Book Title: Karmn Siddhanta
Author(s): Hirabhai Thakkar
Publisher: Kusum Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 35
________________ ૩૦ કર્મનો સિદ્ધાંત મૃત્યુ થાય, તો કૂતરા અગર સાપ ઉપર ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૦૨ મુજબ ખૂનનો કેસ કોઈ કોર્ટમાં ચાલે નહિ. ઇન્ડિયન પીનલ કોડ ફક્ત મનુષ્યયોનિના જીવોને માટે જ લખાયેલો છે. મનુષ્યતર યોનિના જીવોને ઈન્ડિયન પીનલ કોડ લાગુ થતો નથી. (પૂછી જોજો કોઈ સારા વકીલને). ભેંસ, ગાય કોઈ ખેતરમાં ભેલાણ કરે અને પાકને નુકસાન કરે તો લોકો તેને તાત્કાલિક થોડાં ડફણાં મારે, ઝૂડી કાઢે અગર ડબ્બામાં પૂરે અને તે રીતે તેનાં કર્મનું તાત્કાલિક ફળ ભોગવે, પછી તે સંચિત કર્મમાં જમા થવાનું રહે જ નહિ. ભેંસ, ગાય ભેલાણ કરે તો તેનો દંડ Catle Trespass Act પ્રમાણે તેના માલિકને જ થાય. ભેંસ-ગાય ઉપર આ કાયદા મુજબ કોઈ કેસ ચાલે જ નહિ. આ પ્રમાણે તમામ મનુષ્યતર યોનિના જીવો પશુ, પક્ષી, કીડા, મંકોડા, માછલાં, જલચર, નભચર નાના પ્રકારના જીવો ભોગયોનિના ગણાય છે. તેમાં નવાં ક્રિયમાણ કર્મ સંચિતમાં જમા થતાં નથી. અરે દેવયોનિ પણ ભોગયોનિ ગણાય છે. દેવો તેમના પુણ્યના પ્રભાવે માત્ર સુખ-ભોગો ભોગવે છે. તેમનાં ક્રિયમાણ પણ સંચિતમાં જમા થતાં નથી. જે જીવો પૂરપાપાઃ “નિધૂત કલ્મષા' - જેનાં તમામ પાપો નષ્ટ થયાં છે, અને સિલકમાં માત્ર પુણ્ય કર્મો જ રહ્યાં છે, તે જીવો દેવયોનિ-ભોગયોનિમાં સ્વર્ગમાં જઈને દિવ્ય ભોગો ભોગવે છે અને પુણ્યનો ક્ષય થતાં મર્યલોકમાં પાછા ફરે છે. ત્યાં તેઓનાં નવાં ક્રિયમાણ કર્મો સંચિતમાં જમા થતાં નથી, જેથી ગીતા કહે છે : તે પુણ્યમાસાદ્ય સુરેન્દ્રલોકમુ અગ્નતિ દિવ્યાનું દિવિ દેવમોગાનુ.. તે તં ભુવા સ્વર્ગલોકં વિશાલમુ ક્ષીણે પુણ્ય મર્યલોકં વિસત્તિા (ગી.૯/૨૧) આ પ્રકારે મનુષ્યતર યોનિમાં કરેલાં કર્મો સંચિત કર્મોમાં જમા થતાં નથી. ૨૨. કર્તાપણાના અભિમાન સિવાય કરેલાં કર્મોઃ - આવાં કર્મ અકર્મ બની જાય છે અને તે કર્મો સંચિતમાં જમા થતાં નથી. તેથી તેનું ફળ ભોગવવા ફરીથી દેહ ધારણ કરવો પડતો નથી અને તેથી દેહના બંધનમાં જન્મ-મરણના ચક્કરમાં પડવું પડતું નથી. કોઈ સેશન્સ જજ ખૂનના ગુના બદલ તહોમતદારને ફાંસીની સજા કરે તો તે સેશન્સ જજ એક જીવની હત્યા બદલ ગુનેગાર ઠરતા નથી. કારણ કે સેશન્સ જજ ફાંસીની સજા કરતો હોવા છતાં તેનામાં કર્તાપણાનું અભિમાન હોતું નથી. તે માત્ર કાયદાની મર્યાદામાં રહીને જ ન્યાયનું પાલન કરે છે. એવી જ રીતે જે માણસ માત્ર પોતાની શુભ ફરજોનું પાલન કરતો હોય તે જગતના કોઈ પણ માણસ અગર અનેક માણસને ગમે તેટલું નુકસાન કરતો જણાય છતાં તે કર્તાપણાના અભિમાન સિવાય કરતો હોવાથી તેને તે કર્મ બંધનરૂપ થતું નથી. એટલે ભગવાને ગીતામાં અર્જુનને હિંમતપૂર્વક કહ્યું છે કે ધર્મયુદ્ધમાં તું અનેકનો સંહાર કરીશ તો પણ તારું For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110