યાયવિષયક ગ્રંથ પણ ઉપલબ્ધ છે, જેનું નામ પ્રમાણમાંમાંસા છે.
અક્ષપાદ ગૌતમની પંચાધ્યાયી( ન્યાયસત્ર )નાં જે બે અનુકરણ જોવામાં આવ્યાં છે તેમાંની એક દિગંબરાચાર્ય અમૃતચંદ્રની અને બીજી શ્વેતાંબરાચાર્ય હેમચંદ્રની પંચાધ્યાયી છે. આ બંને પંચાધ્યાયીઓ પૂર્ણ ઉપલબ્ધ નથી. અમૃતચંદ્રની પંચાધ્યાયી પદ્યમય છે અને તેમાં માત્ર સાંપ્રદાયિક તત્વે છે, જ્યારે હેમચંદ્રની પંચાધ્યાયીમાં સૂત્ર અને વ્યાખ્યાને ક્રમે છે અને તેમાં પ્રમાણ, પ્રમેય આદિ દાર્શનિક તવે છે. તેથી તેનું નામ પ્રમાણમીમાંસા રાખેલું છે. આ પ્રમાણમીમાંસાને દેઢ અધ્યાય એટલે ત્રણ આહ્નિક પણ પૂરાં ઉપલબ્ધ નથી. છતાં સદ્ભાગ્ય એટલું કે ધર્મોની ક્રૂરતા અને અજ્ઞાનના સર્વનાશક પંજામાંથી જેટલે ભાગ બચી ગયેલ રહ્યો છે તેમાં પ્રસ્તુત વિષય વાદને લગતું કેટલુંક વર્ણન સચવાઈ રહ્યું છે. હેમચંદ્રનું એ વર્ણન માત્ર ગ્રંથપાઠનું પરિણામ નથી, પણ તેની પાછળ જાગરુક અનુભવ અને વહેતી પ્રતિભા છે. વિક્રમ સંવત ૧૧૮૧ માં અણહિલપુર પાટણ મુકામે થયેલા કુમુદચંદ્ર સાથેના દેવસૂરિના પ્રસિદ્ધ વાદ વખતે તરુણ હેમચંદ્ર હાજર હતા, એ ઉપર જણાવ્યું છે. ત્યાર બાદ રાજસભા અને ચર્ચાના અખાડામાં તે વિદ્વાને પચાસથી વધારે વર્ષ સફળતાપૂર્વક કુસ્તી કરેલી. એનું અને તેઓના અદ્ભુત, શાસ્ત્રવ્યાસંગનું ભાન આ બચેલા પ્રમાણમીમાંસના ટુકડાનાં વા વાક્યમાં થાય છે. પ્રમાણુમીમાંસા લખતી વખતે હેમચંદ્રના મગજમાં દાર્શનિક વેદિક ગ્રંથો અને બૌદ્ધગ્રંથો અને પૂર્વવતી જૈન ગ્રંથે રમી રહ્યા હોય તેમ લાગે છે. જેમ બીજી કૃતિઓમાં તેમ પ્રમાણુમીમાંસામાં પણ હેમચંદે સ્વતંત્ર વ્યક્તિત્વ દાખવ્યું છે.
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૨૧૮ ]
દર્શન અને ચિંતન હેમચંદ્ર જેમ પૂર્વવત અંલકારશાસ્ત્રીઓએ માનેલા અંલકારેનું કાવ્યાનુશાસનમાં ટૂંકું વગીકરણ કરે છે તેમ તે અક્ષપાદ અને ચરકે વર્ણવેલી કથાઓની સામે પ્રમાણમીમાંસામાં વાંધો લઈ માત્ર એક વાદકથાને જ સ્વીકારે છે, અને અસદુત્તર એટલે જાતિના પ્રોગવાળા જલ્પને જુદું સ્થાન આપતા નથી. પરાજય અધિકરણની સમીક્ષા કરતાં હેમચંદ્ર અક્ષપાદ અને તેના
અનુગામી વાત્સ્યાયન તથા ઉદ્યોતકરે સ્વીકારેલા નિગ્રહસ્થાનના સામાન્ય અને વિશેષ સ્વરૂપને અધૂરું બતાવ્યું છે, તેમ જ ધર્મકીર્તિ આદિ બૌદ્ધ વિદ્વાનોએ માન્ય કરેલ નિગ્રહસ્થાનના સ્વરૂપને પણ તેમણે એકદેશીય સાબિત કર્યું છે;
અને અકલંક તથા વિદ્યાનંદી આદિ જૈનાચાર્યોએ વર્ણવેલ નિગ્રહસ્થાનના "સ્વરૂપને તેમણે માન્ય રાખેલું છે. વિદ્યાનંદીની પત્ર પરીક્ષાનું સ્મરણ કરાવે તેવું પત્ર પરીક્ષણ હેમચંદ્ર આરંળ્યું છે પણ એ આરંભમાત્રમાં જ ગ્રંથ ખંડિત થઈ જાય છે. વધુ વિગત માટે જુઓ પરિશિષ્ટ પ, વિભાગ ૨.
ઉતરવર્તી બ્રાહ્મણ સાહિત્યમાં પણ એક એ પ્રખ્ય છે કે જે સ્વતંત્ર કૃતિ નથી કિન્તુ પ્રાચીન ગ્રન્થની વ્યાખ્યા છે. છતાં તેમાં ભારતીય વિદ્વાનોની કથા પદ્ધતિના નિયમ-ઉપનિયમનું અને દરેક અંગેનું પ્રગતિ પામેલું વર્ણન છે. આ ગ્રન્થ તે બંગાલી વિદ્વાન વિશ્વનાથ તર્ક પંચાનનની અક્ષપાદ ગૌતમના સૂ ઉપરની વૃતિ. એ વૃત્તિમાં પણ સભાપતિ કે હું જોઈએ, તેનું કર્તવ્ય શું, સભ્યો કે, અને શા કામ માટે હોવા જોઈએ, દરેક કથા કરે કમે ચાલવી જોઈએ એ બધું વર્ણન વાદી દેવસૂરિના વર્ણન જેવું વિગતવાર છે. ૧૭વિગત માટે જુઓ પરિશિષ્ટ ૬. આ રીતે કથા પદ્ધતિના સ્વરૂપને અને તેના સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ અક્ષપાદનાં મૂળ સૂાથી શરૂ થઈ તેની જ વૃત્તિમાં વિરમે છે.
પરિશિષ્ટ ૧
ન્યાયના સેળ પદાર્થો લ, જાતિ અને નિગ્રહસ્થાની સ્પષ્ટ માહિતી સાથે " ૧ પ્રમાણ યથાર્થ જ્ઞાનનું સાધનઃ તે ચાર છે–પ્રત્યક્ષ, અનુમાન, ઉપ
માન અને શબ્દ ૨ પ્રમેય યથાર્થ જ્ઞાનને વિષય બની શકે છે. તે બાર છે. આત્મા,
૧૭ જુઓ ન્યા. સૂ. અ. ૧, આ. ૨, ૧-૨. વિશ્વનાથની તિ
Page #24
--------------------------------------------------------------------------
________________
થાપદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન
3
[ ૧૧૯
શરીર, ઈન્દ્રિય, અથ, બુદ્ધિ, મન, પ્રવૃત્તિ, મૈત્યભાવ, દેવ, કુલ, દુઃખ અને અપવ.
૭
સ`શય :--એક જ વસ્તુઓમાં પરસ્પર વિરોધી એવા એ અરસાને સ્પર્શ કરતું જ્ઞાન.
પ્રયોજન :-જે ( હેય અગર ઉપાદેય) વસ્તુના ઉદ્દેશથી પ્રતિ થાય છે તે વસ્તુ પ્રયાજન.
૫ દૃષ્ટાંત :-> વિષે શાસ્ત્રજ્ઞ અને વ્યવહારનના મતભેદ ન હોય તે દૃષ્ટાન્ત.
સિદ્ધાંત:–અમુક વસ્તુ અમુક રૂપે છે એ રીતે જે સ્વીકારાય છે તે સિદ્ધાંત. તે ચાર છે, સર્વતન્ત્ર, પ્રતિતન્ત્ર, અધિકરણ અને અશ્રુપમ.
અવયવ ઃ–અનુમાનવાકથના અવયવો. તે પાંચ છે : પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન.
- તર્ક :- જ્યારે કાઈ વસ્તુનું સ્વરૂપ નાત ન હોય ત્યારે તેનું સ્વરૂપ જાણવા માટે એક વસ્તુનું આપાદન કરી તેના ઉપરથી બીજી અનિષ્ટ વસ્તુનું આપાદન કરવું તે ત
૯ નિર્ણય સ ંદેહ થયા પછી પક્ષ અને પ્રતિપક્ષ દ્વારા એમાંથી એક અ થતું નિર્ધારણ તે નિર્ણય.
વાદ, ૧૧ જપ, ૧૨ વિતા ઃ—જ્જુએ પૃ. ૨૯૧.
૧૩ હૈવાભાસ :–જે સાચા હેતુ ન હેાવા છતાં હેતુ જેવે જણાય તે હેત્વાભાસ. તે પાંચ છે : સભ્યભિચાર, વિરુદ્ધ, પ્રકરણસમ, સાધ્યસમ, અને કાલાતીત.
૧૪ છલ :-વક્તાનાં વિક્ષિત અંથી જુદા અર્થની કલ્પના કરી તેના વાકયને દૂષિત કરવું તે લ. તે ત્રણ જાતના છે; વાલ, સામાન્યલ, ઉપચારલ.
વાલ જેમ કે “ દેવદત્ત નવકમ્મલ વાળા છે” એવું કંઈતુ વાકષ સાંભળી છલવાદી વક્તાના વિક્ષિત અર્થ (નવીન કમ્ભલવાળા) ની ઉપેક્ષા કરી એમ સામું કહે કે “ દેવદત્તની પાસે એક જ કમ્મલ છે –નવ કયાં છે?” આ વાલ. આમાં ખેલનારે “ નવકમ્મલવાળા " એ સામાન્ય પ્રયાગ કરેલા છે જેમાં બે અર્થી ( નવીન અને નવ ) * ચરકમાં ‘નવકમ્બલ ’તે બદલે નવતન્ત્ર એવું વાલતુ ઉદાહરણ છે.
Page #25
--------------------------------------------------------------------------
________________
૧ર૦ ]
દર્શન અને ચિંતન નીકળે છે. તેમાંથી વક્તાના અભિપ્રાયથી અન્ય અર્થની કલ્પના કરેલી છે. સામાન્ય ક્લ - “આ બ્રાહ્મણ વિદ્યા અને આચરણથી સંપન્ન છે” એમ કહેતાં લવાદી કહે “બ્રાહ્મણમાં વિદ્યાચરણ સંભવે છે, ત્યારે વાય (વિદ્યાચરણહીન ભાવ જન્મથી બ્રાહ્મણ) પણ વિદ્યાચરણસંપન્ન હવે જોઈએ, કારણ કે તે બ્રાહ્મણ છે. અહીં બ્રાહ્મણત્વનું વિદ્યા અને આચરણ સાથે સાહચર્ય માત્ર વિવક્ષિત હતું એને લવાદીએ વધારે ખેંચી વિદ્યાચરણની સાથે તેની વ્યાપ્તિ કલ્પી તેને દૂષિત કરેલ છે. ઉપચારછલ-જેમ કે “માચાએ બૂમ પાડે છે” એમ કહેતાં છલવાદી કહે કે “માંચા ઉપર બેસનારા બૂમો પાડે છે. માંચાઓ કયાં બૂમ પાડે છે?” એમ કહી વક્તાને ઉતારી પાડે તે ઉપચારછલ. આમાં લક્ષણથી થયેલા પ્રગમાં વાર્થ કપ દોષ આપે છે માટે ઉપચારછલ. જાતિ -સાધર્મો અને વૈધર્મો દ્વારા (સાદસ્થ અને પૈસદસ્ય દ્વારા) અનિષ્ટ પ્રસંગ આપ તે જાતિ. તે વીસ પ્રકારની છે. સાધર્મસમ, વૈધર્મેસમ, ઉત્કર્ષસમ, અપકર્ષસમ, વણ્યસમ, વિકલ્પસમ, સાધ્યમ, પ્રાપ્તિસમ, અધ્યાસિસમ, પ્રસંગમ, પ્રતિદષ્ટાસમ, અનુત્પત્તિ સમ, સંશયસમ, પ્રકરણસમ, હેતુસમ, અર્થાપતિસમ, અવિશેષસમ, ઉપ
પત્તિસમ, ઉપલબ્ધિસમ, અનુપલબ્ધિસમ, નિત્યસમ, અનિત્યસમ, કાર્યસમ. (૧) કેઈ વાદી ઘટને દૃષ્ટાંત કરી કૃતકત્વ હેતુથી શબ્દને અનિત્ય સિદ્ધ
કરે ત્યારે એમ દૂષણ આપવું કે જે અનિત્ય ઘટના કૃતકવિ સાધ ( સમાનધર્મ) થી શબ્દને અનિત્ય સિદ્ધ કરવામાં આવે તે નિત્ય આકાશના અમૂર્તવ સાધમ્યથી શબ્દ નિત્ય પણ કેમ ન સિદ્ધ થાય?
આ રીતે સાધચ્ચે દારા દૂષણ આપવું તે સાધમ્મસમ. (૨) કોઈ વાદી કૃતકત્વ હેતુથી શબ્દને અનિત્ય સિદ્ધ કરતાં આકાશને વિધર્મદષ્ટાંત તરીકે મૂકી કહે કે જે અનિત્ય ન હોય તે કૃતક પણ ન હોય; જેમ કે આકાશ. ત્યારે વૈધમ્મકારા દૂષણ આપવું કે જે નિત્યઆકાશના કૃતકત્વ ધમ્મથી અનિયત્વ સિદ્ધ થાય તે અનિત્યઘટના અમૂર્તત્વ ધર્મોથી શબ્દ નિત્ય પણ સિદ્ધ થાય એ દૂષણ વૈધર્મસમ.
Page #26
--------------------------------------------------------------------------
________________
સ્થાપકૃતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન
F ૧૨૨૧
(૩) કાઈ વાદી ઘટને દૃષ્ટાંત કરી તેના કૃતકત્વ સાધથી શબ્દને અનિત્ય સિદ્ધ કરતા હાય ત્યારે કહેવુ કે જો કૃતકત્વ સાધથી ટની જેમ શબ્દ અનિત્ય સિદ્ધ થતા હેાય તે બટની પેઠે જ તે મૂર્ત પણ સિદ્ થાય અને જો શબ્દને મૂર્ત ન માને તે અનિત્ય પણ ન માને. આ રીતે ઉત્કર્ષ દ્વારા દૂષ્ણ આપવું તે ઉત્કર્ષ સમ.
(૪) પૂર્વોક્ત જ પ્રયોગમાં કહેવુ` કે જે કૃતકત સાધી ધટની જેમ રાખ્તને અનિત્ય સિદ્ધ કરી તો તે જ સામ્યથી શબ્દ પટની મ અશ્રાવણ ( શ્રવણે દ્રિયથી અગ્રાહ્યું પણ સિદ્ધ થાય. અને જો શબ્દને અશ્રાવણ ન માને તે! પછી દૃષ્ટાંતથી તેને અનિત્ય પણ ન મા; આ રીતે અપકારા દૂષણ આપવુ તે અપકસમ.
·
(૫–૬) વણ્ય એટલે વર્ષાંત કરવા યોગ્ય સાધ્ય ધર્મ અને અવણ્ય એટલે વર્ણન કરવાને અયોગ્ય દૃષ્ટાંતધમ, આ ખતે વણ્યું અને અવશ્ય એવા સાધ્ય તથા દાંતધર્મોના વિપર્યોસ ફરવાથી જે દૂષણ પ્રાપ્ત થાય છે તે સમ અને અવણ્યસમ જાતિ. આ બંનેનુ ઉદાહરણ : જેમકે કાઈ ઘટદષ્ટાંતથી કૃતકત્વ હેતુારા શબ્દને અનિત્ય સિદ્ધ કરતા હાય ત્યારે કહેવુ કે શબ્દમાં જેવું કૃતકત છે તેવુ કૃતકત ઘટમાં નથી. અને વટમાં જેવુ છે તેવુ શબ્દમાં નથી. પક્ષ અને દૃષ્ટાં તના ધર્માં તે સમાન ક્લેઈએ. અહીં તે શબ્દ કરતાં ઘટનું કૃતકત જીદુ' છે. કારણ કે વટ કુંભકાર વગેરે કારણોથી અને છે. અને શુદ્ કું, તાળુ આદિના વ્યાપારથી બને છે. આ રીતે દૂષણ આપતાં વણ્ય - સમ અને અવણ્યસમ અને જાતિ સાથે આવી જાય છે.
(૫) કાઈ રૂ વગેરે કૃતક વસ્તુ મૃદુ હોય છે તે કાઈ પથ્થર વગેરે કૃતક વસ્તુ કર્ટિન હેાય છે. આ રીતે જો કૃતક વસ્તુ એ પ્રકારની મળે. છે તો પછી કાઈ ઘટાદિ કૃતક વસ્તુ અનિત્ય અને શબ્દાદિ કૃતક વસ્તુ નિત્ય એમ પણ હોય. આ રીતે વિકલ્પ દ્વારા દૂષણ આપવું તે વિકલ્પસમ.
(૮) જેવા ઘટ તેવા શબ્દ છે એમ કહેતા હૈા તે જેવા શબ્દ તેવા કંટ એમ પણ પ્રાપ્ત થાય. અને તેમ થાય તો શબ્દ સાધ્યું હોઈ ઘટ પણ સાધ્ય જ ગણાય. હવે સાધ્ધનું દૃષ્ટાંત સાધ્ય હોઈ શકે નહિ. દૃષ્ટાંત તે સિદ્ધ જ હાવુ જોઈ એ. જો દૃષ્ટાંતને સિદ્ધ માતા તે શબ્દ અને ઘટ વચ્ચે અસમાનતા આવવાથી તે બિલકુલ જ દૃષ્ટાંત ન થઇ શકે.
Page #27
--------------------------------------------------------------------------
________________
દર્શન અને ચિંતા
આ રીતે દૃષ્ટાંતમાં સાધ્યના ( પક્ષના } સામ્યનું આપાદન કરવું તે
સાધ્યુંસમ.
( ૯ )–( ૧૦ ) કૃતકત્વ હેતુ પોતાના સાધ્યું અનિત્યત્વને પ્રાપ્ત થઈને સિદ્ધ કરે છે કે અપ્રાપ્ત થઈ ને? જે પ્રાપ્ત થઈ તે સિદ્ધ કરે છે એમ કહી તો બંને વિદ્યમાનની જ પ્રાપ્તિ ઘટતી હોવાથી કાણુ સાધન અને કા સાધ્યું એ નક્કી કાંડું કરી શકાય. જો અપ્રાપ્ત થઇને સાધ્ય સિદ્ધ કરે છે એમ કહે! તે અપ્રાપ્તતુ કદી જ સાધક ન હોઇ શકે. રીતે પ્રાપ્તિ અને અપ્રાપ્તિને વિકલ્પ કી દૂષણ આપવાં
આ
૧૨૨૨
તે અનુક્રમે પ્રાપ્તિસન અને અપ્રાપ્તિસમ, (૧૧) અતિયત્વ સિદ્ધ કરવા માટે કૃતકત્વને હેતુ કરવામાં આવે તો કૃતકત્વને સિદ્ધ કરવામાં હેતુ કયે અને વળી તે કૃતકવસાધક હેતુને સિદ્ધ કરનાર બીજો હેતુ કર્યો! ? એ રીતે અનવસ્થાપ્રસંગનું આપાદન કરવું તે પ્રસંગસમ.
