Book Title: Kathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 25
________________ ૧ર૦ ] દર્શન અને ચિંતન નીકળે છે. તેમાંથી વક્તાના અભિપ્રાયથી અન્ય અર્થની કલ્પના કરેલી છે. સામાન્ય ક્લ - “આ બ્રાહ્મણ વિદ્યા અને આચરણથી સંપન્ન છે” એમ કહેતાં લવાદી કહે “બ્રાહ્મણમાં વિદ્યાચરણ સંભવે છે, ત્યારે વાય (વિદ્યાચરણહીન ભાવ જન્મથી બ્રાહ્મણ) પણ વિદ્યાચરણસંપન્ન હવે જોઈએ, કારણ કે તે બ્રાહ્મણ છે. અહીં બ્રાહ્મણત્વનું વિદ્યા અને આચરણ સાથે સાહચર્ય માત્ર વિવક્ષિત હતું એને લવાદીએ વધારે ખેંચી વિદ્યાચરણની સાથે તેની વ્યાપ્તિ કલ્પી તેને દૂષિત કરેલ છે. ઉપચારછલ-જેમ કે “માચાએ બૂમ પાડે છે” એમ કહેતાં છલવાદી કહે કે “માંચા ઉપર બેસનારા બૂમો પાડે છે. માંચાઓ કયાં બૂમ પાડે છે?” એમ કહી વક્તાને ઉતારી પાડે તે ઉપચારછલ. આમાં લક્ષણથી થયેલા પ્રગમાં વાર્થ કપ દોષ આપે છે માટે ઉપચારછલ. જાતિ -સાધર્મો અને વૈધર્મો દ્વારા (સાદસ્થ અને પૈસદસ્ય દ્વારા) અનિષ્ટ પ્રસંગ આપ તે જાતિ. તે વીસ પ્રકારની છે. સાધર્મસમ, વૈધર્મેસમ, ઉત્કર્ષસમ, અપકર્ષસમ, વણ્યસમ, વિકલ્પસમ, સાધ્યમ, પ્રાપ્તિસમ, અધ્યાસિસમ, પ્રસંગમ, પ્રતિદષ્ટાસમ, અનુત્પત્તિ સમ, સંશયસમ, પ્રકરણસમ, હેતુસમ, અર્થાપતિસમ, અવિશેષસમ, ઉપ પત્તિસમ, ઉપલબ્ધિસમ, અનુપલબ્ધિસમ, નિત્યસમ, અનિત્યસમ, કાર્યસમ. (૧) કેઈ વાદી ઘટને દૃષ્ટાંત કરી કૃતકત્વ હેતુથી શબ્દને અનિત્ય સિદ્ધ કરે ત્યારે એમ દૂષણ આપવું કે જે અનિત્ય ઘટના કૃતકવિ સાધ ( સમાનધર્મ) થી શબ્દને અનિત્ય સિદ્ધ કરવામાં આવે તે નિત્ય આકાશના અમૂર્તવ સાધમ્યથી શબ્દ નિત્ય પણ કેમ ન સિદ્ધ થાય? આ રીતે સાધચ્ચે દારા દૂષણ આપવું તે સાધમ્મસમ. (૨) કોઈ વાદી કૃતકત્વ હેતુથી શબ્દને અનિત્ય સિદ્ધ કરતાં આકાશને વિધર્મદષ્ટાંત તરીકે મૂકી કહે કે જે અનિત્ય ન હોય તે કૃતક પણ ન હોય; જેમ કે આકાશ. ત્યારે વૈધમ્મકારા દૂષણ આપવું કે જે નિત્યઆકાશના કૃતકત્વ ધમ્મથી અનિયત્વ સિદ્ધ થાય તે અનિત્યઘટના અમૂર્તત્વ ધર્મોથી શબ્દ નિત્ય પણ સિદ્ધ થાય એ દૂષણ વૈધર્મસમ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68