________________
અત્યંતપના છ પ્રકાર છે. આ અંતરંગ તપ છે. પ્રાય: બાહ્યદ્રષ્ટિએ દેખાય તેવું નથી. પણ આત્માના પરિણામને વિશુદ્ધ કરે છે. ૧. પ્રાયશ્ચિત જ થયેલા પાપોનો પ્રશ્ચાતાપ કરવો અને પ્રાયશ્ચિત કરવું. ૨. વિનય છે ગુરુજનો અને વડીલોના વચનો માન્ય કરવા. ૩. વૈયાવૃત્ય છેગુરુજનો, વડીલો અને તપસ્વી આદિની સેવા કરવી. ૪. સ્વાધ્યાય ર સાસ્ત્રો અને આગમોનો અભ્યાસ કરવો. ૫. ધ્યાન ન કોઈ વિષયનું એકાગ્રતા પૂર્વક ધ્યાન કરવું. ૬. કાયોત્સર્ગ કાયાને પાપવ્યાપારથી રોકવી દેહભાવનો ત્યાગ કરવો.
નિર્જરા તત્ત્વના છ અત્યંતર તપ મોક્ષમાર્ગના સાધનો છે. તેની રક્ષા માટે છ બાહ્ય તપ છે. મુખ્યત્વે ઈચ્છાનો નાશ થવો અને વિતરાગભાવ પ્રગટ થવો તે મોક્ષ માર્ગ છે.
અનશન, ઉણોદરી, વૃત્તિસંપ અને રસત્યાગ, આ ચાર પ્રકાર આહાર શુદ્ધિ માટે છે. આ કાયકલેશ, સંલીનતા, કાયાની શુદ્ધિ અને સંયમ માટેના છે.
પ્રાયશ્ચિત, વિનય અને વૈયાવૃત્ય આ ત્રણ તપ મનશુદ્ધિના છે. સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ, આત્મશુદ્ધિના તપ છે.
આ પ્રકારના તપ દ્વારા કર્મોનો અંશે અંશે નાશ થઈ જીવ મુક્તિને સાધે છે.
| હું જીવ છું, સુખ મને પ્રિય છે. દુઃખ લેશ પણ ગમતું નથી. એમ મારા જેવા બીજા અનંતા જીવો સંસારમાં છે. એ પણ જીવવા ઇચ્છે છે. સુખના અર્થી છે. દુઃખ લેશ પણ ગમતું નથી તે સર્વ જીવો સુખ પામો દુ:ખથી મુક્ત થાવ.
91
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org