( ૧૨ ) જો પ્રયત્ન પછી જ ઉપલબ્ધ ( પ્રયત્નાનન્તરીયક) હોવાને લીધે ઘટની જેમ શબ્દ અનિત્ય હોય તે કૂખનન આદિ પ્રસંગે પ્રયત્ન પછીજ ઉપલબ્ધ એવા આકાશની જેમ તે શબ્દ નિત્ય ક્રમ ના સિદ્ધ થાય? આ રીતે પ્રતિદાન્તથી (વિરોધી દૃષ્ટાંતથી)દૂષણ આપવું તે પ્રતિદૃષ્ટાન્તસમ. (૧૩) કૃતકત્વ હેતુથી શબ્દને અનિત્ય સિદ્ઘ કરા છે પણ તે હેતુ શબ્દ ઉત્પન્ન થયા પહેલાં કયાં રહે? અને તે હેતુને રહેવાને આશ્રય ન હાય તે હેતુના ( મૃતકના અભાવને લીધે સાધ્યુ જ સિદ્ધુ ન થઈ શકે. એ રીતે અનુત્પત્તિ દ્વારા દૂષણ આપવું તે અનુત્પત્તિસમ (૧૪) ઘટના સાધ કૃતકૃત્યથી શબ્દને અનિત્ય માનવા કે ઘટના વૈધ પણ આકાશના સાધભ્ય અમૃતલથી શબ્દને નિત્ય માનવા ? આ રીતે સંશયનું આપાદન કરવું તે સંશયસમ
(૧૫) જો કૃતકત હેતુથી ધટની જેમ શબ્દને અનિત્ય સિદ્દ કરો તો શ્રાવણત્વ હેતુથી મુખ્યત્વની પેઠે શબ્દને નિત્ય શા માટે સિદ્ધુ ન કરાય? આ રીતે સામે બીજા પક્ષનું ઉત્થાપન કરી દૂષણ આપવું તે પ્રકરણસમ
(૧૬) હેતુ એ સાધ્યને પૂર્વકાલીન છે, ઉત્તરકાલીન છે કે સમકાલીન ? જો પૂ`કાલીન હાય તો હેતુ વખતે સાધ્ય ન હોવાથી તે કાનું સાધન થશે? જો હેતુ સાધ્યને! ઉત્તરવતી હોય તો સાધ્યું પ્રથમથી જ સિદ્ધ છે એમ માનવું પડે અને જો તેમ માનો તે સાધ્ય સિદ્ધ હોવાથી તેના સાધન માટે હેતુ નામે છે. જે સાધ્ય અને હેતુ અને સમકાલીન હોય તે
Page #28
--------------------------------------------------------------------------
________________
સ્થાપકૃતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન
[ ૧૨૨૩
ડાબા અને જમણા અને સમકાલીન શીંગડાની પેઠે કાઈ કાઈનુ સાધ્ય ન હોઈ શકે. સમકાલીન તે। અને સમાન જ હોવા જોઈ એ. તેમાં એક સાધક અને બીજું સાધ્ય એવી કલ્પના જ અટિત છે. આ રીતે ત્રણે કાળની અનુપપત્તિ ધારી હેતુને દૂષિત કરવે તે હેતુસમ. (૧૭) જો ધટ આદિ અનિત્ય વસ્તુના કૃતકત્વરૂપ સમાનધમ થી શબ્દને અનિય સિદ્ધ કરવામાં આવે તે અર્થાત્તથી એમ પ્રાપ્ત થાય છે. હું નિય વસ્તુના સાધથી શબ્દ નિત્ય પણ સિદ્ધ થઈ શકે. આકાશ આદિ નિત્ય વસ્તુનું અમૃત વરૂપ સાધૂમ્ય શબ્દમાં છે જ એટલે શબ્દ નિત્ય કાં સિદ્ધ ન થાય ? એ રીતે અર્થોપત્તિદ્વારા દૂષણુ આપવું તે અર્થોપત્તિસમ, (૧૮ ) જો કૃતકત્વ એ ધમ શબ્દ અને ઘટના સમાન (એક) માનવામાં આવે તો તે ધર્મદ્રારા શબ્દ અને ઘટ એ તેની જેમ અવિશેષતા પ્રાપ્ત થાય છે તેમ કાઈ પણ સમાનધમ દ્વારા સમગ્ર પદાર્થોમાં અવિ શેષતા પ્રાપ્ત થાય. આ રીતે અવિશેષતાનું આપાદન કરી દૂષણ આપવુ તે અવિશેષસમ.
(૧૯) જો કૃતવને લીધે શબ્દને અનિત્ય માનવામાં આવે તો અમૂર્તત્વને લીધે નિત્ય શા માટે ન માનવામાં આવે? આ રીતે અને ધમની ઉત્પત્તિ હાવાથી છેવટે શબ્દ અમુક જ પ્રકારો છે એવા નિશ્ચય હિ થઈ શકે એમ દૂષણ આપવું' તે ઉપત્તિસમ, (૨૦) કાઈ એમ કહે કે શબ્દ અનિત્ય છે, કારણ કે તે પ્રયત્નાનન્તરીયક ( એટલે પ્રયત્નની પછી જ થનાર ) છે તે તેને એમ કહેવું કે સાધન તા તેને જ કહી શકાય કે જેના વિના સાધ્ય ઉપલબ્ધ ન થાય. પરંતુ વિદ્યુત વગેરે વસ્તુ અનિત્ય છતાં પ્રયત્ન વિના જ ઉપલબ્ધ થાય છે; અગર સહજ રીતે ભાગતાં લાકડાં વગેરેના શબ્દ પણ અનિત્ય છતાં પ્રયત્ન વિના જ ઉત્પન્ન થતા દેખાય છે. એટલે પ્રયત્નાનન્તરીયકપણું એ અનિત્યનું સાધન કેવી રીતે થઈ શકે? આ પ્રમાણે ઉપધ્ધિ દ્વારા દૂધણુ આપવું તે ઉપબ્ધિસમ.
(૨૧) પૂર્વોક્ત જ પ્રયાગમાં એમ કહેવું કે રાખ્ય પ્રયત્નાનન્તરીયક હોવા છતાં અનિલ (જન્ય ) તે। નથી જ. કારણ કે તે શબ્દ ઉચ્ચારણવિષયક પ્રયત્નના પહેલાં પણ છે જ. માત્ર આવરણ હોવાથી ઉચ્ચારણ પહેલાં તેની ઉપલબ્ધિ થતી નથી. એટલે પ્રયત્નથી માત્ર આવરણના જ ભગ ચાય છે, તેનાથી કઈ શબ્દ ઉત્પન્ન થતે નથી. શબ્દ તે પ્રથમથી જ છે. આ રીતે અનુપલબ્ધિ દ્વારા દૂષણ આપવું તે અનુપલબ્ધિસમ.
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૨૨૪ ]
દર્શન અને ચિંતન (૨૨) શબ્દમાં અનિત્ય સિદ્ધ કરનારને કહેવું કે અનિયતા પિત અનિત્ય
છે કે નિત્ય છે? જે અનિત્ય હોય તે અનિત્યતા પિતે જ નષ્ટ થવાની એટલે અનિત્યતાને નાચ એ જ નિત્યતા. આ રીતે શબ્દની અનિત્યતાને નાશ થવાથી શબ્દ નિત્ય થયું અને જે અનિત્યતા પિતે નિત્ય હેય તો તે નિત્ય અનિત્યતાને રહેવા માટે તેને આશ્રયભૂત શબ્દ પણ નિત્ય હૈ જ જોઈએ. જ્યાં સુધી આશ્રય નિત્ય માનવામાં ન આવે ત્યાં સુધી તેના ધર્મને નિત્ય માનવાને કંઈ જ અર્થ જ નથી, એટલે અનિત્યતાને નિત્ય માનવા જતાં પણ શબ્દ નિત્ય જ સિદ્ધ થયો. એ પ્રમાણે સાધ્યને નિત્ય અને અનિત્ય માનવાને વિકલ્પ કરી બંને રીતે
નિત્ય જ સિદ્ધ કરવું તે નિત્યસમ, (૨૩) જે અનિત્યત્વ ધર્મ દ્વારા ઘટ અને શબ્દ વચ્ચે સાધમે હેવાથી
શબ્દને અનિત્ય માનવામાં આવે તે દરેક પદાર્થનું ઘટ સાથે કાંઈક તે સાધર્મો છે જ. એટલે દરેક પદાર્થ ધટની જેમ અનિત્ય સિદ્ધ કાં ન થાય? અને જો તેમ ન થાય તો પછી શબ્દને પણ અનિત્ય કાં માનવામાં આવે? આ રીતે અનિત્ય દ્વારા દૂષણ આપવું તે
અનિત્યસમ. (૨૪) પ્રયત્નાનન્તરીયક (પ્રયત્ન પછી થત) હેવાથી શબ્દને અનિય સિદ્ધ
કરનાર પ્રત્યે કહેવું કે પ્રયત્નનાં કાર્ય અનેક પ્રકારનાં છે. કેઈ અસત (અવિદ્યામાની વસ્તુ જ પ્રયત્નથી થાય છે જેમ કે ઘટ વગેરે. જ્યારે કેટલીક વસ્તુઓ સત ( વિદ્યમાન) છતાં પ્રયત્નથી માત્ર વ્યક્ત થાય છે. આ રીતે પ્રયત્નનું કાર્ય ઉત્પતિ અને વ્યક્તિએ બે પ્રકારનું દેખાય છે. તો પછી અહીં શબ્દને પ્રયત્નજન્ય માને કે પ્રયત્નબૅગ માને ? આ રીતે કાર્યનું નાનાવ બતાવી દૂષણ આપવું તે કાર્યસમ. નિગ્રહસ્થાન –નિગ્રહ (પરાજય) ની પ્રાપ્તિનું સ્થાન (પ્રસંગ) તે નિગ્રહસ્થાન. નિગ્રહસ્થાનના મુખ્ય બે પ્રકાર છે: (૧) વિપ્રતિપત્તિ (૨) અપ્રતિપત્તિ. જે વાદી પોતાના કર્તવ્યને વિપરીત (ઊલટી રીતે સમજે તેય તે પરાજય પામે છે. અને જે પિતાના કર્તવ્યને બિલકુલ સમજે નહિ તેય પરાજયને પામે છે. આ રીતે વિપરીત સમજ અને અણસમજ એ બે જ પરાજયની પ્રાપ્તિના પ્રસંગો હોવાથી મુખ્ય રીતે નિગ્રહસ્થાન બે (વિપ્રતિપત્તિ અને અપ્રતિપત્તિ) કહેવામાં આવે છે. પરંતુ વિપરીત પ્રતિપત્તિ અનેક જાતની સંભવે છે અને અપ્રતિપત્તિ પણ અનેક જાતની છે. તેથી તે બંને મુખ્ય નિગ્રહસ્થાનના વિસ્તાર રૂપે રર નિગ્રહસ્થાને
૧૬
Page #30
--------------------------------------------------------------------------
________________
કથાપદ્ધતિનુ સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન
૧૫
ગણાવવામાં આવ્યાં છે. જેમાં છ નિગ્રહસ્થાન અપ્રતિપત્તિ પક્ષમાં અને બાકીનાં સેાળ વિપ્રતિપત્તિ પક્ષમાં આવે છે. તે આવીસ આ પ્રમાણે ઃ (૧) પ્રતિજ્ઞાહાનિ (૨) પ્રતિજ્ઞાન્તર (૩) પ્રતિજ્ઞાવિરેધ (૪) પ્રતિજ્ઞાસન્યાસ (૫) હેત્વંતર (૬) અર્થાન્તર (૭) નરક (૮) અવિજ્ઞાતા (૯) અપાયક (૧૦) અપ્રાપ્તકાલ (૧૧) ન્યૂન (૧૨) અધિક (૧૩) પુનરુક્ત (૧) અનનુભાષણ (૧૫) અજ્ઞાન (૧૬) અપ્રતિભા (૧૭) વિક્ષેપ (૧૮) મતાનુજ્ઞા (૧૯) પનુજ્યાપેક્ષણ (૨૦) નિરનુયેાજ્યાનુયાગ (૨૧) અપસિદ્ધાંત (૨૨) હેત્વાભાસે. આમાં નબર ૧૪, ૧૫, ૧૬, ૧૭, ૧૮ અને ૧૯ એ છ અપ્રતિપત્તપક્ષીય છે. આ દરેકનું સાદાહરણ સ્વરૂપ નીચે મુજખ્ખ :~~~~
(૧) ને દષ્ટાંત અને ઍન્દ્રિયકત્વ (ઇંદ્રિયગ્રાવવ) તે હેતુ, રાખી શબ્દને અનિત્ય સિદ્દ કરવાની વાદીએ પ્રતિજ્ઞા કરી હોય તેટલામાં પ્રતિવાદી કહે જે અન્દ્રિયકત્વ હતુ તો સામાન્ય (જાતિ) માં છે જે કે નિત્ય છે. આ રીતે અન્દ્રિયકત્વ હેતુ વ્યભિચારી થાય છે. આ દૂષણુ સાંભળતાં જ વાદી તે તેને ઉદ્ઘાર કરવાને બદલે (નિકાલ આણવાને બદલે) એમ કહે “ ત્યારે ભલે, સામાન્યની પેઠે શબ્દ નિત્ય સિદ્ થાય.” આમ કહેતાં તેણે નિત્યત્વ સ્વીકાર્યો એટલે પ્રથમ કરેલ અનિત્યત્વની પ્રતિજ્ઞા ગઈ. આ રીતે પ્રતિજ્ઞાહાનિ થવાથી તે પરાજય પામે છે. માટે તે પ્રતિજ્ઞાહાનિ નિગ્રહસ્થાન.
(ર) પૂર્વોક્ત જ પ્રયાગ કરનાર વાદીને પ્રતિવાદી કહેજે અન્દ્રિયકત્વ સામા ન્યૂમાં છે છતાં તે નિત્ય એટલે હેતુ વ્યભિચારી છે. આ પ્રમાણે પ્રતિવાદી દ્વારા અપાયેલ વ્યભિચાર દાશના ઉદ્ધાર કરવાને બદલે વાદી એમ કહે જે સામાન્ય નિત્ય અને ઐન્દ્રિયક છે પરંતુ તે તો સંગત (સર્વવ્યાપી) છે અને શબ્દ તે અસંગત છે. આ પ્રકારે કહેવામાં પ્રથમની અનિત્યત્વ સિદ્ધ કરવાની પ્રતિજ્ઞાથી ભિન્ન એવી શબ્દને અસ વગત સિદ્ધ કરવાની અન્ય પ્રતિજ્ઞા પ્રાપ્ત થાય છે. તેથી તે પરાય પામે છે. માટે આ પ્રતિજ્ઞાન્તર નિગ્રહસ્થાન.
(૩) દ્રવ્ય ગુણાથી ભિન્ન છે, કારણ કે રૂપ આદિ ગુણાથી ભિન્ન એવી કાઈ
૧ આચાર્ય હેમચંદ્ર અને ગુણરત્નસૂરિ મતાનુજ્ઞા સિવાયનાં પાંચને જ અપ્રતિપત્તિમાં ગણે છે. જુઓ પ્રમાળમીમાંસા પત્ર ૩૧ જ઼ ૨. તથા વૉ નમુના ટીકા પત્ર ૨૬-૧ જાતિ અને નિગ્રહસ્થાનનું વર્ણન સરળતા ખાતર ૧. સ. ની સુરતની ટીકામાંથી લીધું છે.
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૨૨૬ ]
દર્શન અને ચિંતન વસ્તુની ઉપલબ્ધિ થતી નથી. આ રીતે કહેનાર વાદીની પ્રતિજ્ઞા અને હેતુ એ બંને વચ્ચે દેખીતે વિરોધ છે. જે દ્રવ્ય ગુણોથી ભિન્ન જ હેય તે રૂપાદિથી ભિન્ન વસ્તુની ઉપલબ્ધિ થતી નથી એ હેતુ સંભવે જ નહિ. કારણ કે દ્રવ્ય પતે જ ભિન્ન છે. અને જે ભિન્ન વસ્તુની ઉપલબ્ધિ નથી થતી એ હેતુ જ સત્ય હોય તે ગુણોથી દ્રવ્ય ભિન્ન છે એ પ્રતિજ્ઞા મિથ્યા છે. એ પ્રમાણે પ્રતિજ્ઞા (સાધ્યો અને હેતુના પારસ્પરિક વિરોધવાળું કથન કરવાથી વાદી પરાજય પામે છે. માટે તે પ્રતિજ્ઞાવિધ નિગ્રહસ્થાન એન્દ્રિયકત્વ હેતુથી શબ્દમાં અનિયત્વ સિદ્ધ કરનાર વાદને પ્રતિવાદી પ્રથમની જેમ નિત્ય સામાન્યારા વ્યભિચારનું દૂષણ આપે ત્યારે યાદી તે દૂષણે દુર કરવાને બદલે એમ કહે છે કે શબ્દને અનિત્ય કહે છે? આ રીતે કહેવામાં પિતાની પ્રથમની પ્રતિજ્ઞાને અપલા (પરિત્યાગ) થતું હોવાથી તે પરાજય પામે છે. માટે તે પ્રતિજ્ઞાસંન્યાસ નિગ્રહસ્થાન છે. પૂર્વોક્ત જ ઉદાહરણમાં સામાન્ય દ્વારા અન્દ્રિયકત્વ હેતુને વ્યભિચારદૂષણ આપતાં વાદી તે દૂષણને ઉદ્ધાર કરવા માટે પ્રથમના હેતુમાં એક નવું વિશેષણ લગાડી કહે જે માત્ર અન્દ્રિયકત્વ એ અનિત્યસાધક હેતું નથી પણ જાતિવિશિષ્ટ એન્દ્રિય અનિયંત્વને સાધક હેતુ છે. આમ કહેવામાં બીજા જ હેતુનું ઉપાદાન કરવાથી વાદી પરાજય પામે છે. માટે તે હેત્વનર નિગ્રહસ્થાન. કૃતકવહેતુથી શબ્દને અનિત્ય સિદ્ધ કરવાની પ્રતિજ્ઞા કરી વાદી અપ્રસંગિક કહેવા બેસી જાય (જેમ કે, “હેતુ એ દિ ધાતુ અને ૪ પ્રત્યય ઉપરથી બનેલું પદ છે-પદ એ વ્યાકરણમાં નામ, આખ્યાત,. ઉપસર્ગ, અને નિપાતભેદથી ચાર પ્રકારનું બતાવવામાં આવ્યું છે.” વળી આગળ વધી નામ આખ્યાત વગેરે વિશે પણ પિતાનું વૈયાકરસુપણું હાલવવા બેસી જાય તો અપ્રસ્તુત બેલવાથી તે પરાજય પામે
છે, માટે તે અર્થાન્તર નિગ્રહસ્થાન. (૭) કોઈ વાદી એમ કહે જે શબ્દ અનિત્ય છે કારણ કે “ક” એ
જ” રૂપ છે. આમ કહેવામાં “જા” એ “” રૂપ છે એને કાંઈ જ અર્થ નથી. એ રીતે નિરર્થક બેલવાથી તે નિરર્થક નામના નિગ્રહસ્થાનને પામે છે, અને પરાજ્ય પામેલ ગણાય છે.
Page #32
--------------------------------------------------------------------------
________________
કથાપદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન
[ ૧૨૨૭
(૧) વાદી પાતાના પક્ષનું સાધન કરતા હોય કે સામાના પક્ષનું દુષણ કરતા હાય પણ તે પાતાનું વક્તવ્ય ત્રણ વાર કહે છતાં તેને સભા કે પ્રતિવાદી કાઈ ન સમજી શકે તો એ કથન કાં તો કિલષ્ટ શબ્દવાળું હાવું જોઈએ અથવા તેના શબ્દો સર્વપ્રસિંદ ન હોવા જોઈ એમને કાં તો તે અત્યંત ધીરેથી ખેલતા હોવા જોઈએ. ગમે તેમ હોય પણ ત્રણ વાર કહ્યા છતાં કાઈથી ન સમાય તો તેવું ખેલનાર વાદી પરાજય પામે છે અને તે અવિજ્ઞાતા નિગ્રહસ્થાન કહેવાય છે. (૯) દાડમ દસ, છ પુડલા, કડુ, અયમ અને માંસપિણ્ડ આ રીતે પરસ્પર સંબંધ વિનાનાં પદેı ઉચ્ચારવાથી જ્યારે વાકયને અથ નિષ્પન્ન ન થવાથી વાદી પરાજ્ય પામે ત્યારે અપાક નિગ્રહસ્થાન. (૧૦) પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન એ મે ખેલવા જોઈતા અનુમાનવાકયના વિપોસ કરી ગમે તેમ આડુ અવળુ ખેલનાર વાદી અપ્રાપ્તકાળ નામનું નિગ્રહસ્થાન પામે છે, કારણ કે તે જે કાંઈ આલે છે તે કાળ પ્રાપ્ત થયા વિના જ ખેલે છે.
(૧૧) શ્રેાતાને જ્ઞાન આપવામાં પાંચે અવયવે ઉપયોગી છતાં તેમાંથી એક પણ અવયવ ન ખેલવામાં આવે તો તે ન્યૂન નિગ્રહસ્થાન.
(૧૨) કાઈ પણ એક હેતુ કે ઉદાહરણથી સાધ્ય સિદ્ધ થતું હોય છતાં બીજા હેતુ કે ઉદાહરણાને પ્રયોગ કરનાર અધિક નામના નિગ્રહસ્યાનથી પરાજિત ગણાય છે.
(૧૩) અનુવાદના પ્રસંગ સિવાય પણ તે જ શબ્દને અગર તે જ અને પુરી કહેવામાં પુનરુક્ત નિગ્રહસ્થાન પ્રાપ્ત થાય છે. એક વાર શબ્દ અનિત્ય છે એમ કહી કુરી તેમ જ કહેવું તે શબ્દપુનરુક્તિ-નિગ્રહસ્થાન અને શબ્દ નિત્ય છે એમ કહી શબ્દ વિનાશી છે એ રીતે બીજા વાકથી તે જ અથ' કહે તે અપુનરુક્ત. જ્યાં અનુવાદના પ્રસંગ હોય ત્યાં પુનઃનિગ્રહસ્થાન નથી ગણાતું; જેમ કે નિગમન વાકયમાં હેતુ અને પ્રતિજ્ઞાવાકયને અનુવાદમાત્ર કરવામાં આવે છે.
(૧૪) જે વાત ત્રણ વાર વાદીએ કહી હોય અને સભા પણ જેને સમજી ગઈ હોય છતાં પ્રતિવાદી તેનુ પુનઃ ઉચ્ચારણ ન કરી શકે તે તે પ્રતિવાદી અનનુભાષણ નિગ્રહસ્થાનથી પરાજય પામે છે,
(૧૫) વાદીએ કહેલ વસ્તુને સભા સમજી ગઈ હોય છતાં પ્રતિવાદી તેને ન જ સમજી શકે તે તે પરાજય પામે છે અને તે અજ્ઞાન નિગ્રહસ્થાન. કહેવાય છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૧૨૮ !
