Book Title: Kalpanik Adhyatma Mahavira Part 3
Author(s): Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 417
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir उ७४ અધ્યાત્મ મહાવીર ગોશાળાના ઉપર મેં તેજલેશ્યા મૂકી અને આપે તેના ઉપર શીતલેશ્યા મૂકી. તે તે લેયા અને શીતલેશ્યાનું પ્રાકટય કેવી રીતે થાય છે તે કૃપા કરીને કહે.” પ્રભુ મહાવીર : વિશ્યાયન ઋષિ! તે ગ્ય પ્રશ્ન પૂછે છે. તેજલેશ્યા અને શીતલેશ્યા બને તપથી પ્રગટે છે. તેને લેશ્યામાં ઉણ પુદગલો છે અને શીતલેશ્યામાં શીત પુદગલે છે. તેજલેશ્યાથી અન્યનો ઘાત થાય છે અને શીતલેશ્યાથી અન્યને બચાવ થાય છે. ક્રોધ વડે તેજલેશ્યાના પુદગલોને બહાર કાઢવામાં આવે છે અને અત્યંત શુદ્ધ દયાના પરિણામે શીતલેશ્યાના પુદ્ગલસ્ક ધોને બહાર કાઢવામાં આવે છે. સામાન્ય તપથી તેજલેશ્યાની શક્તિ પ્રગટે છે અને અત્યંત દયામય તપથી શીતલેશ્યાની લબ્ધિશક્તિ પ્રગટે છે. તે જેલેશ્યાને ફેરવવાથી પુણ્ય અને પાપ તથા બંધ અને નિર્જરા થાય છે. શીતલેશ્યાને પરમાથે ઉપયોગ થાય છે તે તેથી પુણ્યાનુબંધી પુણ્ય, સંવર અને કર્મની અત્યંત નિર્જરા થાય છે. શીતલેશ્યા ફેરવવામાં અત્યંત દયારૂપ શુદ્ધ રાગપરિણામ કારણભૂત છે. ઋષિમુનિઓને તે જેલેસ્યા અને શીતલેમ્યા પ્રગટે છે. મન છે ત્યાં સુધી તેલેસ્યા અને શીતલેસ્યા છે. ભાવ મનના નાશની સાથે બન્નેને અભાવ થાય છે. ગોશાલક: હે દેવ! કૃપા કરીને તે લેશ્યા પ્રગટવાનું કારણ કહેશો. પ્રભુ મહાવીર : જે તપસ્વીઓ છ છ માસનું તપ કરે છે અને પારણાના દિવસે અડદના બાકુલા મૂઠીભર વાપરીને ઉપર છઠુંનું તપ કરે છે તથા છઠ્ઠના પારણે મૂઠીભર અડદના બાકુલા વાપરીને પાછું છઠ્ઠનું તપ કરે છે–એમ છ છ માસનું તપ કરતાં તથા તેને લેશ્યાનો સંક૯૫ કરતાં તે જે લેશ્યા પ્રગટે છે. આત્મધ્યાન અને અનંત દયાના પરિણામથી શીતલેશ્યા પ્રગટે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470