Book Title: Jiva Tattvanu Parigyan
Author(s): Sunandaben Vohra
Publisher: Somchand D Shah

View full book text
Previous | Next

Page 96
________________ પાઠ : ૧૨ ) ૭. કર્મબંધનું સ્વરૂપ છે કર્મબંધ બે પ્રકારે છે : શુભકર્મ : (પુણ્ય) જેના ઉદયથી કે બંધથી જીવને સુખના સાધનો મળે અને સુખનો અનુભવ થાય. અશુભ કર્મ : (પાપ) જેના ઉદયથી કે બંધથી જીવને દુ:ખનો અનુભવ થાય. આ પ્રમાણે કર્મના પ્રકાર અને હેતુ જાગ્યા પછી એક રહસ્ય જાણવા જેવું છે. આત્મપ્રદેશો અને કર્મરજોનું એકમેક મિશ્રણ થયા પછી તે જીવને કેવું ફળ આપે છે? જેમ આહાર ગ્રહણ કર્યા પછી હોજરીમાં પાચનક્રિયા થઇને તે પદાર્થો સપ્તધાતુરૂપે પરિણમે છે, તેમ આ કર્મો આત્મામાં સાત કે આઠ પ્રકૃતિરૂપે પરિણમે, તેના સ્વભાવ પ્રમાણે ફળ આપે છે તે નીચેની વિગતથી સમજાશે. (૧) જ્ઞાનાવરણીય કર્મ કર બંધનુકારણ - જ્ઞાનીની તથા જ્ઞાનના સાધનની અવજ્ઞા, અશ્રધ્ધા ના સેવનથી કે દ્વેષભાવ, અન્ય ને જ્ઞાનારાધનામાં અંતરાય કરવાથી ક્યા ગુણને રોકે - આત્માના જ્ઞાન ગુણને શેકે. ઉપમા - આંખે જોવાની શક્તિ છતાં પાટા બાંધીને ચાલે જેથી પદાર્થને જોઈ ન શકે. તેમ આત્મા જ્ઞાનસ્વરૂપ છતાં અજ્ઞાનને કારણે સ્વરૂપને જાણી ન શકે, અને જ્ઞાન સ્વરૂપને આવરણ રહે. (ર) દર્શનાવરણીય કર્મ જ બંધનું કારણ - જ્ઞાનાવરણની જેવું જાણવું. ક્યા ગુણને રોકે, આત્માના દર્શનગુણને રોકે અર્થાત્ ચક્ષુ આદિ ઈન્દ્રિયોથી થતાં દર્શનને તથા જાગૃતિને આવરણ કરે. - ઉપમા - કોઈ મનુષ્યને રાજાના દર્શન માટે દરબારમાં જવું છે. પણ દ્વારપાળ તેને અંદર જવા દેતો નથી. તેમ જીવમાં દર્શન ઉપયોગ હોવા છતાં બલા પદાર્થોનું કે અંતર સ્વરૂપનું દર્શન કરી શકતો નથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org 93.

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112