Book Title: Kathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
View full book text
________________
૧૨૪૨ ]
દર્શન અને ચિંતન
ફિલષ્ટ શબ્દવાળાં વાકયો ખાલીને, જેની ધારણાશક્તિ ઓછી હાય તેને મેટાં વાકયો ઉચ્ચારીને, જેમાં પ્રતિભા ન હોય તેને અનૈકાચક શબ્દવાળાં અનેક જાતનાં વચનો ઉચ્ચારીને, વાક્પટુ ન હોય તેને અધવાકય અધ્યાહત જેવું રાખીને, જેણે પહેલાં સભા ન જોઈ હોય તેને કે પંડિત ન હોય તેને લજ્જાજનક વાકય સંભળાવીને, ક્રાધીલાને થકવીને, ખીણને ડરાવીને, અને અસાવધાનને નિયમના પાશમાં નાખીને હરાવવે,
વાદ શરૂ થયા પહેલાં કરવાની ખટપટ-ગમે તે રીતે પરિષદને મળી જઈ તેની ભારત પોતાને સરળ અને પ્રતિવાદીને અતિ કાણુ એવા વિષયમાં ચર્ચાની રક્ત મળે તેવી ગોઠવણ કરવી. આ પ્રમાણે પરિષદને ખાનગી રીતે મળી નક્કી કરી લીધા પછી કહેવું કે આપણાથી ન કહી શકાય માટે આ પરિષદ્ જ યથાયેાગ્યવાદના વિષય અને વાદની મર્યાદા ધરાવશે, એમ કહી ચૂપ રહેવું, અને પાતાને અભિમત બધું પરિષદને મોઢે જ નક્કી કરાવવું, વાદમર્યાદાનું સ્વરૂપ:———આ ખેાલવું. આ ન ખેલવું, આમ થાય તે હારેલો ગણાય ત્યાદિ વાદમાર્ગના જ્ઞાન માટે જાણવી જોઇતી વસ્તુઓઃ— (૧) વાદ, (૨) દ્રવ્ય, (૩) ગુણા, (૪) કમ, (૫) સામાન્ય, (૬) વિશેષ, (૭) સમવાય, (૮) પ્રતિજ્ઞા, (૯) સ્થાપના, (૧૦) પ્રતિષ્ઠાપના, (૧૧) હેતુ, (૧૨) દષ્ટાંત, (૧૭) ઉપનય, (૧૪) નિગમન, (૧૫) ઉત્તર, (૧૬) સિદ્ધાંત, (૧૭) શબ્દ, (૧૮) પ્રત્યક્ષ, (૧૯) અનુમાન, (૨૦) અતિર્થે, (૨૧) ઔષમ્ય, (૨૨) સ*શય, (૨૩) પ્રયેાજન, (૨૪) સવ્યભિચાર, (૨૫) જિજ્ઞાસા, (૨૬) વ્યવસાય, (૨૭) અ પ્રાપ્તિ, (૨૮) સંભવ, (૨૯) અનુયાય, (૩) અનનુયાજ્ય, (૩૧) અનુયોગ, (૩૨) પ્રત્યનુયાગ, (૩૩) વાકયોષ, (૩૪) વાકયપ્રશંસા, (૩૫) છળ, (૩૬) અહેતુ, (૩૭) અતીતકાળ, (૩૮) ઉપાલભ, (૩૯) પરિહાર, (૪૦) પ્રતિજ્ઞાહાનિ, (૪૬) અભ્યનુત્તા, (૪૨) હેતર, (૪૩) અર્થાન્તર, (૪૪) નિગ્રહસ્થાન.
ચરકમાં (૫) વાદ (વિશૃદ્ઘસભાના )ના જલ્પ અને વિતા એ બે ભેદ છે અને તેનાં લક્ષણા ન્યાયસૂત્રમાં આપેલાં લક્ષણા જેવાં જ છે. (૨) થી (૭) સુધીના છ પદાર્થો કણાધ્વર્ણિત છ તત્ત્વો જ છે. ચરકમાં (૮) પ્રતિજ્ઞાનું સ્વરૂપ ન્યાય જેવું જ છે. પ્રતિજ્ઞા ઉચ્ચાર્યા પછી તેને સિદ્ધ કરવા હેતુ, દષ્ટાંત, ઉપનય અને નિગમન એ ચાર અવયવે કહેવામાં આવે છે તેને ચરક઼કાર (૯) સ્થાપના કહે છે. એક અનુભાન સામે બીજુ વિરોધી અનુમાન તે (૧૦) પ્રતિષ્ઠાપના, જેને નૈયાયિકા પ્રતિપક્ષ કહે છે. (૧૧) થી (૧૪) હેતુ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org