________________
કર્મનો સિદ્ધાંત એટલે મનની સમતુલા – પ્રસન્નતા ગુમાવવી એ જ મોટામાં મોટું નુકસાન છે.
મા કપુ રાવન | અને મા વર્મા હેતુÍI – આ બે આજ્ઞાઓનો અર્થ વધારે ઊંડાણથી સમજવાની જરૂર છે. કર્મ કરતાં પહેલાં ફળનો બિલકુલ ખ્યાલ જ ન રાખવો, અને કર્મ આંખો મીંચીને ધીબે જ રાખવું એવો અર્થ પણ નથી. ભગવાનની વાણી ઘણી જ ગર્ભિત અને અર્થપૂર્ણ છે. તેનો ઉપરછલ્લો અર્થ ન કરાય. સમજી-વિચારીને તેનો અર્થ વ્યવહારમાં ઉપયોગી થાય તેવી રીતે ઘટાવવો જોઈએ. કર્મ કરતાં ફળનો ખ્યાલ રાખવો જ પડે.
દાખલા તરીકે કોઈ ખેડૂત ખરા ઉનાળામાં જ્યાં પાણીની બિલકુલ સગવડ ના હોય તેવી તદ્દન ઊષળ અને ખરાબા જેવી ખારી જમીનમાં અનાજનું ઉત્તમ બી નાખે તો તે ધોમધખતા તાપમાં બળી જ જાય. કર્મના ફળનો વિચાર નહિ કરવો, એનો અર્થ એવો છે કે કર્મના ફળમાં આસક્તિ-લોભ નહિ રાખવો. પરંતુ કર્મનું ઉત્તમ પ્રકારનું ફળ પ્રાપ્ત થાય તેવો સમજણપૂર્વકનો પુરુષાર્થ તો કરવો જ જોઈએ.
ગીતામાં ફળત્યાગનો ઉપદેશ છે. તેનો અર્થ વો નથી કે ફળને ઉસેટી દેવું. કર્મનું ફળ ના મળવું જોઈએ અગર ફળ ના લેવું જોઈએ, એવો ગીતાનો ઉપદેશ નથી. ગીતા તો કહે છે કે કર્મ ફળ આપ્યા સિવાય છોડશે નહિ.
મારે કર્મનું ફળ જોઈતું નથી એવું કોણ કહે ? ચોર, વ્યભિચારી, દુષ્ટ કર્મ કરનાર જ એમ કહે કે મારે મારા કર્મનું ફળ (પાપ-દુ:ખ) જોઈતું નથી. પણ તે ના ચાલે. કર્મ ફળ આપે જ, અને તે ભોગવવું જ પડે.
માટે ફળ મળશે તો જ “કર્મ' કરીશ એવા ખોટા ભ્રમમાં ભટકાવું નહિ. ૩૬. (૪) મારે કર્મ પણ કરવું નથી અને ફળ પણ (જોઈતું)
ભોગવવું નથી : આ તો નરાતાર ઊંધાઈ અને અવળચંડાઈ જ કહેવાય - એટલે ભગવાને ચોથી આજ્ઞા કરી તે સાંભળો :
મા તે સંગોડસ્તુ અકર્મણિ તારો અકર્મમાં સંગ ન થશો. કર્મનો સદંતર ત્યાગ થઈ શકે જ નહિ. નાનો છોકરો કહે કે હું નિશાળે નહિ જાઉં. મારે ભણવું પણ નથી અને ખાવું પણ નથી. તો મા-બાપ અકળાઈ ઊઠે. મારે નોકરી પણ નથી કરવી અને પગાર પણ નથી જોઈતો. મારે વેપાર પણ કરવો નથી અને નફો પણ જોઈતો નથી. આવી વાહિયાત વાતો ના ચાલે. સુથાર કહે કે મારે સુથારીકામ નથી કરવું અને મજૂરી પણ નથી જોઈતી. કડિયો, મજૂર, મોચી, દરજી બધાં જ એમ કહે કે અમારે કામ પણ કરવું નથી અને મજૂરીના પૈસા પણ જોઈતા નથી તો આખો સમાજ મુશ્કેલીમાં મુકાઈ જાય અને અરાજકતા, અંધાધૂંધી જ ફેલાય તથા પ્રમાદ-આળસ-તમોગુણનું જોર વધી જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org