દર્શન અને ચિંતન (૧૬) વાદી પક્ષ સમજાયો પણ હોય અને તેનું પુનઃ ઉચ્ચારણ કરવામાં
આવ્યું હોય તો ઉત્તર ન સ્ફરે તે પ્રતિવાદી હારે છે ત્યાં અપ્રતિભા
નિગ્રહસ્થાન. (૧૭) સિદ્ધ કરવા ધારેલ વસ્તુનું સાધન અશકય જણાવાથી કઈ પણ
બહાનું કાઢી ચર્ચાને ભંગ કરવામાં આવે, જેમ કે “મારું અમુક ખાસ કામ રહી ગયું છે” અગર “મારું ગળું બેસી ગયું છે”
ઈત્યાદિ, તો તે વિક્ષેપ નિગ્રહસ્થાન. (૧૮) કાઈ કહે કે તું કઈ નામીચા) પ્રસિદ્ધ ચેરની જેમ “પુષ”
હોવાથી ચેર છે (કારણ પિલે ચોર પણ “પુષ” છે) ત્યારે તે દૂષણ દૂર કરવાને બદલે સામાને કહેવું કે “તું પણ પુરુષ” હેવાથી તે પ્રસિદ્ધ ચોરની પેઠે ચોર છે. આ કથનમાં સામાને ચોર સાબિત કરવા જતાં સામાએ પિતાની ઉપર મૂકેલો ચોરનો આરોપ સ્વીકારાઈ
જાય છે. તેથી તે મતાનુસા નિગ્રહસ્થાન કહેવાય છે. (૧૯) પિતાની સામે બેલનાર નિગ્રહસ્થાનને પ્રાપ્ત થયું હોય છતાં વાદી
તેની ઉપેક્ષા કરે એટલે કે “તું અમુક નિગ્રહસ્થાનને પ્રાપ્ત થયું છે ” તેવું ઉભાવન ન કરે તે તે પર્યાપેક્ષણનિગ્રહસ્થાનને પ્રાપ્ત થઈ પરાજય પામે છે. આ નિગ્રહસ્થાનનું ઉદ્દભાવન સભા કરે છે. કારણ કે કઈ પિતાની મેળે તે પોતાની હાર કબૂલી પિતાની ઈજજતને
લંગોટ ખુલ્લે કરવા તૈયાર ન જ હોય. (૨૦) નિગ્રહસ્થાનને નહિ પ્રાપ્ત થયેલ છતાં તેને નિગ્રહસ્થાનથી દૂષિત કરે
તે નિરનું જ્યાનુગ નામનું નિગ્રહસ્થાન. (૨૧) જે સિદ્ધાંત સ્વીકારી ચર્ચાની શરૂઆત કરી હોય તે સિદ્ધાંતથી વિરુદ્ધ
ચર્ચા કરવી તે અપસિદ્ધાંત નિગ્રહસ્થાન; જેમ કે: પૂર્વમીમાંસાને સિદ્ધાંત સ્વીકારી કઈ કહે કે અગ્નિહોત્ર સ્વર્ગપ્રદ છે. જ્યારે બીજે કોઈ પૂછે કે અગ્નિહેાત્ર તે ક્રિયાત્મક હેવાથી તે ક્રિયા પૂરી થતાં સત્વર નાશ પામે છે. અને નષ્ટ થયેલ વસ્તુથી સ્વર્ગ કેવી રીતે સંભવે ? ત્યારે તેને ઉત્તર આપતાં એમ કહેવામાં આવે કે અગ્નિહોત્રદ્વારા પ્રસન્ન થએલ મહેશ્વર સ્વર્ગ આપે છે. આ ઉત્તરમીમાંસાશાસ્ત્રથી વિરુદ્ધ છે. મીમાંસાના સિદ્ધાંતને મહેશ્વર માન્ય નથી. એટલે આ ઉત્તર પ્રથમ સ્વીકારેલ સિદ્ધાંતથી વિરુદ્ધ જતા હોવાથી અપસિદ્ધાંત
નિગ્રહસ્થાન કહેવાય છે. (૨૨) અસિદ્ધ, વિરુદ્ધ આદિ પાંચ હેત્વાભાસે પણ નિગ્રહસ્થાન છે.
Page #34
--------------------------------------------------------------------------
________________
કથાપતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન
[ ૧૨૨૯ પરિશિષ્ટ . જૈન આગમમાં મળી આવતું કથાપદ્ધતિને લગતું વર્ણન
જૈન આગમ સાહિત્ય પાંચ વિભાગમાં વહેંચાયેલું છે. (1) સુર, (૨) નિત્તિ , (૩) ભાષ્ય, (૪) ચૂર્ણ, (૫) ટીકા. આ પાંચ વિભાગ મળી પંચાંગી કહેવાય છે. સૂત્રમાંથી પ્રસ્તુત વર્ણન સ્થાનાંગમાં છે. તે નીચે પ્રમાણે –
વિકથા અને ધર્મકથાના વર્ણનપ્રસંગે ધર્મકથાના ચાર પ્રકારે પૈકી વિક્ષેપણ કથાના-એટલે શ્રોતાને કુમાર્ગેથી સુમાર્ગે લાવે તેવી કથાના-ચાર પ્રકારે આ પ્રમાણે બતાવ્યા છે –
(૧) સ્વસિદ્ધાંતને કહીને એટલે તેના ગુણોનું પ્રતિપાદન કરીને પરસિદ્ધાંત કહે એટલે તેના દેવાનું દર્શન કરાવે
(૨) પરસિદ્ધાંત કહીને સ્વસિદ્ધાંતનું સ્થાપન કરે.
(૩) સમ્યગ્વાદ કહીને મિથ્યાવાદ કહે, અર્થાત પરસિદ્ધાંતમાં રહેલું અવિરુદ્ધ તત્વ બતાવી તેનું વિદ્ધતત્વ પણ દેવદર્શનપૂર્વક બતાવવું. . (૪) પરસિદ્ધાંતમાં દે બતાવી પછી તેના ગુણે પણ બતાવવા.
જ્ઞાત એટલે દષ્ટાંત ચાર પ્રકારનાં છેઃ (૧) આહરણ. (૨) આહારતદ્દેશ. (૩) આહરણુતદ્દોષ. (૪) ઉપન્યાસપનય. આ ચારેને ચાર ચાર પ્રકાર બતાવતાં આહરણનો ત્રીજો ભેદ સ્થાપનાકર્મ અને ચોથે પ્રત્યુત્પન્નવિનાશી એ બે ભેદ આવે છે. તે એક પ્રકારના ન્યાયવાક્યનાં અંગભૂત દષ્ટતિ જ છે. તે નીચે પ્રમાણે –
કોઈ આરોપેલ અનિષ્ટ પ્રસંગને જે દષ્ટાંતદ્વારા દૂર કરી ઈષ્ટ તત્વનું સ્થાપન કરવામાં આવે તે દષ્ટાંત સ્થાપનાકર્મ.
પ્રત્યુત્પન્નવિનાશી એટલે તત્કાળ જ પ્રાપ્ત થયેલ અનિષ્ટ સ્થિતિને નાશ જે દૃષ્ટાંતદ્વારા કરવામાં આવે છે.
१. विवखेवणी कहा चउन्विहा पण्णत्ता तंजहा -ससमय कहेइ, ससमयं कहित्ता परसमयं कहेह, परसमयं कहेता ससमयं ठावतिता भवति, सम्मावातं कहेइ, सम्मावातं कहेता मिच्छावात कहेइ, मिच्छावात कहेता सम्मावात ठावत्तिता મવતિ | Dr. દૂ. ૨૮૨ પૃ. ૨૧૦ આવૃત્તિ આગોદય સમિતિ.
૨. ચાર જવિહે છે. તે વાતે, વાતે, દવાખે, વહુનનિrણી ચા. ૬. ૪૩૮ પૃ. ૨૨.
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૨૩ ]
દર્શન અને ચિંતન આ બંનેનાં ઉદાહરણ નીચે પ્રમાણે ઃ
(1) સ્થાપનાકર્મ-શબ્દને કૃતકત્વ હેતુથી અનિત્ય સિદ્ધ કરતા વાદીને કઈ પ્રતિવાદી કહે કે વર્ણાત્મક શબ્દ તે નિત્ય છે, તેમાં કૃતકત્વ નથી. એ રીતે હેતમાં વ્યભિચારનો અનિષ્ટ પ્રસંગ આવતાં જ તુરત વાદી ફરી હેતુનું સમર્થન કરી લે કે વર્ણાત્મક શબ્દ અનિત્ય છે; શાથી જે તે કારણની ભિન્નતાથી ભિન્ન દેખાય છે-ધટની જેમ. આ રીતે કૃતકત્વરૂા હેતુ ઉપર
આવી પડેલ વ્યભિચારને અનિષ્ટપ્રસંગ દૂર કરવા ફરી તે હેતુનું સમર્થન (સ્થાપન) ઘટ દૃષ્ટાંતથી થતું હોવાને લીધે તે સ્થાપનાકર્મ દષ્ટાંત કહેવાય. - (ર) પ્રત્યુત્પન્નવિનાશી--કોઈ કહે જે અમૂર્ત હોવાથી આકાશની જેમ આત્મા અર્જા જ છે. આ, જૈનવાદીને અનિષ્ટ છે. તેવું તત્કાળ પ્રાપ્ત થયેલું અનિષ્ટ દૂર કરવા તે કહે-આત્મા મૂર્ત હેવાથી દેવદત્તની પેઠે કથંચિત કર્તા છે. તે આ દેવદતનું દૃષ્ટાંત ઉક્તનું અનિષ્ટ નિવારક હેવાથી પ્રત્યુત્પન્ન વિનાશી દૃષ્ટાંત કહેવાય.
હેતુના ચાર પ્રકાર ત્રણ રીતે બતાવવામાં આવ્યા છે. (1) યાપક, સ્થાપક, વ્યંસક અને લક.. (૨) પ્રયક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ. (૩) રિત તન્ન અસિત સ ગતિ તત્ રાતિ |
नास्ति तत् अस्ति सः। नास्ति तत् नास्ति सः । બીજી રીત પ્રમાણે પ્રત્યક્ષાદિ ચાર હેતુઓ એટલે ચાર પ્રમાણે પ્રસિદ્ધ છે. તેથી તેમનું વર્ણન અનાવશ્યક છે. બાકીનાનું નીચે પ્રમાણે (૧) યાપકઃ પુષ્કળ વિશેષણોને લીધે જે હેતુ સમજતાં પ્રતિવાદીને
મુશ્કેલી આવે અને તેથી તે જલદી દૂષણ ન આપી શકે એટલે વાદી કાળયાપન કરી શકે. આ પ્રમાણે જેનાથી કાળયાપન કરી
શકાય તે વ્યાપક. આની બીજી વ્યાખ્યા ટીકાકારે એવી આપી છે કે જે હેતુની વ્યાપ્તિ ૧. જુઓ સ્થાનાંગઠીક પૃ. ૨૫૬.
૨. ફ્રેક રાષ્યિ ૬. સં. રાવ, વાવ, વંત્તે, સૂતે, અથવા ટ્રેઝ चउब्बिहे, पं. त. पचखे, अणुमाणे, ओवम्मे; भागमे, अहना हेऊ चउम्विहे पं. तं. अत्धित्तं अस्थि सो हेऊ, अस्थित्त णस्थि सो हेऊ, पत्थितं अस्थि स्रो હૈ, સ્થિરં 0િ સો ફ્રેઝ , ૨૮ પૃ. ૨૪.
Page #36
--------------------------------------------------------------------------
________________
કથાપધ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન
( ૧૨૩૬ પ્રસિદ્ધ ન હોવાથી વ્યાપ્તિસાધક અન્ય પ્રમાણુની અપેક્ષાને લીધે
સાધ્યસિદ્ધિમાં વિલંબ થાય તે હેતુ વ્યાપક (૨) પ્રસિદ્ધ વ્યાપ્તિને લીધે જે હેતુ જલદી સ્વસાધ્યનું સ્થાપન કરે તે
સ્થાપક. (૩) જે હેતુ પ્રતિવાદીને વ્યાપેહમાં નાખે તે વ્યંસક ૨ (૪) બંસક હેતુથી પ્રાપ્ત થયેલ અનિષ્ટને દૂર કરનાર હતુ તે ષક ૩
આ ચારેનાં ઉદાહરણ ટકામાં આપેલાં છે. તેમ જ તેની વિશેષ સ્પષ્ટતા કરવા ટીકાકારે નિર્યુક્તિને આધારે નાની નાની કથાઓ આપી છે, જે પ્રાચીન કાળમાં વાર્તાકાર વસ્તસ્વરૂપ સમજાવવાની પદ્ધતિની સૂચક હોઈ અહીં આપવામાં આવે છે - (૧) કોઈ અસતી સ્ત્રીએ પિતાના પતિને એમ કહી ઉર્જન મોકલે
કે ત્યાં ટના એક એક લીંડાનો એક એક રૂપિયે ઊપજે છે, તેથી વેચવા જાઓ. લેભમાં પડેલા ધણીના ઉજ્જન ગયા બાદ તેણીએ પિતાને જાર સાથે કાળયાપન કર્યું. તેવી રીતે જે વાદી પ્રતિવાદીને મોહમાં નાખે તે હેતુ મૂકી તેના દૂષણથી
બચી કાળયાપન કરે ત્યારે તે હેતુ વ્યાપક કહેવાય. (૨) કેઈ ધૂર્ત પરિવ્રાજક દરેક ગામમાં એમ કહી ફર્યા કરતે કે
લેકમધ્યમાં આપેલું દાન ફળ આપે છે અને તે હું જાણું છું. આમ કહી તે લેક પાસેથી દાન મેળવતે. આ જોઈ કઈ શ્રાવકે તેને કહ્યું કે લેકોને મધ્યભાગ તો એક જ છે. તે અનેક ગામમાં કયાંથી સંભવે ? આ રીતે તે શ્રાવકે સિદ્ધ કર્યું કે લેકને મધ્યભાગ એક છે તેથી પરિવ્રાજકના કહ્યા પ્રમાણે અનેક ગામમાં ન હોઈ શકે. તેવી રીતે જલદી જ સ્વપક્ષને સિદ્ધ કરે તે
હેતુ સ્થાપક. (૩૪) દીપ-—આ બે હેતુઓ માટે જે કથા આપવામાં આવે છે
તેમાં શબ્દછળ છે. અને તેથી તેમાં છળવાળા બે શબ્દો આવે છે: (૧) શકતિત્તિરિ અને (૨) તર્પણા ડિકા. આ બંને શબ્દના બબે અર્થ થાય છે. એટલે વક્તા જે અર્થ કહેવા ધારે છે તેથી
પ્રતિપક્ષી તેનો ઉલ અર્થ લઈ તેને છળવા પ્રયત્ન કરે છે. એ ૧. જુઓ સ્થાનાંગ ટીકા પૃ. ૨૬૧. . ૨. જુઓ સ્થા. ટી. પૃષ્ઠ ૨૬૧
૩. , , , * ૨૬૨
Page #37
--------------------------------------------------------------------------
________________
૧૨૩૨ ]
દર્શન અને ચિંતન અર્થે આ પ્રમાણે (૧) શકટતિનિરિ એટલે () ગાડામાં આણેલ તેતર (1) ગાડા સહિત તેતર. (૨) તર્પણા ડિક એટલે (૪) સકતુમાં (સથવામાં પાણી મેળવી આપવું તે. (એટલે કે અહીંયા પાણી મિશ્રિત સાથવો) () તેવું મિશ્રણ કરતી સ્ત્રી.
તેતરવાળી ગાડી લઈ જતા કેઈ એક માણસને એક ધૂર્તો પૂછવું કે આ કટતિત્તિરિને શે ભાવ છે? પેલાએ ઉત્તર આપ્યો કે તપંડિકા. પૂર્વે કેટલાકને સાક્ષી તરીકે રાખી કહ્યું કે મને આ કટતિતિરિ (શકટ સહિત તિત્તિરિ) તપણેલેકિાથી આપવાનું આ માણસ કહે છે. તે કિ મત આપવા હું તૈયાર છું. માટે મને તે શકટ-તિત્તિરિ બને મળવાં જોઈએ. આ સાંભળી શકટનિતિરિને સ્વામી ગુંચવણમાં પડ્યો પણ બીજા ધૂર્તે તેને સમજાવી દીધો. અને તેને સમજાવ્યા પ્રમાણે તે માલિકે પ્રથમ ધૂર્તને કહ્યું “ભલે, તર્પણલોડિકા લા અને શકટતિત્તિરિ લે.” પ્રથમ ધૂ પિતાની સ્ત્રીને તર્પણાલેડિકા આપી શકટતિતિરિ લઈ કહ્યું. સ્ત્રી ધૂર્ત પતિની આજ્ઞા પ્રમાણે સસ્તુમાં પાણી મેળવી હલાવી તપંડિકા તૈયાર કરવા બેઠી કે તરત જ પેલા માલિકે સતુમાં પાણી મેળવતી તે સ્ત્રીને ઉપાડી અને કહ્યું : “આ સ્ત્રી તર્પણા ડિકા છે એટલે તેને લઈ હું શકટતિનિરિ આપી દઈશ.” આ સાંભળતાં પ્રથમ ધૂત સમજી ગયો અને ચૂપ થયો.
આ વાતમાં શબ્દળ છે. માલિકે શકટતિત્તિરિ તપણા ડિકથી મળે છે એમ કહ્યું ત્યારે તેનો આશય તે માત્ર ગાડામાં આણેલ તેતરના મૂલ્યનો જ હતા. પણ પ્રથમ ધૂર્ત શબ્દછળથી શકતિત્તિરિને ગાડું અને તેતર એ અર્થ લઈ તપણાડિકાથી તે બંને મળવાં જોઈએ એમ કહી તેના માલિકને મૂંઝ. અહીં સુધીનો ભાગ વ્યસંક હેતુનું સ્વરૂપ સૂચવે છે. યંસક હેતુ પ્રતિવાદીને મૂંઝવે તે હોય છે. બીજા ધૂર્તના શીખવવાથી પેલે માલિક પ્રથમ ધૂર્ત પાસે તર્પણલોડિકા માગે છે. હવે પ્રથમ ધૂર્તે પોતાની સ્ત્રીને તર્પણલેડિકા (જળમિશ્રિત સકતુ) આપવા કહ્યું. ત્યારે પેલ માલિક બીજા અર્થ પ્રમાણે તે મિશ્રણ કરનાર સ્ત્રીને જ ઉપાડવા લાગ્યો. એટલે પ્રથમ ધૂર્તની કળબાજી ઊઘડી ગઈ. વાર્તાને આ પાછલો ભાગ લૂષક હેતુના સ્વરૂપને સમજાવે છે. જેમ પેલા માલિકે તર્પણલેડિકાને બીજો અર્થ સમજી
Page #38
--------------------------------------------------------------------------
________________
કથા૫તિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૨૩૩ પ્રથમ ધૂતની સ્ત્રી માગી એટલે તે આપોઆપ શરમાઈ ચાલે ગયે તેમ લુપ હેતુ વ્યસક હેતુકાર આપાદિત અનિષ્ટને છે.
ત્રીજી રીત પ્રમાણે બતાવેલ ચાર હેતુઓની વ્યાખ્યા કરી ટીકાકાર જે ઉદાહરણે આપે છે તે બધાંમાં વાદદેવસૂરિવર્ણિત હેતુના બધા પ્રકારે આવી જાય છે. આ વ્યાખ્યા પ્રમાણે હેતુ એટલે અનુમાન હેતુઓની વિવિધતાથી ચાર ભાગમાં વહેંચી નાખી અહીં ચાર હેતુઓ (અનુમાનો ) કહેલ છે. (૩) (૨)–અમુક એક પદાર્થ છે માટે અમુક બીજો પ્રદાર્થ છે એવું
અનુમાન તે ગત તન અતિ સઃ છે જેમ કે ધૂમ્ર છે માટે અગ્નિ છે જ. (a) અમુક એક પદાર્થ છે માટે તેને વિરોધી બીજે પદાર્થ નથી
જ એવું અનુમાન તે સાત્તિ ત નાદિત સ: | જેમ કે અગ્નિ છે
માટે શીત નથી જ. () અમુક એક પદાર્થ નથી માટે તેનો વિરોધી પદાર્થ છે એવું અનુ
ભાન તે નાસિ તમારત સ.. જેમ કે અગ્નિ નથી માટે શીત છે.. (9) અમુક એક પદાર્થ નથી માટે બીજ અમુક પદાર્થ છે પણ નથી
એવું અનુમાન તે નાસ્તિ તત્વ મતિ સ જેમ કે અહીં રસ નથી
માટે સીસમ પણ નથી. સ્થાનાંગમાં છ પ્રકારના વિવાદો બતાવ્યા છે. વિવાદને ટીકાકાર જપકથા તરીકે ઓળખાવે છે અને તદનુસાર છએ ભેદની વ્યાખ્યા પણ આપે. છે, તે જોઈએ : (૧) બોલવાની પૂરી તૈયારી ન હોય ત્યારે તે તૈયારી માટે જે તે વખત
મેળવવા ખાતર ગમે તે બહાને વિલંબ કરી જે વાદ થાય તે. (૨) પૂરતે અવસર મળવાને લીધે જયેષુ પિતે જ જેમાં ઉત્સુકતાપૂર્વક
બેલે અગર પ્રતિવાદીને ઉસુક કરી જેમાં બેલે તે. (૩) સામનીતિથી સભાપતિને અનુકૂળ કરીને અગર થોડી વાર પ્રતિવાદીને
પક્ષ માની તેને અનુકૂળ કરી જેમાં બોલવામાં આવે છે.' (૪) બલવાનું સામર્થ્ય હોય તે સભાપતિને સુધ્ધાં અગર પ્રતિવાદીને છેડી
જેમાં બોલવામાં આવે છે. * ૧ જુએ, સ્થા. ટી. પૃષ્ઠ ૨૬૨ ની શરૂઆત,
૨ જુઓ, પ્રમાણ તત્ત્વાકાલંકાર, પરિચ્છેદ ૩ રૃ. ૬૭ થી આગળ.
૭૮
Page #39
--------------------------------------------------------------------------
________________
(૪)
૧૨૩૪ ]
દર્શન અને ચિંતન (૫) અ ને સેવીને-અનુસરીને જે વાદ થાય તે. (૬) પિતાને તરફદારો સાથે અધ્યક્ષને મેળવી લઈ અગર અધ્યક્ષોને
પ્રતિવાદીના વિરોધી બનાવી જે વાદ થાય તે.
છેવટે સ્થાનાંગમાં જે દશ દે બતાવવામાં આવ્યા છે તેમાં પણ ઘણું દે વાદકથા સાથે જ સંબંધ ધરાવે છે. તેમનો સાર નીચે પ્રમાણે – (૧) પ્રતિવાદી તરફથી થતા ભને લીધે જે મોટું બંધ થાય તે તજાત દે. (૨) બોલતાં વિસ્મૃતિ થાય તે સ્વમતિભંગ દેજ. (૩) મર્યાદા સાચવનાર અધ્યક્ષ કોઈ પણ કારણથી વાદી ઉપર દ્વેષ કરી
કે તેના વિષયમાં બેદરકાર રહી પ્રતિવાદીને જય આપે અગર તેને
સ્મૃતિની તક આપે તે પ્રશાસ્તુદોષ.
વાદીએ મૂકેલા દોષને ખેટી રીતે પરિહાર કરે તે પરિહરણ દોષ. (૫) સાધ્યવિકલત્વ આદિ દષ્ટાંતદોષ તે સ્વલક્ષણદોષ. (૬) સાધ્યના પ્રત્યે સાધનમાં જે વ્યભિચારદોષ આવે તે કારણs. (૭) અસિદ્ધ, વિરુદ્ધ આદિ દેવાભાસે તે હેતુદોષ. (૮) પ્રતિવાદીના મતમાં આવી જવું તે સંક્રમણ દેવ. તેને પરમતાભ્યનુજ્ઞા
પણ કહે છે. (૯) છળ આદિ દ્વારા જે પરાજયના પ્રસંગે આવે તે નિગ્રહદોષ. (૧૦) પક્ષના બાધિતત્વ આદિ દેવો તે વસ્તુદોષ.
કથા પદ્ધતિ અને સદંતર્ગત ન્યાયવાક્યને લગતું જે વર્ણન સંક્ષેપમાં ઉપર સ્થાનાંગમાંથી આપવામાં આવ્યું છે તે બધું વર્ણન શ્રીમદ્ ભવબહુકૃત ગણાતી દશવૈકાલિક નિર્યુક્તિમાં આપેલું છે. નિર્યુક્તિકારે એ બધું વર્ણન કરીને તેની સાથે ન્યાયવાક્યને ઉપયોગ કેવી રીતે કરી શકાય તે પણ બતાવ્યું છે. દશવૈકાલિકના પ્રથમ અધ્યયનમાં ધર્મનું વર્ણન છે. તેથી નિર્યુક્તિકારે તે જ વસ્તુ લઈ તેમાં ન્યાયવાક્યને ઉપગ ફુટ રીતે કરે છે. તે કહે છે
૧ જુઓ, સ્થા. ટી, પૃષ્ટ ૩૬૫.
२ दसविहे दोसे पं. तं. तज्जातदोसे, मतिभंगदोसे, पसत्धारदोसे, परिहरणदोसे, सलक्षण, कारण, हेऊदोसे, संकामणं निग्गवत्युदोसे ।। स्था, सू. ७४३.
3. कत्यइ पंचावयव दसहा वा सव्वहा न पडिसिद्धं । न य पुण सवं ભર ચૂંટી વિમાન્યું છે . વૈ. મિ. સા. ૫૦; જુઓ, પા. ૩૨ ગાથા ૪૯ થી ૮૮.
Page #40
--------------------------------------------------------------------------
________________
થાપદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન
[ ૧૨૩૫
કે કાંક પાંચ અવયવરૂપ અને કયાંક દૃશ અવયવરૂપ ન્યાયવાકયને પ્રયાગ કરાય છે.૧ આમાંના પાંચ અવયવે તે ગૌતમના ન્યાયસૂત્રમાં વર્ણિત પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન એ જ છે.3 નિયુક્તિકારે એ પાંચ અવયવોનો ઉપયોગ કરી ધમની સૂત્રેાક્ત મંગળમયતા સિદ્ધ કરી ખતાવી છે.
ત્યાર ખાદ તેઓએ દસ અવયવથી ઘટિત ન્યાયવાકયને યોગ પણ કરી અતાવ્યો છે; અને તે દશ અવયવા એ રીતે ગણાવ્યા છે. પ્રતિજ્ઞા, પ્રતિજ્ઞાવિ શુદ્ધિ, હેતુ, હેતુવિશુદ્ધિ, દૃષ્ટાંત, દૃષ્ટાંતવિશુદ્ધિ, ઉપસંહાર, ઉપસંહારવિદ્ધિ નિગમન અને નિગમનવિશુદ્ધિ—એ એક પ્રકાર,
બીજા પ્રકારમાં દેશ અવયવે આ પ્રમાણે છે : (ગાથા ૧૩૭) પ્રતિજ્ઞા, પ્રતિજ્ઞાવિભક્તિ, હેતુ, હેતુવિભક્તિ, વિપક્ષ, પ્રતિષેધ, દૃષ્ટાંત, આશંકા, તત્કનિષેધ, અને નિગમન. આ અને પ્રકારના ન્યાયને પ્રયોગ ગાથા ૧૩૮ થી ૧૪૮ સુધીમાં છે. વિશેષતા એ છે કે પ્રથમ પ્રકારના દશ અવયવ કાઇ એક જ ગાથામાં સંકલિત ન કરતાં માત્ર તેનાં નામે પ્રયાગમાં જ આવી જાય છે; જ્યારે બીજા પ્રકારના દશ અથવા એક જ ગાથામાં ગણી બતાવ્યા છે અને પછી પ્રયેાગમાં તેને સમજાવ્યા છે. ધ્યાન ખેંચે એવી એક બાબત એ પણ છે કે અક્ષપાદે નિગમનુ हेत्व प्रदेशात् प्रतिज्ञायाः पुनर्वचनं निगमनं (૧-૧-૩૯) એવું જે લક્ષણ કર્યું... છે એ નિર્યુક્તિમાં થોડાક ફેરફાર સાથે આ પ્રમાણે દેખાય છે : વસમો લ ચવચનો, વન્નહે પુનોયનું । (ગાથા. ૧૪૪ પૃ. ૭૯ ). સારાંશ એ છે કે દશવૈકાલિક મૂળસૂત્રમાં જે ધો મજૂમાં એ સૂત્રથી ધર્મની મંગળમયતા અને ઉત્કૃષ્ટતા કહેવામાં આવી છે તેને સિદ્ધ કરવા નિયુક્તિકારે ન્યાયવાકથનું નિરૂપણ કર્યું છે. અને તે ન્યાયવાકય જેટલી રીતે સંભવી શકે તે બધી રીતે બતાવી તેના ઉપયોગ દ્વારા ધર્મની મગળમયતા આદિ વ્યવસ્થિત રીતે સાધ્યું છે. આ પ્રથમ અધ્યયનની નિયુક્તિ મુખ્યભાગે ન્યાયવાકય અને તેના ઉપયોગના નિરૂપણમાં જ રોકાયલી છે, જેના ઉપસ્થી
:
૧. જુએ, ગાથા ૫૦
૨. પાંચ અવયવાના નામેાના સંબંધમાં પણ એ પરંપરા દેખાય છે : એક તે ન્યાયસૂત્રની અને ખીજી પ્રશસ્તપાદભાષ્યની અને માઠેરવ્રુત્તિમાં મતાન્તર તરીકે નોંધાયેલી. તે આ પ્રમાણે- અત્રયનઃ પુનઃ પ્રતિજ્ઞાèઉનાનાનુĀમ્બાનપ્રત્યાĀયઃ ' । પ્ર. પા. ભા. પૃ. ૩૩૫. બના. સ. સી. ની આત્તિ તથા માહત્તિ. પૃ. ૧૨.
'
૩. જી, ગાથા ૮૯ થી ૯૩,
Page #41
--------------------------------------------------------------------------
________________
૧૨૩૬ ]
દર્શન અને ચિંતન જાણી શકાય છે કે જૈન સંપ્રદાયમાં પ્રાચીન કાળમાં પણ કથા પદ્ધતિ અને તેને લગતી અન્ય બાબતોનો વિચાર કે તે અને પરંપરા કેવી ચાલતી.
પરંતુ આપણે જોઈએ છીએ કે દશ અવયે નિર્યુક્તિમાં બતાવ્યા છે. તેથી જુદા પણ મળે છે. ન્યાયસૂત્રના ભાષ્યકાર વાત્સ્યાયને પણ પિતાના ભાષ્યમાં મતાંતરથી ચાલતા દશ અવય બતાવ્યા છે. તેમાંના પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન એ પાંચ તે નિયંતિમાં પણ છે. પરંતુ, બાકીના પાંચ એ નિર્યુક્તિમાં નથી. તે પાંચ આ છેઃ જિજ્ઞાસા, સંશય, શક્યપ્રાપ્તિ, પ્રજન, અને સંશયવ્હદાસ. આ પાંચ અવયવોને ન્યાયવાક્યના અંગ તરીકે સ્વીકારવાની વાત્સ્યાયન ના પાડે છે અને ફક્ત પંચાવનાત્મક ન્યાયવાક્ય જે ન્યાયસૂત્રમાં કહેલ છે તેનું જ સ્થાપન કરે છે.
વાત્સ્યાયને કહેલ દશ અને નિયંતિમાં બે પ્રકારે વર્ણવેલ દશ દશ, એમ કુલ ત્રણ પ્રકારના દશ અવયે અત્યારે આપણને મળે છે. આ ઉપરથી એટલું જણાય છે કે દશ અવયવાભક ન્યાયવાક્યની પરંપરા પ્રાચીન હતી. ભલે તે જૈન ગ્રંથમાં અન્ય રૂપે અને વાત્સ્યાયનભાષ્યમાં અન્ય રૂપે દેખાય; પરંતુ અક્ષપદે તે પરંપરામાં સુધારો કર્યો અને પંચ અવયવની જ આવશ્યકતા. સ્વીકારી. જૈનસંધમાં તે પિતાના સ્વાવાદ સિદ્ધાંત પ્રમાણે અપેક્ષાવિશેની દષ્ટિએ પંચ અવયવામિક અને દશ અવયવાત્મક બંને પ્રકારના ન્યાયવાક્યો, સ્વીકાર કરી બંને પરંપરા સાચવવામાં આવી છે. અને આગળ જતાં જૈન તસાહિત્યમાં જોઈએ છીએ કે તેમાં તે એક અવયવવાળાં અને બે અવયવવાળાં ન્યાયવાક્ય સુધ્ધાંનું સમર્થન અપેક્ષાવિશેષથી કર્યું છે. જ્યારે કેટલાક
૧ પ્રમાણનયતત્ત્વાકાલંકાર પરિચ્છેદ ૩, મુત્ર ૨૩ : વૃક્ષાવજનામ परार्थमनुमानमुपचारात् ।
सूत्र २८:पक्षहेतुश्चनलक्षणमवयवद्वयमेव परप्रतिपत्तेरङ्ग, न दृष्टान्तादिवજનમ સૂત્ર સર–ન્ટિમોરતુ યુવતું દષ્ટાન્તવનયજિમનારિ प्रयोज्यानि ।। तथा अतिव्युत्पन्नमति प्रतिपाद्यापेक्षया तु धूमोत्र दृश्यते इत्यादि હેતુવનમાત્રામમાં તમતિ (પરિ. ૩. સુ. ૨૩. રત્નાકરાવતારિકા ટીકા).
“સરુ ક્યા ર્તિ વિઘતિવતે વારિનઃ, તથા, તિજ્ઞાળાનીતિ વચમનુમનખિતે વાચ: [ સાંખ્યકારિકા “પ”માં “ત્રિવિધમ્ શબ્દ છે તેની ભાદરવૃત્તિમાં “વાવ” એમ વ્યાખ્યા કરી છે. ] રોજનચેન ચતુતિ मीमांसकाः, सह निगमनेन पञ्चावयवमिति नैयायिकाः, तदेवं विप्रतिपत्ती कीदृशोऽ नुमानप्रयोग इत्याह । एतावान् प्रेक्षप्रयोगः ॥२-१-९ ! प्रमाणमीमांसा पृ. ३ । દ્રિ. ૬. ૮ છે
Page #42
--------------------------------------------------------------------------
________________
કથાપધ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [૧૨૩૭ ૌદ્ધ વિદ્વાનો ત્રણ અવયવોને જ પ્રયોગ આવશ્યક સમજી અને કોઈ જ માત્ર હેતુનો જ પ્રવેગ આવશ્યક સમજી વધારે અવયવોના પ્રવેગને અધિક નામનું નિગ્રહસ્થાન માનતા. તેમ જ સાંખ્ય પ્રથમના ત્રણ અને મીમાંસકે ઉપનય સુધીના ચાર અવયવોને જ પ્રયોગ માનતા; ત્યારે જૈન તાર્કિકેએ કહ્યું કે અપેક્ષાવિશેષથી બે પાંચ અને દશ અવયવ સુધ્ધાં યોજી શકાય છે; તેમાં કાંઈ દૂષણ નથી. આ વિષયના લાંબા શાસ્ત્રાર્થો એ કથા પદ્ધતિના અંતર્ગત ન્યાયવાક્ય ઉપરને વિદ્વાનને બુદ્ધિ વ્યાયામ સૂચવે છે.
મધ્ય –નિયુકિત પછી આપણે ભાષ્ય ઉપર આવીએ છીએ. નિક્તિમાં વર્ણવેલ વસ્તુ ભાગ્યમાં આવે તે સ્વાભાવિક છે. અને તેથી જ પ્રતિજ્ઞાવિશુદ્ધિ, હેતુવિશુદ્ધિ આદિ અવશ્ય કેવી રીતે ઘટાવવા એ દશકાલિનિર્યુક્તિના ભાગ્યમાં બતાવ્યું છે ( પૃ. ૬૩). તે ઉપરાંત કથા પદ્ધતિને લગતું વધારે વર્ણન ભાષ્યમાં હોવું જોઈએ એનું પણ સૂચન મળે છે. આચાર્ય હરિભદ્રના વાદનામક બારમા અષ્ટક ઉપરની જિનેશ્વરસૂરિની ટીકામાં એક પ્રાકૃત ગાથા છે. સંભવતઃ આ ગાથા કઈ ભાષ્યની હશે. તેમાં કેની સાથે વાદ કરે અને કેની સાથે ન કરે તથા ક્યારે કરે અને ક્યારે ન કરવો એ પ્રસંગમાં જણાવેલું છે કેઃ “ધનવાન, રાજ, પક્ષવાન, (લાગવગવાળે), બળવા, ઉગ્ર, ગુરુ, નીચ અને તપસી ” એટલાની સાથે વાદ ન કરો. ભાષ્યના વધારે અવકનથી આ વિશ્વમાં વધારે પ્રકાશ પડવાનો ચોક્કસ સંભવ છે.
જૂળ ભાષ્ય પછી ચૂર્ણિ આવે છે. જે નિર્યુક્તિ અને ભાગમાં હોય તે ચૂર્ણિમાં આવે જ. નિશીથયુર્ણિમાં આ વિષયને લગતું વધારે વર્ણન છે એમ આચાર્યશ્રી જિનવિજયજી મહારાજ તરફથી મને માહિતી મળી છે. પણ તે થુર્ણિ હસ્તલિખિત અને વિસ્તૃત હોઈ અત્યારે તુરત તેનો પાઠ આપ કે પૃષ્ઠઅંક સૂચવે શક્ય નથી.
ટી -મૂત્ર, નિર્યુક્તિ, ભાષ્ય અને શૂર્ષિ એ ચાર પ્રવાહમાં એકત્ર
૧. જુઓ દિનાગનાં ન્યાયપ્રવેશમૂ. નં. ૧૦. તથા પ્રમાણુનયતવાકાલંકાર. પરિ. ૩, સુ. ૨૩, સ્યાદાદરના કટકા તથા “અષ્ટસહસ્ત્રી" પૃષ્ઠ ૮૪.
૨. બૌદ્ધ મન્યતા વિષે હેમચંદ્ર આ પ્રમાણે ઉલ્લેખ કરે છે –
ચાહુ સારા, વિદુષો વારો હેતુtવ છે : ” T WIળકોમાં અ. ૨, શા. ૧, વૃત્તિ It
Page #43
--------------------------------------------------------------------------
________________
૧૨૨૮ ]
દર્શન અને ચિંતન
થયેલું વિચારાત્મક જળ ટીકાની ગંગામાં વહે છે. તેથી જ આપણે સ્થાનાંગની ટીકામાં કથાપદ્ધતિને લગતું નિયુક્તિ, ભાષ્ય આદિનું વર્ણન એક અગર બીજે રૂપે જોઈ શકીએ છીઍ.
પરિશિષ્ટ ૩
ચરકમાંથી મળતી કથાવિષયક માહિતી
અત્રે એ જણાવી શું જોઈ એ કે ચરકમાંનું પ્રસ્તુત વર્ણન અત્યંત સ્પષ્ટ, મનરંજક અને કલ્પાત્તેજક છે, તેમ જ અક્ષપાદના ન્યાયસૂત્રમાં વર્ણવેલી ચર્ચાપદ્ધતિની પરંપરા કરતાં અત્યંત ભિન્ન નહિ એવી, છતાં પ્રાચીન કાળથી ચાલી આવતી કાઈ બીજી વ્યવસ્થિત ચર્ચાતી પર પરાનુ સૂચક છે. પણ તે અતિ લાંબુ હોવાથી વિસ્તારભયને લીધે અહીં તેનું બધું મૂળ અક્ષરશઃ આપવાના લાભ અનિચ્છાએ રકવા પડે છે. વિશેષાથી તે તે મૂળ જ જોઈ લે. અહી તેને સારમાત્ર આપ્યા છે. આ સારમાં જ્યાં જ્યાં ન્યાયદર્શન સાથે તુૠના કરી છે ત્યાં ત્યાં વિશેષાર્થીએ મૂળ ન્યાયદર્શન અગર તે પરિશિષ્ટ ક્રમાંક (૫) જોઈ લેવું.
ચર! એ વૈદ્યકના ગ્રંથ છે છતાં તેમાં કેટલીયે ન્યાયશાસ્ત્ર અને શાસ્ત્રસામાન્યને લગતી કીમતી માહિતી છે. આ સ્થળે વાદને લગતી માહિતી પ્રસ્તુત હોવાથી શ્રીજી કેટલીક સામાન્ય છતાં અતિ ઉપયાગી માહિતી ઉપર વાચકોનું માત્ર લક્ષ જ ખેંચવુ. યાગ્ય ગણાશે.
કાઈ પણ વિષયના અભ્યાસ કરવા હોય ત્યારે તે વિષયનું ગમે તે પુસ્તક ન લેતાં ખાસ પરીક્ષા કરીને જ તે વિષયના પ્રશ્ર પસંદ કરવા જોઈ એ, જેથી અભ્યાસીનાં બહુમૂલ્ય શ્રમ, સમય અને શક્તિ વધારે સફળ થાય એ સૂચવવા ચરકમાં શાસ્ત્રપરીક્ષાના ઉપાયે બતાવ્યા છે. યેાગ્ય શિક્ષકને અભાવે શ્રેષ્ઠ ગ્રંથની પસંદગી પણ નિષ્ફળ જવાની. તેથી તેમાં આચાર્યની પરીક્ષા કરવાનું પણ બતાવવામાં આવ્યું છે. યોગ્ય શિક્ષક છતાં પણ જો અભ્યાસ દૃઢપણે કરવામાં ન આવે તે પરિણામ શૂન્યવત આવે છે. તેથી તેમાં શાસ્ત્રની દઢતાના ઉપાયો પણ અતાવવામાં આવ્યા છે. ચરકમાં આત્રેય શાસ્ત્રાભ્યાસની દૃઢતાના ત્રણ ઉપાયો વર્ણવે છે (1) અધ્યયનવિધિ, (૨) અધ્યાપનવિધિ, અને (૩) દ્િઘસ ભાષાવિધિ. અધ્યાપન વિધિમાં શિષ્યનાં લક્ષણા, અધ્યયન શરૂ કર્યો પહેલાંનું શિષ્યનું કર્તવ્ય અને શિષ્ય પ્રત્યે શિક્ષકે કરવા જોઇતા ઉપદેશ એ ત્રણ બાબતે ખાસ આવે છે. આ બધી મહત્ત્વપૂર્ણ ખબતે માટે જીએ વિમાનસ્થાનમાંનું રાગભિષતિય વિમાન ( અધ્યયાય 4.)
