SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨૪ ] દર્શન અને ચિંતન (૨૨) શબ્દમાં અનિત્ય સિદ્ધ કરનારને કહેવું કે અનિયતા પિત અનિત્ય છે કે નિત્ય છે? જે અનિત્ય હોય તે અનિત્યતા પિતે જ નષ્ટ થવાની એટલે અનિત્યતાને નાચ એ જ નિત્યતા. આ રીતે શબ્દની અનિત્યતાને નાશ થવાથી શબ્દ નિત્ય થયું અને જે અનિત્યતા પિતે નિત્ય હેય તો તે નિત્ય અનિત્યતાને રહેવા માટે તેને આશ્રયભૂત શબ્દ પણ નિત્ય હૈ જ જોઈએ. જ્યાં સુધી આશ્રય નિત્ય માનવામાં ન આવે ત્યાં સુધી તેના ધર્મને નિત્ય માનવાને કંઈ જ અર્થ જ નથી, એટલે અનિત્યતાને નિત્ય માનવા જતાં પણ શબ્દ નિત્ય જ સિદ્ધ થયો. એ પ્રમાણે સાધ્યને નિત્ય અને અનિત્ય માનવાને વિકલ્પ કરી બંને રીતે નિત્ય જ સિદ્ધ કરવું તે નિત્યસમ, (૨૩) જે અનિત્યત્વ ધર્મ દ્વારા ઘટ અને શબ્દ વચ્ચે સાધમે હેવાથી શબ્દને અનિત્ય માનવામાં આવે તે દરેક પદાર્થનું ઘટ સાથે કાંઈક તે સાધર્મો છે જ. એટલે દરેક પદાર્થ ધટની જેમ અનિત્ય સિદ્ધ કાં ન થાય? અને જો તેમ ન થાય તો પછી શબ્દને પણ અનિત્ય કાં માનવામાં આવે? આ રીતે અનિત્ય દ્વારા દૂષણ આપવું તે અનિત્યસમ. (૨૪) પ્રયત્નાનન્તરીયક (પ્રયત્ન પછી થત) હેવાથી શબ્દને અનિય સિદ્ધ કરનાર પ્રત્યે કહેવું કે પ્રયત્નનાં કાર્ય અનેક પ્રકારનાં છે. કેઈ અસત (અવિદ્યામાની વસ્તુ જ પ્રયત્નથી થાય છે જેમ કે ઘટ વગેરે. જ્યારે કેટલીક વસ્તુઓ સત ( વિદ્યમાન) છતાં પ્રયત્નથી માત્ર વ્યક્ત થાય છે. આ રીતે પ્રયત્નનું કાર્ય ઉત્પતિ અને વ્યક્તિએ બે પ્રકારનું દેખાય છે. તો પછી અહીં શબ્દને પ્રયત્નજન્ય માને કે પ્રયત્નબૅગ માને ? આ રીતે કાર્યનું નાનાવ બતાવી દૂષણ આપવું તે કાર્યસમ. નિગ્રહસ્થાન –નિગ્રહ (પરાજય) ની પ્રાપ્તિનું સ્થાન (પ્રસંગ) તે નિગ્રહસ્થાન. નિગ્રહસ્થાનના મુખ્ય બે પ્રકાર છે: (૧) વિપ્રતિપત્તિ (૨) અપ્રતિપત્તિ. જે વાદી પોતાના કર્તવ્યને વિપરીત (ઊલટી રીતે સમજે તેય તે પરાજય પામે છે. અને જે પિતાના કર્તવ્યને બિલકુલ સમજે નહિ તેય પરાજયને પામે છે. આ રીતે વિપરીત સમજ અને અણસમજ એ બે જ પરાજયની પ્રાપ્તિના પ્રસંગો હોવાથી મુખ્ય રીતે નિગ્રહસ્થાન બે (વિપ્રતિપત્તિ અને અપ્રતિપત્તિ) કહેવામાં આવે છે. પરંતુ વિપરીત પ્રતિપત્તિ અનેક જાતની સંભવે છે અને અપ્રતિપત્તિ પણ અનેક જાતની છે. તેથી તે બંને મુખ્ય નિગ્રહસ્થાનના વિસ્તાર રૂપે રર નિગ્રહસ્થાને ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249272
Book TitleKathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages68
LanguageGujarati
ClassificationArticle & Story
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy