Book Title: Jinatattva
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 135
________________ જન દષ્ટિએ તપશ્ચર્યા પર્યુષણ પર્વના દિવસે આવે એટલે જૈનોમાં વિવિધ પ્રકારની તપશ્ચર્યાએ ચાલુ થાય. સંવત્સરીને દિવસે તપની પૂર્ણાહુતિ થાય એવી રીતે ત્રીસ દિવસ અગાઉથી કેટલાક લાકે ઉપવાસ ચાલુ કરે છે. એક મહિનાના આ ઉપવાસ મા ખમણ” તરીકે ઓળખાય છે. કેટલાક એક્ટીસ દિવસના, સેળ દિવસના, ચૌદ કે અગિયાર દિવસના ઉપવાસ કરે છે. એથી વિશેષ, પર્યુષણના આઠેઆઠ | દિવસના ઉપવાસ–અડ્રાઈ કરનારાઓની સંખ્યા ઘણું હોય છે. કેટલાક છેવટે સંવત્સરીને દિવસે ઉપવાસ કરે છે. પર્વના દિવસે પૂરા થાય એટલે દરેક સંઘ પિતાને ત્યાં અરૂાઈ સુધીની કેટલી મોટી તપશ્ચર્યા થઈ તેની યાદી બહાર પાડે છે; તપસ્વીઓનું સમાન થાય છે; પ્રભાવના થાય છે; તપસ્વીઓના ઘરે ઊજવશું થાય છે. - દર વર્ષે કઈક કોઈક વ્યક્તિએ ત્રીસ ઉપવાસ - કરતાં વધુ તપશ્ચર્યા કરે છે. ૪પ દિવસ, ૬૦ દિવસ, ૭૫ દિવસ, 6 દિવસ, ૧૧૦ દિવસના ઉપવાસ –એમ મોટી આકરી તપશ્ચર્યાઓ પણ થાય છે. જેનોને એક ઉપવાસ એટલે બાર કલાકનો નહિ પણ છત્રીસ કલાકનો. ઉપવાસ કરનાર આગલી સાંજથી ઉપવાસના બીજા દિવસે સવારે સૂર્યોદય સુધીના છત્રીસ કલાકમાં અન્નનો એક દાણો પણ

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185