:
Page #44
--------------------------------------------------------------------------
________________
કથાપધ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દન
[ ૧૨૩૯
'
ત્રીજા ઉપાય તરીકે જે તદ્વિદ્યસભાષાવિધિ ચરકમાં વર્જીવી છે તે જ મુખ્યપણે અહીં પ્રસ્તુત છે. તઘિસ ભાષા એટલે સમાન વિદ્યાવાળાની દાદર વિદ્યાગાષ્મી અગર ચર્ચો. એ જ અર્થમાં ન્યાયસૂત્રકાર અક્ષપાદ - ધ્રુવૈશ્ર લદ્દે સંવાર: ' એવું વચન ઉચ્ચારે છે ( જુએ, ન્યા૦ ૦ ૦ ૪, આ ૨, ૨૦ ૪૭). ચરકકાર તઘિસ ભાષાને એ પ્રકારની વર્ણવે છે : (૧) સધાયસ ભાષા અને (૨) વિગૃહ્યસભાષા. સધાયસભાષા એટલે મૈત્રીપૂર્વક ચર્ચા કરવી અને વિગૃહ્યસભાષા એટલે વિરોધપૂર્વક ચર્ચા કરવી. અક્ષપાદ સધાયસ ભાષાને વાદ અને વિશ્વસ ભાષાને જરૂપ અને વિતણ્ડાને નામે ઓળખાવે છે. અક્ષપાદ અને ચરકકારનો કથાવિષયક વિભાગ કેટલેક સ્થાને માત્ર શબ્દથી જ જુદો પડે છે. અક્ષપાનું ત્રિવિધ કથા વિષેનું વર્ણન અને ચરકકારનું દ્વિવિધ ભાષા વિષેનું વન એ અને એકમીજાની આવશ્યક પ્રતિરૂપે હાઈ કથાપદ્ધતિના અભ્યાસીનુ ખાસ ધ્યાન ખેંચે તેમ છે. અક્ષપાદ જેટલું છલ, જાતિ અને નિગ્રહસ્થાનનુ વિસ્તૃત વર્ણન ચરકકારે નથી કર્યું; પણ કેવા કેવા પ્રતિવાદી સાથે સધાયસ ભાષા કે વિગૃહ્યસભાષા કરવી, કયે પ્રકારે હરવી, પહેલાં કેવી તૈયારી કરવી, કઈ જાતની સભામાં ફી વગેરે અનેક ખાખાનું જે મતારજફ અને અનુભવસિદ્ધ વન ચકકારે આપ્યું છે તે અક્ષપાદના સૂત્રમાં કે તેના ભાષ્યમાં નથી, બીજી ખાસ વિશેષતા એ છે કે અક્ષપાદને અનુમાની વાત્સ્યાયન કાઈ પણ દાનિક વષય લઈ અનુમાનવાકય યોજે છે, જે ઘણાને નીરસ પણ લાગે, જેમ કે ‘આત્મા નિત્ય છે; કારણ કે તે જન્ય છેઃ 'ત્યારે ચરકકાર વૈદ્યકના વિષયમાંથી અનુમાનવાચ ધડે છે, જે ખાસ આકર્ષક લાગે છે. જેમ કે અમુક વ્યક્તિમાં ખળ છે, કારણ કે તે વ્યાયામ કરી શકે છે,' તેમ જ જરાગ્નિ પ્રદીપ્ત છે, કારણ કે તેને ખાધેલું જરે છે,' ઇત્યાદિ.
અમુક વ્યક્તિમાં ચરકકારે જે દ્વિવિધ સભાષાનું ચિત્ર આપ્યું છે, તેને મુદ્દાવાર ટૂંકમાં સાર નીચે મુજબ:
સભાષા(ચર્ચા)થી થતા ફાયદાઃ—જ્ઞાનપ્રાપ્તિને આનદ અને પ્રતિવાદી ઉપર આક્રમણ કરવાનો આનંદ; પ્રાણ્ડિત્ય, વાક્પટુતા, યશેલાભ; પ્રાથમિક અભ્યાસ વખતે રહી ગયેલા સદેહનું નિરાકરણ અને જો તે વખતે સદેહ ન રહ્યો હોય તોપણ તે વિષયનું દઢીકરણ. પહેલાં કદી નહિ સાંભળેલી એવી વાર્તાનું શ્રવણ, વિજચેચ્છાના રસને લીધે પ્રતિવાદી તરફથી મુકાતી મૂઢમાં ગૂઢ લીલા, જે તેણે બહુ શ્રમે ગુરુપ્રસાદી મેળવી હોય તેને અનાયાસ લાભ —આ બધાં સુંદર પરિણામે ચર્ચાનાં છે અને તેથી જ વિદ્વાને તેને પ્રશસે છે.
Page #45
--------------------------------------------------------------------------
________________
૧૨૪૦ ]
દર્શન અને ચિંતન
સંધાયસંભાષાના અધિકારીઓનું સ્વરૂપ -જેને ચર્ચાસ્પદ વિષયનું જ્ઞાન અને અન્ય વિષયની માહિતી હોય, જે પિતાને પક્ષ રજૂ કરવા તથા સામાને ઉત્તર આપવાને સમર્થ હૈય, જેને ગુસ્સે ન હોય, જેની વિદ્યા અધૂરી કે વિકૃત ન હય, જે ગુણધી ન હય, જે પોતે સમજી શકે તે હોય અને બીજાને પણ સમજાવી શકે તે હોય, જે સહિષ્ણુ અને પ્રિયભાષી હોય તેવાની જ સાથે સંધાયસંભાષા થાય છે.
સંધાયસંભાષા કરતી વેળાની ફરજો –વિશ્વત થઈને ચર્ચા કરવી, સામાને વિશ્વસ્ત ચિતે પૂછવું, અને વિશ્વસ્ત ચિતે પૂછતાં સામા પ્રતિવાદીને પિતાનું વક્તવ્ય સ્પષ્ટપણે કહેવું; પરાજયના ભયથી ગભરાવું નહિ અને સામાને પરાજિત કરી ખુશ ન થવું સામે બોલનારાઓ વચ્ચે આત્મશ્લાઘા ન કરવી; અજ્ઞાનથી એકાન્તઝાહી (એકતરફી જ) ન થવું; અજ્ઞાત વરતુ ન કહેવી પ્રતિવાદીના અનુનય ( સમજાવટથી બરાબર સમજી જવું, પ્રતિવાદીને પણ વખતે અનુનય કર—આ બધાં કર્તવ્યમાં સાવધાન રહેવું. અહીં સુધી અનુલેમ (સંધાય)સંભાષા વિધિ થઈ.
વિગૃહ્યસંભાષા (વિજયેચ્છામૂલક ચર્ચા):–જે પિતામાં વિદ્યાને ઉત્કર્ષ વગેરે ગુણે જોવામાં આવે તે જ વિગૃહ્યસંભાષામાં ઊતરવું. આ ચર્ચાના અધિકારીનું સ્વરૂપ સંધાયસંભાષાના અધિકારીના ઉપર્યુક્ત સ્વરૂપથી તદ્દન વિપરીત સમજવું. એટલે કે અધૂરા જ્ઞાનવાળા, ધી અને વડીલે હોય તે આ ચર્ચાને અધિકારી હોય છે. વિગ્રસંભાષા (જ કે વિતા ) શરૂ કર્યા પહેલાં પ્રતિપક્ષીની ભાષણવિષયક વિશેષતાઓ, તે પ્રતિપક્ષી પોતાથી ચઢિયાત છે કે ઊતરતે છે એ વિશેષતાઓ અને ખાસ સભાની વિશેષતાઓ એ બધાની પરીક્ષા કરી લેવી. કારણ કે સાચી પરીક્ષા જ બુદ્ધિમાનને કોઈ પણ કાર્યમાં પ્રવૃત્ત થવા કે નિવૃત્ત થવા પ્રેરે છે.
પરીક્ષા કરવાના ગુણો––શાસ્ત્રાભ્યાસ, તેનું સૂક્ષ્મ જ્ઞાન, યાદદાસ્તી, પ્રતિભા, વફાતિ–આ ઉચ્ચ ગુણ છે.
ગુસ્સે, અનિપુણતા, બીકણપણું, વિસ્મરણશીલતા, અસાવધાનપણું, –આ હલકી જાતના ગુણો છે.
Page #46
--------------------------------------------------------------------------
________________
કથાપધ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૪૧
આ બંને પ્રકારના ગુણને પારખી, સમજી તે બાબતમાં પોતાની અને પ્રતિવાદીની તુલના કરવી કે કોનામાં કયા ક્યા ગુણે ઓછાવત્તા છે.
પ્રતિવાદીના પ્રકારે –--પ્રતિવાદી ત્રણ પ્રકારના હોય છે : (૧) પર (પિતાનાથી શ્રેષ્ઠ) (૨) પ્રત્યવર (પિતાથી કનિષ્ઠ) (૩) સમ (પિતાની બરાબરનો). આ ત્રણ પ્રકારે ઉપર્યુક્ત ગુણોની દષ્ટિએ સમજવા નહિ કે ઉમર, વૈભવ આદિ સર્જાશે.
પરિષલ્લા પ્રકારે –સભાના જ્ઞાનવતી અને મૂઢ એવા બે પ્રકારે મુખ્ય છે. અને એ એના પણ મિત્ર, શત્રુ અને ઉદાસીન એ ત્રણ પ્રકારે છે.
જલ્પને વેગ અને અયોગ્ય પરિષદ – જ્ઞાનશક્તિ સંપન્ન હોય કે મૂઢ હૈય, કઈ પણ જાતની શત્રુસભા જલ્પને અગ્ય છે. મિત્રસભા કે ઉદાસીનસભા જે મૂઢ હોય તે તે ગમે તેવાની સાથે અને ગમે તેવી સ્થિતિમાં જ૫ કરવાને યોગ્ય જ છે.
વિગૃહ્યસંભાષા કરતી વખતનાં કર્તવ્ય-કણું અને લાંબાં લાંબાં ન સમજાય તેવાં વાક્યો બેલવાં અત્યંત હર્ષમાં આવી પ્રતિવાદીને ઉપહાસ કરતા જવું; આકૃતિથી સભાનું વલણ જોતા જવું અને પ્રતિવાદી બેલવા લાગે તે એને અવકાશ જ ન આપ; કિલષ્ટ શબ્દો બોલતાં બોલતાં સામાને એમ પણ કહેવું કે “તું તે ઉત્તર જ નથી આપત” અથવા “તારી પ્રતિજ્ઞા તૂટી, પ્રતિવાદી જે ફરી વાદ માટે આહવાન કરે તે તેને કહેવું કે
અત્યારે આટલું જ બસ છે. એક વર્ષ ફરી ગુસેવા કર,' એમ કહી ચર્ચા બંધ રાખવી; કારણ કે એકવાર હાર્યો તે હંમેશને માટે હાર્યો એમ વિદ્વાને કહે છે; એ હારેલ પ્રતિવાદીને ફરી સંબંધ પણ ન કરે. આ બતાવેલ રીતે જ૫ પિતાનાથી શ્રેષ્ઠની સાથે પણ કરે એમ કેટલાક વિદ્વાને કહે છે; જ્યારે બીજા વિદ્વાને તેથી ઉલટું કહે છે. તેઓ કહે છે કે પિતાથી કનિષ્ઠ કે પિતાને સમાન પ્રતિવાદી સાથે મિત્ર કે ઉદાસીન પરિષદમાં જ૫ કરવો ઘટે છે. આ જલ્પ કરતી વખતે પિતાનું અને પ્રતિવાદીનું બલાબલ જેઈ જે બાબતમાં પ્રતિવાદી ચઢિયાતો હોય તે બાબતની પોતાની અયોગ્યતા પ્રકટ કર્યા સિવાય જ કઈ પણ રીતે તે બાબતને ટાળી દઈ તેમાં જ૫ ન કરે; અને જે બાબતમાં પ્રતિવાદી દુર્બલ હેય, તે જ બાબતમાં તેને જલ્પદ્વારા શીઘ હરાવો.
દુર્બલને જલદી પરાજિત કરવાના ઉપાયો –જેને શાસ્ત્રપાઠ યાદ ન હેય તેને મોટા મોટા સૂત્રપાઠ ગગડાવીને, જે અર્થજ્ઞાન વિનાને હોય તેને
Page #47
--------------------------------------------------------------------------
________________
૧૨૪૨ ]
દર્શન અને ચિંતન
ફિલષ્ટ શબ્દવાળાં વાકયો ખાલીને, જેની ધારણાશક્તિ ઓછી હાય તેને મેટાં વાકયો ઉચ્ચારીને, જેમાં પ્રતિભા ન હોય તેને અનૈકાચક શબ્દવાળાં અનેક જાતનાં વચનો ઉચ્ચારીને, વાક્પટુ ન હોય તેને અધવાકય અધ્યાહત જેવું રાખીને, જેણે પહેલાં સભા ન જોઈ હોય તેને કે પંડિત ન હોય તેને લજ્જાજનક વાકય સંભળાવીને, ક્રાધીલાને થકવીને, ખીણને ડરાવીને, અને અસાવધાનને નિયમના પાશમાં નાખીને હરાવવે,
વાદ શરૂ થયા પહેલાં કરવાની ખટપટ-ગમે તે રીતે પરિષદને મળી જઈ તેની ભારત પોતાને સરળ અને પ્રતિવાદીને અતિ કાણુ એવા વિષયમાં ચર્ચાની રક્ત મળે તેવી ગોઠવણ કરવી. આ પ્રમાણે પરિષદને ખાનગી રીતે મળી નક્કી કરી લીધા પછી કહેવું કે આપણાથી ન કહી શકાય માટે આ પરિષદ્ જ યથાયેાગ્યવાદના વિષય અને વાદની મર્યાદા ધરાવશે, એમ કહી ચૂપ રહેવું, અને પાતાને અભિમત બધું પરિષદને મોઢે જ નક્કી કરાવવું, વાદમર્યાદાનું સ્વરૂપ:———આ ખેાલવું. આ ન ખેલવું, આમ થાય તે હારેલો ગણાય ત્યાદિ વાદમાર્ગના જ્ઞાન માટે જાણવી જોઇતી વસ્તુઓઃ— (૧) વાદ, (૨) દ્રવ્ય, (૩) ગુણા, (૪) કમ, (૫) સામાન્ય, (૬) વિશેષ, (૭) સમવાય, (૮) પ્રતિજ્ઞા, (૯) સ્થાપના, (૧૦) પ્રતિષ્ઠાપના, (૧૧) હેતુ, (૧૨) દષ્ટાંત, (૧૭) ઉપનય, (૧૪) નિગમન, (૧૫) ઉત્તર, (૧૬) સિદ્ધાંત, (૧૭) શબ્દ, (૧૮) પ્રત્યક્ષ, (૧૯) અનુમાન, (૨૦) અતિર્થે, (૨૧) ઔષમ્ય, (૨૨) સ*શય, (૨૩) પ્રયેાજન, (૨૪) સવ્યભિચાર, (૨૫) જિજ્ઞાસા, (૨૬) વ્યવસાય, (૨૭) અ પ્રાપ્તિ, (૨૮) સંભવ, (૨૯) અનુયાય, (૩) અનનુયાજ્ય, (૩૧) અનુયોગ, (૩૨) પ્રત્યનુયાગ, (૩૩) વાકયોષ, (૩૪) વાકયપ્રશંસા, (૩૫) છળ, (૩૬) અહેતુ, (૩૭) અતીતકાળ, (૩૮) ઉપાલભ, (૩૯) પરિહાર, (૪૦) પ્રતિજ્ઞાહાનિ, (૪૬) અભ્યનુત્તા, (૪૨) હેતર, (૪૩) અર્થાન્તર, (૪૪) નિગ્રહસ્થાન.
ચરકમાં (૫) વાદ (વિશૃદ્ઘસભાના )ના જલ્પ અને વિતા એ બે ભેદ છે અને તેનાં લક્ષણા ન્યાયસૂત્રમાં આપેલાં લક્ષણા જેવાં જ છે. (૨) થી (૭) સુધીના છ પદાર્થો કણાધ્વર્ણિત છ તત્ત્વો જ છે. ચરકમાં (૮) પ્રતિજ્ઞાનું સ્વરૂપ ન્યાય જેવું જ છે. પ્રતિજ્ઞા ઉચ્ચાર્યા પછી તેને સિદ્ધ કરવા હેતુ, દષ્ટાંત, ઉપનય અને નિગમન એ ચાર અવયવે કહેવામાં આવે છે તેને ચરક઼કાર (૯) સ્થાપના કહે છે. એક અનુભાન સામે બીજુ વિરોધી અનુમાન તે (૧૦) પ્રતિષ્ઠાપના, જેને નૈયાયિકા પ્રતિપક્ષ કહે છે. (૧૧) થી (૧૪) હેતુ,
Page #48
--------------------------------------------------------------------------
________________
કથાપધ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૨૪ દષ્ટાંત, ઉપનય અને નિગમનની વ્યાખ્યા ન્યાયમૂત્રના જેવી જ છે. ન્યાયશાસ્ત્રની
જાતિ’ એ જ ચરકનું (૧૫) “ઉત્તર’ તવ છે. ફેર એટલે છે કે ચરકમાં ન્યાયદર્શન જેવા વીસ ભેદ નથી અને ઉદાહરણે દાર્શનિક ન આપતાં ચિકિત્સાશાસ્ત્રનાં આપેલાં છે. (૧૬) સિદ્ધાંતની વ્યાખ્યા અને સર્વત– આદિ, ચાર ભેદે એ બધું ચરકમાં ન્યાય જેવું જ છે. (૧૭) થી (૨૩) સુધીના. બધા પદાર્થો ન્યાય પ્રમાણે જ છે. ચરકનું (૨૪) વ્યભિચાર તત્ત્વ ન્યાયના અને કાતિક હેવાભાસને સ્થાને છે. ચરકમાં (૨૫) જિજ્ઞાસા અને (૨૬) વ્યવસાયને અનુક્રમે પરીક્ષા અને નિર્ણય કહે છે. દાર્શનિકોની અર્થપત્તિ એ જ ચરકની (૨૭) અર્થ પાપ્તિ છે. ચરકનું (૨૮) સંભવતત્વ એટલે કારણ; તેમાં દાર્શનિકેના સંભવ પ્રમાણને પણ સમાવેશ થઈ જાય છે. ચરક જે વાક્યમાં વાક્યના દોષ હોય તે વાક્યને (૨૯) અનુજ્ય અને જેમાં ન હોય તેને (૩૦) અનનુજન કહે છે. ચરક શ્રમ અને પ્રતિપ્રશ્નને અનુક્રમે (૩૧) અનુગ અને (૩૨) પ્રત્યનુગ કહે છે. ચરકમાં ન્યૂન, અવિક, અનર્થક, અપાર્થક અને વિરુદ્ધ એ પાંચ (૩૩) વાયદો બતાવ્યા છે, જેમાંના. પ્રથમ ચાર તે બાવીસ નિગ્રહસ્થાને પૈકી (૧) (૧૨) (૭) અને (૯). નિગ્રહરથાનો જ છે. અને વિરુદ્ધ એ અક્ષપાદ બીજે હેત્વાભાસ છે. જૂનાદિ ઉકત પાંચ દ ન હોય એવા વાક્યને ચરક વાક્યપ્રશંસા કહે છે. ચરકમાં વાળ અને સામાન્ય છળ એ બે જ (૩૫) છળ છે. તેમાં ન્યાયનું ઉપચાર છળ નથી. ચરકમાં (૩૬) અહેતુ (હેત્વાભાસ)ના પ્રકરણસમ, સંશયસમ, અને વર્ણસમ એ ત્રણ ભેદ છે, જે અનુક્રમે ન્યાયમૂત્રના પાંચ હત્વાભાસ પિકી પ્રકરણસમ, સવ્યભિચાર અને સાધ્યમને સ્થાને છે. ચરકના (૩૭) અતીતકાલ અને ન્યાયના કાલાતીત (કાલાત્યયાદિષ્ટ) વચ્ચે ખાસ સામ્ય નથી. હેવાભાસોનું ઉદ્દભાવન કરવું તે (૩૮) ઉપાલંભ અને એનું સમાધાન કરવું તે (૩૯) પરિહાર. (૪૦) થી (૪૩) સુધીનાં બધાં ચરકકથિત ત ન્યાયનાં નિગ્રહસ્થાને જ છે. ફેર એટલો છે કે ન્યાયની મતાનુસાને ચરક અભ્યનુજ્ઞા કહે છે. (૪૪) નિગ્રહસ્થાન એ ન્યાયનું નિગ્રહસ્થાન છે. એને ન્યાયદર્શનવર્ણિત બાવીસે ભેદે ચરકમાં નથી પણ ઉપર બતાવેલા ન્યૂન, અધિક આદિ અને પ્રતિજ્ઞાાનિ આદિ ડાક જ ભેદો ચરકમાં દેખાય છે.
ઉપર પ્રમાણે તો કહ્યા બાદ ચરકકાર વાદનો ઉપસંહાર કરતાં જે ભલામણ કરે છે તે કોઈ પણ શાસ્ત્રના વાદીને કામની છે. તે કહે છે કે સંબંધ વિનાનું, શાસ્ત્રવિરુદ્ધ, પરીક્ષા વિનાનું, અસાધક, બુદ્ધિને વ્યામોહમાં
Page #49
--------------------------------------------------------------------------
________________
ર૪૪ ]
દર્શન અને ચિંતન નાંખે તેવું અને કાંઈ પણ બેધ ન કરે તેવું વાકય વાદી ન જ બેલે. તે જે બોલે તે હેતુયુક્ત જ બોલે, કારણ કે હેતુયુક્ત વાદવિગ્રહ વિશદ હેઈ, બુદ્ધિને પ્રશસ્ત બનાવે છે અને એવી પ્રશસ્ત બુદ્ધિ જ દરેક કાર્યની સિદ્ધિ કરે છે. આ ઉપરાંત બીજા કેટલાંક પ્રકરણે ચરકમાં વર્ણવ્યાં છે, જે અહીં વિસ્તારભયથી ન આપી શકાય, પણ એ બધું ચરકનું વર્ણન એટલું બધું સ્પષ્ટ, રેચક અને અનુભવસિદ્ધ છે કે તે વિશેષ જિજ્ઞાસુએ ખાસ જોવા જેવું છે. જુઓ ચરક, વિમાનસ્થાન અધ્યાય ૮, રોગભિષજિનીયવિમાન.
