Book Title: Jain Shasan 2003 2004 Book 16 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 248
________________ પ્રશ્નોત્તર વાટિકા શ્રી જૈનશાસન (અઠવાડીક) * વર્ષ: ૧૬* અંકઃ ૨૩ * તા. ૪-૫-૨૦૦૪ પ્રશ્નોત્તર વાટિકા (પરિમલ) (૬૪) અચિંત્ય ચિંતામણી કલિકાલ કલ્પતરૂ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની વાસક્ષેપ પૂજા કર્યા બાદ તે વાસક્ષેપ લઇને પછી દરરોજ માથામાં નાંખી શકાય? (ગયા અંકથી ચાલુ) (૬૨) ભગવાનની પૂજા કરતી વખતે ફણાની અથવા લાંછનની પૂજા કરી શકાય? ભગવાનની પૂજા કરતી વખતે ભગવાનના નવ અંગે તેર જગ્યાએ અનામિકા આંગળીથી નખ વિ. ભગવાનને ન અડી જાય તેની કાળજી રાખીને પૂજા કરવાની છે. ઘણાં ફણાની તથા લાંછનની પૂજા પણ કરે છે તેમાં ભગવાનના અંગ સ્વરૂપ સંલગ્ન ફણાની પૂજા કરવાની જરૂર ન હોવા છતાં) પૂજા કરે તો વાંધો નથી પરંતુ ભગવાનને જન્મ વખતે જમણાં સાથળમાં ચહ્ન સ્વરૂપ લાંછન પ્રતિમાને ઓળખવા માટે લાંઠીની નીચે પાટલીમાં મધ્યભાગે કરાય છે તેની જા કરવાની હોતી નથી. (૬૩) પાર્શ્વનાથ ભગવાનને તથા સુપાર્શ્વનાથ ભગવાનને ઘણી જગ્યાએ ફણા હોય છે તે શા માટે? યા ભગવાનને કેટલી ફણા હોય? આ અવસર્પીણીના ચોવીસ તિર્થંકર બગવાનમાંથી પાર્શ્વનાથ ભગવાનને ત્રણ, સાત અને અગીયાર ફણા તથા સુપાર્શ્વનાથ ભગવાનને એક, પાંચ અને નવ ફણા કરાય છે. બીજા ભગવાનને નહિઁ. इग पण नवय सुपासो पासो फण तिन्निसगइगारकमा फणिसिज्जासु विणाओ फणिंदभर्ती नन्नेसु ॥ પાર્શ્વનાથ ભગવાનને કમઠે કરેલા ઉપસર્ગ વખતે ધરણેન્દ્રએ ભક્તિથી ફણા કરેલ તેના પ્રતીક સ્વરૂપે તથા પાર્શ્વનાથ ભગવાન ગર્ભમાં આવ્યો છેતે માતા સ્વપ્નમાં એક, પાંચ અને નવ ફણાવાળી દરેક જુદી નદી નાગશય્યા દેખે છે તેથી તેના પ્રતીકરૂપે ફણા કરાય છે. ફણા વિનાના પણ કરાય છે. ૧૩૧૬ આવા વિષમકાળમાં પણ આપણા જેવા પામર જીવોને પ્રતિમા સ્વરૂપે પણ તારક તિર્થંકર પરમાત્મા મળ્યા છે. તે બધા જ તિર્થંકરો અચિંત્ય ચિંતામણી અને કલિકાલ કલ્પતરૂ છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ આદિ કોઇપણ જગ્યાએ વાસક્ષેપ પૂજા કર્યા પછ તે વાસક્ષેપ પણ નિર્માલ્ય દેવદ્રવ્ય ગણાતો હોવાથી પુષ્પની જેમ કોઇના પણ પગમાં ન આવે (આશાતના . થાય) તેવી જગ્યાએ વિધિપૂર્વક વિસર્જન કરવાનો છે. વાસક્ષેપ પૂજા (સમર્પણ) કરી હોવાથી તે વાસક્ષેપ આપણાથી લઇ પણ શકાય નિહં અને તેથી જ મસ્તક ઉપર નાંખવાનો સવાલ જ પેદા થતો નથી. (૬૫) પરમાત્માના પ્રક્ષાલનું જલ તથા અષ્ટોત્તરી શાંતિ સ્નાત્ર વિ.નું જલ શરીરે ચોપડી શકાય? બોટલ વિ.માં ભરીને રાખી શકાય? બહારગામ લઇ જઇ શકાય? આચાર્ય ભગવંત વિ. સાધુ સાધ્વીને આપી શકાય? પરમાત્માને દૂધ તથા જલનો અભિષેક કરેલ જલ તથા અષ્ટોત્તરી શાંતિસ્નાત્રનું જલ અભિષેક જલ (પ્રક્ષાલ) વિલેપન કરવાની દવા નથી કે આખા શરીરે ચોપડી શકાય માત્ર બહુમાનને યોગ્ય હોવાથી મસ્તકે લગાડાય છે. મસ્તકે દાતવ્યમીતિ બોટલ વિ.માં ભરીને સ્નાત્રજલ રાખી શકાય નહિં. બહારગામ પણ લઇ જવાની જરૂર નથી. આચાર્ય ભગવંત વિ. તો આજ્ઞાના પાલનમાં રકત હોવાથી સ્નાત્ર જલન ઉપયોગ કરવાનો નથી. કોઇવાર વિશિષ્ટ સંયોગોમાં ઉપયોગ કરવો પડયો હોય તો તે માર્ગ બનાવી દેવાય નહિં.

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382