________________
કથાપદ્ધતિનુ સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન
૧૫
ગણાવવામાં આવ્યાં છે. જેમાં છ નિગ્રહસ્થાન અપ્રતિપત્તિ પક્ષમાં અને બાકીનાં સેાળ વિપ્રતિપત્તિ પક્ષમાં આવે છે. તે આવીસ આ પ્રમાણે ઃ (૧) પ્રતિજ્ઞાહાનિ (૨) પ્રતિજ્ઞાન્તર (૩) પ્રતિજ્ઞાવિરેધ (૪) પ્રતિજ્ઞાસન્યાસ (૫) હેત્વંતર (૬) અર્થાન્તર (૭) નરક (૮) અવિજ્ઞાતા (૯) અપાયક (૧૦) અપ્રાપ્તકાલ (૧૧) ન્યૂન (૧૨) અધિક (૧૩) પુનરુક્ત (૧) અનનુભાષણ (૧૫) અજ્ઞાન (૧૬) અપ્રતિભા (૧૭) વિક્ષેપ (૧૮) મતાનુજ્ઞા (૧૯) પનુજ્યાપેક્ષણ (૨૦) નિરનુયેાજ્યાનુયાગ (૨૧) અપસિદ્ધાંત (૨૨) હેત્વાભાસે. આમાં નબર ૧૪, ૧૫, ૧૬, ૧૭, ૧૮ અને ૧૯ એ છ અપ્રતિપત્તપક્ષીય છે. આ દરેકનું સાદાહરણ સ્વરૂપ નીચે મુજખ્ખ :~~~~
(૧) ને દષ્ટાંત અને ઍન્દ્રિયકત્વ (ઇંદ્રિયગ્રાવવ) તે હેતુ, રાખી શબ્દને અનિત્ય સિદ્દ કરવાની વાદીએ પ્રતિજ્ઞા કરી હોય તેટલામાં પ્રતિવાદી કહે જે અન્દ્રિયકત્વ હતુ તો સામાન્ય (જાતિ) માં છે જે કે નિત્ય છે. આ રીતે અન્દ્રિયકત્વ હેતુ વ્યભિચારી થાય છે. આ દૂષણુ સાંભળતાં જ વાદી તે તેને ઉદ્ઘાર કરવાને બદલે (નિકાલ આણવાને બદલે) એમ કહે “ ત્યારે ભલે, સામાન્યની પેઠે શબ્દ નિત્ય સિદ્ થાય.” આમ કહેતાં તેણે નિત્યત્વ સ્વીકાર્યો એટલે પ્રથમ કરેલ અનિત્યત્વની પ્રતિજ્ઞા ગઈ. આ રીતે પ્રતિજ્ઞાહાનિ થવાથી તે પરાજય પામે છે. માટે તે પ્રતિજ્ઞાહાનિ નિગ્રહસ્થાન.
(ર) પૂર્વોક્ત જ પ્રયાગ કરનાર વાદીને પ્રતિવાદી કહેજે અન્દ્રિયકત્વ સામા ન્યૂમાં છે છતાં તે નિત્ય એટલે હેતુ વ્યભિચારી છે. આ પ્રમાણે પ્રતિવાદી દ્વારા અપાયેલ વ્યભિચાર દાશના ઉદ્ધાર કરવાને બદલે વાદી એમ કહે જે સામાન્ય નિત્ય અને ઐન્દ્રિયક છે પરંતુ તે તો સંગત (સર્વવ્યાપી) છે અને શબ્દ તે અસંગત છે. આ પ્રકારે કહેવામાં પ્રથમની અનિત્યત્વ સિદ્ધ કરવાની પ્રતિજ્ઞાથી ભિન્ન એવી શબ્દને અસ વગત સિદ્ધ કરવાની અન્ય પ્રતિજ્ઞા પ્રાપ્ત થાય છે. તેથી તે પરાય પામે છે. માટે આ પ્રતિજ્ઞાન્તર નિગ્રહસ્થાન.
(૩) દ્રવ્ય ગુણાથી ભિન્ન છે, કારણ કે રૂપ આદિ ગુણાથી ભિન્ન એવી કાઈ
૧ આચાર્ય હેમચંદ્ર અને ગુણરત્નસૂરિ મતાનુજ્ઞા સિવાયનાં પાંચને જ અપ્રતિપત્તિમાં ગણે છે. જુઓ પ્રમાળમીમાંસા પત્ર ૩૧ જ઼ ૨. તથા વૉ નમુના ટીકા પત્ર ૨૬-૧ જાતિ અને નિગ્રહસ્થાનનું વર્ણન સરળતા ખાતર ૧. સ. ની સુરતની ટીકામાંથી લીધું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org