________________
શેય
|
પાઠ : રે , નવતત્વનો પ્રથમ વિચાર - વિવેક નવતત્વની શ્રદ્ધા માટે વિવેકના ત્રણ પ્રકાર છે: ૧. શેય ૨. ઉપાદેય ૩. હેય. નામ | વ્યાખ્યા
તત્ત્વ જાણવા યોગ્ય
જીવ - અજીવ ઉપાદેય આદરવા યોગ્ય પુણ્ય, સંવર, નિર્જર, મોક્ષ. હેય ! ત્યાગ કરવા યોગ્ય પાપ, આશ્રવ, બંધ. વિશેષ નોંધ પુણ્ય આત્માની શક્તિ કે ગુણ નથી. શુભપ્રવૃત્તિના નિમિત્તે ઉપજતા શુભભાવનું પરિણામ પુણ્ય છે. તે શુભ આશ્રવ છે. અને આશ્રવ માત્ર ત્યાગવા યોગ્ય છે. તો પછી પુણ્ય ઉપાદેય શા માટે?
નિશ્ચયનયથી તો પુણ્ય ત્યાગવાયોગ્ય હેય છે. પરંતુ ધર્મમાર્ગમાં ઉપયોગી માનવદેહ અને અન્ય સંયોગો પુણ્યના નિમિત્તે મળે છે. વળી અશુભ ભાવથી દૂર રહેવા પ્રથમ શુભભાવ હોય છે. તેથી કેવળ તે ભોમિયારૂપ છે. માર્ગ મળ્યા પછી તેની ઉપયોગીતા ન હોય ત્યારે તે સ્વયં દૂર થઈ જાય છે. પુણ્ય મોક્ષનું સાધન છે સાધ્ય નથી. મોક્ષનું સાધન શુદ્ધઉપયોગ છે. તેની પ્રથમની ભૂમિકા કથંચિત શુભભાવ છે.
સંવર નિર્જરા શુભ અધ્યવસાય છે. પરંતુ તે કર્મોને અટકાવવાના અને નિર્જરવાના તત્ત્વો હોવાથી તે આત્માશક્તિરૂપ છે; તેથી તે જીવના પ્રકાર ગણાય છે.
જગતમાં મુખ્ય તત્વ તો બે છે, ૧. જીવ અને ૨. અજીવ. તેનો વિસ્તાર એટલે નવતત્ત્વ.
જીવમાં ગણાતા તત્ત્વો ચાર છે. જીવ, સંવર, નિર્જરા અને મોક્ષ. અજીવમાં ગણાતા તત્ત્વો પાંચ છે.
અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, બંધ. જૂઓ પુણ્યતત્ત્વને અજીવના ખાતામાં મૂકયું કારણ કે તે જીવનો ભાવ નથી; શુભાશ્રવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org