________________
પચ્ચક્ખાણ
: ૧૦૧
પચ્ચકખાણના પ્રકારને લક્ષમાં રાખીને જુદા જુદા આગાર બતાવવામાં આવે છે. એવા મુખ્ય બત્રીસ આગાર શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે. (૭) નિરવશેષ :
ચારે પ્રકારના આહારનો સર્વથા ત્યાગ કરે તે નિરવશેષ પચ્ચકખાણ છે. આ પચ્ચક્ખાણ મરણ સમયે લેવાય છે. જેઓ સંલેખના વ્રત (સંથારે) લે છે તેમને પણ આ પચ્ચકખાણ લેવાનું હોય છે. (૮) પરિમાણકૃત :
પરિમાણુ એટલે માપ. આહાર વગેરેમાં અમુક જ વાનગીનું કે અમુક કેળિયાનું માપ નકકી કરીને આહાર કરવાનું પચ્ચખાણ લેવું તે પરિમાણકૃત પચ્ચક્ખાણ છે. (૯) સંકેત :
કેટલીક વખત અમુક સમયમર્યાદા માટેનું પચ્ચકખાણ કર્યું હોય, પરંતુ તે સમયમર્યાદા પૂરી થયા છતાં પચ્ચકખાણ પૂર્ણ કરવાને અવસર પ્રાપ્ત ન થાય એમ હોય ત્યારે બાકીનો સમય અવિરતિમાં પસાર કરવા કરતાં કઈ સકેત ધારણ કરી લેવામાં આવે અને એ સંકેત પ્રાપ્ત થતાં પચ્ચકખાણ પણ કરવામાં આવે. કેઈક વખત પચ્ચકખાણને યાદ રાખવા માટે પણ એ સંકેત આલંબનરૂપ બને છે. ‘મુઠ્ઠી (મૂઠી) સહિત” કે “ગન્ડી. (ગાંઠ) સહિત” એ બે પ્રચલિત સંકેત છે. માણસ મુઠ્ઠી