Book Title: Jiva Tattvanu Parigyan
Author(s): Sunandaben Vohra
Publisher: Somchand D Shah

View full book text
Previous | Next

Page 94
________________ અત્યંતપના છ પ્રકાર છે. આ અંતરંગ તપ છે. પ્રાય: બાહ્યદ્રષ્ટિએ દેખાય તેવું નથી. પણ આત્માના પરિણામને વિશુદ્ધ કરે છે. ૧. પ્રાયશ્ચિત જ થયેલા પાપોનો પ્રશ્ચાતાપ કરવો અને પ્રાયશ્ચિત કરવું. ૨. વિનય છે ગુરુજનો અને વડીલોના વચનો માન્ય કરવા. ૩. વૈયાવૃત્ય છેગુરુજનો, વડીલો અને તપસ્વી આદિની સેવા કરવી. ૪. સ્વાધ્યાય ર સાસ્ત્રો અને આગમોનો અભ્યાસ કરવો. ૫. ધ્યાન ન કોઈ વિષયનું એકાગ્રતા પૂર્વક ધ્યાન કરવું. ૬. કાયોત્સર્ગ કાયાને પાપવ્યાપારથી રોકવી દેહભાવનો ત્યાગ કરવો. નિર્જરા તત્ત્વના છ અત્યંતર તપ મોક્ષમાર્ગના સાધનો છે. તેની રક્ષા માટે છ બાહ્ય તપ છે. મુખ્યત્વે ઈચ્છાનો નાશ થવો અને વિતરાગભાવ પ્રગટ થવો તે મોક્ષ માર્ગ છે. અનશન, ઉણોદરી, વૃત્તિસંપ અને રસત્યાગ, આ ચાર પ્રકાર આહાર શુદ્ધિ માટે છે. આ કાયકલેશ, સંલીનતા, કાયાની શુદ્ધિ અને સંયમ માટેના છે. પ્રાયશ્ચિત, વિનય અને વૈયાવૃત્ય આ ત્રણ તપ મનશુદ્ધિના છે. સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ, આત્મશુદ્ધિના તપ છે. આ પ્રકારના તપ દ્વારા કર્મોનો અંશે અંશે નાશ થઈ જીવ મુક્તિને સાધે છે. | હું જીવ છું, સુખ મને પ્રિય છે. દુઃખ લેશ પણ ગમતું નથી. એમ મારા જેવા બીજા અનંતા જીવો સંસારમાં છે. એ પણ જીવવા ઇચ્છે છે. સુખના અર્થી છે. દુઃખ લેશ પણ ગમતું નથી તે સર્વ જીવો સુખ પામો દુ:ખથી મુક્ત થાવ. 91 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112