SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ થાપતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૧૯૭ F અને સચવાઈ રહ્યો. આ લેખમાં એ શબ્દ પેાતાના પારિભાષિક અર્થમાં જ સમજવાના છે. તેથી કથા” શબ્દના કોઇ પણ વિચારીય વિશ્વચમાં મતભેદ ધરાવનાર બંને પક્ષકારોની નિયમસર ઉક્તિપ્રદ્યુતિ રૂપ ચર્ચા’૧ એવો એક અર્થ રૂઢ થયે છે. ૩. ઉત્પત્તિમીજ—કથાપતિ મતભેદમાંથી જન્મે છે. તેથી મતભેદ તેની ઉત્પત્તિનું પ્રામિક ખીજ છે. પણ અમુક વિષયમાં એ વ્યક્તિને મતભેદ થયા એટલે તે મતભેદમાત્રથી જ કાંઈ બને જણ્ તે વિષય ઉપર કથાપદ્ધતિ દ્વારા વિચાર કરવા મરી જતા નથી. પરંતુ જ્યારે એ મતભેદ પુષ્ટ અની માણસના ચિત્તમાં વ્યક્તરૂપ પામે છે ત્યારે પક્ષભેદનું રૂપ ધારણ કરે છે, અને તે પક્ષભેદ પક્ષકારને મતભેદના વિષયમાં કથાપદ્ધતિ દ્વારા ચર્ચા કરવા પ્રેરે છે. આ પદ્મભેદ ધણીવાર શુદ્ધ, કોઈ પણ જાતની સાંપ્રદાયિક અસ્મિતાથી અદૂષિત હોય છે; તે ઘણીવાર કાઈ ને કંઈ જાતની અસ્મિતાથી દૂષિત થયેલો પણ હોય છે. શુદ્ઘ પક્ષભેદમાંથી ચાલતી કથાપદ્ધતિ અને દૂષિત પક્ષભેદમાંથી ચાલતી કથાપદ્ધતિ વચ્ચે અંતર હોય છે. તેનુ કારણ એ છે કે શુદ્ધ પદ્મભેદ હોય ત્યારે પક્ષકારશનાં મનમાં તત્ત્વનિણૅય (સત્યજ્ઞાન ) આપવાની `ક મેળવવાની ઇચ્છા હોય છે; જ્યારે મલિન પક્ષભેદમાં તેમ નથી હતું. તેમાં તે એકક્ષ્મીજાને જીતવાની અને છત દ્વારા ધ્યાતિ પ્રાપ્ત કરવાની અગર બીજા કાઈ ભૌતિક લાભો મેળવવાની ઈચ્છા હોય છે. તેથી મતભેદ એ કથાપદ્ધતિનું સામાન્ય કારણ અને તત્ત્વનિ યની ઈચ્છા તથા વિજયની આ એ તેનાં વિશેષ કારણે છે એ સમજી લેવુ જોઈ એ. જ ૪. ઉત્પાદક પ્રસંગઃ-માણસ એકલા મઢી સમુદાયમાં મુકાયા એટલે તેને કાઈની સાથે મતભેદ થવાનો જ. જોકે મતભેદની પ્રેરક અને પોષક આંતરિક સામગ્રી (યોગ્યતા, વાસના અને દૃષ્ટિભેદ) તે સર્વ દેશ, અને સંકાળે મનુષ્યહૃદયમાં સમાન હોય છે, પણ તેના બાહ્ય પ્રસંગો દરેક દેશ, દરેક કાળ અને દરેક જાતિના મનુષ્ય માટે કાંઈ સરખા જ હોતા નથી. સોક્રેટીસ પહેલાંના પ્રાચીન ગ્રીક અને પ્રાચીન ભારતીય સાહિત્યિક તિહાસ ઉપરથી સ્પષ્ટ જાણી શકાય છે કે બંને દેશના તે વખતના વિદ્વાનેની ચર્ચાપદ્ધતિના ઉત્પાદક માહ્ય પ્રસંગગ્ન જુદા જ હતા. ગ્રીક વિદ્યાના સામાજિક અને રાજકીય મહત્ત્વાકાંક્ષાથી પ્રેરાઈ ચર્ચામાં ઊતરતા, અને વક્તૃત્વ કળાતી કસરત ૧ જુઓ, ન્યાયસૂત્રત્તિ, અ. ૧, આ. ર સૂ. ૧. તથા બંગાળી અનુવાદ.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249272
Book TitleKathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages68
LanguageGujarati
ClassificationArticle & Story
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy