________________
निःशेषहानिप्रतियोगिनी तारतम्यवद्धानिप्रतियोगित्वात् ઈત્યાદિ અનુમાનમાં પક્ષવિવેચનમાં બાધાસિદ્ધિ દોષનો પ્રસંગ આવે છે, તેનું નિવારણ કરવા તથાપિ હોષત્વમાવરળત્વમ્.. ઈત્યાદિ ગ્રન્થથી અનુમાનનું સ્વરૂપ સ્પષ્ટપણે જણાવાય છે. એનો આશય સ્પષ્ટ છે કે -ોષત્વમવરળવંચ, निःशेषक्षीयमाणवृत्ति, देशतः क्षीयमाणवृत्तिजातित्वात् સ્વર્ણમત્વવત્ - આ પ્રમાણે અનુમાનનું તાત્પર્ય હોવાથી કોઈ દોષ નથી. કારણ કે તારતમ્યવહાનિના પ્રતિયોગી એવા દેશથી (અંશત:) ક્ષય પામતા દોષ અને આવરણમાં રહેનારી દોષત્વ અને આવરણત્વ જાતિમાં; દેશથી ક્ષય પામતા દોષ અને આવરણમાં રહેનારી જાતિમાં વૃત્તિ (રહેનાર) એવું જાતિત્વ છે તેમ જ શ્રીવીતરાગપરમાત્માના નિ:શેષક્ષીયમાણ દોષ અને આવરણમાં પણ દોષત્વ અને આવરણત્વ વૃત્તિ હોવાથી તેમાં ‘નિઃશેષક્ષીયમાણવૃત્તિત્વ’' સ્વરૂપ સાધ્ય પણ છે. તેથી પૂર્વે જણાવ્યા મુજબ બાધ કે અસિદ્ધિ દોષ આવતો નથી..ઈત્યાદિ ઉપયોગપૂર્વક સમજી લેવું જોઈએ. ૪-૯
શ્રીતીર્થંકરપરમાત્મા જગત્કર્તા ન હોવાથી તેમનામાં મહત્ત્વ કઈ રીતે મનાય – આ શંકાનું નિરાકરણ કરાય છે— इत्थं जगदकर्त्तृत्वेऽप्यमहत्त्वं निराकृतम् ।
कार्ये कर्तृप्रयोज्यस्य विशेषस्यैव दर्शनात् ॥४- १० ।। ‘‘દોષ અને આવરણના સર્વથા ધ્વંસને લઈને પરમાત્મામાં મહત્ત્વ સિદ્ધ થવાથી પરમાત્મા જગત્કર્તા ન હોવા છતાં તેઓશ્રીમાં મહત્ત્વના અભાવનું નિરાકરણ થાય છે. કારણ કે કાર્યમાં; વિશેષ-સ્વરૂપ જ કર્તાનું પ્રયોજ્યત્વ દેખાતું હોવાથી
૨૩