________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુંજાલદેવ રૂપાળા, વિશાલ ભાલ તથા વદનવાળે સુભટ થઈ ગયો. એ કષ્ટની કથા છે કે ગાયોનું રક્ષણ કરવા જતાં તેણે ગહન એવી આ જન્મની જાતને છેદી નાખી છે. સુવીર કર્ણની માફક હાથમાં ખ લઇને તે સૂર્યના લોકમાં ગયો. તેનાં ગાન હું મહાભારત જેવી સુંદર વાણીમાં કેમ કરીને ગાઈ શકું? ૨૧
વિમલ કાશ્યપ ગેત્રમાં મહાબુદ્ધિશાળી રાજિંગ થઈ ગયે, જેણે પિતાની કળાવડે આખા ગોત્રમંડલનું મન રંજિત કર્યું. રર
તેને દીકરી નન્દન રાજ્ય અને દેવતાની ક્રિયાઓમાં તત્પર થશે. તેને નાલાદેવી નામથી પ્રખ્યાત એક પુત્રી થઈ. ૨૩
તે અત્યંત સારી કીર્તિવાળી સત્યને વિષે અનુરક્તા, ધર્મને વિષે સ્થિત થએલી તથા સતી સ્વભાવની હતી. તેને, શત્રુઓના શિરોના શૂળ જેવો, શિવ અને શક્તિને ભક્ત, વૈજલ્લદેવ નામનો પુત્ર થયો.
૨૪ સૂર્યના પૂજનને વિષે અનુરક્ત, સર્વ માણસને સંતોષ પમાડનારો આ જિલ્લ, જનસમૂહ જેની કીર્તિનાં ગાન ગાય છે તેવો પ્રિય થયો. જેણે દાનપ્રદાન વડે કલ્પવૃક્ષને પણ પાછળ રાખી દીધું છે એ તે પિતાના વિશાળ ભુજબળથી શત્રઓને સારી રીતે શિક્ષા કરવાવાળો થયો.
પૃથ્વીને વિષે દેવ જેવા તેણે આ સૂર્યમંદિર માતા અને પિતાના સ્મારક તરીકે શ્રી ભગુફંડન પ્રાન્તભાગમાં બંધાવ્યું. ૨૬
તેણે મુંજાલસ્વામીદેવનું આ મંદિર ગેમ્સ, તલ, સુવર્ણ વગેરે, સુપાત્ર બ્રાહ્મણને વારંવાર જથ્થાબંધ આપીને બંધાવ્યું. ૨૭
સંપત્તિને હાથીના બચ્ચાંના કાનની માફક ચંચળ, જીવનને કમળપત્ર પર પડેલા પાણુ જેવું અસ્થિર અને યૌવનને યુવતીના કટાક્ષ જેવું(સહકારી)લેખીને તેણે આ સુર્યનું મંદિર બંધાવ્યું. ૨૮
- ૨૫
For Private and Personal Use Only