Book Title: Kalpanik Adhyatma Mahavira Part 3
Author(s): Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 406
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્મનું સ્વરૂપ સુખ છે એવો દઢ નિશ્ચય ધારણ કરે છે. પ્રારબ્ધ કર્મના ચગે સમ્યગદષ્ટિ મનુષ્ય સુખ-દુઃખફળપ્રદ ભોગોને ભોગવે છે. કેદી મનુષ્યને કેદમાં રાજાના હુકમથી નહીં કરવા યોગ્ય કાર્ય કરવું પડે છે, તેમ સમ્યગ્દષ્ટિ મનુષ્યને કર્મની પ્રબલ પ્રેરણાથી અવિરતિનાં નહીં ઇચ્છવા ય કાર્યો કરવા પડે છે, પણ તે વૈરાગ્યબળથી નવીન કર્મબંધમાં ઘણે નિર્લેપ રહે છે. જેના ઉપરથી રાગ ટળી જાય છે તેનાથી કર્મને બંધ થતો નથી. સમ્યગ્દષ્ટિમંત આત્મજ્ઞાન અને વૈરાગ્યના બળથી અપ્રત્યાખ્યાન કષાયને કિલ્લે તોડી પાડે છે અને આત્માને નિર્મળ કરે છે. મનથી જે વિરમે છે તે સર્વથી વિરમે છે. જ્ઞાનીને મનમાં વિરતિપણું હોય છે, પરંતુ તેનામાં બાહ્યથી શુભાશુભ કર્મયોગે બાળ જીવને અવિરતિપણું દેખાય છે. જ્ઞાની કરતો હોવા છતાં પણ કંઈ કરતા નથી. જ્ઞાની આંતરક્રિયા કરે છે. અને બાહ્યથી અક્રિય દેખાય છે. જ્ઞાની આત્મગુણેનાં ચિંતવન, ભાવના અને ક્રિયાથી સક્રિય છે. બે કાચી ઘડીને સમ્યકત્વના ઉપશમપરિણામથી અનંત સંસાર ટળીને અર્ધપગલપરાવ કાળ બાકી રહે છે. ક્ષેપશમ સમકિતયોગે એવા વારંવાર પરિણામ રહેવાથી અને આત્માની શુદ્ધતાના ઉપયોગમાં રમવાથી સમકિતી આત્મા બે ઘડીમાં કેવળજ્ઞાન પામે છે, તે જઘન્ય અને મધ્યમ પરિણામે છેવટે સાત, આઠ ભવ કે એક, બે કે ત્રણ ભવમાં મુક્તિ પામે એમાં કંઈ આશ્ચર્ય નથી. સમ્યગ્દષ્ટિ પિતાના આત્માને સિદ્ધ, મહાવીર, બુદ્ધ, પરબ્રહ્મ, પરમાત્મારૂપ અનુભવે છે. ચોથી ભૂમિકામાં રહેવા છતાં તે આત્માનંદરસની ઝાંખીને અનુભવ કરે છે. તેથી તે આત્માની શુદ્ધિ કરે છે.” શતાનીકનું ભાવિ: “હે શતાનીક ! તારામાં સભ્યજ્ઞાન પ્રગટયું છે. “અનાદિઅનંત આત્મા એ જ મહાવીર છે. તે તિભાવે મહાવીર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470