Book Title: Jin Mahatva Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 41
________________ અપેક્ષાએ શ્રીવીતરાગપરમાત્માનું દાન ખૂબ જ અલ્પ પ્રમાણમાં હોવાથી શ્રી વીતરાગપરમાત્મા મહાન નથી. ૪-૧૭. અસખ્ય - અપરિમિત દાન આપવાના કારણે જણાતી શ્રીમન્તાઈ અને કૃપણતાની અવિદ્યમાનતા (અભાવ) વગેરેના કારણે બૌદ્ધો બુદ્ધના મહત્ત્વને સિદ્ધ કરે છે. અને સખ્યાવદ્ (પરિમિત)દાન આપવાના કારણે જણાતી ગરીબાઈ તેમ જ કૃપતા વગેરેના કારણે શ્રી જિનેશ્વરદેવમાં મહત્ત્વાભાવ સિદ્ધ કરે છે, પરંતુ તે અયુક્ત છે. સખ્યાવદ્ દાન કૃપણતાદિના કારણે નથી, પણ બીજા કારણે છે – એ આશયથી તેરમા શ્લોકમાં જણાવેલી વાતનું સમાધાન કરાય છે – अत्रोच्यते न सङ्ख्यावद्दानमर्थाद्यभावतः । सूत्रे वरवरिकायाः श्रुतेः किं त्वर्थ्यभावतः ॥४-१४॥ “શ્રી વીતરાગપરમાત્માના સખ્યાવદ્ દાનના વિષયમાં કહેવાય છે- ધન વગેરેના અભાવના કારણે તે સખ્યાવ૬(પરિમિત) દાન ન હતું, કારણ કે વર માગો, વર માગો આ પ્રમાણેની ઉદ્દઘોષણાપૂર્વક એ દાન અપાયું હતુંએમ સૂત્રમાં જણાવ્યું છે; પરન્તુ દાનના અર્થીઓના અભાવના કારણે સખ્યાવ-પરિમિત દાન થયું હતું.” - આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે વરં વૃભુત વ વૃભુત આવી ઉદ્યોષણાપૂર્વક શ્રી તીર્થંકર પરમાત્માઓ દાન આપે છે – આ પ્રમાણે આવશ્યકનિયુક્તિ વગેરેમાં જણાવ્યું છે. જો પરિમિત જ દાન આપવાનું હોય તો તેવી ઉદ્ઘોષણા કરાવી ન હોત- તે સમજી શકાય છે. તેથી માનવું જ રહ્યું કે પરિમિત દાન અર્થ

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66