________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાપસાશ્રમમાંથી પ્રભુને વિહાર
પર
અબુ ગિરિ પર રહેલા ઋષિમુનિઓએ જાણ્યા. તેથી સર્વ મુનિએના મનમાં આનંદ પ્રસર્યાં. સ મહાત્માઓએ પ્રભુને વંદન કર્યું, પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દીધી અને પ્રભુની પૂજા કરી પ્રભુની સ્તુતિ કરી. પ્રભુ સ મુનિએને ઉપદેશ દેવા લાગ્યા :
- દર્પણમાં મુખનું પ્રતિખિ ખ પડે છે તેમ મનમાં પ્રતિબિંબરૂપ થયેલી સ’સારની માયાજાળ ક્ષણિક અને કલ્પિત છે. જડ પદાર્થોમાં શુભની કલ્પના વસ્તુતઃ વારાફરતી ક્રૂર્યા કરતી હોવાથી ક્ષણિક છે. મનમાં અજ્ઞાનથી શુભની અને અશુભની કલ્પના થાય છે. મનમાં આત્માના જ્ઞાનના પ્રકાશ પડે છે ત્યારે શુભ અને અશુભની કલ્પના પ્રગટતી નથી, તથા જડ પદાર્થો તે જડરૂપે દેખાય છે અને જે આત્માએ છે તે આત્માએરૂપે દેખાય છે. જડ પદાર્થોના સંબંધથી મનમાં શુભ પરિણામ વા અશુભ પરિણામ જ્યારે પ્રગટતા નથી ત્યારે મનેામુક્તિ છે. શુભાશુભ સંકલ્પવિકલ્પરહિત નિવિકલ્પરૂપ મન થાય છે ત્યારે મનમાં આત્મયૈાતિના પ્રકાશ પડે છે. તથા સર્વ પદાર્થોનું તેના મૂળ સ્વભાવે યથા જ્ઞાન થાય છે. પશ્ચાત્ સર્વ પદાર્થોને જાણતાં-દેખતાં છતાં તથા વ્યાવહારિક કબ્યા કરતાં છતાં આત્મા સ્વતંત્ર અને મુક્ત રહે છે અને અન્ય લેાકેાના કલ્યાણ માટે બાકીનુ જીવન વહે છે. શુભાશુભ વિકલ્પસ’કલ્પરહિત મન થતાં આત્મામાં મને લીન થઈ જાય છે અને આત્મામાં મન લીન થઈ જતાં આત્માની શક્તિઓથી મન ઊભરાઈ જાય છે અને મનમાં ઊભરાયેલી શક્તિઓને કાયાવડે પ્રકાશ થાય છે.
અગ્નિથી તપાવેલા લેાઢાના ગાળા લાલચેાળ થઈ જાય છે અને અગ્નિ નીકળી જતાં પાછા પૂર્વે હતા તેવા ઠંડા થઈ જાય છે, તેમ મનમાં આત્માનું ચિદાનંદ સ્વરૂપ ઊભરાય છે ત્યારે મન-વાણી-કાયા પણ આનંદથી ઊભરાઈ જાય છે અને આંત્માથી મન જુદું પડે છે ત્યારે પૂર્વની પેઠે દ્વૈતભાવવાળુ મન થઈ જાય છે, અને તેથી આત્માનું ચિદાનંદ સ્વરૂપે
For Private And Personal Use Only