Book Title: Jiva Tattvanu Parigyan
Author(s): Sunandaben Vohra
Publisher: Somchand D Shah

View full book text
Previous | Next

Page 71
________________ ૨ સંસારથી મુક્તિનો ઉપાય . સંસારના પરિભ્રમણનો ઉપાય તો એક આત્મજ્ઞાન છે. જે સમગ્રદર્શન થતાં પ્રગટ થાય છે. આ સમ્યગદશામાં જતો સાધક પાંચ લક્ષણોયુક્ત હોય સમ્યગદશાના પાંચ લક્ષણો છે ૧. શમ કે ફોધાદિ કષાયોનું સમાઈ જવું. ઈન્દ્રિયોના વિષયોનું શાંત થવું મિથ્યા કદાગ્રહનો ત્યાગ થવો. શાંતિનો અનુભવ થવો. ૨. સંવેગ છે માત્ર મોક્ષનો અભિલાષ. સાંસારિક પ્રલોભનોનો સહજ ત્યાગ, સમ્યગ પ્રકારનો ભાવ. ૩. નિર્વેદ વિધ્યોથી, સંસારભાવથી પાછા વળવું સાંસારિક પ્રવૃત્તિ કે વ્યવહારમાં ખેદ વર્તવો. ૪. આસ્થા સદેવ, સતગુરૂ, સધર્મમાં શ્રધ્ધા જિનવર પ્રણિત તત્ત્વની યથાર્થ રૂચિ. દયારૂપ ધર્મામાં શ્રધ્ધા. પ. અનુકંપા જ સર્વ જીવો પ્રત્યે સમાન વૃત્તિ વાક્યભાવનો આવિર્ભાવ. દુ:ખી જીવો પ્રત્યે તેઓ સુખી થાય તેવી સક્રિય ભાવના. સમગ્રદશાના પાંચ લક્ષણોના પ્રગટ થવાથી જીવ. સમ્યગદર્શનને પામે છે. અર્થાત સમ્યગદ્રષ્ટિ આત્મામાં આ ગુણો હોય છે. દ્વાર ઉઘાડયા શમ સંવેગના જી અનુભવ ભુવને બેઠે મારો નાથ રે સમકિત તૂર ગભારે પેસતા શમ સંવેગાદિ ગુણોની વૃદ્ધિ દ્વારા પરિણામની શુધ્ધિ પ્રગટે છે, ત્યારે જીવને સ્વાત્માનો અનુભવ થાય છે તે સમ્યગુદર્શન આત્મદર્શન છે. વળી આ સમગ્રદર્શન પણ પરિવાર સહિત હોય છે. સમગ્રદર્શન થી જ મોક્ષ માર્ગમાં પ્રવેશ મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112