Book Title: Kathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
View full book text
________________
કથાપદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન
[ ૧૨૨૭
(૧) વાદી પાતાના પક્ષનું સાધન કરતા હોય કે સામાના પક્ષનું દુષણ કરતા હાય પણ તે પાતાનું વક્તવ્ય ત્રણ વાર કહે છતાં તેને સભા કે પ્રતિવાદી કાઈ ન સમજી શકે તો એ કથન કાં તો કિલષ્ટ શબ્દવાળું હાવું જોઈએ અથવા તેના શબ્દો સર્વપ્રસિંદ ન હોવા જોઈ એમને કાં તો તે અત્યંત ધીરેથી ખેલતા હોવા જોઈએ. ગમે તેમ હોય પણ ત્રણ વાર કહ્યા છતાં કાઈથી ન સમાય તો તેવું ખેલનાર વાદી પરાજય પામે છે અને તે અવિજ્ઞાતા નિગ્રહસ્થાન કહેવાય છે. (૯) દાડમ દસ, છ પુડલા, કડુ, અયમ અને માંસપિણ્ડ આ રીતે પરસ્પર સંબંધ વિનાનાં પદેı ઉચ્ચારવાથી જ્યારે વાકયને અથ નિષ્પન્ન ન થવાથી વાદી પરાજ્ય પામે ત્યારે અપાક નિગ્રહસ્થાન. (૧૦) પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન એ મે ખેલવા જોઈતા અનુમાનવાકયના વિપોસ કરી ગમે તેમ આડુ અવળુ ખેલનાર વાદી અપ્રાપ્તકાળ નામનું નિગ્રહસ્થાન પામે છે, કારણ કે તે જે કાંઈ આલે છે તે કાળ પ્રાપ્ત થયા વિના જ ખેલે છે.
(૧૧) શ્રેાતાને જ્ઞાન આપવામાં પાંચે અવયવે ઉપયોગી છતાં તેમાંથી એક પણ અવયવ ન ખેલવામાં આવે તો તે ન્યૂન નિગ્રહસ્થાન.
(૧૨) કાઈ પણ એક હેતુ કે ઉદાહરણથી સાધ્ય સિદ્ધ થતું હોય છતાં બીજા હેતુ કે ઉદાહરણાને પ્રયોગ કરનાર અધિક નામના નિગ્રહસ્યાનથી પરાજિત ગણાય છે.
(૧૩) અનુવાદના પ્રસંગ સિવાય પણ તે જ શબ્દને અગર તે જ અને પુરી કહેવામાં પુનરુક્ત નિગ્રહસ્થાન પ્રાપ્ત થાય છે. એક વાર શબ્દ અનિત્ય છે એમ કહી કુરી તેમ જ કહેવું તે શબ્દપુનરુક્તિ-નિગ્રહસ્થાન અને શબ્દ નિત્ય છે એમ કહી શબ્દ વિનાશી છે એ રીતે બીજા વાકથી તે જ અથ' કહે તે અપુનરુક્ત. જ્યાં અનુવાદના પ્રસંગ હોય ત્યાં પુનઃનિગ્રહસ્થાન નથી ગણાતું; જેમ કે નિગમન વાકયમાં હેતુ અને પ્રતિજ્ઞાવાકયને અનુવાદમાત્ર કરવામાં આવે છે.
(૧૪) જે વાત ત્રણ વાર વાદીએ કહી હોય અને સભા પણ જેને સમજી ગઈ હોય છતાં પ્રતિવાદી તેનુ પુનઃ ઉચ્ચારણ ન કરી શકે તે તે પ્રતિવાદી અનનુભાષણ નિગ્રહસ્થાનથી પરાજય પામે છે,
(૧૫) વાદીએ કહેલ વસ્તુને સભા સમજી ગઈ હોય છતાં પ્રતિવાદી તેને ન જ સમજી શકે તે તે પરાજય પામે છે અને તે અજ્ઞાન નિગ્રહસ્થાન. કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org