પરિશિષ્ટ ૪
વિભાગ ૧ સિદ્ધસેન દિવાકરકૃત દ્રાવિંશિકાઓ
વાદપનિષદ દ્વાર્વિશિકા धर्मार्थकीर्त्यधिकृतान्यपि शासनानि न ह्वानमात्रनियमात् प्रतिभान्ति लक्ष्म्या । संपादयेन्नृपसभासु विगृह्य तानि येनाध्वना तमभिधातुमविघ्नमस्तु ॥ १ ॥
જે દ્વારા ધર્મ, અર્થ અગર કીર્તિ મેળવવી ઈષ્ટ હેય એવાં શાસન (માનપત્ર, દાનપત્ર અને આજ્ઞાપત્ર આદિ ફરમાનો) કેવળ સ્પર્ધાને લીધે કાંઈ ભતાં નથી, તેથી જે માગે રાજસભાઓમાં વિગ્રહ કરીને તેવાં શાસન સંપાદન કરવા ઘટે તે માર્ગનું (વાદનું) કથન કરવામાં નિર્વિઘતા હે. ૧
पूर्व स्वपक्षरचना रभसः परस्य वक्तव्यमार्गमनियम्य विजभते यः । मापीडधमानसमयः कृतपौरुषोऽपि નિૌ શિર ર વતિ તનાવતકુ | ૭ |
પ્રથમ જ પિતાના પક્ષની સ્થાપનામાં તત્પર એવા પ્રતિવાદીના વક્તવ્યમાર્ગ ઉપર અંકુશ મૂક્યા સિવાય જે વાદી વાચેષ્ટા કરે છે, તે પૌજવાન છતાં પિતાને અવસર ગુમાવેલું હોવાથી વિદ્વાનોની સભામાં ઊંચે મસ્તક કરી બોલી શકતો નથી. ૭
Page #50
--------------------------------------------------------------------------
________________
કથાપધ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન
नामि किं वदसि कस्य कृतान्त एष । सिद्धान्तयुक्तमभिधत्स्व कुहैतदुक्तम् । ग्रन्थोऽयमर्थमवधारय नैष पन्थाः
क्षेपोऽयमित्यविशदागमतुण्डबन्धः ॥८॥
“ તું શું બોલે છે હું નથી સમજ. આ તે કેને સિદ્ધાંત છે? સિદ્ધાંતયુક્ત બેલ, આ ક્યાં કહ્યું છે? આ ગ્રંથ રહ્યો, અર્થ નક્કી કર. આ માર્ગ (રીત) નથી. આ પ્રક્ષેપ છે.” એ રીતે અસ્પષ્ટ-આગમવાળી પ્રતિવાદીનું મુખ બંધ કરાય છે. તે ૮
આનાથમાસુપુજારતોમિયો करोत्तरैरभिहतस्य विलीयते धोः। नीराजितस्य तु सभाभटसंकटेषु
શુદ્ધઘારવિમેવ વિસ્વાતિ / ૨૨ II
કઠોર ઉત્તર વડે જે પુણ્ય આધાત પામી જાય છે તેની બુદ્ધિ જે આનાથ માર્ગને અનુસરી સુકુમાર અભિગ કરનારી હોય છે તે તે વિલીન થઈ જાય છે. પણ જે પુર એવા કઠોર ઉત્તરે વડે ઉત્તેજિત થઈ જાય છે, તેના શત્રુઓ સભાભથી ભરેલા રણાંગણમાં ચેખો માર ખાઈ સૂઈ જાય છે. ૨૧
किं मर्म नाम रिपुषु स्थिरसाहसस्य मर्मस्वपि प्रहरति स्ववधाय मन्नः । आशीविषो हि दशनैः सहजोग्रवीय: क्रीडन्नपि स्पृशति यत्र तदेव मर्म ॥ २६ ॥
જેનું સાહસ સ્થિર છે તેને માટે શત્રુના વિષયમાં મર્મસ્થાન શું જોવાનું હોય ? અને જે મંદ છે તેના માટે તે પોતે મર્મ ઉપર કરેલ પ્રહાર સ્વનાશનું કારણ થઈ જાય છે. કારણ કે સહજ અને પ્રચંડ વિર્યવાળા દાંત વડે ક્રીડા કરતે આવિધ સપ જ્યાં સ્પર્શ કરે તે જ મર્મ થઈ જાય છે. આ ૨૬ છે.
મોજાવકના તફામવાત: स्फीतागमोऽप्यनिभृतः स्मितवस्तु पुंसाम् । तस्मात् प्रवेष्टुमुदितेन सभामनांसि
થઃ કૃતારગુ સમ જવ અર્થ છે ૨૭ મંદ, અલ્પાભ્યાસી જે શાંત ચિત્તવાળો હોય છે તો તેનું વચન અખંડનય થાય છે. તેથી ઊલટું, બહુ અભ્યાસી પણ જે અશાંતચિત્ત હોય છે તે
Page #51
--------------------------------------------------------------------------
________________
૧૪૬ ]
દર્શન અને ચિંતન તે પુરુષોમાં ઉપહાસપાત્ર બને છે. તેટલા માટે સજોનાં મનમાં સ્થાન મેળવવા તત્પર થનારે શાસ્ત્ર કરતાં પ્રશમના વિષયમાં જ સેગણે પ્રયત્ન કરે જોઈએ. છે ૨૭ છે
आक्षिप्य यः स्वसमयं परिनिष्ठुराक्ष : पश्यत्यनाहतमनाश्च परप्रवादान् । आक्रम्य पार्थिवसभाः स विरोचमानः
rગાવાન faષત જતિ ૨૮ in જે પિતાના સિદ્ધાંતનું સ્થાપન કરી નિર્ભય મન અને નિષ્ફર નેત્રવાળો થઈ પ્રતિવાદીઓ સામે જુએ છે તે રાજસભા ઉપર કાબૂ મેળવી તેજસ્વી બનેલે પિતાના શત્રુઓને શેક અને જાગરણના દુઃખથી દુર્બળ કરી મૂકે છે. ૧ ૨૮ છે
किं गर्जितेन रिपुषु त्वभितोमुखेषु कि त्वेव निर्दयविरूपितपौरुषेषु । वाग्दीपितं तृणशानुबल हि तेजः कल्पात्ययस्थिरविभूतिपराक्रमोत्थम् ॥ २९ ॥
સંમુખ થઈ બેઠેલા શત્રુઓમાં ગર્જન કરવાથી શું થવાનું છે? તેમ જ નિર્દયભાવે જે પરુષ નિહાળી રહ્યા હોય તેમની વચ્ચે પણ ગર્જન કરવાથી શું થવાનું છે? કારણ કે વાણથી પ્રકટાવેલું તેજ માત્ર વાસના અગ્નિ જેટલું બળ ધરાવે છે. કલ્પાંત સુધી સ્થિર રહે તેવું તેજ પરાક્રમથી જ પ્રકટી શકે છે. જે ૨૯ છે
परिचितनयः स्फीतार्थोऽपि श्रियं परिसंगतां ननपतिरलं भोक्तुं कृत्स्नां कृशोपनिषदबलः । विदितसमयोऽप्येवं वाग्मी विनोपनिषक्रियां
न तपति यथा विशातारस्तथा कृतविग्रहाः ॥ ३२ ॥
જેમ સમૃદ્ધિશાળી અને નીતિ હોવા છતાં પણ જે રાજા રહસ્ય બળથી દુબળ હોય છે તે તે પ્રાપ્ત થયેલી સંપૂર્ણ સંપત્તિને ભેગવી શકો નથી, તેમ શાસ્ત્રોને જ્ઞાતા હોવા છતાં (વાદના) રહસ્યને ન જાણતા હોય તો તે (જનસમૂહમાં) દીપી ઊઠત નથી. કારણ કે જે (વાદી અગર રાજા) જે રીતે શાતા હોય તે રીતે તે વિગ્રહ કરી શકે છે ૩૨ છે
Page #52
--------------------------------------------------------------------------
________________
કથાપધ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન
[ ૧૨૪૭, વાદાવિંશિક सामान्तरोपगतयोरेकामिषसंगजातमत्सरयोः । स्यात् सौ( १ सख्यमपि शुनोत्रोरपि वादिनोर्न स्यात् ॥१॥
જુદા જુદા ગામથી આવી ચઢેલા અને એક જ માંસના ટુકડા ઉપર તાકી રહેવાથી પરસ્પર મસરી બનેલાં એવાં બે ધાનેનું પણ કદાચિત સંખ્ય સંભવે ખરું; પરંતુ વાદીઓ જે બે સગા ભાઈ હોય તો પણ તેઓનું પરસ્પર સખ્ય રહેવું અસંભવિત છે. | ૧ |
क्व च तत्त्वाभिनिवेशः क्व च संरम्भातुरेक्षणं वदनम् । क्व च सा दीक्षा विश्वसनीयरूपतानृजुर्वादः (१)॥ १ ॥
કળ્યાં તે તત્વને આગ્રહ અને કયાં આવેશથી આતુર (ચઢેલ) આંખવાળું (વાદીનું) મુખ? ક્યાં તે વિશ્વાસની મૂર્તિસમી દીક્ષા અને કયાં એ કુટિલ વાદી | ૨ |
तावद् बकमुग्धमुस्वस्तिष्ठति यावन्न रंगमवतरति । रंगावतारमत्तः काकोद्धतनिष्ठुरो भवति ॥ ३ ॥
જ્યાં સુધી રંગ વાદસ્થલી)માં નથી ઊતરત ત્યાં સુધી વાદી બગલા જેવો મુગ્ધ દેખાય છે. પણ રંગમાં ઊતરતાં જ તે મત્ત થઈ કાગડા જે ઉદ્ધત અને કઠોર થઈ જાય છે. તે ૩ છે
कीडनकमीश्वराणां कुर्कुटलावकसमान(?)बालेभ्यः । शास्त्राण्यपि हास्यकथां लघुतां वा क्षुल्लको नयति ॥ ४ ॥
ક્ષુલ્લક વાદી કુકડા અને તેતરની પેઠે પૈસાદારેનું રમકડું બની પિતાનાં શાસ્ત્રોને બાળકે મારફત ઉપહાસ અને લઘુતા પ્રાપ્ત કરાવે છે. જે જ !
अन्यैः स्वेच्छारचितानर्थविशेषान् श्रमेण विज्ञाय । कृत्स्नं वाङ्मयमित इति खादत्यंगानि दर्पण ॥ ५ ॥
બીજાઓએ (અન્ય વાદીઓએ) સ્વેચ્છાપૂર્વક રચેલા વિશિષ્ટ અર્થોને કષ્ટપૂર્વક જાણીને વાદી, જાણે અહીં જ સંપૂર્ણ શાસ્ત્રો છે એમ દર્પ વડે અંગોને કરડે છે. જે ૫ છે
अन्यत एव श्रेयांस्यन्यत एव विचरन्ति वादिवृषाः । वाक्संरम्भः क्वचिदपि न जगाद मुनिः शिवोपायम् ।
કલ્યાણે બીજી જ તરફ છે, અને વાદીવૃષભો બીજી જ તરફ વિચરે છે; મુનિઓએ તે વાણીના યુદ્ધને કયા કલ્યાણનો ઉપાય કહ્યો નથી. ૭
Page #53
--------------------------------------------------------------------------
________________
દર્શન અને ચિત્તત
यद्यकलाभिजातं वाक्छलरंगावतारनिर्वाच्यम् ॥ स्वस्थमनोभिस्तस्वं परिमीमांसेन्न दोषः स्यात् ॥ ८ ॥ વાકલરૂપી રંગભૂમિમાં ઊતરીને જેનુ નિચન કરવાનું છે, એવા તત્ત્વની જો સ્વચ્છ મન વર્ડ, કલહથી સુંદર બને તેમ તે વિચારણા કરવામાં આવે તે તેમાં ફરો દ્વેષ ન થાય. ૫ ૮ |
૧૨૪૮ ]
साधयति पक्षमेकोsपि हि विद्वान् शास्त्रवित्प्रशमयुक्तः । न तु कलहकोटिकोटयाऽपि समेता (? संगता) वाक्यलालभुजः ॥ ९ ॥ શાસ્ત્ર જાણનાર વિદ્વાન જો શાંત હાય તો તે એકલે છતાં પણ પોતાના પક્ષ સાધે છે, પરંતુ વાકયોની લાળ ચાટનારા અનેક વિદ્વાને એકઠા થઈ ને કલહ--પ્રધાન એવી કરોડો કાટિએથી પણ પેાતાને પક્ષ સાધી શકતા નથી. ।। ૯ !!
आर्तध्यानोपगतो वादी प्रतिवादितस्तथा स्वस्य । चिन्तयति पक्षनयहेतुशास्त्रवाग्वाणसामर्थ्यम् ॥ १० ॥ વાદી દુર્ધ્યાનમાં પડી પ્રતિવાદીના અને પોતાના પક્ષવિષયક, નવિષયક, હેતુવિષયક, શાસ્ત્રવિષયક અને વચનબાવિષયક સામર્થ્યની જ ચિંતા કરતા રહે છે. । ૧૦ ।।
દેવિદ્લો ન ર્: (?ž:) શોડલો ન તુ વિષદંતુષ उभयज्ञो भावपटुः पटुरन्योऽसौ स्वमतिहीनः ॥ ११ ॥
અમુક વાદી હેતુન ( તર્કન ) છે તે શબ્દશાસ્ત્ર નથી જાણતો. વળી અમુક ખીજો વાદી શબ્દશાસ્ત્રજ્ઞ છે તેા ત કથામાં કુશળ નથી, ત્રીનેં વળી તક અને શબ્દશાસ્ત્ર અને જાણતા છતાં ભાવ પ્રકટ કરવામાં પટુ નથી. તે ખીજો વાદી પટ્ટુ છે પણ તેને પેાતાની બુદ્ધિ નથી. ।। ૧૧ ।
स नः कथा भवित्री तत्रैता जातयो मया योज्याः । इति रागविगतनिद्रो वाग्मुखयोग्यां निशि करोति ॥ १२ ॥
C
અમારા વચ્ચે તે કથા થવાની છે તેમાં મારે આ જાતિઓ (અસત્ય ઉત્તરા) યોજવાની છે. ' આવા પ્રકારની ચિંતાથી નિદ્રાહીન થઈ વાદી રાત્રિને વખતે વચન અને મુખની કસરત કરે છે. । ૧૨ ।
अशुभ वितर्क विधू मितहृदयः कृत्स्नां क्षपामपि न शेते । कुण्ठितदर्पः परिषदि वृथात्मसंभावनोपहतः ॥ १३ ॥
1
Page #54
--------------------------------------------------------------------------
________________
સ્થાપતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દ ન
[ ૧૨૪૯
સભામાં જેને ગવ તૂટી ગયા છે એવા વાદી પાતાની મિથ્યા આત્મ સંભાવનાથી આવાત પામી આખી રાત અશુભ વિતૌથી ઘેરાયેલા હૃદયવાળા થઈ ઊંધ લઈ શકતા નથી, । ૧૩ ।
यदि विजयते कथञ्चित्ततोऽपि परिताषभग्नमर्यादः || स्वगुणविकत्थनदुषिक (१) स्त्रीनपि लोकान् खलीकुरुते ॥ १५ ॥ उत जीयते कथञ्चित् परिषत्परिवादिनं स कोपान्धः ॥ गलगर्जेनाक्रामन् वैलक्ष्पविनोदनं कुरुते ॥ १६ ॥
જો વાદી કાઈ પણ રીતે તે તો તેથી થતી ખુશીમાં તે મર્યાદા તોડી આત્મપ્રશસાથી ફુલાઈ જઈ ત્રણે લોકની અવજ્ઞા કરે છે. પરંતુ જો હારે તે તે વાદી ક્રાધાંધ થઈ સભા અને પ્રતિવાદી ઉપર ઊંડી ગર્જના દ્વારા આક્રમણ કરતા પોતાની ઝાંખપને દૂર કરે છે. ૫ ૧૫ ॥ ॥ ૧૬ |
वादकथां न क्षमते दोघे निःश्वसिति मानभंगोष्णम् । रम्येऽप्यपरतिज्वरितः सुहृत्स्वपि वज्रीकरणवाक्यः ॥ १७ ॥
જ્યારે વાદી વાદથા નથી સહી શકતે! ત્યારે માનભગના ભયથી ગમ અને લાંભે નિસાસો મૂકે છે. અને તે રમ્ય સ્થાનામાં પણ બેચેનીથી સંતપ્ત થયેલા હાઈ મિત્રોના પ્રત્યે પણ વજ્ર જેવાં તીક્ષ્ણ વચના ખેલવા લાગે છે. ા ૧૭ ||
दुस्खमहंकारप्रभवमित्यं सर्वतन्त्रसिद्धान्तः ।
અથ ચ તમેવાઢસ્તવપરીક્ષાં બ્રિજ રોક્તિ | ૨૮ ॥
સર્વ શાસ્ત્રકારોના એ મત છે કે અહંકાર એ જ દુઃખનું મૂળ છે, છતાં તે જ અહં'કારના આશ્રય લઈ વાદી તત્ત્વની પરીક્ષા કરવા ઇચ્છે છે. ।। ૧૮
ज्ञेयः परसिद्धान्तः स्वपक्षलनिश्चयोपलब्ध्यर्थम् । परपक्षक्षोभणमभ्युपेत्य तु सतामनाचारः ॥ ૨ ॥
પોતાના પક્ષમળના નિશ્ચયનો ઉપલબ્ધિ ( ખાતરી ) માટે જ બીજાના સિદ્ધાંત જાણી લેવા આવશ્યક છે; પરંતુ સામાના પક્ષને ક્ષે।ભ પમાડવાના ઉદ્દેશથી તેને સિદ્ધાંત જાણવા એ તે સજ્જનો માટે અનાચાર જ છે. ૫ ૧૯ ૫. स्वतायैवोत्थे को नानामतिविचेतन लोकम् ॥ यः सर्वज्ञेन कृतः शक्ष्यति तं वर्तुमेकमतम् ॥ २० ॥
૧૯
Page #55
--------------------------------------------------------------------------
________________
દન અને ચિંતન
પોતાના હિતની દૃષ્ટિએ જ પરાક્રમ કરવું ઉચિત છે, કારણ કે અનેક મતભેદોથી ભ્રાન્ત થયેલું આ જગત સર્વનાશથી પણુ એકમત ન થયું તે પછી તેને કયા વાદી એકમત કરી શકશે? ॥ ૨ ॥
૧૬૫૦]
सर्वशविषय संस्थांछद्मस्थो न प्रकाशयत्यर्थान् । नाश्चर्यमेतदत्यद्भुतं तु यत्किंचिदपि वेत्ति ॥ २९ ॥
સર્વજ્ઞના જ વિષયભૂત એવા પદાર્થોને જો છદ્મસ્થ ( અલ્પજ્ઞ) મનુષ્ય પ્રકટ કરી શકતા નથી, તે તેમાં કાંઈ આશ્ચય પામવા જેવુ નથી. એવા અપના જે કાંઈ થેઢુ જાણી શકે છે તે જ આશ્રય માનવુ જેઈ એ. રા
परुषवत्र नोद्यतमुखैः काइलजनचित्तविभ्रमपिशाचैः । ધૂર્તે: જક્ષ્ય તો મીમાંસા નામ યિતઃ ॥ ૨૪ ॥
પામર જનાનાં ચિત્તને ભરમાવવા માટે પિશાચ જેવા અને કાર વચન એકલવા માટે જ જેએનાં મુખ તત્પર હોય છે એવા ધૃત જનોએ કલહુને મીમાંસાના નામમાં બદલી નાખ્યુ છે.
परनिग्रहाभ्यवसितचितैकाय्यमुपयाति तद्वादी ।
यदि तत्स्याद्वैराग्ये न चिरेण शिवं पदमुपयातु ॥ २५ ॥
ખીજાતે નિગ્રહ આપવાના નિશ્ચયથી વાદી ચિત્તની જે એકાગ્રતા મેળવે છે તેવી જો વૈરાગ્યમાં મેળવે તે તે યાદી વગર વિલ એ મુક્તિ પામે. ॥ ૨૫
एकमपि सर्वपर्ययनिर्वचनीयं यदा न बेत्यर्थम् ।
मां प्रत्यहमिति गर्वः स्वस्थस्य न युक्त इह पुंसः ॥ २६ ॥ અહીં આ લાકમાં, જ્યારે મનુષ્ય સર્વ અાથી નિચન કરવા ચેાગ્ય એવી એક પણ વસ્તુને પૂરી જાણી શકતા નથી તો પછી હું કે ભારા પ્રત્યે કે ' એવા પ્રકારના ગવ કરવા કયા સ્વસ્થ પુરુષને યોગ્ય હાઈ શકે? ! ૨} !!
ન્યાયહાત્રિ શિકા
देवखातं च वदनं आत्मायत्तं च वाङ्मयम् ।
श्रोतारः सन्ति चोकस्य निर्लज्जः को न पण्डितः ॥ १ ॥ માઢું' દૈવે ખાદચુ' છે. (બનાવી રાખ્યું છે) અને વાડ્મય પેતાને આધીન
Page #56
--------------------------------------------------------------------------
________________
કથાપધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧રપ૧ છે; જે કાંઈ પણ કહેવામાં આવે તેને સાંભળનાર પણ મળી જ આવે છે; એવી સ્થિતિમાં કે નિર્લજ્જ પંડિત ન બની શકે છે ૧ ૫
द्वितीयपक्षपतीघाः सर्व एव कथापथाः । अभिधानार्थविभ्रान्तैरन्योऽन्य विप्रलप्यते ॥ ७ ॥
સર્વે કથા(વાદ)માર્ગો પરપક્ષના ઘાત માટે જ રચાયેલા હોય છે; છતાં શબ્દ અને અર્થમાં બ્રાન્ત થયેલા વાદીઓ અંદરોઅંદર વિપ્રલાપ કર્યો જ કરે છે. તે છે !!
