________________
કર્મનો સિદ્ધાંત
ગઈ, તેમ આ જીવને પોતાને પોતાનું સત્, ચિત્, આનંદસ્વરૂપનું સાચું જ્ઞાન થતાંની સાથે જ તેનાં અનાદિકાળથી એકઠાં થયેલાં અબજો જન્મજન્માંતરનાં સંચિત કર્મો તાત્કાલિક ખતમ થઈ જાય છે.
આ પ્રકારે જેમ ક્રિયમાણ કર્મોને નિયંત્રિત કરવા માટે કર્મમાર્ગ છે, પ્રારબ્ધને આસાનીથી ભોગવવા માટે ભક્તિમાર્ગ છે તેમ સંચિત કર્મોને સમાપ્ત કરવા માટે જ્ઞાનમાર્ગ છે. આ ત્રણેય માર્ગો વડે જીવ પોતાના આ જન્મની જીવનયાત્રા પૂરી કરીને અંતે મોક્ષ પ્રાપ્ત કરી શકે છે અને જન્મમરણનાં ચક્કરમાંથી મુક્ત થઈ શકે છે.
૫૧
૩૨. (૧) જ્ઞાન કેમ થતું નથી ?
સંસારમાં જ્યાં સુધી આસક્તિ છે ત્યાં સુધી જ્ઞાન પ્રગટ થતું નથી. જ્ઞાનમાર્ગમાં દેહ, ધનવૈભવ, માતાપિતા, સ્ત્રી, પુત્રાદિકમાંથી આસક્તિ છોડવી પડે છે. શાસ્ત્રો અને સંતો કહે છે કે ગયા જન્મનાં માતા-પિતા, સ્ત્રી, પુત્રાદિકને જેમ તમે અજ્ઞાને કરીને વીસરી ગયા છો તેવી જ રીતે આ જન્મના માતા-પિતા, સ્ત્રી, પુત્રાદિકને શાને કરીને વીસરી જાઓ.
ગયા અનેક જન્મનાં માતા-પિતા, સ્ત્રી, પુત્રાદિકને તમે અજ્ઞાને કરીને ભૂલી ગયા છો તે તમારી ઉપર ભગવાનની અત્યંત કૃપા ગણાય. જો તેમ ના હોત અને જો તમે તમારા ગત જન્મોનાં સગાંઓને હાલમાં પણ જાણતા હોત અને ઓળખતા હોત તો રસ્તામાં જતું ગધેડું હોય તેને પણ તમે ગળે વળગી પડત અને કહેતા હોત કે ‘આ તો મારો કાકો છે’ કે ‘આ તો મારો મામો છે.' ગયા જન્મની તમારી સ્ત્રી હાલમાં કૂતરી કે ગધેડીના અવતારમાં હોત, તેને તમે ચાલુ ઘરમાં ઘાલી દો તો મહા ઉપાધિ થાય. પરંતુ ભગવાનની અત્યંત કૃપા છે કે તમે તમારા ગયા જન્મનાં સગાંને ભલે અજ્ઞાને કરીને પણ ભૂલી ગયા છો, તે ઘણું સારું થયું છે. તો જેવી રીતે તમે તમારા આગળના જન્મનાં માતા-પિતા, સ્ત્રી, પુત્રાદિકને અન્નાને કરીને ભૂલી ગયા છો તેવી જ રીતે આ જન્મનાં માતા-પિતા, સ્ત્રી, પુત્રાદિકને પણ શાને કરીને વીસરી જાઓ. સંસારમાંથી આસક્તિ તમે જેમ જેમ હટાવતા જાઓ અને વિરક્તિ પ્રાપ્ત કરતા જાવ તેમ તેમ જ્ઞાનનો પ્રકાશ પડવા લાગશે.
સંસારમાં તમે આસક્ત છો કે વિરક્ત છો તે જાણવાનું તમારી પાસે જ બેરોમીટર છે. તમે એકલા પડો અને ‘એકલતા' લાગે તો તેનું નામ આસક્તિ અને તમે એકલા પડો અને ‘એકતા’ લાગે તો તેનું નામ વિરક્તિ. આ બેરોમીટરથી તમે તમારું માપ જાતે જ કાઢી લઈ શકો કે તમે જ્ઞાનમાર્ગમાં જવા અધિકારી છો કે નહિ. ૩૨. (૨) તમે કોઈ દિવસ જ્ઞાન લેવા ગયા છો ?
આપણે ખરા અર્થમાં જ્ઞાન લેવા જતા જ નથી. ડોંગરે મહારાજની કે કૃષ્ણશંકર શાસ્ત્રીજીની કે શંભુ મહાગજની ભાગવત સપ્તાહમાં અનેકવાર ગયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org