________________
(વાસ્તવિક રીતે નહિ) જ અસભૂત અર્થના વિષયવાળું ચિત્ત (કુશલચિત્ત) પ્રામાણિક માનવું હોય તો; “આ જગતનું કુરિત્ર (અધર્મ) મારામાં જ પડે (સંક્રમિત થાય) અને તેવી જ રીતે મારા સચ્ચારિત્ર(ધર્મ)ના યોગે બધા પ્રાણીઓની મુક્તિ થાય” - આની જેમ નીચે જણાવ્યા મુજબ પણ બોલવું પડશે. “અજ્ઞાનીઓનું જે અજ્ઞાન છે તે સદાને માટે મારામાં સંક્રમિત થાય અને મારા જ્ઞાનના યોગે તેમનામાં કાયમ માટે ચૈતન્યનો સંચાર થાય.” જો આ પ્રમાણે માનવાનું સંભવિત નથી તો ઉપર જણાવ્યા મુજબ કુશલચિત્ત પણ સંભવતું નથી – એ સમજી શકાશે. ૪-૨૪
આવી જાતનું કુશલચિત્ત ન હોય તો જ શ્રીવીતરાગ પરમાત્મામાં મહત્ત્વ છે. અન્યથા શ્રીવીતરાગપરમાત્માની વીતરાગતા અસિદ્ધ થશે – એ જણાવાય છે –
अतो मोहानुगं ह्येतन्निर्मोहानामसुन्दरम् । बोध्यादिप्रार्थनाकल्पं सरागत्वे तु साध्वपि ॥४-२५॥
“અસંભવિત વિષયવાળું એ કુશલચિત્ત હોવાથી મોહનીયકર્મના ઉદયથી અનુગત છે. શ્રીવીતરાગપરમાત્માઓ માટે તે સારું નથી. બોધિ, આરોગ્ય વગેરેની પ્રાર્થના જેવું એ ચિત્ત સરાગ અવસ્થામાં સારું પણ મનાય છે.” - આ પ્રમાણે પચીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે વાસ્તવિક રીતે ઉપર જણાવેલું કુશલચિત્ત અસંભવિત અર્થના વિષયવાળું હોવાથી મોહનીયકર્મના ઉદયને અનુસરનારું છે. મોહનીયકર્મના અભાવમાં તો સમસ્ત વિકલ્પના અંશથી પણ રહિત ચિત્ત હોય છે. શ્રીવીતરાગપરમાત્મા મોહરહિત હોવાથી તેમના
(૫૩)