Book Title: Jiva Tattvanu Parigyan
Author(s): Sunandaben Vohra
Publisher: Somchand D Shah

View full book text
Previous | Next

Page 34
________________ માનવ વનસ્પતિ, ફૂલ, ફળ વગેરેને સવિશેષ ઉપયોગ કરે છે. તેમાં વિવેકપૂર્વક વર્તવાની જરૂર છે. લોક પ્રસિધ્ધ સાધારણ વનસ્પતિ કંદમૂળ વગેરે અનંતકાય જીવો છે. તેથી તેના વપરાશમાં વધુ હિંસા રહેલી છે. બહુબીજ, તુચ્છફળ અને કુણી વનસ્પતિ પણ વધુ વિરાધનાવાળી છે. તે અપેક્ષાએ પ્રત્યેક વનસ્પતિમાં અલ્પ હિંસા રહી છે. તે પણ જેટલી નિવારી શકાય તેટલી નિવારવી યોગ્ય છે. સપ્ત વ્યસનથી વધુ હિંસા થાય છે, તેથી તે વજર્ય છે, તેમ કૂણી વનસ્પતિ કે બહુબીજ જેવી વસ્તુનો ત્યાગ કરવાથી હિંસા ઓછી લાગે છે. જીવસૃષ્ટિના અભ્યાસ વગર આ મૂક સૃષ્ટિ પ્રત્યે આપણી અનુકંપા, દયાભાવ, યતના કે મૈત્રી ભાવ કેળવાતો નથી. પ્રત્યેક વનસ્પતિકાય સિવાયના પૃથ્વીકાયાદિ પાંચે સૂક્ષ્મ જીવો તથા બાદર વાયુકાય, સકલ લોકમાં રહેલા છે. તે અંતરમુહૂર્તના આયુષ્યવાળા છે. અને ચક્ષુ અગોચર છે. આ સૂક્ષ્મ જીવો અન્ય વડે વ્યાઘાત પામતા નથી. પ્રત્યેક વનસ્પતિમાં સૂક્ષ્મ જીવોની ગણના નથી તેથી તેના બે ભેદ સૂક્ષ્મ જીવો, અસંખ્યાત કે અનંતજીવોનું ભેગું શરીર હોય તો પણ જોઇ શકાય નહિ તે નિગોદ કે સાધારણ વનસ્પતિ છે. બાદરજીવો : આ જીવોનું શરીર સ્થૂલ હોય છે. અસંખ્યાત કે અનંત જીવોનું ભેગું શરીર તથા એક શરીરવાળા જીવોનું શરીર જોઇ શકાય છે. આ જીવો છેદાય ભેદાય કે અગ્નિથી બળી શકે છે. અન્યથી ઉપઘાત પામે છે. સાધારૂગ પ્રત્યેક સ્થાવરના ભેદો પૃથ્વી અ, તેઉ વાયુ પર્યાપ્તા સૂક્ષ્મ ૧ ૧ ૧ ! પર્યાપ્યા બાદર અપર્યાપ્ત સૂક્ષ્મ ૧ અપર્યાપ્યા બાદર | ૪ | ૨ | રર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org 33

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112