SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ થાપદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૨૩૫ કે કાંક પાંચ અવયવરૂપ અને કયાંક દૃશ અવયવરૂપ ન્યાયવાકયને પ્રયાગ કરાય છે.૧ આમાંના પાંચ અવયવે તે ગૌતમના ન્યાયસૂત્રમાં વર્ણિત પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન એ જ છે.3 નિયુક્તિકારે એ પાંચ અવયવોનો ઉપયોગ કરી ધમની સૂત્રેાક્ત મંગળમયતા સિદ્ધ કરી ખતાવી છે. ત્યાર ખાદ તેઓએ દસ અવયવથી ઘટિત ન્યાયવાકયને યોગ પણ કરી અતાવ્યો છે; અને તે દશ અવયવા એ રીતે ગણાવ્યા છે. પ્રતિજ્ઞા, પ્રતિજ્ઞાવિ શુદ્ધિ, હેતુ, હેતુવિશુદ્ધિ, દૃષ્ટાંત, દૃષ્ટાંતવિશુદ્ધિ, ઉપસંહાર, ઉપસંહારવિદ્ધિ નિગમન અને નિગમનવિશુદ્ધિ—એ એક પ્રકાર, બીજા પ્રકારમાં દેશ અવયવે આ પ્રમાણે છે : (ગાથા ૧૩૭) પ્રતિજ્ઞા, પ્રતિજ્ઞાવિભક્તિ, હેતુ, હેતુવિભક્તિ, વિપક્ષ, પ્રતિષેધ, દૃષ્ટાંત, આશંકા, તત્કનિષેધ, અને નિગમન. આ અને પ્રકારના ન્યાયને પ્રયોગ ગાથા ૧૩૮ થી ૧૪૮ સુધીમાં છે. વિશેષતા એ છે કે પ્રથમ પ્રકારના દશ અવયવ કાઇ એક જ ગાથામાં સંકલિત ન કરતાં માત્ર તેનાં નામે પ્રયાગમાં જ આવી જાય છે; જ્યારે બીજા પ્રકારના દશ અથવા એક જ ગાથામાં ગણી બતાવ્યા છે અને પછી પ્રયેાગમાં તેને સમજાવ્યા છે. ધ્યાન ખેંચે એવી એક બાબત એ પણ છે કે અક્ષપાદે નિગમનુ हेत्व प्रदेशात् प्रतिज्ञायाः पुनर्वचनं निगमनं (૧-૧-૩૯) એવું જે લક્ષણ કર્યું... છે એ નિર્યુક્તિમાં થોડાક ફેરફાર સાથે આ પ્રમાણે દેખાય છે : વસમો લ ચવચનો, વન્નહે પુનોયનું । (ગાથા. ૧૪૪ પૃ. ૭૯ ). સારાંશ એ છે કે દશવૈકાલિક મૂળસૂત્રમાં જે ધો મજૂમાં એ સૂત્રથી ધર્મની મંગળમયતા અને ઉત્કૃષ્ટતા કહેવામાં આવી છે તેને સિદ્ધ કરવા નિયુક્તિકારે ન્યાયવાકથનું નિરૂપણ કર્યું છે. અને તે ન્યાયવાકય જેટલી રીતે સંભવી શકે તે બધી રીતે બતાવી તેના ઉપયોગ દ્વારા ધર્મની મગળમયતા આદિ વ્યવસ્થિત રીતે સાધ્યું છે. આ પ્રથમ અધ્યયનની નિયુક્તિ મુખ્યભાગે ન્યાયવાકય અને તેના ઉપયોગના નિરૂપણમાં જ રોકાયલી છે, જેના ઉપસ્થી : ૧. જુએ, ગાથા ૫૦ ૨. પાંચ અવયવાના નામેાના સંબંધમાં પણ એ પરંપરા દેખાય છે : એક તે ન્યાયસૂત્રની અને ખીજી પ્રશસ્તપાદભાષ્યની અને માઠેરવ્રુત્તિમાં મતાન્તર તરીકે નોંધાયેલી. તે આ પ્રમાણે- અત્રયનઃ પુનઃ પ્રતિજ્ઞાèઉનાનાનુĀમ્બાનપ્રત્યાĀયઃ ' । પ્ર. પા. ભા. પૃ. ૩૩૫. બના. સ. સી. ની આત્તિ તથા માહત્તિ. પૃ. ૧૨. ' ૩. જી, ગાથા ૮૯ થી ૯૩, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249272
Book TitleKathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages68
LanguageGujarati
ClassificationArticle & Story
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy