________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેમભક્તિને ઉપદેશ
૧૬પ ઉચ્ચ શિખર પર મુકામ કર્યો અને ત્યાં ઋષિઓ, બ્રાહ્મણ અને ગોવાળોને જણાવ્યું કે, “આર્યો! પરસ્પર એકબીજાને સંકટમાં સહાય કરવામાં સ્વાર્થ અને ભીતિ વગેરેને ત્યાગ કરે અને વૃક્ષગણથી ભરેલાં વનનું રક્ષણ કરે. વૃક્ષોને કાપી નાખવાં ન જોઈએ. જ્યાં વૃક્ષોની અત્યંત ઘટા હોય છે ત્યાં વિશેષ પ્રમાણમાં મેઘ વરસે છે. ઋષિની ઝૂંપડીની આજુબાજુ ફલાદિક વાળી વાડી હોય છે. ત્યાં અતિથિની સેવા થાય છે. સ્વાશ્રયી " બની જીવો અને અન્ય લોકોને જિવાડો.
જ્ઞાનવિદ્યાનો અન્ય લોકોને અભ્યાસ કરાવો, પણ * વિદ્યાને વેચીને ન જીવો. જ્ઞાનવિદ્યાને ધનાર્થે વેચીને જીવવું તે ગુલામીપણું છે અને તેથી દેશ, સંઘ, રાજ્ય, ધર્મની પડતી થાય છે. નકામા ખર્ચ કરી દેવાદાર ન બને. વિદ્વાનોને સહાય કરો. ગુલામી ઉત્પન્ન કરે એવી જાતના ધંધા ન કરો. ગાયો વગેરે પશુઓને ચારવા માટે ગોચરભૂમિ રાખો. ત્રષિ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધ ગાયો વગેરે પશુઓ ઘેર રાખવા અને ગાય વગેરેનાં બચ્ચાંને તેઓની મા પાસેથી દૂધ પીવામાં વિપ્ન ન કરવું. બચ્ચાંના પી લીધા બાદ જે વધે તે દુગ્ધ દેહવું. બચ્ચાંને દુગ્ધ પીવામાં વિદન કરતાં પશુઓની ઓલાદ નિર્બળ થશે અને છેવટે તેથી તેઓને તથા તમારે નાશ થશે. ગાયે વગેરે પશુઓને પ્રાણાતે પણ વધ ન કરો. ગાયોની સેવાથી પ્રજા અને રાજાની ચડતી થાય છે. ઋષિઓ અને ગોવાળ ! તમે મારી આજ્ઞા પ્રમાણે વર્તે. તમારા સ્વાર્થમાં અન્યના સ્વાર્થને નાશ ન કરો.” પ્રવૃત્તિ સાથે નિવૃત્તિ:
પ્રવૃત્તિની સાથે નિવૃત્તિ અને નિવૃત્તિની સાથે પ્રવૃત્તિની ઉપયોગિતા સમજે. પ્રવૃત્તિના ગર્ભમાં નિવૃત્તિ અને નિવૃત્તિના ગર્ભમાં પ્રવૃત્તિ સમજે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ અને દિવસ અને રાત્રિની જેમ વહ્યા કરે છે. પ્રવૃત્તિપ્રસંગે પ્રવૃત્તિ કરો અને
For Private And Personal Use Only