Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨૦ :
.
: શ્રી જૈન શાસન (અઠવાડિક) તા. ૧૩-૮-૯૧
તીર્થકર કહ્યો છે. તે વાત સ્વયં સમજનારા અને સમજાવનારા શ્રી સંઘથી વિરુદ્ધ કઈ કારવાઈ ન જ કરે તે એક સત્ય હકીકત છે. છતાં પણ આજે પોતાની ઈચ્છા મુજબ કરી શકો માટે ચેડા લેકે ભેગા થઈને પિતાને શ્રી સંઘ તરીકે ઓળખાવે અને જે વર્ષોથી ભગવાનની આજ્ઞા મુજબ જીવતા હોય તેવા પણ શ્રી સંઘને, પૈસાના અને સત્તાના જોરે ગણે પણ નહિ તે તે શ્રી સંઘને માન્ય અને પૂજ્ય રાખે તેવી તે આશા પણ તેવાઓ પાસે કેમ રખાય!! પણ નવા ચીલા પાડનારાઓએ, શ્રી જૈન શાસનમાં નિકિતકાર તરીકે સુપ્રસિદ્ધ ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુ સ્વામિજીને પ્રસંગ ખાસ યાદ રાખવા જેવું છે. જેઓનાં વચને ટંકશાળી ગણાય છે તેવા તેઓ-પૂજ્યશ્રીએ પણ શ્રી સંઘને કે પૂજય માને છે તે કેઈથી પણ અજાણ્યું નથી. માટે શ્રી સંઘમાં બેટો ભેદ પડે, નવા ચીલાથી લોકમાં દ્વિધા થાય તેવું કાય કેઈપણ ભવભીરૂસુવિહિત ન આચરે !
માટે આવું સુંદર તારક શાસન પામ્યા પછી, સમજ્યા પછી હંમેશા સત્યના જ પક્ષપાતી થવું તે જ શ્રેયસ્કર છે. તેમાં જ સાચે વિવેક છે. કદાચ તેવી શકિતના અભાવે, આજને આજ સંપૂર્ણ સત્ય આચરણમાં ન મૂકી શકાય તે બને પણ હયામાં તે એક જ ભાવ હોય કે–કયારે હું સંપૂર્ણ સત્યને આચરનારો થાઉં ?' આવું હોય તે જ સત્યને સારો પક્ષપાતી ગણાય ને? બાકી લેકષણના અથી કયારે કેવી ગુલાંટ મારે, પલટ થાય તે કહી શકાય નહિ, સત્યની સામે તે તે બેસે જ નહિ.
સત્ય આચરણ માટે એક વિદ્વાનની વાત પણ યાદ રાખવા જેવી છે કે
"Be clear about what is finally right, whether you can do it or not, and every day you will be more and more abble to do it, if you try.”
અર્થાત–સત્ય વસ્તુ શું છે તેને ચોકકસ નિર્ણય કરે. ભલે પછી તમે તે (આચ૨ણ) કરી શકે અગર ન પણ કરી શકે. પરંતુ જો તમે પ્રયત્ન કરશે તે દિન-પ્રતિદિન તમે તે વસ્તુ કરવા માટે વધુ ને વધુ શકિતમાન બનશે.”
તે જૈન શાસનના મર્મને પામેલા છે તે સત્યના કેવા ખપી હોય !
આવું તારક શાસન આપણે સૌ પામ્યા છીએ તે તેના સારને સમજી, કુવાસનાઓને નાશ કરી, આત્મ કલ્યાણ સાધીએ તે જ મંગલ મહેચ્છા સહ, કલિકાલ સર્વજ્ઞ, પુ. શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શબ્દોમાં શાસનને પુનઃ પુનઃ નમસ્કાર કરી, ભવભવ આ જ શાસન મળે તેવી ભાવના ભાવીએ.
“વાસન[[વિસ્તારનાથ, नमोऽस्तु तस्मै तव शासनाय ।"