Book Title: Jiva Tattvanu Parigyan
Author(s): Sunandaben Vohra
Publisher: Somchand D Shah

View full book text
Previous | Next

Page 103
________________ પાઠ ૧૩ ૯ - મોક્ષતત્ત્વ સમ્યગદર્શનશાનચારિત્રાણિમાક્ષમાર્ગ: શ્રી ઉમાસ્વાતિ આચાર્ય તત્વાર્થ સૂત્ર. મોક્ષ - મુક્ત થવું કોનાથી મુક્ત થવું ? અનંત પ્રકારના કર્મોરૂપી શત્રુઓથી મુક્ત થવું. અનંત કાળના જન્મ મરણના પરિભ્રમણથી મુક્ત થવું. મોક્ષ શું છે? આત્માના શુદ્ધ સ્વભાવનું પ્રગટ થવું. દેહાદિથી સર્વથા મુક્ત થવું. તે પછી આત્મા ક્યાં રહે ? અનંત અવ્યાબાધ સુખમાં અનંતકાળ સુધી સિલકમાં રહે ત્યાં શું કરે ? આત્મસ્વરૂપમાં લીન રહી નિજ સુખમાં સ્મણતા કરે. શાશ્વત સુખને પામે. જન્મ, જરા, મરણ, રોગ, અને શોગથી સર્વથા સર્વકાળ માટે યુક્તિ. મોક્ષ માર્ગના સાધને ક્યા છે? સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગચરિત્ર તેના સાધનો છે. તેની પ્રાપ્તિનો ક્રમ શું છે. સમ્યગદર્શન - તત્ત્વોની યથાર્થ શ્રદ્ધ. સમ્યગજ્ઞાન - તત્ત્વોનો યથાર્થ બોધ. સમ્યગચારિત્ર - સમ્યમ્ વિતરાગતા તેની આરાધનાનો કમ શું છે? પુણ્યનુંબંધી પુણ્યનો યોગ, સંવર નિર્જરારૂપ આત્મશક્તિને પ્રગટ કરનારા તત્ત્વોનો વિધિસહિત કમ સેવવો. મોક્ષની તીવ્ર અભિલાષા, કષાયનું શમન. દયારૂપ ધર્મનું પાલન એ તેની પાત્રતા છે. જેમાં કોઈ જાતિ કે વેશનો ભેદ નથી. માનવજીવનનું આખરી, અગ્રિમ અને અનન્ય કર્તવ્ય મોક્ષમાર્ગની પ્રાપ્તિ છે. tan ITY : International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110 111 112