SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાપધ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧રપ૭ છે, અને જે તત્વનિષ્ણુઓની ચર્ચા હોય તે તેને સમય તત્વનિર્ણયના અવસાન અને બોલનારની છૂર્તિ ઉપર અવલંબે છે. જોકે દેવસૂરિના ઉપરોક્ત વર્ણન જેટલું વિસ્તૃત વર્ણન બીજા કોઈ ગ્રંથમાં અદ્યાપિ જોવામાં નથી આવ્યું, છતાં અક્ષપાદના ન્યાયસૂત્ર ઉપરની વિશ્વનાથ તર્ક પંચાનનકૃત વૃત્તિમાં થોડુંક આને લગતું જાણવા જેવું વર્ણન છે. દેવસૂરિ અને તર્કપંચાનન બંનેનું વર્ણન ઘણે અંશે એકબીજાની પૂર્તિ રૂપ હેઈ તેને અહીં જ આપી દેવું ગ્ય છે. વૃત્તિમાંથી ચાર મુખ્ય બાબતે અહીં નેધવા જેવી છે. (૧) ચર્યા સામાન્યના અધિકારીઓ કેવા હોવા જોઈએ તે. (૨) વાદકથાના (વિશિષ્ટ ચર્ચાના) અધિકારીઓ કેવા હોવા જોઈએ. (૩) સભા કેવી હેવી જોઈએ તે. (૪) ચર્ચાને ક્રમ કે હે જેઈએ. કથાધિકારી(વાદી પ્રતિવાદી)નું સ્વરૂપ – તત્વનિર્ણય અગર વિજ્ય એ બેમાંથી કોઈ પણ એકની ઇચ્છા રાખનાર, સર્વજન સિદ્ધ અનુભવની અવગણના ન કરનાર, સાંભળવા વગેરે કામમાં પહુ; તકરાર નહિ કરનાર અને ચર્ચામાં ઉપગી થાય તેવું પ્રવર્તન કરવામાં સમર્થ વાદી પ્રતિવાદી હેવા જોઈએ. વાદાધિકારી – તત્ત્વજ્ઞાનને ઈચ્છનાર, પ્રસ્તુત વિષય સાથે સંબદ્ધ જ બોલનાર, નહિ ઠગનાર, યથાસમયપૂર્તિવાળા, અપેક્ષા (લાભેચ્છા) વિનાના, અને યુક્તિયુક્ત વાતને સ્વીકાર કરનાર–વાદથાના અધિકારી હેય. સભા – સ્થાન (મધ્યસ્થી એવા અનુવિધેય (રાજાદિ સભાપતિ) તથા સભ્યથી યુક્ત સભા હોય પણ વીતરાગકથા (વાદ)માં તે આવશ્યક નથી. તે માત્ર વાદી અને પ્રતિવાદીથી પણ ચાલી શકે છે. મ:-- વાદી સ્વપક્ષને સાધકહેતુ મૂકી, આ મારો હેતુ હેત્વાભાસ નથી એમ સામાન્ય રીતે અને આ અસિદ્ધ વગેરે હેવાભાસ નથી એમ વિશેષ રીતે દૂષણને ઉદ્ધાર કરે એટલે પ્રતિવાદી વાદીના કથનને અનુવાદ કરી યથાસંભવ હેવાભાસ વડે વાદીના કથનને દૂષિત કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249272
Book TitleKathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages68
LanguageGujarati
ClassificationArticle & Story
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy