Book Title: Jinatattva
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 152
________________ ૧૩૪ જિનત ભગવાન મહાવીરે લગભગ સાડા બાર વર્ષ આવું કઠિન તપસ્વી જીવન વિતાવ્યું. સંનિષ્ઠ બ્રહ્મચર્યમય સંયમી જીવન જીવવા માટે આહારની જરૂર ઘણી ઓછી રહે છે. એ ભગવાન મહાવીરે પોતાના જીવનમાં સિદ્ધ કરી બતાવ્યું. લગભગ સાડા બાર વર્ષના તપશ્ચર્યામય જીવનમાં એમણે કુલ જેટલા ટક આહાર કર્યો અને જે સરવાળે કરીએ. તો લગભગ એક વર્ષ જેટલો સમય થાય. એટલે કે જુદા. જુદા દિવસે મળીને આશરે ૧૧ વર્ષ જેટલો સમય એમણે આહાર વગર ચલાવ્યે એમ કહી શકાય. આ અત્યંત. વિરલ કહી શકાય એવી સિદ્ધિ છે. માણસને સૌથી મટે ઉદ્યમ ઉદરભરણને કાજે હોય છે. ઉદરપોષણ અટકે તો જીવન અટકે. એટલે જ ઉદર-- પિષણ અથે કરાતી કમાણી માટે “આજીવિકા શબ્દ. વપરાય છે. કેટલાક એમ એને છે કે માણસને જે પેટ. ન હોત તો આ સંસારમાં ઘણી શાંતિ હતી, કારણ કે પેટ માટે માણસને ધાંધલ-ધમાલ કે ઢસરડા કરવા પડે છે. તે કરવા ન પડત. બીજા કેટલાક એમ માને છે કે માણસને જે પેટ ન હોત તો કદાચ સંસારમાં બહુ કલેશ, કંકાસ, કલહ અને અશાંતિ હોત, કદાચ યુદ્ધો પણ વધુ થતાં. હત, કારણ કે પેટ માટેના ઉદ્યમમાંથી નવ પડેલ નિચિંત માણસ ખોટી દિશામાં પોતાની બધી શક્તિ. વાપરતો થયે હોત. મનુષ્યને પિટ છે માટે જ તે આટલા. બધા રેકાયેલું રહે છે. એટલે જ સંસારમાં ઠીક ઠીકશાંતિ છે. વસ્તુતઃ પિતાને પેટ છે અને છતાં પેટ નથી.

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185