एकपक्षहता बुद्धिर्जल्पवाग्यन्धपीडिता। श्रुतसंभावनावैरी वैरस्य प्रतिपद्यते ॥ १६ ॥
જલ્પરૂપ વચનયંત્રમાં પીડિત થયેલી બુદ્ધિ એક પક્ષમાં હણાઈ જાય છે; અને શારસંભાવના (બહુમાન)ની શત્રુ બની નીપણું પ્રાપ્ત કરે છે. જો
न नाम दृढमेवेति दुबैल चोपपत्तितः । વરાતિવિઝા તરવતિ વા ન વા ! ૨૮ |
ઉપપત્તિ (યુકિત)થી કાંઈ બળવાન કે દુર્બળ છે જ નહિ; વક્તાની વિશિષ્ટ શક્તિને લીધે જ તે તેમ બને અથવા ન બને. . ૨૮ છે
तुल्यसामाधुपायासु शक्त्या युक्तो विशेष्यते । विजिगीषुर्यथा वाग्मी तथाभूयं (?) श्रुतादपि ॥ २९ ॥
સામ આદિ ઉપાયે સમાન હોવા છતાં જેવી રીતે શક્તિશાલી વિજયેચ્છ ચઢી જાય છે તેવી રીતે વક્તા પણ શાસ્ત્ર કરતાં શક્તિના ગે ચઢી જાય છે. ૨૯ છે
पानिकेश्वरसौमुख्यं धारणाक्षेपकौशलम् । सहिष्णुता परं धार्थमिति वादच्छलानि षट् ॥ ३१ ॥
સભ્ય અને સભાપતિનો અભાવ, ધારણાશકિત અને આક્ષેપશક્તિનું કૌશલ, સહનશીલતા અને પરમ ધૃષ્ટતા–આ છ વાદચ્છલ કહેવાય છે. ૩૧
વિભાગ ૨ હરિભદ્રસૂરિનાં વાદ અને યમ અષ્ટક આગળ પૃ. ૧૨૧૪ થી ૧૨૧૮ માં જે અષ્ટકને સારાંશ આપવામાં આવ્યું છે તે અખકે સંક્ષિપ્ત તેમ જ પાડ્યું હોવાથી નીચે તેનું મૂળ માત્ર આપવામાં આવે છે –
Page #57
--------------------------------------------------------------------------
________________
૧રપર 3
॥
२
॥
॥
३
॥
દર્શન અને ચિંતન शुष्कवादो विवादश्च धर्मवादस्तथापरः । इत्येष त्रिविधो पादः कीर्तितः परमर्षिभिः अत्यन्तमानिना साधु क्रूरचितेन च दृढम् । धर्मद्विष्टेन मूढेन शुष्कवादस्तपस्विनः विजयेऽस्यातिपातादि लाघवं तत्पराजयात् । धर्मस्येति द्विधाप्येष तत्त्वतोऽनर्थवर्धनः लन्धिख्यात्यर्थिना तु स्यादुःस्थितेनामहात्मना । छलजातिप्रधानो यः स विवाद इति स्मृतः ॥४॥ विजयो स्वत्र सन्नीत्या दुर्लभस्तत्त्ववादिनः । तद्भावेऽप्यन्तरायादिदोषो दृष्टविघातकृत् परलोकप्रधानेन मध्यस्थेन तु धीमता । स्वशास्त्रज्ञाततत्त्वेन धर्मवाद उदाहृतः विजयेऽस्य फलं धर्मप्रतिपत्त्यानिन्दितम् । मात्मनो मोहनाशश्च नियमात्तत्पराजयात् देशाद्यपेक्षया चेह विज्ञाय गुरुलाघवम् । तीर्थकृज्ज्ञातमालोच्य वादः कार्यः विपश्चिता ॥८॥
॥
६
॥
॥ १ ॥
॥२॥
॥३॥
विषयो धर्मवादस्य तत्तत्तंत्रव्यपेक्षया । प्रस्तुतार्थोपयोग्येव धर्मसाधनलक्षणः पंचतानि पवित्राणि सर्वेषां धर्मचारिणाम्। अहिंसा सत्यमस्तेयं त्यागो मैथुनवर्जनम् क्व खल्वेतानि युज्यन्ते मुख्यवृत्त्या व वा न हि । तत्रे तत्तंत्रनीत्यैव विचार्य तत्त्वतो ह्यदः धर्माथिभिः प्रमाणादेर्लक्षण न तु युक्तिमत् । प्रयोजनाद्यभावेन तथा चाह महामतिः "प्रसिद्धानि प्रमाणानि व्यवहारश्च तत्कृतः। प्रमाणलक्षणस्योक्तौ शायते न प्रयोजनम् ” प्रमाणेन विनिश्चित्य तदुच्येत न वा ननु । अलक्षितात् कथं युक्ता न्यायतोऽस्य विनिश्चितिः
॥४॥
॥५॥
॥६॥
Page #58
--------------------------------------------------------------------------
________________
કથાપધ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૨૫૦
सत्यां चास्यां तदुक्त्या किं तद्वद्विषयनिश्चिते। तत पवाविनिश्चित्य तस्योक्तिया॑न्ध्यमेव हि ॥७॥ तस्माद्यथोदितं वस्तु विचार्य रागवर्जितः । धर्मार्थिभिः प्रयत्नेन तत इष्टार्थसिद्धितः ॥८॥
પરિશિષ્ટ પ વાદી દેવસૂરિને તથા આચાર્ય હેમચંદનો વાદવિચાર
વિભાગ ૧ વાદસ્વરૂપ–પરસ્પર વિરુદ્ધ એવા બે અંશેમાંથી એક અનિષ્ટ અંશનું નિરાકરણ કરી બાકીના બીજા ઈષ્ટ અંશનું સ્થાપન કરવા માટે વાદી અને પ્રતિવાદી જે પોતપોતાના પક્ષનું સાધન અને સામેના પક્ષનું નિરસન કરે કરે છે તે વાદ. આ લક્ષણમાં અપાદન વાદ અને જલ્પ સમાવેશ થાય છે; વિતાને નહિ.
હેમચંદ્ર કહે છે કે પ્રાશ્ચિક (સભ્ય), સભાપતિ અને પ્રતિવાદીની સમક્ષ તત્વનિશ્ચયની રક્ષા માટે પોતાના પક્ષનું સાધન અને પરપક્ષનું દૂષણ કહેવું તે વાદ.૨ હેમચંદ્ર પણ પિતાના એ વાદના લક્ષણમાં અપાદકથિત વાદ અને જલ્પ એ બંને કથાને સમાવેશ કરે છે અને લાંબી ચર્ચા પછી કહે છે કે વાદથી જલ્પની કાંઈ ભિન્નતા નથી. વિતષ્ઠા માટે તે તે કહે છે કે પ્રતિપક્ષસ્થાપના વિનાની વિતષ્ઠા એ તે કથા જ નથી; કારણ કે વૈચ્છિક પિતાને પક્ષ લઈ તેને સ્થાપન ન કરતાં જે કાંઈ પણ બેલી પરપક્ષને જ દૂષિત કરે છે તેનું કથન કણ સાંભળે? તેથી વૈતરિકે પિતાના પક્ષનું સ્થાપન તે કરવું જ રહ્યું અને એમ કરે એટલે તેની કથામાં વિતડાપણું રહેતું જ નથી, કાં તે તે કથા વાદ અને કાં તે જપ બની જાય છે. માટે જ વિતડા એ કથાકેટિમાં આવી શકતી નથી.'
१. विरूद्धयोधर्मयोरेकधर्मव्यवच्छेदेन स्वीकृततदन्यत्रमव्यवस्थापनार्थ साधनgણવ વારઃ કમાનનીતરવા. પરિ. ૮, ઝૂ. ૧.
२ तत्त्वसंरक्षणार्थ प्रानिकादिसमक्षं साधनदूषणवदनं वादः । प्रमाणमीमांसा ।। ૨–૧-૩૦ ||
३ तन्न वादात् जल्पस्य कश्चिद्विशेषोऽस्ति । प्रमाणमीमांसा.
४ प्रतिपक्षस्थापनाहीनाया वितण्डाया कथात्वायोगात् । वैतण्डिको हि स्वपक्षमभ्युपगम्यास्थापयन्यत्किच्चिद्वादेन परपक्षमेव दूषयन् कथमवधेयवचनः । प्रमाणमीमांसा.
Page #59
--------------------------------------------------------------------------
________________
૧૨૫૪ ]
દર્શન અને ચિંતન વાદી (પ્રારંભક) પ્રતિવાદી (પ્રત્યારંભક) વાદી બે પ્રકારના હોય છે. એક
વિષ્ણુ અને બે તત્વનિર્ણચઠ્ઠ. તત્વનિર્ણવેચ્છના વળી બે પ્રકારે છે. કેઈ પિતે જ તત્વનિર્ણય મેળવવા ઈચ્છે છે. તે સ્વાભનિ તત્વનિષ્ણુ કહેવાય; જ્યારે બીજે સ્વયં નિર્ણયવાન હેઈ બીજાને તત્ત્વનિર્ણય કરાવી આપવા ઇચ્છે છે તે પરત્રતત્ત્વનિષ્ણુ કહેવાય. આ બેમાંથી પરત્રતત્વનિર્ણના પણ બે પ્રકાર સંભવે છે. એક અસર્વસ અને બીજે સર્વજ્ઞ. આ રીતે (૧) વિષ્ણુ (૨) સ્વાત્મનિતત્વનિર્ણવેચ્છ (૩) અર્વાપરત્રતત્ત્વનિષ્ણુ (૪) સર્વાપરત્રતત્વનિષ્ણુ, એમ ચાર પ્રકારના વાદી થયા.
પ્રતિવાદી પણ ઉપરની રીતે જ ચાર સંભવી શકે. તેમાંથી કઈ કઈ જાતના વાદીને કઈ કઈ જાતના પ્રતિવાદી સાથે વાદ સંભવે અને કઈ જાતના સાથે ન સંભવે એને વિસ્તાર નીચે પ્રમાણે છે :
(૧) વિજયેરછુ વાદીને સ્વાત્મનિતત્વનિર્ણવેલ્લુ પ્રતિવાદી સાથે; (૨) સ્વાભનિતત્વનિર્ણચ્છ વાદીને વિજયેષુપ્રતિવાદી સાથે; (૩) સ્વાત્મનિતત્ત્વનિર્ણછુ વાદીને સ્વાત્મનિવનિર્ણયેષુ પ્રતિવાદી સાથે અને (૪) પરત્રતત્ત્વનિર્ણરઙ્ગ સર્વર વાદીને પરત્રતત્વનિર્ણચક્ષુ સર્વજ્ઞ પ્રતિવાદી સાથે–-આ પ્રમાણે ચાર વાદ ન સંભવે.
જે (વાદ) સંભવે તે આ પ્રમાણે –
(૧) વાદી અને પ્રતિવાદી બને વિજયેષુ; (૨) વાદી વિજયેરછુ અને પ્રતિવાદી અસર્વજ્ઞ પરત્રતસ્વનિર્ણયેઠુ; (૩) વાદી વિષ્ણુ અને પ્રતિવાદી સર્વજ્ઞાત્રિતત્વનિર્ણયેઠુ; (૪) વાદી સ્વાભનિતત્ત્વનિર્ણચઠુ અને પ્રતિવાદી અસર્વજ્ઞ-પરત્ર-તત્વનિર્ણયેઠુ; (૫) વાદી સ્વાભનિતત્ત્વનિષ્ણુ અને પ્રતિવાદી સર્વ-પત્રિ-તત્વનિર્ણચ્છું; (૬) વાદી અસર્વ-પત્રિ-તત્વનિર્ણ - યેછુ અને પ્રતિવાદી વિષ્ણુ (૭) વાદી અસર્વત પરત્રતત્ત્વનિષ્ણુ અને પ્રતિવાદી સ્વાત્મનિવનિરખું; (૮) વાદી અસર્વજ્ઞ પરત્રતત્વનિર્ણવેલ્ફ અને પ્રતિવાદી અસર્વજ્ઞ-પરત્ર-તત્ત્વનિર્ણયેઠુ; (૯) વાદી અસર્વજ્ઞ પરત્રત
સ્વનિર્ણવેલ્ફ; (૧૦) વાદી સર્વજ્ઞ–પરત્ર-તત્ત્વનિર્ણવેષ્ણુ અને પ્રતિવાદી વિષ્ણુ , (૧૧) વાદી સર્વર પરત્રતત્વનિષ્ણુ અને પ્રતિવાદી સ્વાત્મનિતત્વનિર્ણયેઠુ; (૧૨) વાદી સર્વજ્ઞાત્રિતત્ત્વનિર્ણવેષ્ણુ અને પ્રતિવાદી અસર્વ પરત્રતત્ત્વનિર્ણયે છુ.
Page #60
--------------------------------------------------------------------------
________________
કથાપધ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૨પ
અંગનિયમ–વાદકથાનાં ચાર અંગે માનવામાં આવ્યાં છે : (૧) વાદી, (૨) પ્રતિવાદી, (૩) સભ્ય, (૪) સભાપતિ. વધારેમાં વધારે આ ચાર જ અંગે વાદ માટે આવશ્યક છે. પણ વાદી પ્રતિવાદીની વિશેષતાને લઈને કેટલાક વાદે ઓછાં અંગેથી પણ ચાલે છે. તેથી વાદને લગતે અંગને નિયમ પણ બતાવવામાં આવ્યું છે, જેમ કે વાદી અને પ્રતિવાદી વચ્ચે વાદના જે ઉપયુક્ત બાર પ્રકાર બતાવવામાં આવ્યા છે તેમાંથી વિજયેઠુ વાદી સાથે (૧) વિષ્ણુ પ્રતિવાદીને (૨) અસર્વ પત્રતત્વનિર્ણચ્છ--પ્રતિવાદીનો તથા (૩) સર્વજ્ઞ પરત્રતત્વનિર્ણઅષ્ણુ પ્રતિવાદી-એ પ્રમાણે ત્રણ વાદે બને છે. તે વાદે પૂર્વોક્ત ચારે અંગ હોય તે જ ચાલી શકે. કારણ કે જ્યાં વાદી કે પ્રતિવાદી–બેમાંથી એક પણ વિજયે હોય ત્યાં સભ્ય અને સભાપતિ સિવાય વ્યવસ્થા રહી શકે જ નહિ. જ્યારે સ્વાભનિતત્ત્વનિર્ણચ્છ વાદીને અસર્વજ્ઞ પરત્રતત્વનિષ્ણુ પ્રતિવાદી સાથે વાદ ચાલે છે ત્યારે તેમાં બે અથવા ત્રણ અંગ હોય છે. જો વાદી અને પ્રતિવાદી બને અંદરઅંદર સમજી શકે તે તે પોતે જ બે અંગ અને જે પ્રયત્ન કર્યા છતાં પણ પ્રતિવાદી વાદીને ન સમજાવી શકે તે સભ્યની આવશ્યકતા પડે એટલે ત્રણ અંગ થયા. એમાં વાદી–પ્રતિવાદી બંને નિર્ણચ્છું હોવાથી કલહ આદિને સંભવ ન હોવાને લીધે સભાપતિ રૂપ અંગ આવશ્યક જ નથી.
પરંતુ જે સ્વાભનિતત્વનિર્ણયે વાદીને સર્વા-પરચ-તત્વનિર્ણયેચ્છ પ્રતિવાદી સાથે વાદ હોય તો તેમાં સભ્યની આવશ્યકતાને પ્રસંગ ન પડવાથી વાદી અને પ્રતિવાદી બે જ અંગે હેય છે.
અસર્વજ્ઞ પરત્રતત્વનિર્ણÚ વાદિને વિષ્ણુ-પ્રતિવાદી સાથે વાદ હેય તે તેમાં ચારે અંગ જોઈએ. પણ જે તે સર્વાપરત્રતત્વનિર્ણયેઠુ વાદીને સ્થાનિતત્વનિર્ણચ્છ પ્રતિવાદી સાથે અથવા પરવતસ્વનિર્ણચઠ્ઠ અસર્વત્તા પ્રતિવાદી સાથે વાદ હોય તો તેમાં બે (વાદી–પ્રતિવાદી) અગર ત્રણ જ અંગ જોઈએ (સભાપતિ નહિ). પણ જે એ અસર્વ-પત્રિતત્વનિષ્ણુ વાદીને સર્વ પ્રતિવાદી સાથે વાદ હેય તે તેમાં બે જ અંગ હેય. .
સર્વજ્ઞ વાદીને વિષ્ણુ પ્રતિવાદી સાથે વાદ ચાર અંગવાળા જ હોય. પણ તે સર્વે વાદને સ્વાભનિતત્વનિષ્ણુ પ્રતિવાદી સાથે અથવા પરત્ર તસ્વનિર્ણવેછુ અસર્વજ્ઞ પ્રતિવાદી સાથે વાદ હોય તે બે જ અંગ આવશ્યક છે. વાદમાં વાદી કે પ્રતિવાદી કઈ પણ રૂપે વિજયેચક્ષુ દાખલ થયો એટલે
Page #61
--------------------------------------------------------------------------
________________
૧૨૫૬ ]
દર્શન અને ચિંતન કલહ આદિ દૂર કરવા, વ્યવસ્થા રાખવા, સભ્ય અને સભાપતિ આવશ્યક હોય જ એ ઉપર કહેવામાં આવ્યું છે.
અંગેનું સ્વરૂપ અને કર્તવ્ય –(૧) વાદ કથામાં બે પક્ષકારે હોય છે. તેમાં એક વાદી અને બીજે તેની સામે થનાર તેની અપેક્ષાએ પ્રતિવાદી; તેવી રીતે બીજાની અપેક્ષાએ તેની સામે પડનાર પહેલે પ્રતિવાદી કહેવાય છે. વાદી અને પ્રતિવાદી બંનેનું કામ પ્રમાણપૂર્વક પિતાપિતાના પક્ષનું સ્થાપન અને પરપક્ષનું ખંડન એ છે.
(૨) વાદી અને પ્રતિવાદી બંનેના સિદ્ધાતોના રહસ્યનું જ્ઞાન, ધારણશક્તિ બહુશ્રતપણું, ક્ષમા, મધ્યસ્થપણું –એ ગુણોને લીધે જેઓ વાદી અને પ્રતિવાદી બંનેને માન્ય થઈ શકે તે સભ્ય. તેનું કામ નીચે પ્રમાણે –
વાદી અને પ્રતિવાદીને ચેકસ પક્ષને સ્વીકાર કરાવી તેઓને જે પદ્ધતિએ ચર્ચા કરવાની હોય તે પદ્ધતિને પણ સ્વીકાર કરાવવો, પહેલે કોણ બોલશે તે ઠરાવવું; વાદી અને પ્રતિવાદીએ પિતપોતાના પક્ષના સાધનમાં અને વિરુદ્ધ પક્ષના નિરાકરણમાં જે કહ્યું હેય તેના ગુણ અને દેને નિશ્ચય કરવો; વખત આબે સત્ય (1) પ્રકાશન કરી ચર્ચાને બંધ કરવી અને યથાર્થપણે સભામાં ચર્ચાનું ફળ (જય અગર પરાજય) નિવેદન કરવું.
સભાપતિનું સ્વરૂપ અને તેનું કાર્ય --પ્રજ્ઞા (વિવેકશક્તિ) આશા, ઐશ્વર્ય (પ્રભાવ), ક્ષમા, અને મધ્યસ્થતા (નિષ્પક્ષપણું) એટલા ગુણેથી યુક્ત હોય તે સભાપતિ થઈ શકે.
તેનું કાર્ય બને વાદીઓ અને સભ્યોએ જે કર્યું હોય તે સમજી લેવું અને તકરારને નીવેડે લાવ વગેરે હોય છે.
કાળમર્યાદા – જથ્થુ વાદીઓની ચર્ચા હોય તે તેને સમય સભ્યની ઈચ્છા અને બેલનારની છૂર્તિ (કથનસામર્થ્ય ઉપર આધાર રાખે
૧ વાવતિવારિણિanતતરનીemesધારાવાસ્થતિમાક્ષરતાઅભિનેતા અભ્યાઃ પ્રમાણન તા. વરિ. ૮, p. ૧૮ :
સભ્યના સ્વરૂપ વિષે હેમચંદ્ર આપેલું નીચે એક સુંદર પદ્ય છે : स्वसमय रसमयज्ञाः कुलजाः पक्षद्वयेप्सिताः क्षमिणः ।
वादपथेवभियुकास्तुलासमाः प्रानिकाः प्रोक्ताः ॥ प्रमाणमीमांसा पृ. ३८, 8. . ૧
Page #62
--------------------------------------------------------------------------
________________
સ્થાપધ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન
[ ૧રપ૭ છે, અને જે તત્વનિષ્ણુઓની ચર્ચા હોય તે તેને સમય તત્વનિર્ણયના અવસાન અને બોલનારની છૂર્તિ ઉપર અવલંબે છે.
જોકે દેવસૂરિના ઉપરોક્ત વર્ણન જેટલું વિસ્તૃત વર્ણન બીજા કોઈ ગ્રંથમાં અદ્યાપિ જોવામાં નથી આવ્યું, છતાં અક્ષપાદના ન્યાયસૂત્ર ઉપરની વિશ્વનાથ તર્ક પંચાનનકૃત વૃત્તિમાં થોડુંક આને લગતું જાણવા જેવું વર્ણન છે. દેવસૂરિ અને તર્કપંચાનન બંનેનું વર્ણન ઘણે અંશે એકબીજાની પૂર્તિ રૂપ હેઈ તેને અહીં જ આપી દેવું ગ્ય છે. વૃત્તિમાંથી ચાર મુખ્ય બાબતે અહીં નેધવા જેવી છે.
(૧) ચર્યા સામાન્યના અધિકારીઓ કેવા હોવા જોઈએ તે. (૨) વાદકથાના (વિશિષ્ટ ચર્ચાના) અધિકારીઓ કેવા હોવા જોઈએ. (૩) સભા કેવી હેવી જોઈએ તે.
