________________
૫૪
જિનતત્વ ક્ષમાની સાથે મિત્રી જોડાયેલી છે. મિત્રી હોય ત્યાં. વેરભાવ ન હોય. ક્ષમા સમગ્ર વિશ્વમાં શાંતિ અને સંવાદિતા. સ્થાપવામાં ઘણું મટે ફાળો આપે છે. એટલા માટે જ કેટલાક લોકેનું નિરંતર ભાવરટણ હોય છે?
खामेमि सव्व जीवे, सव्वे जीवा खमंतु मे । मित्ती मे सव्व भूएसु, वेर मज्झ न केणई ॥
[ હું બધા ને ખમાવું છું. બધા જ મને ક્ષમા આપે. સર્વ જી સાથે મારે મૈત્રી છે. કેઈ સાથે મારે વૈરભાવ નથી.]
જૈનોનું પર્યુષણ પર્વ એ ક્ષમાપનાનું પર્વ છે. પર્વ નિમિરો પરસ્પર ક્ષમાપના કરાય છે. એમાં ઔપચારિકતા. ઘણી હશે. તે પણ જીવનને સુસંવાદી બનાવવામાં આ. પર્વને ફાળે ઓછા નથી. વિશ્વશાંતિની દિશામાં એ એક મોટું પગલું છે.
દુનિયાના કોઈ ધર્મમાં ક્ષમાપનાનું અલગ, વિશિષ્ટ, મેટું પર્વ મનાવવાનું ફરમાવાયું હોય તો તે જૈન ધર્મમાં છે. એ એનું મોટું યોગદાન છે. માનવજાત માટે એ મેટું વરદાન છે.