________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પયોગી કામ વડે સદાને માટે આ પ્રદેશ ઉપર પોતાની સજીવ સ્મૃતિ મુકતા ગયા છે.
આ વંશને છેલ્લો રાજા રાવ ચન્દ્રસિંહ ઘણો નબળો થયો અને તેના સામંત તથા પ્રધાનને કબજે રાખવાને અશક્ત નીવડ્યો. તેણે ઈડર છોડયું અને વિજયનગર (પિળો)માં જઈને નિવાસ કર્યો. ત્યાં પોતાના જ સસરાને મારીને તેણે રાજ્યગાદી લીધી.
આ પ્રમાણે કેટલેક વખત અંધાધુધી ચાલ્યા પછી જોધપુરના મહારાજ અભયસિંહજીના લઘુ બંધુઓ મહારાજ આણંદસિંહજી અને રાયસિંહજીએ સને ૧૭૩૧માં ઇડરની રાજ્યગાદીનો કબજે લીધો. હાલના રાજ્યકર્તા મહારાજાશ્રી હિંમતસિંહજી એ વંશના મહારાજ આણંદસિંહજીથી ૧૦મા રાજા છે. તેઓશ્રી પ્રસિદ્ધ યુદ્ધવીર મહારાજા જનરલ સર પ્રતાપસિંહજીના પાત્ર છે અને સને ૧૯૩૧ની ૨૮મી એપ્રિલે તેઓશ્રીના પિતાશ્રી મહારાજા સર દૌલતસિંહજી સાહેબના કૈલાસવાસ બાદ ગાદી ઉપર આવ્યા છે.
For Private and Personal Use Only