(૪) ચર્ચાને ક્રમ કે હે જેઈએ. કથાધિકારી(વાદી પ્રતિવાદી)નું સ્વરૂપ –
તત્વનિર્ણય અગર વિજ્ય એ બેમાંથી કોઈ પણ એકની ઇચ્છા રાખનાર, સર્વજન સિદ્ધ અનુભવની અવગણના ન કરનાર, સાંભળવા વગેરે કામમાં પહુ; તકરાર નહિ કરનાર અને ચર્ચામાં ઉપગી
થાય તેવું પ્રવર્તન કરવામાં સમર્થ વાદી પ્રતિવાદી હેવા જોઈએ. વાદાધિકારી –
તત્ત્વજ્ઞાનને ઈચ્છનાર, પ્રસ્તુત વિષય સાથે સંબદ્ધ જ બોલનાર, નહિ ઠગનાર, યથાસમયપૂર્તિવાળા, અપેક્ષા (લાભેચ્છા) વિનાના,
અને યુક્તિયુક્ત વાતને સ્વીકાર કરનાર–વાદથાના અધિકારી હેય. સભા –
સ્થાન (મધ્યસ્થી એવા અનુવિધેય (રાજાદિ સભાપતિ) તથા સભ્યથી યુક્ત સભા હોય પણ વીતરાગકથા (વાદ)માં તે આવશ્યક
નથી. તે માત્ર વાદી અને પ્રતિવાદીથી પણ ચાલી શકે છે. મ:--
વાદી સ્વપક્ષને સાધકહેતુ મૂકી, આ મારો હેતુ હેત્વાભાસ નથી એમ સામાન્ય રીતે અને આ અસિદ્ધ વગેરે હેવાભાસ નથી એમ વિશેષ રીતે દૂષણને ઉદ્ધાર કરે એટલે પ્રતિવાદી વાદીના કથનને અનુવાદ કરી યથાસંભવ હેવાભાસ વડે વાદીના કથનને દૂષિત કરી
Page #63
--------------------------------------------------------------------------
________________
૧૫૮ ]
દર્શન અને ચિંતન
સ્વપક્ષના ઉપન્યાસ કરે; ત્યાર પછી ત્રીજી કક્ષામાં વાદી, પ્રતિવાદીના કથનને અનુવાદ કરી પ્રતિવાદીએ આપેલ દૂષણુ ઉદ્ધૃરી યથાસંભવ હેત્વાભાસ દ્વારા પ્રતિવાદી પક્ષ દૂષિત કરે. આ સાધન અને દૂષણના જે ક્રમ આપ્યા છે તે પ્રમાણે ચર્ચાની વ્યવસ્થા ફક્ત ત્યારે જ રહી શકે છે, જ્યારે વાદી અગર પ્રતિવાદીને કાઈ નિગ્રહસ્થાન ન મળે અને તે દ્વારા વિપક્ષને પરાભવ આપવાની તક ન મળે. જો વાદી અગર પ્રતિવાદીને એવુ નિગ્રહસ્થાન મળી આવે કે જેના દ્વારા વિપક્ષને પરાજિત કરી શકાય તે તે પોતાના પક્ષનું સાધન અને સામાના પક્ષનું દૂષણ અગર સામા પક્ષકારે આપેલ દૂષણ ઉદ્દરવાની બીજી કાઈ ભાંજગડમાં ન પડતાં તે નિગ્રહસ્થાનદ્વારા જ સામાને પરાજિત કરી દે છે. આ સ્થિતિ જલ્પ અગર વિતાની હાય છે—નહિ કે વાદની. (ન્યા. સૂ. ૧. ૨. ૧. ખીજી વિગત માટે નુ પરિશિષ્ટ ૬ )
આ પ્રમાણેના ક્રમ વૃતિમાં આપેલ છે. પણ ક્રમનું વિશેષ સ્વરૂપ વાદી દેવસૂરિએ પેાતાના ગ્રંથમાં વર્ણવ્યું છે તે પણ જિજ્ઞાસુએ જોવા જેવુ છે. તેમાં વાદી અને પ્રતિવાદીઓએ કેવી રીતે દાવપેચ ખેલવા અને જય પ્રાપ્ત કરવા એનું સ્પષ્ટ વર્ણન છે. ( જુઓ ઃ પરિચ્છેદ ૮, મૂ. ૨૨, રત્નાકરાવતારિકા ટીકા)
વિભાગ ૨
ચર્ચામાં છળ અને જાતિના પ્રયોગ કરવા વિષે મતભેદ
વાદ અને જલ્પકથા વચ્ચેનુ અંતર બતાવતા અક્ષષપાદન અનુગાની કાઈ કહે છે કે વાદમાં તે લ અને જાતિ અસત્ય ઉત્તરરૂપ હાવાથી નથી યોજાતી, પણ જપમાં તે ચેાજાય છે; કેમ કે દુઃશિક્ષિત, કુતર્ક થી વાચાળ, અને વિતાકુશળ પડિત છલ આદિ સિવાય બીજી રીતે ક્રમ તી
..
शक्याः
१. ननु लजातिप्रयोगोऽसदुत्तरत्वाद्वादे न भवति जल्पे तु तस्यानुज्ञानादस्ति वादजल्पयो विंशेष:, ચાર. दुःशिक्षित कुतकींशलेशवा चालिताननाः । किमन्यथा जेतुं वितण्डाटोपपण्डिताः ||१|| गतानुगतिको लोकः कुमार्ग तत्प्रतारितः । मा गादिति छलादीनि प्राह कारुणिको भुनिः ॥२॥ प्रमाणमीमांसा पृ. ३० હિ. પં. શ્
Page #64
--------------------------------------------------------------------------
________________
થાપધ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [૧રપ૮ શકાય તેટલા માટે અને ગતાનુગતિક સાધારણ જનતા તેવા વિતકુશળ પંડિતથી ઠગાઈ કુમાર્ગે ન જાય એમ વિચારી કાણિક મુનિએ છળ, જાતિ વગેરેને ઉપદેશ કર્યો છે.
આના ઉત્તરમાં હેમચંદ્ર કહે છે કે અસત્ય ઉત્તરથી પ્રતિવાદીનું ખંડન કરવું એ યોગ્ય નથી. કારણ કે મહાત્માઓ અન્યાય વડે જય કે યશ મેળવવા ઈચ્છતા નથી. માટે છલાદિને પ્રયોગ કરે અનુચિત હોવાથી જલ્પ એ વાદથી જુદી કથા સિદ્ધ થતી નથી. આ જ વાત તેણે ક્લ,. જાતિ. આદિના ઉપદેશક અક્ષપાદનો પરિહાસ કરતાં અન્ય ચાર બ્રાઝિશિ માં, રૂપાન્તરથી કહીર છે :
પ્રાકૃત લેકે રવભાવથી જ વિવાદઘેલા હોય છે તેમાં વળી તેઓને લ, જતિ અને નિગ્રહસ્થાન જેવાં માયિક તને ઉપદેશ કરે અને તે વડે પ્રતિવાદીના મર્મોને ભેદવાનું સાધન પૂરું પાડવું એ અક્ષપાદમુનિની ખરેખર વિરક્તિ છે!”
હેમચંદ્રના આ ઉત્તર ઉપર અક્ષપદને અનુગામી આગળ વધી દલીલ કરે છે કે કેઈ પ્રબળ પ્રતિવાદીને જેવાથી અગર તેના જ્યને લીધે થતા ધર્મ નારાની સંભાવનાથી પ્રતિભા કામ ન કરે ત્યારે ધૂળની પેઠે અસત્ય ઉત્તરે ફેંકવામાં આવે, તે એવી બુદ્ધિથી કે તદ્દન હાર કરતાં સંદેહદશામાં રહેવું એ ઠીક છે તે એમાં શો દોષ? આ દલીલને ઉત્તર હેમચંદ્ર આપે છે કે
१. नैवम् , असदुत्तरैः परप्रतिक्षेपस्य कर्तुमयुक्तत्वात् न धन्यायेन अयं यशोधनं वा महात्मनः समीहन्ते । प्रमाणमीमांसा पृ. ३८, द्वि. पं. ५
२. स्वयं विवादग्रहिले वितण्डापाण्डित्यकण्डलमुखे जनेऽस्मिन् । मायोपदेशात्परमर्म भिन्दन्नहो विरक्तो मुनिरन्यदीयः ।।
३. अथ प्रबलप्रतिवादिदर्शनात् तजये धर्मध्वंससंभावनातः प्रतिभाक्षयेण सम्यगुत्तरस्याप्रतिभासादसत्तरैरपि पांशुभिरिवावकिरनेकान्तपराजयावर सन्देह इति. धिया न दोषमावहतीति । प्रमाणमीमांसा पृ. ३८, द्वि. पं. ६.
४. न, अत्यापवादिकस्य जात्युत्तरप्रयोगस्य कथान्तरसमर्थनसामाभावातू वाद एव द्रव्यक्षेत्रकालभावानुसारेण यद्यसदुत्तरं कथञ्चन प्रयुञ्जीत किमेतावता कथान्तरं प्रसग्येत तस्माजल्पवितण्डानिराकरणेन वाद एवैकः कथाप्रथां लभत इति ચિતમ્ ઝમાળનીના રૂ. ૨૮, દ્ધિ. . ૭.
Page #65
--------------------------------------------------------------------------
________________
૧૨૦ ]
દર્શન અને ચિ'તન
આવી રીતે અસત્ય ઉત્તરના પ્રયોગ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોઈ અપવાદરૂપે વાદમાં પણ વિરુદ્ધ નથી. આ ઉત્તર આપતાં જોકે હેમચંદ્ર જપને વાદથી જુદી કથારૂપે નથી સ્વીકારતા, છતાં લ, જાતિના પ્રયાગ કરવા વિષેના અક્ષષાદના મતને તેા તે કાઈ ને કાઈ રીતે સ્વીકારી જ લે છે.
નિગ્રહનું' સ્વરૂપઃ—ન્યાય ન વિપ્રતિપત્તિ અને અપ્રતિપત્તિને નિગ્રહ કહે અને બૌદ્ધ વિદ્વાનો સાધનાંગના અકથન અને દોષના અપ્રદર્શનને નિગ્રહ કહેર છે. ત્યારે જૈન તાર્કિકા પરાજયને જ નિગ્રહ માને છે અને પરાજયનું સ્વરૂપ પતાવતાં કહે છે કે પોતાના પક્ષની સિદ્ધિ ન થવી એ જ પરાજય છે.
પરિશિષ્ટ ૬ વિભાગ ૧
ન્યાયસૂત્રવૃત્તિમાંનું કથાપદ્ધતિવિષયક કેટલુંક વન
ગૌતમના ન્યાયસૂત્ર ઉપર એ વૃત્તિનામક ગ્રંથા મળે છે. તેમાં પહેલા ગ્રંથ જયતની ન્યાયમજરી અને ખીજો વિશ્વનાથની ન્યાયસૂત્રવૃત્તિ. આ મેમાં ન્યાયમજરી પ્રાચીન છે. પહેલાં તેનેા પાનપાઠનમાં વધારે પ્રચાર હતા એમ લાગે છે કે કારણ, સ્યાદ્વાદરત્નાકર, રત્નાકરાવતારિકા, સ્યાદ્વાદમજરી આદિ જૈન ગ્રંથામાં ન્યાયમ જરીને અનેક વાર ઉલ્લેખ આવે છે. પણ હમણાં તે પ્રચારમાં નથી. આજકાલના અભ્યાસક્રમમાં વિશ્વનાથની ન્યાયમૂત્રવૃત્તિ નિયત
૧. ત્રિપ્રતિપત્તિપ્રતિપત્તિશ્ર નિપ્રયાનમ્ ! ન્યાયવ્. અ. ૧, માર્, સૂ. ૧૧. ૨. આ વિષયની ચર્ચો અકલક અશતીમાં અને વિદ્યાનદીએ અષ્ટ સહસ્રીમાં સવિસ્તર કરી છે. જીએસૌ પૃ. ૮૧. અકલંક અને વિદ્યાન'દીના એ શાસ્ત્રાને હેમચંદ્રે સૂત્રબદ્ધ કરી તેની વિસ્તૃત ટીકા પણ લખી છે.
नाप्यसाधनाङ्गवचनादोषोद्भावने ॥ २-१-३५ || स्वपक्षस्यासिद्धिरेव पराजयो नासाधनाङ्गवचनमदोषोद्भावनं च यथाह धर्मकीर्तिः - असाधनाङ्गवचनम दोषोद्भावनं યો: ।નિપ્રસ્થાનમન્યત્તુ ન યુામિત નૈષ્યતે' પ્રમોમાંા રૃ. ૪૨, દ્વિ. નં. ૧. વિશેષાર્થીએ આ ત્રણે ગ્રંથે સરખાવવા. અહી વિસ્તારમ્ભયથી બધા પૂણ્ ઉલ્લેખા ન આપી શકાય.
3. असिद्धिः पराजयः । प्रमाणमीमांसा २ - १ - ३२; स निग्रहो वादिप्रतिवादिनो ॥ प्रमाणमीमांसा २-१-३३.
Page #66
--------------------------------------------------------------------------
________________
કથાપધ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૨૧૧ હેવાથી તેને જ પઠન પાઠનમાં પ્રચાર છે. આ સ્થળે એમાંથી જ કથા પદ્ધતિને લગતા કેટલાક મુદ્દા ઉપરનું વર્ણન ટૂંકમાં આપવા ધાર્યું છે.
કથાનું લક્ષણ–તસ્વનિર્ણય અગર વિજયને લાયક એવી જે ન્યાયવાયુ વચનરચના તે ક્યા.
કથાના અધિકારીઓ-જેઓ તવનિર્ણય અગર વિજયને ઈચ્છતા હૈય, સર્વજનસિદ્ધ અનુભવની અવગણના કરનાર ન હોય, સાંભળવા આદિ (સમજવા, બેલવા)ની ક્રિયામાં પટુ હેય, કલહકારી ન હોય, અને ચર્ચામાં ઉપયોગી થાય તેવી પ્રવૃત્તિ કરવામાં સમર્થ હોય તે સ્થાને અધિકારી થઈ શકે.
વાદ, જલ્પ અને વિતડા એ ત્રિવિધ કથામાંથી ફક્ત વાદના. અધિકારીએ–જેઓ તત્વ (સત્ય)ને જિજ્ઞાસુ હોય, ચાલુ વિષયને લગતું જ બેલનાર હોય, ઠગનાર ન હોય, વખતસર વિચારવાની સ્ટ્રેરણાવાળા, ખ્યાતિ કે લાભની ઈચ્છા વિનાના અને યુક્તિયુક્ત વાતો સ્વીકારનાર હેય, તેઓ વાદ કરી શકે.
સભાનું સ્વરૂપ અને તેની આવશ્યકતા–જેમાં રાજા આદિ પ્રભાવ શાલી વ્યક્તિ અનુવિધેય (શાસનકારી હોય અને નિષ્પક્ષ સભ્યો હોય તે જ સભા ચર્ચાને ગ્ય સમજવી. આવી સભા પણ વાદથામાં આવશ્યક નથી. કારણ એ કથા નિર્મસર વાદીએ વચ્ચે ચાલે છે. પણ મસરી વાદીઓ વચ્ચે ચાલતી જલ્પકથામાં તે તે આવશ્યક છે જ,
ચર્ચાના ક્રમનું સ્વરૂપ-સૌથી પહેલાં વાદી પિતાના પક્ષને સાધક હેતુ મૂકે. બાદ આ હેત્વાભાસ નથી એમ કહી સામાન્ય રૂપે તેને જ અસિદ્ધ, વિસદ્ધિ આદિ હેત્વાભાસ નથી એમ કહી વિશેષ રૂપે પિતાના પક્ષના દૂષણને ઉદ્ધાર કરે. અહીં સુધી પહેલી કક્ષા થઈ ત્યાર બાદ વાદીએ કહેલું બધું પતે સમજી ગયું છે એમ જણાવવા પ્રતિવાદી સભા વચ્ચે વાદીના બધા કથનને અનુવાદ કરી જાય. અને વાદીને પરાજિત કરવાનું કોઈ નિગ્રહસ્થાન ન જુએ તે છેવટે હેવાભાસ વડે વાદીના સાધનને દૂષિત કરી પિતાને પક્ષ રજૂ કરે; અહીં સુધી બીજી કક્ષા થઈ. ત્યાર પછી ત્રીજી કક્ષામાં આવી વાદી પ્રતિવાદીના બધા કથનને અનુવાદ કરી જાય અને પિતાના પક્ષ ઉપર પ્રતિવાદી દ્વારા મુકાયેલ દૂષણને ઉદ્ધાર કરે; તેમ જ બીજું કોઈ નિગ્રહસ્થાન ન જુએ તે છેવટે હેવાભાસ વડે પણ પ્રતિવાદની સ્થાપનાને દૂષિત કરે.
Page #67
--------------------------------------------------------------------------
________________
૧ર૧૨ ]
દર્શન અને ચિંતન આ રીતે ત્રીજી કક્ષા પૂરી થાય. ત્યાર પછી સભામાં ચર્ચાનું હારજીત રૂપ પરિણામ પ્રકાશિત થાય.
નિગ્રહ સ્થાનને પ્રકાર–અજ્ઞાન, અનનુભાષણ અને અપ્રતિભા, એ ત્રણ નિગ્રહસ્થાન અનુક્તાહ્ય એટલે ન બોલવાથી પ્રાપ્ત થાય તેવાં છે. અપ્રાપ્તકાળ, અર્થાતર, નિરર્થક, અપાર્થક એ ચાર નિગ્રહ-સ્થાન ઉચ્ચ માનગ્રાહ્ય એટલે બેલતાં જ પકડાય તેવા છે. પ્રતિહાનિ, પ્રતિજ્ઞાન્તર, પ્રતિજ્ઞા વિરોધ, પ્રતિજ્ઞાસંન્યાસ, હેવન્તર, અવિરતાતાર્થ, વિક્ષેપ, મતાનુજ્ઞા, ન્યૂન, અધિક, પુનરુક્ત, નિરજ્યાનુગ, અપસિદ્ધાન્ત એ તેર નિગ્રહસ્થાન ઉક્તગ્રાહ્ય એટલે બેલામાંથી પકડાય તેવાં છે.
ઉપર કહેલ અનુક્તમ્રાહ્ય, ઉમાનગ્રા અને ઉક્તગ્રાહ્ય એ વીસ નિગ્રહસ્થાનેનું વાદી ઉભાવન કરી વાદી પ્રતિવાદીને અગર પ્રતિવાદી વાદીને પરાજિત કરી શકે. જ્યારે આ વીસમાંથી એક પણ નિગ્રહસ્થાનના ઉભાવનને સંભવ ન હોય ત્યારે વાદી કે પ્રતિવાદી સામેના પક્ષને હેલાભાસનું ઉભાવન કરે. પર્યોપેક્ષણ નિગ્રહસ્થાન તે વાદી કે પ્રતિવાદીદ્વારા ઉભાવિત થતું નથી, કારણ કે મધ્યસ્થ એવા સભ્યો વડે જ ઉભાવિત થઈ શકે છે.
વિભાગ ૨ નીલકણદીક્ષિતનું કલિવિડમ્બન. અપ્પદીક્ષિતના ભત્રીજા અને નારાયણ દીક્ષિતના પુત્ર નીલકદીક્ષિત હૃદયહારી અનેક શતકે લખ્યાં છે. જેમાં એક કલિવિડમ્બન શતક પણ છે. આ શતકમાં તિષી, નૈમિત્તિક, વૈદ્ય, માંત્રિક, પડિત, ધનિક આદિન ખૂબ મનોરમ પરિહાસ કર્યો છે. તેમાં વાદીને પણ છોડ્યો નથી. એ વાદીને પરિહાસ જાણવા યોગ્ય હેવાથી નીચે આપે છે:
न मेतव्यं न बोद्धध्यं न श्राव्यं वादिनो वचः । शटिति प्रतिवक्तव्यं सभासु विजिगीषुभिः ॥ १॥
વિજયેષ્ણુએ ડરવું નહિ, સમજવું નહિ, વાદીનું વચન સાંભળવું નહિ, અને જલદી જ સભામાં ઉત્તર આપી દે.
Page #68
--------------------------------------------------------------------------
________________ કથાપધ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ 1263 असंभ्रमा विलज्जत्वमवक्षा प्रतिवादिनी (1) हासो राज्ञः स्तवश्चेति पञ्चैते जयहेतवः // 2 // સ્વસ્થતા, લજજાનો ત્યાગ, પ્રતિવાદીની અવજ્ઞા, હાસ્ય અને રાજસ્તુતિ એ પાંચ જયપ્રાપ્તિનાં નિમિત્તે છે. उच्चैरुद्घोष्य जेतव्यं मध्यस्थश्चेदपण्डितः / पण्डितो यदि तत्रैव पक्षपातोऽधिरोप्यताम् // 3 // જે મધ્યસ્થ પંડિત નહેય તે ઊંચે વરે ઘોષણા કરીને અર્થાત બુમરાણુ કરી મૂકીને જય મેળવવો; અને જે મધ્યસ્થ પતિ હય તે તેના ઉપર પક્ષપાતને આરોપ મૂક. लामो हेतुर्धन साध्यं दृष्टान्तस्तु पुरोहितः / आत्मोत्कर्षों निगमनमनुमानेष्वयं विधिः // 4 // લાભ એ હેતુ, ધન એ સાધ્ય, પુરોહિત એ દષ્ટાન્ત; અને આકર્ષ એ નિગમન–બસ) અનુમાનામાં આ વિધિ છે. +अलभ्यं शास्यमानेन तत्त्वं जिज्ञासुना चिरम् / जिगीषुणां हियं त्यक्त्वा कार्यः कोलाहलो महान् // 5 // જયની ઈચ્છાવાળા વાદીએ શરમ છોડી મેટે કાલાહલ કરે. -પુરાતત્ત્વ, પુસ્તક 3 + 'अलास्यमानेन ' इति 'अलभ्य लज्जमानेन' इति च पाठः