Book Title: Jiva Tattvanu Parigyan
Author(s): Sunandaben Vohra
Publisher: Somchand D Shah

View full book text
Previous | Next

Page 93
________________ પાઠ : ૧૧) ૭. નિર્જરાતત્વ - નિર્જરી કે ખરી જવું નિર્જરા - સત્તામાં રહેલા અને ઉદયમાં આવતા કર્મોને નાશ કરવાની આત્મશક્તિ તે નિર્જરા છે. તેના બે પ્રકાર છે :૧. આકામ નિર્જરા ૨ ઉદયમાં આવેલા કર્મ તેના કાળે નષ્ટ થાય છે. પણ તે સમયે જીવ ઉદય કર્મમાં જોડાયેલો હોવાથી વિભાવદશાને કારણે નવો અનુબંધ કરે છે. તેથી તે કર્મોનું ખરવું અામ નિર્ભર છે. ૨. સકામ નિર્જરા જ જ્ઞાની - મુનિને હોય છે. ઉદયવર્તી કર્મો સાથે ઉપયોગની તદ્રુપતા ન હોવાથી ઉપયોગ શુદ્ધ જ્ઞાનમય હોવૉથી કર્મો નાશ પામે છે. અને નવો બંધ તેવો થતો નથી તે સકામ નિર્જરાતત્ત્વ છે. ૧. દ્રવ્યનિર્જરા આત્મ પ્રદેશોથી કર્મપરમાણુઓનું ક્રમે ક્રમે ક્ષીણ થવું. ૨. ભાવનિર્જરા વિભાવજનિત રાગાદિ ભાવકર્મનું ક્રમે ક્રમે ક્ષીણ થવું. નિર્જરા થવાનું સાધન તપ છે. તપ - ઇચ્છાનું અટકવું, નિરોધ થવો કે સમાઈ જવું. ઇચ્છા નિરોધ તપ: ઇચ્છા નિરોધ માટેના સાધનો બાર પ્રકારનાં તપ - છ બાહ્ય અને છ અત્યંતર છે. બાહ્ય તપના છ પ્રકાર બાહ્ય – બાહ્ય દ્રષ્ટિથી દેખાય; ત૫ - શરીરને તપાવે, દમે તે. ૧. અનશન કે અભ્યાધિક સમય માટે સર્વ પ્રકારના આહારનો ત્યાગ. ૨. ઉણોદરી ભૂખ કરતાં ઓછો આહાર લેવો. ૩ વૃત્તિ સંક્ષેપ છે આહારના પદાર્થોની મર્યાદા રાખી ગણત્રીમાં લેવા. ૩. રસ ત્યાગ જ સ્વાદના જ્ય માટે સ્વાદિષ્ટ રસોનો ત્યાગ કરવો. તેમાં દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, તળેલું (મીઠું) રસવાળા પદાર્થો છે.. ૫. કાય કલશ શરીર સાધનમાં દ્રઢ રહે તેમ કરવું. ૬. સંલીનતા છે પદ્માસન જેવા આસનનો મહાવરો રાખવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112